Full Text
Translation output
:
DISCLAIMER The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used
. for any other purpose For all practical and official
, purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of
. execution and implementation
અહેવાલપાત્ર
ભારતની સર્વોચ્ચ અદાલતમાં
ફોજદારી અપીલીય હકૂમત
ક્રીમીનલ અપીલ નં.૪૮૮-૪૮૯ ઓફ ૨૦૧૭
મુસ્તાક @ કાણિયો અહેમદ શેખ ... અપીલકર્તા
વિરુદ્ધ
ગુજરાત રાજ્ય ....સામાવાળા
ચુકાદો
ઇન્દિરા બેનર્જી, ન્યાયમૂર્તિ.
આ અપીલ ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ અમદાવાદ ખાતેની
ગુજરાત ઉચ્ચ ન્યાયાલયની ખંડપીઠે પસાર કરેલા સામાન્ય ચુકાદા અને આદેશ
સામે કરવામાં આવેલ, જેમાં અપીલકર્તા દ્વારા દાખલ કરાયેલી ૨૦૦૬ની
ફોજદારી અપીલ નં.૧૧૪૫ ને ફગાવી દેવામાં આવેલ, જેમાં સામાવાળા રાજ્ય
દ્વારા દાખલ કરાયેલી ૨૦૦૬ની ફોજદારી અપીલ નં.૫૬૭ ને આંશિક રીતે મંજૂર
કરવામાં આવેલ, જેમાં સેશન્સ કેસમાં અમદાવાદ શહેરનાં એડિશનલ સિટી
સેશન્સ જજ (કોર્ટ નં.૬) દ્વારા સેશન્સ કેસ નં.૨૪૫/૨૦૦૪, તા.૧૮મી
જાન્યુઆરી, ૨૦૦૬ના ચુકાદા અને દોષિત ઠેરવવાના આદેશની પુષ્ટિ કરવામાં
આવેલ, પરંતુ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ હેઠળ ગુના માટે સખત કેદની
સજાને છ વર્ષથી વધારીને સાત વર્ષ કરવામાં આવેલ.
૨. વિદ્વાન સત્ર ન્યાયાધીશે તેમના ઉપરોક્ત ચુકાદા અને આદેશ દ્વારા
અપીલકર્તા અને સલીમ ઉર્ફે સલીમ ચૌરાલા યાકુભાઈ પટેલ, જેઓ ડૉ. જયદીપ
પટેલ જેમને હવે પછી ભોગ બનનાર તરીકે સંબોધવામાં આવશે તેમને નિશાન
બનાવવા અને તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવા અને એકબીજાની મદદગારી
કરીને અને સહાય કરવા બદલ, ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ સાથે કલમ
૧૧૪ વાંચતાં અને આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧)(ખ)(ક) સાથે વાંચતાં
બોમ્બે પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ (૧) મુજબના આરોપીઓ છે જેમને
હવે પછી પ્રથમ આરોપી તરીકે સંબોધવામાં આવશે. ત્રીજા આરોપી, આભાસબેગ
હબીબબેગ મિર્ઝાને તેની સામે લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી મુક્ત
કરવામાં આવેલ હતા.
૩. વિદ્વાન સત્ર ન્યાયાધીશે અપીલકર્તા અને પ્રથમ આરોપીને ભારતીય દંડ
સંહિતાની કલમ ૧૧૪ સાથે વાંચતા કલમ ૩૦૭ હેઠળના ગુના માટે છ વર્ષની
સખત કેદ, આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧)(ખ)(ક) હેઠળના ગુના માટે ત્રણ
વર્ષની સખત કેદ અને બોમ્બે પોલીસ એક્ટની કલમ ૧૩૫(૧) ના ઉલ્લંઘન માટે
છ મહિનાની સખત કેદની સજા સંભળાવી હતી. અપીલ હેઠળના ચુકાદા અને
આદેશ દ્વારા, ઉચ્ચ અદાલતે અન્ય બાબતોની સાથે સાથે અપીલકર્તા અને સત્ર
ન્યાયાધીશ દ્વારા પસાર કરાયેલા પ્રથમ આરોપીના ચુકાદા અને દોષિત
ઠેરવવાના આદેશની પુષ્ટિ કરી છે, પરંતુ આઈ. પી. સી. ની કલમ ૩૦૭/૧૧૪
હેઠળના ગુના માટે કેદની સજાને વધારીને છને બદલે સાત વર્ષ કરેલ.
૪. ફરિયાદી પક્ષનો કેસ છે કે તારીખ ૩.૧૨.૨૦૦૨ ના રોજ ભોગબનનાર, તેના નિવાસસ્થાનથી સામે ૪.૪૫ વાગ્યા આસપાસ નોંધણી નંબર
જી.જે.૧.એચ.ઇ. ૧૫૭૫ ધરાવતી તેમની ઇન્ડિકા કારમાં., તેમની લેબોરેટોરીમાં
જઈ રહ્યા હતા, જે કાર તેમના ડ્રાઇવર જિગ્નેશ જી. વ્યાસ ચલાવી રહ્યાં હતાં, જેઓ ફરિયાદી છે, તેમને ગેલેક્સી સિનેમા નજીક, પ્રથમ આરોપી દ્વારા
ચલાવવામાં આવેલી પિસ્તોલથી, અપીલકર્તા દ્વારા ચલાવવામાં આવી રહેલ
મોટરબાઈક ઉપરથી ગોળી મારવામાં આવી હતી, જેના ઉપર પ્રથમ આરોપી
પાછળ સવાર હતો.
૫. જ્યારે કારને સ્પીડ બ્રેકર પરથી પસાર કરવા માટે ધીમી કરવી પડી, ત્યારે
તે ગેલેક્સી સિનેમાની નજીક આવી રહી હતી, ત્યારે અપીલકર્તાએ અચાનક
ભોગબનનારની કારની બાજુમાં જે બાજુ ભોગબનનાર બેઠા હતા ત્યાં મોટરબાઈક
રોકી દીધી અને પ્રથમ આરોપીએ પિસ્તોલ કાઢીને ભોગબનનાર પર ગોળીબાર
કર્યો, ત્યારબાદ અપીલકર્તા અને પ્રથમ આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયા, ગોળી કાચની બારીમાંથી આરપાર ગઈ અને ભોગબનનારના ચહેરા પર વાગી.
૬. એવું જણાય છે કે, ભોગબનનારને ગોળી માર્યા પછી, તેમણે ફરિયાદીને
તેમના નજીકના ડૉ. પરેશભાઈની હોસ્પિટલમાં લઈ જવાની સૂચના આપી હતી.
જોકે ડૉ. પરેશભાઈ ઉપલબ્ધ ન હોવાથી ભોગબનનારને સિયાઝપુર ખાતેની ડૉ.
નરેન્દ્ર સંઘવીની આનંદ સર્જિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં
ભોગબનનારને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા હતા. ડૉ. સિંઘવીની સલાહ
પર કે ભોગબનનારને વધુ સારી રીતે સજ્જ હોસ્પિટલમાં લઈ જવી જોઈએ, ભોગબનનારને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. દરમિયાન, ફરિયાદીએ પોલીસમાં ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ ૧૫૭ હેઠળ ફરિયાદ
નોંધાવી હતી, જેથી પોલીસ ઘટનાની માહિતી મળતાં આનંદ સર્જિકલ
હોસ્પિટલમાં દોડી આવી હતી. આ ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં
આવી હતી અને ફ.ગુ઼.ર. નં.૫૩૦/૦૨ તરીકે નોંધવામાં આવી હતી.
૭. ત્યારબાદ, પોલીસે તપાસ હાથ ધરી, ફરિયાદીની તપાસ કરી, ઘટના
સ્થળે જઈને તૂટેલા કાચના ટુકડા વગેરે જેવી વસ્તુઓ જપ્ત કરી. બાદમાં, જ્યારે
ભોગબનનારને ગોળી વાગી ત્યારે તેણે પહેરેલા કપડાં, કારની ગાદીઓ અને
કારની પાછળની સીટ પર રાખેલું કવર, જેને કાર્પેટ તરીકે વર્ણવવામાં આવ્યું હતું
જેમાં માનવ લોહી વગેરે હતું અને કારની અંદરથી મળી આવેલી અન્ય વસ્તુઓ
પણ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે ગોળી કાઢવા માટે ઓપરેશન કરવામાં
આવ્યું અને તેને દૂર કરવામાં આવી અને ભોગબનનારની તપાસ કરવાની
સ્થિતિમાં આવ્યા પછી તપાસ અધિકારીએ તેમનું નિવેદન નોંધ્યું હતું. પ્રથમ
આરોપી અને અપીલકર્તાની અનુક્રમે ૩૦.૧૨.૨૦૦૨ અને ૩૧.૧૨.૨૦૦૨ ના
રોજ ધરપકડ કરવામાં આવી હતી. પ્રથમ આરોપીની ઓળખ પરેડ ૨.૧.૨૦૦૩
પર યોજાઈ હતી અને અપીલકર્તા બીજા આરોપીની ઓળખ પરેડ ૪.૧.૨૦૦૩
ના રોજ ગોઠવવામાં હતી. જ્યારે આરોપી કસ્ટડીમાં હતા, ત્યારે ગુના માટે
વપરાયેલ હથિયાર અપીલકર્તાની કબૂલાત પરથી પોલીસે અપીલકર્તા દ્વારા
બતાવવામાં આવેલી જગ્યા પરથી જપ્ત કર્યું હતું.
૮. ત્રણ હથિયારો- એક દેશી પિસ્તોલ, દેખીતી રીતે ઇંગ્લેન્ડમાં બનેલી
પિસ્તોલ અને બીજી દેખીતી રીતે ચીનમાં બનેલી પિસ્તોલ, શાહઆલમ દરગાહ
નજીકના ખુલ્લા મેદાનમાં જમીનની નીચેથી મળી આવી હતી, જેનું વર્ણન જે
પંચનામા હેઠળ તેમને જપ્ત કરવામાં આવી હતી તેમાં કરવામાં આવ્યું છે.
હથિયારો વિશ્લેષણ અને પરીક્ષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં
મોકલવામાં આવ્યા હતા તેમજ ઘાયલ વ્યકતીના શરીરમાંથી મળી આવેલી ગોળી
પણ મોકલવામાં આવી હતી.
૯. ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો છે કે, ભોગબનનારને ફેબ્રુઆરી ૨૦૦૨માં
ગોધરાની ઘટના બાદ અમદાવાદમાં થયેલા કોમી રમખાણોની સિક્વલ તરીકે
નિશાન બનાવવામાં આવ્યા હતા. આરોપીએ જે સમાજમાં ભોગબનનાર સામેલ
હતાં તે ધાર્મિક સમાજના અગ્રણી સભ્યોને નિશાન બનાવવા અને ખતમ કરવાનું
કાવતરુ
ં ઘડ્યું હતું. આરોપી વ્યક્તિઓએ તે મુજબ ભોગબનનાર કે જેઓ
રમખાણોના સમયે એક ધાર્મિક સંસ્થાના અગ્રણી સભ્ય અને સચિવ હતા અને
પેથોલોજીકલ લેબોરેટરી ચલાવતા હતા તેમની હિલચાલ પર નજર રાખવાનું શરૂ
કર્યું.
૧૦. તપાસ પૂર્ણ થયા પછી, પ્રથમ આરોપી સામે અને અપીલકર્તા સામે બીજા
આરોપી તરીકે આરોપો ઘડવામાં આવ્યા હતા, અને એક આભાસબેગ હબીબેગ
મિર્ઝાને ત્રીજા આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને કેસ સેશન્સ કોર્ટમાં
કમીટ કરવામાં આવ્યો હતો અને સેશન્સ કેસ નં.૨૪૫ ઓફ ૨૦૦૪ તરીકે
નોંધવામાં આવ્યો હતો.
૧૧. તેમના કેસને સાબિત કરવા માટે, ફરિયાદ પક્ષે ફરિયાદી અને
ભોગબનનાર સહિત નીચેના ૧૪ સાક્ષીઓની તપાસ કરી હતી, જેઓ નજરે
જોનારા સાક્ષી હતાઃ-
૧. હરિભાઈ જેઠાભાઈ
૨. જૈમિની પી. પટેલ
૩. મહેશ રવજીભાઈ પટેલ
૪. પુનમભાઈ રણછોડભાઈ પટેલ
૫. ડૉ. નરેન્દ્ર પી. સંઘવી
૬. દેવાંગ એમ. પારિખ
૭. પરેશકુમાર પી. જેઠવાલ
૮. જિગ્નેશ જી. વ્યાસ
૯. ડૉ. અનિલ બંસલ
૧૦. પ્રદીપ મોહનભાઈ પટેલ
૧૧. મોહંમદયુનસ એ. મન્સુરી
૧૨. ડૉ. જયદીપ એ. પટેલ
૧૩. ડૉ. શ્રીકાંત પ્રભાકર
૧૪. ગગાભાઈ એલ. ખૂંટી
૧૨. ફરિયાદ પક્ષે દસ્તાવેજી પુરાવાઓ પર પણ આધાર રાખ્યો હતો, જેમ કે
ફરિયાદી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ, ભોગબનનારના તબીબી
અહેવાલો/પ્રમાણપત્રો, ઘટના સ્થળે તૈયાર કરાયેલ પંચનામા, વસ્તુઓ, કપડાં
વગેરે જપ્ત કર્યા સંબંધિત પંચનામા વગેરે. પ્રથમ આરોપી અને અપીલકર્તા (બીજા
આરોપી) ની ઓળખ સંબંધિત પંચનામા, અપીલકર્તાના નિવેદન અને
ભોગબનનારના શરીરમાંથી કાઢવામાં આવેલી ગોળીના આધારે હથિયારોની
રીકવરી સંબંધિત પંચનામા, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટ્સ, લાઈ
ડિટેક્શન એનાલિસિસ રિપોર્ટ વગેરે.
૧૩. જે ભોગબનનારએ પોતે ૧૨મા સાક્ષી (પીડબ્લ્યુ-૧૨) તરીકે જુબાની
આપી હતી તેણે જણાવ્યું હતું કે આ ઘટના ૩ ડિસેમ્બર ૨૦૦૨ ના રોજ સાંજે
૪ઃ૪૫ વાગ્યા આસપાસ જ્યારે ભોગબનનાર તેના ઘરેથી તેની પેથોલોજીકલ
લેબોરેટરી તરફ જઈ રહ્યા હતા ત્યારે બની હતી, તેમની કાર ટાટા ઇન્ડિકા કાર
હતી, જેનો નોંધણી નંબર જી.જે.આઈ. એચ.ઇ.-૧૫૭૫ હતો, જેનો ડ્રાઈવર
ફરિયાદી હોય, તે ફરીયાદી દ્વારા કાર ચલાવવામાં આવી રહી હતી. પીડિતે
જુબાની આપી જતી કે, તે કારની ડાબી બાજુ પાછળ બેઠો હતો. જ્યારે કાર
ગેલેક્સી સિનેમાથી પસાર થઈ રહી હતી, ત્યારે તે સ્પીડ બ્રેકરના લિધે ધીમી પડી
ગઈ હતી. જેમ જેમ કાર સ્પીડ બ્રેકર ના કારણે ધીમી થલ રહી હતી, ત્યારે ડાબી
બાજુથી અવાજ આવ્યો હતો, જેને પીડિતે પાછળથી ક્રોસ એક્ઝામિનેશનમાં, નજીક આવી રહેલી મોટરબાઈકના અવાજ તરીકે સમજાવ્યો હતો. અવાજ
સાંભળીને ભોગબનનાર મોટરબાઈક જે કારની બાજુમાં હતી તેની દિશામાં વળ્યો, અને જોયું કે મોટરબાઈક પર બે વ્યક્તિઓ હતા. પાછળ બેઠેલ સવારના હાથમાં
એક હથિયાર હતું, જે પિસ્તોલ જેવું લાગતું હતું. પાછળ બેઠેલ સવારે ગોળીબાર
શરૂ કર્યો. ભોગબનનારને ગોળી વાગી હતી અને તે જમણી બાજુએ પડી ગયો
હતો. તેમણે કહ્યું કે, તેમને ડૉ. પરેશભાઈની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
હતા જે તેમની લેબોરેટરીની નજીક હતી પરંતુ ડૉક્ટર ત્યાં નહોતા. ત્યારબાદ તેણે
તેના ડ્રાઈવરને તેને આનંદ સર્જિકલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. તેમને ભારે
પીડા થઈ રહી હતી. તેઓ આનંદ સર્જિકલ હોસ્પિટલ પહોંચ્યા અને ડૉ. નરેન્દ્ર
સાંગવીને આ ઘટનાની જાણ કરી.ડૉ. સંઘવીએ સારવાર શરૂ કરી, એક્સ-રે
લીધો અને પ્રાથમિક સારવાર આપી પરંતુ ભલામણ કરી કે ભોગબનનારને મોટી
હોસ્પિટલમાં લઈ જવા જોઈએ. ત્યારબાદ ભોગબનનારને સ્ટર્લિંગ હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતા. પીડિતે વધુમાં જુબાની આપી હતી કે, નિદાન
અહેવાલોની તપાસ કર્યા પછી, સ્ટર્લિંગ હોસ્પિટલના ડોકટરોએ ભોગબનનારનું
ઓપરેશન કરવાનું નક્કી કર્યું. ૪ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ સ્ટર્લિંગ હોસ્પિટલમાં
ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ગોળી દૂર કરવામાં આવી હતી. ભોગબનનાર
લગભગ ૮ દિવસ સુધી ઇન્ડોર દર્દી તરીકે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ રહ્યા
હતા, ત્યારબાદ તેમને ૧૧ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ રજા આપવામાં આવી હતી.
તેમણે કહ્યું કે ઈજાને કારણે તેમની ડાબી આંખની નીચેનું હાડકું તૂટી ગયું હતું, જેના માટે તેમને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ લગભગ છ મહિના સુધી
સારવાર કરાવવી પડી હતી. તેમણે કહ્યું કે ઈજાને કારણે તેમની ડાબી આંખની
દ્રષ્ટિ બગડી ગઈ હતી.
૧૪. તેમની તપાસ દરમિયાન, પીડિતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેણે
મોટરસાયકલ સવારો માંના-ડ્રાઈવર અને પાછળ બેઠેલ સવારને ઓળખી શકે
તેમ છે, જેમને તેણે ટેસ્ટ ઓળખ પરેડમાં અને કોર્ટમાં પણ ઓળખી કાઢ્યા હતા.
૧૫. ફરિયાદીએ આઠમા સાક્ષી (પીડબ્લ્યુ-૮) તરીકે જુબાની આપી હતી. આ
સાક્ષી (પીડબ્લ્યુ-૮) એ જુબાની આપી હતી કે, તેણે ગેલેક્સી સિનેમા નજીક
કારની ગતિ ધીમી કરવી પડી હતી કારણ કે ત્યાં સ્પીડ બ્રેકર હતું. તે સમયે
કારની પાછળ બે વ્યક્તિઓ બાઇક ઉપર હતી. આગળની વ્યક્તિએ કાળા રંગના
ચશ્મા અને કાળી ટોપી પેહરી હતી. પીડબ્લ્યુ-૩ એ કહ્યું કે જ્યારે તેણે સ્પીડ
બ્રેકર પસાર કર્યું ત્યારે તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો અને તેઓ તેમની
ડાબી તરફ વળ્યા ત્યારે તેણે જોયું કે, બાઇક પરના લોકો ચંદ્રેશ નગર સોસાયટી
તરફ ભાગી રહ્યા હતા. પાછળ બેઠેલા વ્યક્તિ પાસે પિસ્તોલ અથવા રિવોલ્વર
જેવું હથિયાર હતું, જે તેણે પોતાના જેકેટના ખિસ્સામાં મૂક્યું હતું. જ્યારે
પીડબ્લ્યુ-૮એ પાછળ જોયું તો તેણે જોયું કે ભોગબનનારની ડાબી આંખમાંથી
લોહી વહી રહ્યું હતું.
૧૬. આ સાક્ષીએ પુષ્ટિ કરી કે તે પહેલા ભોગબનનારને ડૉ. પરેશભાઈની
હોસ્પિટલમાં લઈ ગયો હતો પરંતુ ડૉક્ટર ત્યાં નહોતા. તેથી ભોગબનનારને ડૉ.
નરેન્દ્ર સંઘવીની આનંદ સર્જિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં
ભોગબનનારને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે સારવાર ચાલી
રહી હતી, ત્યારે પોલીસ આવી અને તેની ફરિયાદ લીધી. આ સાક્ષીએ તેના દ્વારા
કરવામાં આવેલી ફરિયાદની ઓળખ કરી અને જણાવ્યું કે પોલીસ અધિકારીએ
પણ તેની હાજરીમાં ફરિયાદ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે પુષ્ટિ કરી કે
ફરિયાદમાં જણાવેલી હકીકતો સાચી હતી.
૧૭. આ સાક્ષીએ એમ પણ જણાવ્યું હતું કે ડૉ. નરેન્દ્ર સંઘવીની સલાહ કે
ભોગબનનારને વધુ સારી રીતે સજ્જ હોસ્પિટલમાં લઈ જવી જોઈએ તેને માન
આપતાં, તે જ દિવસે ભોગબનનારને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા. બીજા દિવસે ફરિયાદીએ પોલીસને ઘટના સ્થળ બતાવ્યું હતું. પોલીસે
તપાસ હાથ ધરી હતી.
૧૮. આ સાક્ષી (પીડબ્લ્યુ-૮) એ જણાવ્યું હતું કે ૪ જાન્યુઆરી ૨૦૦૩ના
રોજ પોલીસે તેને ઘીકાંટા કોર્ટમાં બોલાવ્યો હતો. કોર્ટ પટાવાળાએ આ સાક્ષીને
કોર્ટની બહાર લગભગ ૧૫ થી ૨૦ મિનિટ સુધી બેસાડ્યો હતો, ત્યારબાદ તેને
જજ સમક્ષ કોર્ટ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો અને ન્યાયાધીશે તેને છ
વ્યક્તિઓમાંથી આરોપીની ઓળખ કરવા કહ્યું હતું. આ સાક્ષીએ મોટરસાયકલ
ચલાવતી વ્યક્તિની ઓળખ કરી હતી. પીડબ્લ્યુ-૩ દ્વારા ઓળખાયેલી
વ્યક્તિએ જણાવ્યું હતું કે તેનું નામ મુસ્તાક @ કાણિયો હતું. ઓળખ થયા પછી
ન્યાયાધીશે ફરિયાદીને બહાર જવા કહ્યું.
૧૯. અદાલતમાં આ સાક્ષીએ ફરીથી તે વ્યક્તિની ઓળખ કરી જેને તેણે
અગાઉ ઓળખ પરેડ દરમિયાન ઓળખ્યો હતો અને જેણે કહ્યું હતું કે તેનું નામ
મુસ્તાક @કાણિયો હતું. આ સાક્ષીએ મોટર સાયકલ ચલાવતી વ્યક્તિને પણ
કોર્ટમાં પ્રથમ આરોપી તરીકે ઓળખી હતી.
૨૦. આ સાક્ષીએ કહ્યું કે, વાહનના પાછળના ડાબા દરવાજા પર એક નાનો
કાચ હતો જેમાં સ્ટીલની પટ્ટી ફીટ કરવામાં આવી હતી. ગોળી ઉક્ત પટ્ટીમાંથી
આવી અને કાચ તૂટી ગયો. પાછળની સીટ પર કાચના ટૂકડા પડ્યા હતા.
પાછળના ભાગમાં જ્યાં સ્પીકર રાખવામાં આવ્યા હતા તે બોર્ડ, પાછળના
ભાગની સીટ બેલ્ટ અને સીટ પરની કાર્પેટ પણ લોહીના ડાઘા પડ્યા હતા. આ
સાક્ષીએ ઘટના સમયે પીડિતે પહેરેલા કપડાંની પણ ઓળખ કરી હતી.
૨૧. આ સાક્ષીની લાંબી ઉલટ-તપાસ કરવામાં આવી હતી. જોકે, ઉલટ-
તપાસમાં તેઓ અડગ રહ્યા હતા. તેમણે વિશ્વાસપૂર્વક જુબાની આપી હતી કે, તે
મોટરસાયકલ યામાહા મોટર સાયકલ હતી. જોકે તેને તેનો નંબર ખબર નહોતી.
તેમણે પુષ્ટિ કરી હતી કે તેમણે ઓળખ પરેડમાં બીજા આરોપીની ઓળખ કરી
હતી અને તેમણે કોર્ટમાં અપીલકર્તા (બીજા આરોપી) અને પ્રથમ આરોપી
(સલીમ) બંનેની ઓળખ મોટરસાયકલના ચાલક અને પાછળ બેઠેલા સવાર
તરીકે કરી હતી, જેમણે ગોળીબાર કર્યો હતો.
૨૨. અપીલકર્તાએ જે સ્થળ બતાવ્યું હતું ત્યાંથી જમીનની નીચેથી
અપીલકર્તાની કબૂલાત મુજબ જે હથિયારથી ગુનો આચરવામાં આવ્યો હતો તેની
રીકવરી, પંચ પ્રદીપ મોહનભાઈ પટેલના મૌખિક પુરાવા દ્વારા સાબિત થઈ છે, જેમણે દસમા સાક્ષી (પીડબ્લ્યુ-૧૦) તરીકે જુબાની આપી હતી. આ સાક્ષીએ
જેમના કહેવા પર પોલીસે તેમની હાજરીમાં ત્રણ હથિયારો જપ્ત કર્યા હતા, તે
વ્યક્તિ તરીકે પણ અદાલતમાં અપીલકર્તાની ઓળખ કરી હતી.
૨૩. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે જેમણે ટેસ્ટ ઓળખ પરેડનું સંચાલન કર્યું હતું, એટલે કે મોહમ્મદયુનુસ એ. મન્સુરીએ, અગિયારમા સાક્ષી (પીડબ્લ્યુ-૧૧)
તરીકે જુબાની આપી હતી. તેમણે તેમના દ્વારા આયોજિત ટેસ્ટ ઓળખ પરેડમાં
ફરિયાદી અને ભોગબનનાર દ્વારા અપીલકર્તાની ઓળખને સમર્થન આપ્યું હતું.
૨૪. આ કેસમાં ત્રણ ડૉક્ટરોએ જુબાની આપી છે. ડૉ. નરેન્દ્ર પી. સંઘવી, જેમણે પીડબ્લ્યુ-૫ તરીકે જુબાની આપી હતી, તેમણે જણાવ્યું હતું કે, તેમણે
ભોગબનનારને પ્રાથમિક સારવાર આપી હતી, પરીક્ષણો કર્યા હતા અને
ભલામણ કરી હતી કે ભોગબનનારને તેની ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને
મોટી, વધુ સારી રીતે સજ્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે. ૯મો ફરિયાદ પક્ષના
સાક્ષી (પીડબ્લ્યુ -૯), ડૉ. અનિલ બંસલ, ચીફ મેડિકલ ઓફિસર, સ્ટર્લિંગ
હોસ્પિટલે જણાવ્યું કે, ભોગબનનારને ૩ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ લગભગ
સાંજે ૬ વાગ્યે સ્ટર્લિંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓ ગોળી
વાગવાથી ઘાયલ થયા હોવાનુ જણાતું હતું. આ સાક્ષીએ અન્ય ડોકટરોની સાથે
ભોગબનનારની શારીરિક તપાસ કરેલ. એવું જણાતું હતું કે, તેમની ડાબી
આંખની નીચે એક સેન્ટીમીટરનો ઘા હતો પરંતુ તેઓ સંપૂર્ણ રીતે હોશમાં હતા
અને તેમની નાડી, બ્લડ પ્રેશર વગેરે સામાન્ય હતા. આ સાક્ષીએ જુબાની આપી
હતી કે, ભોગબનનારને તરત જ ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો હતો
જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ગોળી બહાર કાઢવામાં આવી હતી.
ભોગબનનારને ૧૧ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં
આવી હતી.
૨૫. આ સાક્ષીએ હોસ્પિટલ દ્વારા ભોગબનનારને તેની ઇજાઓ અને સારવાર
અંગે આપવામાં આવેલા પ્રમાણપત્રની પણ ઓળખ કરવામાં આવી હતી. તેમણે
કહ્યું કે પ્રમાણપત્ર પ્રીંટ સ્વરૂપમાં જારી કરવામાં આવ્યું હતું પરંતુ તેમણે
પ્રમાણપત્ર પર તેમના હાથનું લખાણ અને સહીની ઓળખ કરી હતી. આ
સાક્ષીએ અવલોકન કર્યું હતું કે દર્દીને થયેલી ઇજાઓ ગંભીર હોવાનું કહી શકાય
કારણ કે ગોળી ડાબી આંખના નીચલા ભાગમાંથી દર્દીના ગળામાં પ્રવેશી હતી.
૨૬. ૧૩મા ફરિયાદ પક્ષના સાક્ષી (પીડબ્લ્યુ-૧૩), ડૉ. શ્રીકાંત, એક સર્જને
જણાવ્યું હતું કે, ૪ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ તેમણે તેમની ડોકટરોની ટીમ સાથે
ભોગબનનારને ગોળી વાગી હોય, તેનું ઓપરેશન કર્યુ હતુ. ગોળી ગરદનની ડાબી
બાજુએ લટકી રહી હતી. આ ડૉક્ટરે ગોળી કેવી રીતે બહાર કાઢવામાં આવી હતી
તેનું વર્ણન કર્યું હતું. આ ડૉક્ટરે એવું પણ મંતવ્ય આપ્યું હતું કે ગોળી શરીરના
એક મહત્વપૂર્ણ ભાગમાં અટકી ગઈ હતી.
૨૭. ઉપર જણાવેલા સાક્ષીઓના નિવેદનો અને તેના પર આધાર રાખેલા
દસ્તાવેજો પરથી, તેમાં લેશ માત્ર શંકા ન હોઈ શકે કે, ભોગબનનાર જ્યારે તેમના
ડ્રાઇવર, ફરિયાદી દ્વારા ચલાવવામાં આવી રહેલ તેમની ઇન્ડિકા કારમાં તેમના
ઘરથી તેમની પેથોલોજીકલ લેબોરેટરી તરફ જઈ રહ્યા હતા ત્યારે ૩ ડિસેમ્બર
૨૦૦૨ના રોજ લગભગ સાંજે ૪ઃ૪૫ વાગ્યે ગેલેક્સી સિનેમા નજીક ગોળી
મારવામાં આવી હતી. ફરિયાદી (પીડબ્લ્યુ-૮) અને ભોગબનનાર (પીડબ્લ્યુ-
૧૨) બંનેએ જુબાની આપી છે કે, જ્યારે આ કાર ગેલેક્સી સિનેમા નજીક સ્પીડ
બ્રેકરની પસાર કરવા માટે ધીમી પડી હતી, ત્યારે મોટર સાયકલ જે કારની
પાછળ ડાબી તરફ ઊભી રહી હતી, તેના પાછળ બેઠેલ સવારે પિસ્તોલ ખેંચી
હતી અને ભોગબનનાર (પીડબ્લ્યુ-૧૨) ઉપર પોઇન્ટ બ્લેન્ક રેન્જ પર
ગોળીબાર કર્યો હતો અને ભાગી ગયા હતા. ફરિયાદી અને ભોગબનનાર બંનેેએ
નજરે જોનાર સાક્ષી તરીકે, અપીલકર્તાની ઓળખ કરી હતી.
૨૮. અપીલકર્તાએ કોઈ સાક્ષી તપાસ્યા ન હતાં. ઉપરોક્ત ૧૪ ફરિયાદી
સાક્ષીઓની તપાસ થયા પછી અપીલકર્તાની ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ
૩૧૩ હેઠળ તપાસ કરવામાં આવી હતી. તેમનો બચાવ સંપૂર્ણ અસ્વીકારનો
હતો.
૨૯. અપીલકર્તા તરફે હાજર વિદ્વાન વરિષ્ઠ વકીલ સુશ્રી મીનાક્ષી અરોરાએ
રજૂઆત હતી કે, અપીલકર્તાની ટેસ્ટ ઓળખ પરેડ પુરાવાના નિયમોની વિરુદ્ધ
હાથ ધરવામાં આવી હતી અને અપીલકર્તાની ઓળખ સ્થાપિત કરવામાં નિષ્ફળ
રહી હતી. તેણીએ દલીલ કરી હતી કે ફરિયાદ પક્ષના કેસ અનુસાર, માત્ર બે
નજરે જોનારા સાક્ષીઓ ફરિયાદી (પીડબ્લ્યુ-૮) અને ભોગબનનાર
(પીડબ્લ્યુ-૧૨) હતા. જો કે, બીજા આરોપી તરીકે રજૂ કરાયેલા અપીલકર્તાની
ઓળખ માત્ર પીડબ્લ્યુ-૮ દ્વારા કરવામાં આવી હતી.
૩૦. સત્ર અદાલતના ચુકાદા અને આદેશ, જેને ઉચ્ચ અદાલત દ્વારા યોગ્ય
રીતે સમર્થન આપવામાં આવ્યું છે, તે ઉપરથી જણાય છે કે, પંચ સાક્ષી
(પીડબ્લ્યુ-૧૦) સિવાય ભોગબનનાર (પીડબ્લ્યુ-૧૨) અને ફરિયાદી
(પીડબ્લ્યુ-૮) બંને દ્વારા અપીલકર્તાની ઓળખ કરવામાં આવી છે. જો કે, ઇજાગ્રસ્ત ભોગબનનારની જુબાની દોષિત ઠેરવવા માટે પૂરતી છે.
૩૧. આ અદાલતને સમજ કરવા માટે કે ફરિયાદી કારનો ચાલક હોવાથી
અપીલકર્તાને ઓળખી શક્યો ન હોત, સુશ્રી અરોરાએ ધ્યાન દોર્યું કે, ફરિયાદીએ
તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે "મેં જોયું કે મારી કારની પાછળ બે વ્યક્તિઓ
હતી, જેમાંથી પાછળ આવતા વ્યક્તિએ કાળા ગોગલ્સ અને કાળી ટોપી પહેરી
હતી". કોર્ટમાં તેમની જુબાનીમાં તેમણે કહ્યુંઃ-
“....... મેં વચ્ચેના અરીસામાંથી પાછળની બાજુ જોયું. તે સમયે મારી પાછળ
મોટર સાઇકલ પર બે લોકો આવી રહ્યા હતા, જેમાં આગળના વ્યક્તિએ કાળા
ચશ્મા અને પાછળની ટોપી પહેરી હતી.”
(સર-તપાસ)
“......... ત્યારબાદ તારીખ ૪/૧/૨૦૦૩ ના રોજ પોલીસે મને ઘીકાંટા કોર્ટમાં
બોલાવ્યો હતો. હું ત્યાં સાંજ ૩.૪૫ થી ૪.૦૦ વાગ્યા વચ્ચે પહોંચ્યો.
પટાવાળાએ મને કોર્ટની બહાર બેઠક સ્થળ પર બેસાડ્યો અને લગભગ પંદરથી
વીસ મિનિટ પછી મને ફરીથી બોલાવવામાં આવ્યો હતો. મને ન્યાયાધીશ સમક્ષ
કોર્ટ રૂમમાં લઈ જવામાં આવ્યો અને ત્યાંના ન્યાયાધીશે મને મારુ
ં નામ, સરનામું
વગેરે પૂછ્યું. ત્યારબાદ મને છ વ્યક્તિઓમાંથી જે વ્યક્તિને હું ઓળખી શકું તે
વ્યક્તિને ઓળખવા કહેવામાં આવ્યું. મેં વચ્ચે ત્રીજા અને ચોથા સ્થાને ઊભેલા
વ્યક્તિને ઓળખી કાઢ્યો હતો અને તેનો હાથ પકડીને ખેંચી લીધો હતો.
ન્યાયાધીશે આ વ્યક્તિનું નામ પૂછ્યું અને વ્યક્તિએ તેનું નામ મુસ્તાક ઉર્ફે
કાણિયો હોવાનું જણાવ્યું. પ્રક્રિયા પૂર્ણ થયા પછી (ન્યાયાધીશે) મને જવા કહ્યું.
(સર-તપાસ)
"........એ વાત સાચી છે કે, મેં મોટર સાયકલની પાછળ બેઠેલી વ્યક્તિઓ
માંથી કોઇને પણ બનાવ પેહલા ક્યારેય નથી જોયા. એ વાત સાચી છે કે, મેં
મોટર સાયકલની પાછળ બેઠેલી વ્યક્તિની માત્ર પીઠ જોઈ હતી. મોટર સાયકલ
લગભગ ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે ઘટના સ્થળથી દૂર ગઈ હતી. તે
વાાત સાચી છે કે, બનાવ પછી મોટર સાયકલ અમારી કારના ડાબી બાજુના
દરવાજાથી વળતા ખરબચડા રસ્તા પર જતી રહી હતી. ઉક્ત મોટર સાયકલ
અમારી કારની આગળથી નહોતી ગઈ પરંતુ અમારી કારના ડાબી બાજુના
પાછળનો દરવાજો પાસેથી વળાંક લઇ દુર જતાં રહ્યા હતાં"
(ઉલટ-તપાસ)
એ વાત સાચી છે કે, મેં મોટર સાઇકલ સવારને જોયો હતો, વિસ્ફોટ સાંભળ્યો
હતો, અને મોટર સાઇકલ સવારો ચંદ્રેશ નગર તરફ વળ્યા હતા, આ બધું આંખના
પલકારામાં જ થયું હતું....
એ વાત સાચી છે કે તે જ સમયે મેં મોટર સાઇકલ સવારોને ચંદ્રેશનગર તરફ
વળતા જોયા હતા. એ વાત સાચી છે કે જે રસ્તા પર અમારુ
ં વાહન હતું, તે ખૂબ
જ વ્યસ્ત રસ્તો છે. તે સાચું નથી કે, તે યામાહા મોટર સાયકલ ન હતી પરંતુ
યામાહા જેવી મોટર સાયકલ હતી. સાક્ષી ભારપૂર્વક જણાવે છે કે, તે યામાહા
મોટર સાયકલ જ હતી. એ વાત સાચી છે કે, બનાવ બન્યો ત્યારે હું કારમાંથી
બહાર નહોતો નીકળ્યો. ડૉ. પરેશ શાહની હોસ્પિટલ પહોંચ્યા પછી પહેલી વાર હું
કારમાંથી બહાર આવ્યો, તે સમયે જયદીપભાઈને પણ કારમાંથી બહાર કાઢવામાં
આવ્યા હતા.
એ વાત સાચી છે કે, ખાસ કરીને મોટર સાયકલ પર સવારી કરતા વ્યક્તિઓના
ભૌતિક વર્ણન વિશે હું માત્ર એટલું જ જાણતો હતો કે તેમની ઉંમર વીસથી પચીસ
વર્ષની હોઈ શકે.
એ વાત સાચી છે કે, ઓળખ પરેડમાં કોઈ પણ વ્યક્તિએ ટોપી અથવા ચશ્મા
પહેર્યા ન હતા. એ વાત સાચી છે કે, ઓળખ પરેડમાંથી કોઈ પણ વ્યક્તિને સૂક્ષ્મ
આંખ નહોતી.(ઉલટ-તપાસ)
૩૨. ઉપર તારવેલા ફરિયાદીના પુરાવા અને તારવવામાં આવેલી ફરિયાદના
ભાગનો ઉલ્લેખ કરતા, સુશ્રી અરોરાએ ભારપૂર્વક દલીલ કરી હતી કે, ફરિયાદી
કદાચ અપીલકર્તાને નિશ્ચિતતા સાથે ઓળખી શક્યા નથી કારણ કે, અપીલકર્તાએ કાળા ચશ્મા અને ટોપી પહેરી હતી, મોટર સાયકલ પાછળ હતી
અને કારની સામે નહોતી, ફરિયાદીએ અપીલકર્તાને પાછળના અરીસામાંથી જોયો
હતો જ્યારે મોટર સાયકલ ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી અને
જ્યારે ફરિયાદીએ પિસ્તોલની ગોળી સાંભળીને પાછળ ફર્યા ત્યારે મોટર સાયકલ
આંખના પલકારામાં દૂર થઈ ગઈ હતી.
૩૩. સૌથી વધુ માન પૂર્વક, સાક્ષીઓના પુરાવાને સંપૂર્ણ રીતે વાંચવો પડે.
શબ્દો અને વાક્યોને કાપીને અલગથી વાંચી શકાય નહિ. સાક્ષીએ સ્પષ્ટપણે
જણાવ્યું છે કે તે મોટર સાયકલના ચાલકને અપીલકર્તા તરીકે ઓળખી શકે તેમ
હતા અને ખરેખર ઓળખ્યા હતાં. પીડબ્લ્યુ-૧૧ કે જેઓ ન્યાયિક મેજિસ્ટ્રેટ છે
તેમણે ટેસ્ટ ઓળખ પરેડમાં ફરિયાદી દ્વારા અપીલકર્તાની ઓળખને સમર્થન
આપ્યું છે.
૩૪. ત્યારબાદ સુશ્રી અરોરાએ પીડબ્લ્યુ-૧૧, ન્યાયિક મેજિસ્ટ્રેટ
મોહમ્મદયુનુસ એ મન્સુરીની જુબાનીનો ઉલ્લેખ કર્યો છે, જેમણે ટેસ્ટ ઓળખ
પરેડનું સંચાલન કર્યું હતું અને ખાસ કરીને નીચેના ભાગોનો ઉલ્લેખ કર્યો હતોઃ-
"આ કેસના આરોપીઓને ૨/૧/૨૦૦૩ પર ૧૬:૩૦ વાગ્યે કોર્ટ રૂમમાં મારી
સામે લાવવામાં આવ્યા હતા, આરોપીઓને નામ, સરનામું પૂછવામાં આવ્યું હતું
અને તેની ચકાસણી કરવામાં આવી હતી, તેમને કોર્ટમાં બેસાડવામાં આવ્યા
હતા...... .......ત્યારબાદ બહારથી પાંચ ડમી વ્યક્તિઓને મારા પટાવાળા દ્વારા
બોલાવવામાં આવ્યા. આ દરમિયાન કેસના સાક્ષીઓ આવ્યા ન હતા અને મારા
બીજા પટાવાળા જાણ કરી હતી કે તેઓ ૧૬:૩૫ વાગ્યે આવ્યા હતા.
(સરતપાસ) ....એ વાત સાચી છે કે આરોપીને પડદો ઢાંકીને રજૂ કરવામાં આવ્યો ન
હતો...... .......તે સાચું છે કે, પંચનામામાં કોઈ પણ ડમીનું શારિરીક વર્ણન આપવામાં
આવ્યું નથી. એ વાત સાચી છે કે, યાદી આંક-૬૪માં એવો ઉલ્લેખ કરવામાં
આવ્યો છે કે આરોપીની ઉંમર લગભગ વીસથી પચીસ વર્ષની છે. એ વાત સાચી
છે કે ડમીમાંથી કોઈની ઉંમર ૨૭ વર્ષની નથી...... ...... મેં સાક્ષીને પૂછ્યું ન હતું કે તમે ઓળખ પરેડ પહેલાં આરોપીને જોયો છે કે
નહીં.
તે સાચું છે કે યાદીમાંથી એવું જણાયું હતું કે બે વ્યક્તિઓ મોટર સાઇકલ સવાર
હતા અને તેમણે કાળા ગોગલ્સ અને કાળી ટોપી પહેરી હતી અને તેમની ઉંમર
લગભગ વીસથી પચીસ વર્ષની હતી. યાદીમાંથી એવું પણ જણાયું હતું કે
પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિએ કાળા રંગનું જેકેટ અને કાળા રંગની જીન્સ
પહેરી હતી. એ વાત સાચી છે કે યાદીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
કે ફરિયાદી મોટરસાયકલ સવારોને ઓળખી શકે છે અને સાક્ષી ગોળીબાર કરનાર
વ્યક્તિને ઓળખી શકે છે. યાદી આંક-૬૪ પરથી મને એવું લાગ્યું નહીં કે
આરોપી સલીમ મોટરસાયકલનો ચાલક હતો......
એ વાત સાચી છે કે, મારી સૂચનાઓ છતાં ઓળખ પરેડ સમયે બંને આરોપીઓને
પડદા હેઠળ મારી પાસે લાવવામાં આવ્યા ન હતા. મેં કોઈ કાર્યવાહી કરી નથી
કારણ કે પોલીસે મારા તરફથી આવી સ્પષ્ટ સૂચનાનું પાલન કર્યું નથી. એ વાત
સાચી છે કે બંને યાદીઓમાંથી મને સમજાયું હતું કે કયા સાક્ષી કયા આરોપીની
ઓળખ કરી શકે છે.
એ વાત સાચી છે કે, મારા કોર્ટ રૂમની બહાર એક કોરિડોર છે અને ત્યારબાદ
પરિસરની દિવાલ આવેલી છે. તે સાચું છે કે, પોલીસ અને જનતાના ઘણા બધા
સભ્યો કોરિડોર તેમજ કમ્પાઉન્ડ બંને જગ્યાએ છે. તે સાચું છે કે, હું એવું કશું
કહી શકતો નથી કે જ્યારે સાક્ષી અને આરોપીઓને મારી પાસે લાવવામાં આવ્યા
ત્યારે સાક્ષી અને આરોપીઓનો મારી સાથે પરિચય કરાવવામાં આવ્યો હોત...... ....બન્ને સમયે મને એવું નહોતું લાગ્યું કે કોઈ પણ ડમી યોગ્ય નથી અને તેને
પરત મોકલવો જોઈએ. મેં ડમીની ઉંમર, ઊંચાઈ, દેખાવ અને કપડાને ધ્યાનમાં
લીધા નહોતા. એ વાત સાચી છે કે હવે હું એક પણ ડમીનું વર્ણન કરવામાં
અસમર્થ છ
ુ ં...... .......એ વાત સાચી છે કે, આરોપીઓને ડમી સાથે હરોળમાં ગોઠવ્યા પછી, મારો પટાવાળો સાક્ષીને બોલાવવા ગયો હતો, આવું બંને સમયે થયું હતું. તે સાચું
છે કે, હું એમ ન કહી શકું કે આ બંને સમય દરમિયાન જો મારા પટાવાળા અને
સાક્ષી વચ્ચે કોઈ વાતચીત થઈ હોત...... ...... એ વાત સાચી છે કે, બંને પંચનામા દરમિયાન મેં આરોપીની પૂછપરછ કરી
ન હતી. એ વાત સાચી છે કે પંચનામુ પૂર્ણ થયા પછી બંનેમાંથી કોઈ પણ
સાક્ષીએ એ જાણ કરી ન હતી કે તેણે કયા કારણોસર આરોપીની ઓળખ કરી
છે...."
૩૫. ફરિયાદપક્ષના સાહેદ નં.૧૧ના પુરાવા પરથી, ન્યાયિક મેજિસ્ટ્રેટ હોવાના
કારણે, એવું લાગે છે કે સાક્ષીઓ આવે તે પહેલાં અપીલકર્તા તેમજ ડમીઝને
ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ લાવવામાં આવ્યા હતા. તે સ્પષ્ટ છે કે અપીલકર્તાની
નજરે જોનાર સાક્ષીઓ દ્વારા યોગ્ય રીતે ઓળખ કરવામાં આવી હતી. બચાવ પક્ષ
અપીલકર્તાની ઓળખ પરેડમાં આવી કોઈ નબળાઈ દર્શાવી શક્યો નથી જે
ઓળખને દૂષિત કરે છે.
૩૬. કોરિડોરમાં ઘણા પોલીસ કર્મચારીઓ તેમજ જાહેર સભ્યો હોવાનું સૂચન
એ સંકેત આપે છે કે સાક્ષીઓને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હોઈ શકે છે.
સાક્ષીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે કોઈ વાતચીતનો કોઈ પુરાવો નથી તે
હકીકત ઉપરાંત, ન્યાયિક મેજિસ્ટ્રેટે જુબાની આપી છે કે સાક્ષીઓ આવે તે પહેલાં
અપીલકર્તાને તેની સામે લાવવામાં આવ્યો હતો. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના
મૌખિક પુરાવાના આધાર પરથી, તે સ્પષ્ટ છે કે તેમણે પ્રામાણિકપણે પદભ્રષ્ટ
કર્યા હતા અને કોઈ ખામીઓ અથવા ખામીઓને છ
ુ પાવવાનો પ્રયાસ કર્યો ન
હતો.
૩૭. સુશ્રી અરોરાની રજૂઆત કે સેશન્સ કોર્ટે સ્વીકાર્યું હતું કે અપીલકર્તાની
ઓળખ સ્થાપિત થઈ નથી, પરંતુ તે જ સમયે તે જ સાક્ષીઓની જુબાનીના
આધારે અપીલકર્તાને દોષિત ઠેરવ્યો હતો, તે સ્વીકારવું મુશ્કેલ છે. સુશ્રી
અરોરાએ ટ્રાયલ કોર્ટના ચુકાદાના જે ભાગ પર આધાર રાખ્યો હતો તે નીચે
તારવેલ છેઃ -
૩૦. ભારપૂર્વક દલીલ કરવામાં આવી છે અને, મારા મતે, હું એમ કહેવાનું સાહસ પણ કરી શકું છ
ુ ં કે, દલીલો
સંપૂર્ણપણે યોગ્યતાથી વંચિત નથી, કે આરોપી નં.૧ અને
૨ ની ઓળખ અંગે કેટલીક શંકાઓ છે કે જેઓ અહીં
ગુનાના ગુનેગારો છે. બચાવ પક્ષ વતી કરવામાં આવેલી
રજૂઆતમાં અમુક યોગ્યતા છે કે, આરોપી નં.૧ અને ૨
પહેલેથી જ નરોડા પોલીસની કસ્ટડીમાં હોવા છતાં તેમની
અન્ય કોઈ ગુનાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી
હોવાના આરોપી હોવા છતાં, લગભગ એક અઠવાડિયા
પછી વર્તમાન ગુનામાં તેમની ધરપકડ પર શા માટે અસર
થઈ તેનું કોઈ યોગ્ય કારણ નથી. બંને આરોપી પહેલેથી જ
પોલીસ કસ્ટડીમાં હોવાથી એટલે કે સંબંધિત તારીખોએ
નરોડા પોલીસની કસ્ટડીમાં હોવાના કારણે, તે વધુ યોગ્ય
છે, કહેવા માટે, ઓળખ પરેડ અનુક્રમે ૦૧.૦૧.૨૦૦૩
અને ૦૩.૦૧.૨૦૦૩ પર અલગથી યોજવામાં આવી હતી.
એ પણ નોંધવું જરૂરી છે કે, તપાસ અધિકારી
ફરિયાદપક્ષના સાહેદ નં.૧૪ તરફથી કોઈ સંતોષકારક
સમજૂતી આવી નથી, જેમણે મારા મતે, ખૂબ જ ગંભીર
રીતે નહીં પણ સામાન્ય રીતે જુબાની આપી છે...... "
૩૮. સત્ર કોર્ટના ચુકાદાને સંપૂર્ણ રીતે વાંચવો પડશે. તપાસ અધિકારીએ જે
આકસ્મિક રીતે જુબાની આપી હતી તેના સંદર્ભમાં ટ્રાયલ કોર્ટે અમુક અવલોકનો
કર્યા હોવા છતાં, ટ્રાયલ કોર્ટે શોધી કાઢ્યું હતું કે પ્રથમ આરોપી અને બીજા
આરોપીની ઓળખ સંબંધિત સાક્ષીઓ એટલે કે ફરિયાદપક્ષના સાહેદ નં.-૧૨
અને ફરિયાદપક્ષના સાહેદ નં.-૮ બંને દ્વારા હકારાત્મક રીતે કરવામાં આવી
હતી.
૩૯. ચુકાદાનો સંબંધિત ભાગ નીચે તારવવામાં આવ્યો છેઃ -
"૩૧. એ નોંધવું જરૂરી છે કે, બંને આરોપી નં ૧ અને ૨ની બંને
સંબંધિત સાક્ષીઓ દ્વારા ઓળખ પરેડ દરમિયાન હકારાત્મક
ઓળખ કરવામાં આવી છે. અનુક્રમે ફરિયાદપક્ષના સાહેદ નં.-૧૨
અને ફરિયાદપક્ષના સાહેદ નં.-૮ એ વ્યક્તિઓ તરીકે કે જેઓ
આરોપી નં. ૨ દ્વારા ચલાવાતી મોટર સાયકલ પર આવ્યા હતા.
આરોપી નં. ૧ એક પિલિયન રાઇડર હતો અને જે નિર્વિવાદ અને
અનિયંત્રિત વધુ હકીકત બહાર આવે છે તે એ છે કે આરોપી
નં.૧એ પિસ્તોલ જેવા હથિયારને બહાર કાઢીને ડૉ. જયદીપ પટેલ
પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કર્યો. ઓળખ પરેડ અનુક્રમે
આંક ૬૫ અને ૬૭ને ફરિયાદપક્ષના સાહેદ નં-૧૧ એક્ઝિક્યુટિવ
મેજિસ્ટ્રેટ અને મોહમ્મદ્યુનસ એ.મન્સુરી દ્વારા સમર્થન આપવામાં
આવ્યું છે અને અનુક્રમે ફરિયાદપક્ષના સાહેદ નં-૧૨ અને
ફરિયાદપક્ષના સાહેદ નં-૮ ની જુબાનીઓ દ્વારા વધુ સમર્થન અને
ટેકો આપવામાં આવેલ છે અને બચાવપક્ષના વિદ્ધાન વકીલ દ્વારા
વ્યાપક ઉલટ-તપાસ કરી હોવા છતાં, ત્રણેય સાક્ષીઓની
જુબાનીએ ઉલટ-તપાસની કસોટીનો સામનો કર્યો છે અને આવી
જુબાનીઓની સંચિત અસર મને નિઃશંકપણે એવા નિષ્કર્ષ પર
લાવે છે કે, બંને આરોપી નં. ૧ અને ૨ ને અનુક્રમે ફરિયાદપક્ષના
સાહેદ નં-૧૨ અને ફરિયાદપક્ષના સાહેદ નં-૮ દ્વારા ઓળખ
પરેડ દરમિયાન હકારાત્મક રીતે ઓળખવામાં આવ્યા હતા.
૪૦. અમે સુશ્રી અરોરાની રજૂઆતને સ્વીકારવામાં અસમર્થ છીએ કે ઉચ્ચ
અદાલતે અપીલને નકારી કાઢવામાં અને દોષિત ઠેરવવામાં ભૂલ કરી હતી, આ
નિરીક્ષણ સાથે કે બચાવ પક્ષ દ્વારા સાક્ષીઓની વ્યાપક ઉલટ-તપાસ કરવામાં
આવી હતી, પરંતુ ઉલટ-તપાસમાં કંઈપણ વાંધાજનક બહાર આવ્યું ન હતું. તે
નોંધની બાબત છે કે બંને સાક્ષીઓએ અલગ-અલગ ટેસ્ટ ઓળખ પરેડ
દરમિયાન પ્રથમ આરોપી તેમજ અપીલકર્તાની અહીં હકારાત્મક રીતે ઓળખ કરી
હતી.
૪૧. ફરિયાદપક્ષના સાહેદો દ્વારા અપીલકર્તાની હકારાત્મક ઓળખ કરવામાં
આવી હોવાનું માનીને નીચેની અદાલતોએ ભૂલ કરી હતી તેવી સુશ્રી અરોરાની
રજૂઆત પણ ટકાઉ નથી.ગુનાના નજરે જોનાર સાક્ષીઓ તેમજ પંચ સાક્ષી દ્વારા
અપીલકર્તાની ઓળખ વ્યાજબી શંકાની બહાર સાબિત થઈ છે. તે સાચું હોઈ શકે
છે કે ખોટી ઓળખ અને ખામીયુક્ત ટેસ્ટ આઇડેન્ટિફિકેશન પરેડના આધારે
દોષિત ઠેરવવામાં ન આવી શકે. ઇકબાલ અને અન્ય વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય [
ફુટ નોટઃ ૧ (૨૦૧૫) ૬ એસસીસી ૬૨૩] માં સુશ્રી અરોરા દ્વારા ટાંકવામાં
આવેલ કાયદાનો પ્રસ્તાવ અપવાદરૂપ છે. જો કે, જેમ ઉપર અવલોકન કરવામાં
આવ્યું છે તેમ આ કેસમાં અપીલકર્તાની ઓળખ ખરેખર ભોગબનનાર અને
ફરિયાદી બંને દ્વારા અને પંચ સાક્ષી (ફરિયાદ પક્ષના સાહેદ નં.૧૦) દ્વારા કોર્ટમાં
પણ કરવામાં આવી હતી, ઓળખ ભૂલભરેલી હોવાનું કહી શકાય નહી.ન તો ટેસ્ટ
ઓળખ પરેડને આવી નબળાઈનો સામનો કરવો પડ્યો હતો કે જેથી ઓળખ
પોતે જ દૂષિત થઈ જાય.
૪૨. ત્યારબાદ સુશ્રી અરોરાએ રજૂઆત કરી હતી કે ફરિયાદી પક્ષ ડૉ. શ્રીકાંત
(ફરિયાદપક્ષના સાહેદ નં.-૧૩) દ્વારા પીડિતાના શરીરમાંથી કાઢવામાં આવેલી
ગોળીની કસ્ટડીની સાંકળ સ્થાપિત કરી શક્યો નથી.તેણીએ ડૉ. શ્રીકાંતના
નિવેદનનો ઉલ્લેખ કર્યો કેઃ -
"શસ્ત્રક્રિયા પછી અમે દર્દીના શરીરમાંથી બહાર કાઢેલી ગોળી બહેનને આપી, બહેન એટલે કે સ્ટેડીંંગ નર્સ, મને વ્યક્તિગત માહિતી નથી કે તેણે તે કોને
આપી, અમે તેને છ
ૂ ટી ગોળી આપેલી.એ વાત સાચી છે કે મેડિકો-લીગલ કેસમાં
જ્યારે કોઈના શરીરમાંથી કોઈ ગોળી બહાર કાઢવામાં આવે છે, ત્યારે ધ્યાન
રાખવું જોઈએ કે આવી ગોળી પર કોઈ પણ પ્રકારના સ્ક્રેચ ન દેખાય અથવા તેને
અન્ય રીતે નુકસાન ન થાય.મને કંઈ ખબર નથી કે આવી ગોળીને ફ્રી બોક્સમાં
રાખવી જોઈએ અને એફ્.એસ.એલ. પર મોકલવી જોઈએ. એ વાત સાચી છે કે મેં
ક્યાંય પણ આ ગોળીના વર્ણનનો ઉલ્લેખ કર્યો નથી."(ઉલટ-તપાસ પાના
નં.૧૧૮-૧૧૯ પર)
૪૩. સુશ્રી અરોરાએ વધુમાં ધ્યાન દોર્યું હતું કે ૧૪મા ફરિયાદપક્ષના સાહેદ
(ફરિયાદપક્ષના સાહેદ નં.-૧૪) હોવાના કારણે તપાસ અધિકારીએ તેના
પુરાવામાં જણાવ્યું હતું કે "....આજે મને યાદ નથી કે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા
મારી સામે જે ગોળી રજૂ કરવામાં આવી હતી તે સીલ કરેલી સ્થિતિમાં હતી કે
નહી....." (ઉલટ-તપાસ).
૪૪. સુશ્રી અરોરાએ દલીલ કરી હતી કે જ્યારે દોષિત ઠેરવવાની સજા ગોળી
ચલાવવા પર આધારિત હોય, ત્યારે ફરિયાદી પક્ષે એ સ્થાપિત કરવું પડશે કે તે
જ ગોળી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે.ફરિયાદી પક્ષ એવું કરવામાં
નિષ્ફળ ગયો. સુશ્રી અરોરાએ ટ્રાયલ કોર્ટના નીચેના તારણોની ચોકસાઈ પર
સવાલ ઉઠાવ્યોઃ -
"પંચનામા આંક.-૮૨ ને ફરીથી સમર્થન મળે છે અને
તેથી, તપાસ અધિકારીને ગોળી સોંપવાની રીત કાયદાની
જોગવાઈઓ અનુસાર ન હોવા અંગે ઘણું કહેવામાં આવ્યું
હોવા છતાં, મારો અભિપ્રાય છે કે, જો કેટલીક
અનિયમિતતાઓ થઈ હોવાનું જણાયું હોય, તો પણ તે
ફરિયાદી પક્ષની વાતને નબળી પાડી શકે નહીં અને નકારી
શકે નહીં. બચાવપક્ષ દ્વારા માંગવામાં આવેલ એક્વિટલ
આરોપી નં.૧ અને ૨ને મળી શકે નહી "
૪૫. સત્ર અદાલતના તારણોમાં હસ્તક્ષેપની બાંહેધરી આપતી આવી કોઈ ભૂલ
અમને મળતી નથી.જ્યારે ઘટના અને સુનાવણી વચ્ચે સમયનું અંતર હોય ત્યારે
પોલીસ/તપાસ અધિકારી માટે નાનામાં નાની વિગતો યાદ રાખવી અશક્ય હોય
છે. ન તો ઓપરેશન કરી રહેલા સર્જન માટે દર્દીના શરીરમાંથી ગોળીને બહાર
કાઢવી શક્ય છે, જેથી ગોળીની કસ્ટડીની સાંકળ પર પ્રકાશ પાડી શકાય, પછી
તે હાજરી આપતી નર્સને સોંપવામાં આવી હતી. અપીલકર્તાને દોષિત ઠેરવવા
માટે પૂરતા પુરાવા હતા.
૪૬. સુશ્રી અરોરાએ એવી પણ દલીલ કરી હતી કે અપીલકર્તા દ્વારા ખુલ્લા
મેદાનમાંથી હથિયારની કથિત વસૂલાત પર આધાર રાખવાની દોષિતતાને ટકાવી
શકાતી નથી.તેણીની રજૂઆતના સમર્થનમાં તેણીએ તપાસ અધિકારી
(ફરિયાદપક્ષના સાહેદ નં.-૧૪) ની નીચે કાઢેલી જુબાનીનો ઉલ્લેખ કર્યોઃ
".... ૫/૧/૨૦૦૩ના રોજ આરોપી મુસ્તક અહમદભાઈ શેખે
આ ગુનામાં વપરાયેલ હથિયાર તેમજ અન્ય બે હથિયારો
બતાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી જે શાહાલમની સામે
જમીનમાં દાટીને છ
ુ પાવ્યા હતા......
અમે શાહાલમ દરવાજા પર આવ્યા, જ્યાં આરોપીએ કહ્યું કે જીપ આગળ નહીં
જાય, તેથી અમે નીચે ઊતરીએ છીએ, આરોપી આગળ ચાલ્યો ગયો અને
શાહાલમ દરગાહથી સામે બાજુની શેરીમાંથી ખુલ્લા મેદાનમાં આવ્યો અને તેણે
જમીન પરથી રેતી કાઢીને બહાર કાઢ્યું અને કપડાની થેલીમાં એક હથિયાર
બતાવ્યું જે બે પિસ્તોલ અને તમાંકા હતી જેના માટે વિગતવાર પંચનામુ
દોરવામાં આવ્યુ હતુ અને જપ્ત કરીને ત્રણેયને અલગથી પેક કરીને સીલ કરી
દેવામાં આવ્યા હતા, પંચો દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષરિત ચીટ તેમાં મૂકવામાં
આવી હતી અને સીલ કરવામાં આવી હતી."
૪૭. સુશ્રી અરોરાએ દલીલ કરી હતી કે કથિત ઘટનાની તારીખથી એક મહિના
પછી ફરિયાદી પક્ષ ખુલ્લા મેદાનમાંથી હથિયારની પુનઃપ્રાપ્તિ પર આધાર રાખી
શક્યો ન હોત.ફરિયાદપક્ષના સાહેદ નં.૧૪ તપાસ અધિકારી, કથિત વસૂલાતના
સ્થળના વર્ણન અને તેના નિર્દેશના સંદર્ભમાં ઉલટ-તપાસની કસોટીમાં ટકી
શક્યા નહીં. પોતાની દલીલોને સમર્થન આપવા માટે, સુશ્રી અરોરાએ
ફરિયાદપક્ષના સાહેદ નં.-૧૪ની ઉલટ તપાસનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે
કહ્યું હતું કેઃ-
"તે સાચું નથી કે જ્યાંથી આરોપીને હથિયાર મળ્યું તે સ્થળ મુખ્ય માર્ગથી ખૂબ
દૂર અને ઊંડાણમાં આવેલું છે.મને અત્યારે યાદ નથી કે જીપમાંથી ઉતર્યા પછી
અને તે સ્થળે પહોંચવા માટે, તે ત્રણ વળાંક પછી આવે છે કે નહીં, હવે મને યાદ
નથી.તે સાચું છે કે ઘણા બધા રહેણાંક મકાનો રસ્તામાં આવે છે, હું એમ ન કહી
શકું કે તે રહેણાંક મકાનોની હરોળની સામે શું આવેલું છે.એ વાત સાચી છે કે
જ્યાંથી હથિયાર મળી આવ્યું હતું તે જગ્યા ખુલ્લી હતી, ત્યાં કોઈ ટ્રાફિક નહોતો.
મેં આ સ્થળની નજીક આવેલા રહેણાંક મકાનોમાંથી કોઈનું નિવેદન નોંધ્યું
નથી."
૪૮. મારા વિચારમાં, પુરાવાઓમાં નાની-મોટી વિસંગતતાઓ અને ઘણાં વર્ષો
પછી ઘરો, રસ્તાઓ અને શેરીઓના વર્ણનની વિગતોને યાદ કરવામાં
અસમર્થતા, પુનઃપ્રાપ્તિના પુરાવાને દૂષિત કરતી નથી. અપીલકર્તાએ પોલીસને
તે સ્થળ બતાવ્યું જ્યાં રેતીની નીચે હથિયારો છ
ુ પાવવામાં આવ્યા હતા.ટ્રાયલ
કોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓની પ્રશંસા પર ખૂબ જ યોગ્ય રીતે ચુકાદો આપ્યોઃ -
"ફરીથી સમગ્ર સંસ્કરણને હકારાત્મક સમર્થન પૂરુ
ં પાડવું એ
પંચનામા આંક-૮૮ના સંદર્ભમાં મુદ્દામાલ શસ્ત્રની શોધની
હકીકત છે. આરોપી નં.૨ ના કહેવાથી પંચનામા, મુદ્દામાલની
પુનઃપ્રાપ્તિને હકારાત્મક રીતે સ્થાપિત કરે છે.આ પંચનામાને
ફરીયાદ પક્ષના સાહેદ નં.૧૦ પ્રદીપ મોહનભાઈ પટેલ ની
જુબાનીમાં સ્વતંત્ર સમર્થન અને ટેકો મળેલ છે, જેમણે માત્ર
આરોપીની સકારાત્મક ઓળખ જ નથી કરી પરંતુ પંચનામા, આંક-૮૮માં પ્રતિબિંબિત પ્રક્રિયાને સંપૂર્ણ સમર્થન પણ આપ્યું
છે.પંચ સાક્ષીએ પણ, મારા મતે, સ્પષ્ટ રીતે વ્યાપક ઉલટ-
તપાસની કસોટીનો સામનો કર્યો છે અને મારા મતે, આવા
સાક્ષીને નકારી કાઢવાનું અથવા નહી માનવાનુ કોઈ કારણ
નથી. ......... મારા મતે ફરિયાદી પક્ષે ઘટનાના ટેન્કિંગ સ્થળને જોડતી ઘટનાઓની
સાંકળ સફળતાપૂર્વક સ્થાપિત કરી છે, આરોપી નં.૧ અને ૨ ની સકારાત્મક
ઓળખ સ્થાપિત કરી છે, આરોપી નં.૨ ના કહેવા પર મુદ્દામલ હથિયારની
પુનઃપ્રાપ્તિ કરી છે.
૪૯. તેણીની રજૂઆતના સમર્થનમાં કે બધા માટે સુલભ ખુલ્લી જગ્યાએથી
વસૂલાત દૂષિત કરવામાં આવી હતી અને અપીલકર્તાને દોષિત ઠેરવવા માટે તેના
પર આધાર રાખી શકાતો ન હતો, સુશ્રી અરોરાએ નીચેના ચુકાદાઓ ટાંક્યા
હતાઃ-
૧.સલીમ અખ્તર ઉર્ફે મોટા વિ. સ્ટેટ ઓફ યુ.પી.
૨. બોધરાજ ઉર્ફે બોધા અને અન્યો વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર રાજ્ય
૫૦. રેકોર્ડ પરના પુરાવા અને સામગ્રી પરથી એવું ન કહી શકાય કે ગુનાના
હથિયારની વસૂલાત ખુલ્લી જગ્યાએથી થઈ હતી જે બધા માટે સુલભ હતી.
શાહઆલમ દરગાહની પાછળના ખુલ્લા મેદાનમાં રેતીની નીચેથી હથિયારો
ખોદવામાં આવ્યા હતા.
૨ (૨૦૦૩) ૫ એસ.સી.સી. પારા- ૯-૧૨
૩(૨૦૦૨) ૮ એસ.સી.સી. ૪૫ પારા-૧૮
૫૧. સુશ્રી અરોરાએ આખરે દલીલ કરી હતી કે ફરિયાદી પક્ષ હેતુ અને કાવતરુ
ં
સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો જે અપીલકર્તાને દોષિત ઠેરવવા માટે જરૂરી
હતું. જો કે, જ્યાં ગોળીબાર થયો હતો અને ગોળીબારના નજરે જોનાર સાક્ષીઓ
હતા, ત્યાં હેતુ સ્થાપિત કરવાની જરૂર નહોતી. પુનરાવર્તનની કિંમતે એ
પુનરોચ્ચાર કરવામાં આવે છે કે અપીલકર્તા અને પ્રથમ આરોપી બંનેની ઓળખ
ગોળીબારના નજરે જોનારા સાક્ષીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ફરિયાદી
(ફરીયાદપક્ષના સાહેદ નં.-૮) અને અપીલકર્તા હતા.
૫૨. ફરિયાદી પક્ષ હિન્દુ સમુદાયના અગ્રણી નેતાઓને નિશાન બનાવવાનું
મોટું કાવતરુ
ં સાબિત કરી શક્યો ન હોત. વધુ મોટું કાવતરુ
ં સ્થાપિત કરવામાં
ફરિયાદી પક્ષની અસમર્થતા ત્રીજા આરોપીને નિર્દોષ જાહેર કરવા તરફ દોરી ગઈ.
તે સારી રીતે નક્કી કરવામાં આવ્યું છે કે પુરાવામાં નાની વિસંગતતાઓ દોષિત
ઠેરવતા નથી.સમયની વિસંગતતા જો કોઈ હોય તો તે નજીવી છે.ફરીયદ પક્ષના
સાહેદ નં.-૮એ તેની ઉલટ-તપાસમાં જણાવ્યું હતું કે આ ઘટના ૩.૧૨.૨૦૦૨
ના રોજ ૪.૪૫ થી ૫.૦૦ વાગ્યા ની વચ્ચે બની હતી.--પીડિતાએ કહ્યું છે કે
આ ઘટના લગભગ ૪.૪૫ વાગ્યાની આસપાસ બની હતી. તેઓ બંનેએ જણાવ્યું
હતું કે આ ઘટના ગેલેક્સી સિનેમા નજીક બની હતી.
૫૩. ટ્રાયલ દરમિયાન, ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પરના પુરાવાને વિસ્તૃત રીતે ધ્યાનમાં
લીધા છે.એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવે છે કે ગુનાનો નજરે જોનાર સાક્ષી
ભોગબનનાર અને તેની કારનો ચાલક હોવાથી, ફરિયાદીએ વિશ્વાસપૂર્વક
અપીલકર્તા અને પ્રથમ આરોપીની ઓળખ કરી હતી અને તેમને ઉલટ-તપાસમાં
હચમચાવી શકાયા ન હતા. ફરીયાદ પક્ષના સાહેદ નં.૧૦ એ અપીલકર્તાના
કહેવા પર તેની હાજરીમાં ગુનાની વસૂલાત માટે જુબાની આપી હતી અને કોર્ટમાં
અપીલકર્તાની ઓળખ પણ કરી હતી.ગુનાની ગંભીરતા અને ઈજાની ગંભીરતા
અને પીડિતાને જે રીતે ગોળી મારવામાં આવી હતી તેને ધ્યાનમાં લેતા, તેમાં કોઈ
શંકા ન હોઈ શકે કે આ પ્રયાસ પીડિતાની હત્યાનો હતો.ઉચ્ચ અદાલતે ચુકાદા
અને દોષિત ઠેરવવાના આદેશની પુષ્ટિ કરી હતી પરંતુ ભારતીય દંડ સંહિતાની
કલમ ૩૦૭ અને ૧૧૪ હેઠળની સજાને છને બદલે સાત વર્ષ કરી હતી.
૫૪. ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પરના પુરાવાને ધ્યાનમાં લીધા પછી અને ફરિયાદી
પક્ષને સાંભળ્યા પછી, અપીલકર્તા અને અન્ય આરોપીઓને જાણવા મળ્યું કે
ત્રીજો આરોપી ઘટના સ્થળે હાજર ન હતો અને તે કોઈ કાવતરાનો ભાગ હતો તે
સ્થાપિત કરવા માટે કોઈ પુરાવા નથી. તે મુજબ ત્રીજા આરોપીને નિર્દોષ જાહેર
કરવામાં આવ્યો હતો. જોકે, સેશન્સ કોર્ટે અપીલકર્તા અને પ્રથમ આરોપીને
દોષિત ઠેરવ્યા હતા અને તેમને પીડિતાને નિશાન બનાવવા અને હત્યાના
પ્રયાસમાં એકબીજાને મદદગારી કરવા અને સહાય કરવાનો ગુનો કરવા બદલ
બોમ્બે પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ (૧) સાથે વાંચતા અધિનિયમની
કલમ ૨૫ (૧) (બી) (એ) સાથે વાંચતા દંડ સંહિતાની કલમ ૧૧૪ સાથે
વાંચતા કલમ ૩૦૭ હેઠળ સજાપાત્ર ગુનાઓ માટે દોષિત ઠેરવ્યા હતા.
૫૫. સેશન્સ કોર્ટે અપીલકર્તાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ સાથે
વાંચતા કલમ ૧૧૪ હેઠળ ગુના માટે ૬ વર્ષની સખત કેદ, શસ્ત્ર અધિનિયમની
કલમ ૨૫ (૧) (બી) (એ) હેઠળ સજાપાત્ર ગુના માટે ૩ વર્ષની સખત કેદ અને
બોમ્બે પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) ના ઉલ્લંઘન માટે ૬ મહિનાની
સખત કેદની સજા ફટકારી હતી. સજાઓ એક સાથે ચાલવાની હતી અને
અપીલકર્તા દ્વારા ન્યાયિક કસ્ટડીમાં વિતાવેલા સમયને સજાના કુલ
સમયગાળાની ગણતરી કરતી વખતે મજરે આપવાનો આદેશ આપવામાં આવ્યો
હતો.
૫૬. ટ્રાયલ કોર્ટે, અસરથી શોધી કાઢ્યુંઃ
( ) i તે કોઈ પણ શંકાની બહાર સ્થાપિત કરવામાં આવ્યું હતું કે ભોગબનનારને
ગોળીની ઇજાઓ થઈ હતી.તે પણ સાબિત થયું હતું કે આ ઘટના કથિત રીતે
બની હતી.
( ) ii ઈજાની ગંભીરતા અને જોખમકારકતાને ધ્યાનમાં રાખીને ત્રણ તબીબી
નિષ્ણાતોની જુબાનીને ધ્યાનમાં લેતા બચાવ પક્ષની દલીલ કે ઇજાઓ એટલી
જીવલેણ અથવા ગંભીર અથવા જોખમી ન હતી કે જે ભારતીય દંડ સંહિતાની
કલમ ૩૦૭ ને આકર્ષિત કરે.
( ) iii એફ. એસ. એલ. (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) નિષ્ણાત મુકેશ એન.
જોશીના પુરાવા અને આંક-૯૨એ સ્થાપિત કર્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ
૩૦૭ની જોગવાઈઓને આકર્ષતો ગુનો થયો હતો.
( ) iv પંચનામા (આંક-૮૮) ની દ્રષ્ટિએ શસ્ત્રની પુનઃપ્રાપ્તિ વાજબી શંકાની
બહાર સાબિત થઈ હતી.
( ) v તપાસની નાની અનિયમિતતાઓ અને ખાસ કરીને, તપાસ અધિકારી
(ફરીયાદપક્ષના સાહેદ-૧૪) જે આકસ્મિક રીતે જુબાની આપે છે તે કાર્યવાહીના
કેસને દૂષિત કરશે નહીં.
( ) vi ૧લી અને ૩જી જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ યોજાયેલી ઓળખ પરેડ
દરમિયાન ફરિયાદી (ફરીયદપક્ષના સાહેદ નં.-૮) અને ભોગબનનાર
(પીડબ્લ્યુ-૧૨) બંને દ્વારા અપીલકર્તા અને પ્રથમ આરોપીની યોગ્ય રીતે
ઓળખ કરવામાં આવી હતી અને કોર્ટમાં પણ તેમની ઓળખ કરવામાં આવી
હતી. માત્ર હકીકત એ છે કે ઓળખ પરેડ જુદી જુદી તારીખો પર યોજવામાં આવી
હતી તે ઓળખને અવિશ્વસનીય બનાવશે નહીં.
( ) vii બંને નજરે જોનારા સાક્ષીઓએ અપીલકર્તા અને પ્રથમ આરોપીની ઓળખ
મોટરસાયકલ પર સવાર વ્યક્તિઓ તરીકે કરી હતી.મોટર સાયકલ અપીલકર્તા
દ્વારા ચલાવવામાં આવી હતી અને પ્રથમ આરોપી પિલિયન રાઇડર હતો. બંને
નજરે જોનારા સાહેદોએ પાછળ બેઠેલા સવારને, એટલે કે હથિયાર સંભાળનારા
પ્રથમ આરોપીને જોયો હતો. પીડિતાએ સ્પષ્ટપણે જુબાની આપી હતી કે પ્રથમ
આરોપીએ પીડિતા પર પોઇન્ટ બ્લેન્ક રેન્જ પર ગોળીબાર કર્યો હતો. વિસ્તૃત
ઉલટ-તપાસ છતાં આ સાક્ષીઓ અડગ રહ્યા હતા.
( ) viii ઓળખ પરેડ (ફરીયાદપક્ષના સાહેદ નં.-૧૧) નું સંચાલન કરનાર
સંબંધિત કાર્યકારી મેજિસ્ટ્રેટે ઓળખના સંદર્ભમાં ફરીયાદપક્ષના સાહેદ નં.-૧૨
અને ફરીયાદપક્ષના સાહેદ નં.-૮ના પુરાવાને સમર્થન આપ્યું હતું અને વ્યાપક
તપાસ છતાં તેને હચમચાવી શકાયો ન હતો.
( ) ix શસ્ત્રની પુનઃપ્રાપ્તિ સાથે સંબંધિત પંચનામા આંક-૮૮ પ્રદીપ મોહનભાઈ
પટેલ (ફરીયાદ પક્ષના સાહેદ નં.-૧૦) ની મૌખિક જુબાની દ્વારા યોગ્ય રીતે
સાબિત થયું હતું, જેમણે અપીલકર્તાની પણ ઓળખ કરી હતી.
( ) x ફરિયાદી પક્ષે બેલિસ્ટિક અહેવાલ આંક-૯૨ અને એફએસએલ
નિષ્ણાતોના પુરાવા પરથી સ્થાપિત કર્યું હતું કે પીડિતાના શરીરમાંથી કાઢવામાં
આવેલી ગોળી અપીલકર્તાની કબૂલાત પર મળી આવેલા હથિયારમાંથી
ચલાવવામાં આવી હતી.
૫૭. સત્ર ન્યાયાધીશે, અમારા માનવામાં આવેલા અભિપ્રાયમાં, યોગ્ય રીતે
શોધી કાઢ્યું હતું કે નાની વિસંગતતાઓ હોવા છતાં, ફરિયાદી પક્ષે સફળતાપૂર્વક
ઘટનાઓની સાંકળ સ્થાપિત કરી હતી, જે ગુનાને અન્ય બાબતોની સાથે
અપીલકર્તા સાથે જોડે છે.
૫૮. આ અપીલમાં, અમે પ્રથમ આરોપીની સજા સાથે સંબંધિત નથી.કથિત
ગુનાઓમાં અપીલકર્તાની સંડોવણી, અમારા મતે, પીડિતાની ઈજા દ્વારા અન્ય
બાબતોની સાથે સાથે યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવી છે; પીડિતાના
શરીરમાંથી ગોળી કાઢવી; ફોરેન્સિક તપાસ પર અપીલકર્તાની કબૂલાત પર મળી
આવેલા હથિયાર સાથે ગોળીને જોડવી; ગુનાના બે નજરે જોનારા સાક્ષીઓ, એટલે કે ફરિયાદી (ફરીયાદપક્ષના સાહેદ નં.-૮) અને ભોગબનનાર
(ફરીયાદપક્ષના સાહેદ નં.-૧૨); અદાલતમાં પણ ઓળખ પરેડમાં ફરિયાદી
અને અપીલકર્તાની ભોગબનનાર દ્વારા ઓળખ; પંચ સાક્ષી (ફરીયાદપક્ષના
સાહેદ નં-૧૨) દ્વારા ઓળખ૧૦) અપીલકર્તાની તે વ્યક્તિ તરીકે કે જેમના
કહેવા પર ગુનાનું હથિયાર જપ્ત કરવામાં આવ્યું હતું.
૫૯. સેશન્સ કોર્ટનો ચુકાદો કે ફરિયાદી પક્ષ ત્રીજા આરોપીની સંડોવણીને
સ્થાપિત કરી શક્યો ન હતો, અથવા તે સ્થાપિત કરી શક્યો ન હતો કે
અપીલકર્તા અને પ્રથમ આરોપી એક કાવતરાનો ભાગ હતા, જેણે હિન્દુ
સમુદાયના અગ્રણી નેતાઓને નિશાન બનાવ્યા હતા, અમારા મતે, દખલગીરીની
બાંહેધરી નથી. અમારા મતે, ઉચ્ચ અદાલતે ક્રિ.અ.નં.૧૧૪૫/૨૦૦૬ની
ફોજદારી અપીલને યોગ્ય રીતે ફગાવી દીધી હતી અને સામાવાળા રાજ્ય દ્વારા
દાખલ ક્રિ.અ.નં. ૫૬૭/૨૦૦૬ની ફોજદારી અપીલને મંજૂરી આપી હતી, જે
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ સાથે
વાંચતા કલમ ૧૧૪ હેઠળ અપીલકર્તાની કેદની સજાને વધારીને ૭ વર્ષ કરવાની
હદ સુધી હતી.
૬૦. ઉપર ચર્ચા કરાયેલા કારણો માટે, અમે આ અપીલને નકારી કાઢીએ છીએ
અને અપીલકર્તાની દોષિતતા અને અપીલકર્તાને ઉચ્ચ અદાલત દ્વારા
વધારવામાં આવેલી સજાની પુષ્ટિ કરીએ છીએ. ..........ન્યાયમુર્તિ
[આર. ભાનુમતી] .... જન્યાયમુર્તિ
[ઇન્દિરા બેનર્જી]
૧૮ જૂન, ૨૦૨૦;
નવી દિલ્હી.
This
DISCLAIMER The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used
. for any other purpose For all practical and official
, purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of
. execution and implementation
અહેવાલપાત્ર
ભારતની સર્વોચ્ચ અદાલતમાં
ફોજદારી અપીલીય હકૂમત
ક્રીમીનલ અપીલ નં.૪૮૮-૪૮૯ ઓફ ૨૦૧૭
મુસ્તાક @ કાણિયો અહેમદ શેખ ... અપીલકર્તા
વિરુદ્ધ
ગુજરાત રાજ્ય ....સામાવાળા
ચુકાદો
ઇન્દિરા બેનર્જી, ન્યાયમૂર્તિ.
આ અપીલ ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ અમદાવાદ ખાતેની
ગુજરાત ઉચ્ચ ન્યાયાલયની ખંડપીઠે પસાર કરેલા સામાન્ય ચુકાદા અને આદેશ
સામે કરવામાં આવેલ, જેમાં અપીલકર્તા દ્વારા દાખલ કરાયેલી ૨૦૦૬ની
ફોજદારી અપીલ નં.૧૧૪૫ ને ફગાવી દેવામાં આવેલ, જેમાં સામાવાળા રાજ્ય
દ્વારા દાખલ કરાયેલી ૨૦૦૬ની ફોજદારી અપીલ નં.૫૬૭ ને આંશિક રીતે મંજૂર
કરવામાં આવેલ, જેમાં સેશન્સ કેસમાં અમદાવાદ શહેરનાં એડિશનલ સિટી
સેશન્સ જજ (કોર્ટ નં.૬) દ્વારા સેશન્સ કેસ નં.૨૪૫/૨૦૦૪, તા.૧૮મી
જાન્યુઆરી, ૨૦૦૬ના ચુકાદા અને દોષિત ઠેરવવાના આદેશની પુષ્ટિ કરવામાં
આવેલ, પરંતુ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ હેઠળ ગુના માટે સખત કેદની
સજાને છ વર્ષથી વધારીને સાત વર્ષ કરવામાં આવેલ.
૨. વિદ્વાન સત્ર ન્યાયાધીશે તેમના ઉપરોક્ત ચુકાદા અને આદેશ દ્વારા
અપીલકર્તા અને સલીમ ઉર્ફે સલીમ ચૌરાલા યાકુભાઈ પટેલ, જેઓ ડૉ. જયદીપ
પટેલ જેમને હવે પછી ભોગ બનનાર તરીકે સંબોધવામાં આવશે તેમને નિશાન
બનાવવા અને તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવા અને એકબીજાની મદદગારી
કરીને અને સહાય કરવા બદલ, ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ સાથે કલમ
૧૧૪ વાંચતાં અને આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧)(ખ)(ક) સાથે વાંચતાં
બોમ્બે પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ (૧) મુજબના આરોપીઓ છે જેમને
હવે પછી પ્રથમ આરોપી તરીકે સંબોધવામાં આવશે. ત્રીજા આરોપી, આભાસબેગ
હબીબબેગ મિર્ઝાને તેની સામે લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી મુક્ત
કરવામાં આવેલ હતા.
૩. વિદ્વાન સત્ર ન્યાયાધીશે અપીલકર્તા અને પ્રથમ આરોપીને ભારતીય દંડ
સંહિતાની કલમ ૧૧૪ સાથે વાંચતા કલમ ૩૦૭ હેઠળના ગુના માટે છ વર્ષની
સખત કેદ, આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧)(ખ)(ક) હેઠળના ગુના માટે ત્રણ
વર્ષની સખત કેદ અને બોમ્બે પોલીસ એક્ટની કલમ ૧૩૫(૧) ના ઉલ્લંઘન માટે
છ મહિનાની સખત કેદની સજા સંભળાવી હતી. અપીલ હેઠળના ચુકાદા અને
આદેશ દ્વારા, ઉચ્ચ અદાલતે અન્ય બાબતોની સાથે સાથે અપીલકર્તા અને સત્ર
ન્યાયાધીશ દ્વારા પસાર કરાયેલા પ્રથમ આરોપીના ચુકાદા અને દોષિત
ઠેરવવાના આદેશની પુષ્ટિ કરી છે, પરંતુ આઈ. પી. સી. ની કલમ ૩૦૭/૧૧૪
હેઠળના ગુના માટે કેદની સજાને વધારીને છને બદલે સાત વર્ષ કરેલ.
૪. ફરિયાદી પક્ષનો કેસ છે કે તારીખ ૩.૧૨.૨૦૦૨ ના રોજ ભોગબનનાર, તેના નિવાસસ્થાનથી સામે ૪.૪૫ વાગ્યા આસપાસ નોંધણી નંબર
જી.જે.૧.એચ.ઇ. ૧૫૭૫ ધરાવતી તેમની ઇન્ડિકા કારમાં., તેમની લેબોરેટોરીમાં
જઈ રહ્યા હતા, જે કાર તેમના ડ્રાઇવર જિગ્નેશ જી. વ્યાસ ચલાવી રહ્યાં હતાં, જેઓ ફરિયાદી છે, તેમને ગેલેક્સી સિનેમા નજીક, પ્રથમ આરોપી દ્વારા
ચલાવવામાં આવેલી પિસ્તોલથી, અપીલકર્તા દ્વારા ચલાવવામાં આવી રહેલ
મોટરબાઈક ઉપરથી ગોળી મારવામાં આવી હતી, જેના ઉપર પ્રથમ આરોપી
પાછળ સવાર હતો.
૫. જ્યારે કારને સ્પીડ બ્રેકર પરથી પસાર કરવા માટે ધીમી કરવી પડી, ત્યારે
તે ગેલેક્સી સિનેમાની નજીક આવી રહી હતી, ત્યારે અપીલકર્તાએ અચાનક
ભોગબનનારની કારની બાજુમાં જે બાજુ ભોગબનનાર બેઠા હતા ત્યાં મોટરબાઈક
રોકી દીધી અને પ્રથમ આરોપીએ પિસ્તોલ કાઢીને ભોગબનનાર પર ગોળીબાર
કર્યો, ત્યારબાદ અપીલકર્તા અને પ્રથમ આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયા, ગોળી કાચની બારીમાંથી આરપાર ગઈ અને ભોગબનનારના ચહેરા પર વાગી.
૬. એવું જણાય છે કે, ભોગબનનારને ગોળી માર્યા પછી, તેમણે ફરિયાદીને
તેમના નજીકના ડૉ. પરેશભાઈની હોસ્પિટલમાં લઈ જવાની સૂચના આપી હતી.
જોકે ડૉ. પરેશભાઈ ઉપલબ્ધ ન હોવાથી ભોગબનનારને સિયાઝપુર ખાતેની ડૉ.
નરેન્દ્ર સંઘવીની આનંદ સર્જિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં
ભોગબનનારને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા હતા. ડૉ. સિંઘવીની સલાહ
પર કે ભોગબનનારને વધુ સારી રીતે સજ્જ હોસ્પિટલમાં લઈ જવી જોઈએ, ભોગબનનારને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. દરમિયાન, ફરિયાદીએ પોલીસમાં ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ ૧૫૭ હેઠળ ફરિયાદ
નોંધાવી હતી, જેથી પોલીસ ઘટનાની માહિતી મળતાં આનંદ સર્જિકલ
હોસ્પિટલમાં દોડી આવી હતી. આ ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં
આવી હતી અને ફ.ગુ઼.ર. નં.૫૩૦/૦૨ તરીકે નોંધવામાં આવી હતી.
૭. ત્યારબાદ, પોલીસે તપાસ હાથ ધરી, ફરિયાદીની તપાસ કરી, ઘટના
સ્થળે જઈને તૂટેલા કાચના ટુકડા વગેરે જેવી વસ્તુઓ જપ્ત કરી. બાદમાં, જ્યારે
ભોગબનનારને ગોળી વાગી ત્યારે તેણે પહેરેલા કપડાં, કારની ગાદીઓ અને
કારની પાછળની સીટ પર રાખેલું કવર, જેને કાર્પેટ તરીકે વર્ણવવામાં આવ્યું હતું
જેમાં માનવ લોહી વગેરે હતું અને કારની અંદરથી મળી આવેલી અન્ય વસ્તુઓ
પણ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે ગોળી કાઢવા માટે ઓપરેશન કરવામાં
આવ્યું અને તેને દૂર કરવામાં આવી અને ભોગબનનારની તપાસ કરવાની
સ્થિતિમાં આવ્યા પછી તપાસ અધિકારીએ તેમનું નિવેદન નોંધ્યું હતું. પ્રથમ
આરોપી અને અપીલકર્તાની અનુક્રમે ૩૦.૧૨.૨૦૦૨ અને ૩૧.૧૨.૨૦૦૨ ના
રોજ ધરપકડ કરવામાં આવી હતી. પ્રથમ આરોપીની ઓળખ પરેડ ૨.૧.૨૦૦૩
પર યોજાઈ હતી અને અપીલકર્તા બીજા આરોપીની ઓળખ પરેડ ૪.૧.૨૦૦૩
ના રોજ ગોઠવવામાં હતી. જ્યારે આરોપી કસ્ટડીમાં હતા, ત્યારે ગુના માટે
વપરાયેલ હથિયાર અપીલકર્તાની કબૂલાત પરથી પોલીસે અપીલકર્તા દ્વારા
બતાવવામાં આવેલી જગ્યા પરથી જપ્ત કર્યું હતું.
૮. ત્રણ હથિયારો- એક દેશી પિસ્તોલ, દેખીતી રીતે ઇંગ્લેન્ડમાં બનેલી
પિસ્તોલ અને બીજી દેખીતી રીતે ચીનમાં બનેલી પિસ્તોલ, શાહઆલમ દરગાહ
નજીકના ખુલ્લા મેદાનમાં જમીનની નીચેથી મળી આવી હતી, જેનું વર્ણન જે
પંચનામા હેઠળ તેમને જપ્ત કરવામાં આવી હતી તેમાં કરવામાં આવ્યું છે.
હથિયારો વિશ્લેષણ અને પરીક્ષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં
મોકલવામાં આવ્યા હતા તેમજ ઘાયલ વ્યકતીના શરીરમાંથી મળી આવેલી ગોળી
પણ મોકલવામાં આવી હતી.
૯. ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો છે કે, ભોગબનનારને ફેબ્રુઆરી ૨૦૦૨માં
ગોધરાની ઘટના બાદ અમદાવાદમાં થયેલા કોમી રમખાણોની સિક્વલ તરીકે
નિશાન બનાવવામાં આવ્યા હતા. આરોપીએ જે સમાજમાં ભોગબનનાર સામેલ
હતાં તે ધાર્મિક સમાજના અગ્રણી સભ્યોને નિશાન બનાવવા અને ખતમ કરવાનું
કાવતરુ
ં ઘડ્યું હતું. આરોપી વ્યક્તિઓએ તે મુજબ ભોગબનનાર કે જેઓ
રમખાણોના સમયે એક ધાર્મિક સંસ્થાના અગ્રણી સભ્ય અને સચિવ હતા અને
પેથોલોજીકલ લેબોરેટરી ચલાવતા હતા તેમની હિલચાલ પર નજર રાખવાનું શરૂ
કર્યું.
૧૦. તપાસ પૂર્ણ થયા પછી, પ્રથમ આરોપી સામે અને અપીલકર્તા સામે બીજા
આરોપી તરીકે આરોપો ઘડવામાં આવ્યા હતા, અને એક આભાસબેગ હબીબેગ
મિર્ઝાને ત્રીજા આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને કેસ સેશન્સ કોર્ટમાં
કમીટ કરવામાં આવ્યો હતો અને સેશન્સ કેસ નં.૨૪૫ ઓફ ૨૦૦૪ તરીકે
નોંધવામાં આવ્યો હતો.
૧૧. તેમના કેસને સાબિત કરવા માટે, ફરિયાદ પક્ષે ફરિયાદી અને
ભોગબનનાર સહિત નીચેના ૧૪ સાક્ષીઓની તપાસ કરી હતી, જેઓ નજરે
જોનારા સાક્ષી હતાઃ-
૧. હરિભાઈ જેઠાભાઈ
૨. જૈમિની પી. પટેલ
૩. મહેશ રવજીભાઈ પટેલ
૪. પુનમભાઈ રણછોડભાઈ પટેલ
૫. ડૉ. નરેન્દ્ર પી. સંઘવી
૬. દેવાંગ એમ. પારિખ
૭. પરેશકુમાર પી. જેઠવાલ
૮. જિગ્નેશ જી. વ્યાસ
૯. ડૉ. અનિલ બંસલ
૧૦. પ્રદીપ મોહનભાઈ પટેલ
૧૧. મોહંમદયુનસ એ. મન્સુરી
૧૨. ડૉ. જયદીપ એ. પટેલ
૧૩. ડૉ. શ્રીકાંત પ્રભાકર
૧૪. ગગાભાઈ એલ. ખૂંટી
૧૨. ફરિયાદ પક્ષે દસ્તાવેજી પુરાવાઓ પર પણ આધાર રાખ્યો હતો, જેમ કે
ફરિયાદી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ, ભોગબનનારના તબીબી
અહેવાલો/પ્રમાણપત્રો, ઘટના સ્થળે તૈયાર કરાયેલ પંચનામા, વસ્તુઓ, કપડાં
વગેરે જપ્ત કર્યા સંબંધિત પંચનામા વગેરે. પ્રથમ આરોપી અને અપીલકર્તા (બીજા
આરોપી) ની ઓળખ સંબંધિત પંચનામા, અપીલકર્તાના નિવેદન અને
ભોગબનનારના શરીરમાંથી કાઢવામાં આવેલી ગોળીના આધારે હથિયારોની
રીકવરી સંબંધિત પંચનામા, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટ્સ, લાઈ
ડિટેક્શન એનાલિસિસ રિપોર્ટ વગેરે.
૧૩. જે ભોગબનનારએ પોતે ૧૨મા સાક્ષી (પીડબ્લ્યુ-૧૨) તરીકે જુબાની
આપી હતી તેણે જણાવ્યું હતું કે આ ઘટના ૩ ડિસેમ્બર ૨૦૦૨ ના રોજ સાંજે
૪ઃ૪૫ વાગ્યા આસપાસ જ્યારે ભોગબનનાર તેના ઘરેથી તેની પેથોલોજીકલ
લેબોરેટરી તરફ જઈ રહ્યા હતા ત્યારે બની હતી, તેમની કાર ટાટા ઇન્ડિકા કાર
હતી, જેનો નોંધણી નંબર જી.જે.આઈ. એચ.ઇ.-૧૫૭૫ હતો, જેનો ડ્રાઈવર
ફરિયાદી હોય, તે ફરીયાદી દ્વારા કાર ચલાવવામાં આવી રહી હતી. પીડિતે
જુબાની આપી જતી કે, તે કારની ડાબી બાજુ પાછળ બેઠો હતો. જ્યારે કાર
ગેલેક્સી સિનેમાથી પસાર થઈ રહી હતી, ત્યારે તે સ્પીડ બ્રેકરના લિધે ધીમી પડી
ગઈ હતી. જેમ જેમ કાર સ્પીડ બ્રેકર ના કારણે ધીમી થલ રહી હતી, ત્યારે ડાબી
બાજુથી અવાજ આવ્યો હતો, જેને પીડિતે પાછળથી ક્રોસ એક્ઝામિનેશનમાં, નજીક આવી રહેલી મોટરબાઈકના અવાજ તરીકે સમજાવ્યો હતો. અવાજ
સાંભળીને ભોગબનનાર મોટરબાઈક જે કારની બાજુમાં હતી તેની દિશામાં વળ્યો, અને જોયું કે મોટરબાઈક પર બે વ્યક્તિઓ હતા. પાછળ બેઠેલ સવારના હાથમાં
એક હથિયાર હતું, જે પિસ્તોલ જેવું લાગતું હતું. પાછળ બેઠેલ સવારે ગોળીબાર
શરૂ કર્યો. ભોગબનનારને ગોળી વાગી હતી અને તે જમણી બાજુએ પડી ગયો
હતો. તેમણે કહ્યું કે, તેમને ડૉ. પરેશભાઈની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
હતા જે તેમની લેબોરેટરીની નજીક હતી પરંતુ ડૉક્ટર ત્યાં નહોતા. ત્યારબાદ તેણે
તેના ડ્રાઈવરને તેને આનંદ સર્જિકલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. તેમને ભારે
પીડા થઈ રહી હતી. તેઓ આનંદ સર્જિકલ હોસ્પિટલ પહોંચ્યા અને ડૉ. નરેન્દ્ર
સાંગવીને આ ઘટનાની જાણ કરી.ડૉ. સંઘવીએ સારવાર શરૂ કરી, એક્સ-રે
લીધો અને પ્રાથમિક સારવાર આપી પરંતુ ભલામણ કરી કે ભોગબનનારને મોટી
હોસ્પિટલમાં લઈ જવા જોઈએ. ત્યારબાદ ભોગબનનારને સ્ટર્લિંગ હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતા. પીડિતે વધુમાં જુબાની આપી હતી કે, નિદાન
અહેવાલોની તપાસ કર્યા પછી, સ્ટર્લિંગ હોસ્પિટલના ડોકટરોએ ભોગબનનારનું
ઓપરેશન કરવાનું નક્કી કર્યું. ૪ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ સ્ટર્લિંગ હોસ્પિટલમાં
ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ગોળી દૂર કરવામાં આવી હતી. ભોગબનનાર
લગભગ ૮ દિવસ સુધી ઇન્ડોર દર્દી તરીકે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ રહ્યા
હતા, ત્યારબાદ તેમને ૧૧ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ રજા આપવામાં આવી હતી.
તેમણે કહ્યું કે ઈજાને કારણે તેમની ડાબી આંખની નીચેનું હાડકું તૂટી ગયું હતું, જેના માટે તેમને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ લગભગ છ મહિના સુધી
સારવાર કરાવવી પડી હતી. તેમણે કહ્યું કે ઈજાને કારણે તેમની ડાબી આંખની
દ્રષ્ટિ બગડી ગઈ હતી.
૧૪. તેમની તપાસ દરમિયાન, પીડિતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેણે
મોટરસાયકલ સવારો માંના-ડ્રાઈવર અને પાછળ બેઠેલ સવારને ઓળખી શકે
તેમ છે, જેમને તેણે ટેસ્ટ ઓળખ પરેડમાં અને કોર્ટમાં પણ ઓળખી કાઢ્યા હતા.
૧૫. ફરિયાદીએ આઠમા સાક્ષી (પીડબ્લ્યુ-૮) તરીકે જુબાની આપી હતી. આ
સાક્ષી (પીડબ્લ્યુ-૮) એ જુબાની આપી હતી કે, તેણે ગેલેક્સી સિનેમા નજીક
કારની ગતિ ધીમી કરવી પડી હતી કારણ કે ત્યાં સ્પીડ બ્રેકર હતું. તે સમયે
કારની પાછળ બે વ્યક્તિઓ બાઇક ઉપર હતી. આગળની વ્યક્તિએ કાળા રંગના
ચશ્મા અને કાળી ટોપી પેહરી હતી. પીડબ્લ્યુ-૩ એ કહ્યું કે જ્યારે તેણે સ્પીડ
બ્રેકર પસાર કર્યું ત્યારે તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો અને તેઓ તેમની
ડાબી તરફ વળ્યા ત્યારે તેણે જોયું કે, બાઇક પરના લોકો ચંદ્રેશ નગર સોસાયટી
તરફ ભાગી રહ્યા હતા. પાછળ બેઠેલા વ્યક્તિ પાસે પિસ્તોલ અથવા રિવોલ્વર
જેવું હથિયાર હતું, જે તેણે પોતાના જેકેટના ખિસ્સામાં મૂક્યું હતું. જ્યારે
પીડબ્લ્યુ-૮એ પાછળ જોયું તો તેણે જોયું કે ભોગબનનારની ડાબી આંખમાંથી
લોહી વહી રહ્યું હતું.
૧૬. આ સાક્ષીએ પુષ્ટિ કરી કે તે પહેલા ભોગબનનારને ડૉ. પરેશભાઈની
હોસ્પિટલમાં લઈ ગયો હતો પરંતુ ડૉક્ટર ત્યાં નહોતા. તેથી ભોગબનનારને ડૉ.
નરેન્દ્ર સંઘવીની આનંદ સર્જિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં
ભોગબનનારને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે સારવાર ચાલી
રહી હતી, ત્યારે પોલીસ આવી અને તેની ફરિયાદ લીધી. આ સાક્ષીએ તેના દ્વારા
કરવામાં આવેલી ફરિયાદની ઓળખ કરી અને જણાવ્યું કે પોલીસ અધિકારીએ
પણ તેની હાજરીમાં ફરિયાદ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે પુષ્ટિ કરી કે
ફરિયાદમાં જણાવેલી હકીકતો સાચી હતી.
૧૭. આ સાક્ષીએ એમ પણ જણાવ્યું હતું કે ડૉ. નરેન્દ્ર સંઘવીની સલાહ કે
ભોગબનનારને વધુ સારી રીતે સજ્જ હોસ્પિટલમાં લઈ જવી જોઈએ તેને માન
આપતાં, તે જ દિવસે ભોગબનનારને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા. બીજા દિવસે ફરિયાદીએ પોલીસને ઘટના સ્થળ બતાવ્યું હતું. પોલીસે
તપાસ હાથ ધરી હતી.
૧૮. આ સાક્ષી (પીડબ્લ્યુ-૮) એ જણાવ્યું હતું કે ૪ જાન્યુઆરી ૨૦૦૩ના
રોજ પોલીસે તેને ઘીકાંટા કોર્ટમાં બોલાવ્યો હતો. કોર્ટ પટાવાળાએ આ સાક્ષીને
કોર્ટની બહાર લગભગ ૧૫ થી ૨૦ મિનિટ સુધી બેસાડ્યો હતો, ત્યારબાદ તેને
જજ સમક્ષ કોર્ટ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો અને ન્યાયાધીશે તેને છ
વ્યક્તિઓમાંથી આરોપીની ઓળખ કરવા કહ્યું હતું. આ સાક્ષીએ મોટરસાયકલ
ચલાવતી વ્યક્તિની ઓળખ કરી હતી. પીડબ્લ્યુ-૩ દ્વારા ઓળખાયેલી
વ્યક્તિએ જણાવ્યું હતું કે તેનું નામ મુસ્તાક @ કાણિયો હતું. ઓળખ થયા પછી
ન્યાયાધીશે ફરિયાદીને બહાર જવા કહ્યું.
૧૯. અદાલતમાં આ સાક્ષીએ ફરીથી તે વ્યક્તિની ઓળખ કરી જેને તેણે
અગાઉ ઓળખ પરેડ દરમિયાન ઓળખ્યો હતો અને જેણે કહ્યું હતું કે તેનું નામ
મુસ્તાક @કાણિયો હતું. આ સાક્ષીએ મોટર સાયકલ ચલાવતી વ્યક્તિને પણ
કોર્ટમાં પ્રથમ આરોપી તરીકે ઓળખી હતી.
૨૦. આ સાક્ષીએ કહ્યું કે, વાહનના પાછળના ડાબા દરવાજા પર એક નાનો
કાચ હતો જેમાં સ્ટીલની પટ્ટી ફીટ કરવામાં આવી હતી. ગોળી ઉક્ત પટ્ટીમાંથી
આવી અને કાચ તૂટી ગયો. પાછળની સીટ પર કાચના ટૂકડા પડ્યા હતા.
પાછળના ભાગમાં જ્યાં સ્પીકર રાખવામાં આવ્યા હતા તે બોર્ડ, પાછળના
ભાગની સીટ બેલ્ટ અને સીટ પરની કાર્પેટ પણ લોહીના ડાઘા પડ્યા હતા. આ
સાક્ષીએ ઘટના સમયે પીડિતે પહેરેલા કપડાંની પણ ઓળખ કરી હતી.
૨૧. આ સાક્ષીની લાંબી ઉલટ-તપાસ કરવામાં આવી હતી. જોકે, ઉલટ-
તપાસમાં તેઓ અડગ રહ્યા હતા. તેમણે વિશ્વાસપૂર્વક જુબાની આપી હતી કે, તે
મોટરસાયકલ યામાહા મોટર સાયકલ હતી. જોકે તેને તેનો નંબર ખબર નહોતી.
તેમણે પુષ્ટિ કરી હતી કે તેમણે ઓળખ પરેડમાં બીજા આરોપીની ઓળખ કરી
હતી અને તેમણે કોર્ટમાં અપીલકર્તા (બીજા આરોપી) અને પ્રથમ આરોપી
(સલીમ) બંનેની ઓળખ મોટરસાયકલના ચાલક અને પાછળ બેઠેલા સવાર
તરીકે કરી હતી, જેમણે ગોળીબાર કર્યો હતો.
૨૨. અપીલકર્તાએ જે સ્થળ બતાવ્યું હતું ત્યાંથી જમીનની નીચેથી
અપીલકર્તાની કબૂલાત મુજબ જે હથિયારથી ગુનો આચરવામાં આવ્યો હતો તેની
રીકવરી, પંચ પ્રદીપ મોહનભાઈ પટેલના મૌખિક પુરાવા દ્વારા સાબિત થઈ છે, જેમણે દસમા સાક્ષી (પીડબ્લ્યુ-૧૦) તરીકે જુબાની આપી હતી. આ સાક્ષીએ
જેમના કહેવા પર પોલીસે તેમની હાજરીમાં ત્રણ હથિયારો જપ્ત કર્યા હતા, તે
વ્યક્તિ તરીકે પણ અદાલતમાં અપીલકર્તાની ઓળખ કરી હતી.
૨૩. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે જેમણે ટેસ્ટ ઓળખ પરેડનું સંચાલન કર્યું હતું, એટલે કે મોહમ્મદયુનુસ એ. મન્સુરીએ, અગિયારમા સાક્ષી (પીડબ્લ્યુ-૧૧)
તરીકે જુબાની આપી હતી. તેમણે તેમના દ્વારા આયોજિત ટેસ્ટ ઓળખ પરેડમાં
ફરિયાદી અને ભોગબનનાર દ્વારા અપીલકર્તાની ઓળખને સમર્થન આપ્યું હતું.
૨૪. આ કેસમાં ત્રણ ડૉક્ટરોએ જુબાની આપી છે. ડૉ. નરેન્દ્ર પી. સંઘવી, જેમણે પીડબ્લ્યુ-૫ તરીકે જુબાની આપી હતી, તેમણે જણાવ્યું હતું કે, તેમણે
ભોગબનનારને પ્રાથમિક સારવાર આપી હતી, પરીક્ષણો કર્યા હતા અને
ભલામણ કરી હતી કે ભોગબનનારને તેની ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને
મોટી, વધુ સારી રીતે સજ્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે. ૯મો ફરિયાદ પક્ષના
સાક્ષી (પીડબ્લ્યુ -૯), ડૉ. અનિલ બંસલ, ચીફ મેડિકલ ઓફિસર, સ્ટર્લિંગ
હોસ્પિટલે જણાવ્યું કે, ભોગબનનારને ૩ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ લગભગ
સાંજે ૬ વાગ્યે સ્ટર્લિંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓ ગોળી
વાગવાથી ઘાયલ થયા હોવાનુ જણાતું હતું. આ સાક્ષીએ અન્ય ડોકટરોની સાથે
ભોગબનનારની શારીરિક તપાસ કરેલ. એવું જણાતું હતું કે, તેમની ડાબી
આંખની નીચે એક સેન્ટીમીટરનો ઘા હતો પરંતુ તેઓ સંપૂર્ણ રીતે હોશમાં હતા
અને તેમની નાડી, બ્લડ પ્રેશર વગેરે સામાન્ય હતા. આ સાક્ષીએ જુબાની આપી
હતી કે, ભોગબનનારને તરત જ ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો હતો
જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ગોળી બહાર કાઢવામાં આવી હતી.
ભોગબનનારને ૧૧ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં
આવી હતી.
૨૫. આ સાક્ષીએ હોસ્પિટલ દ્વારા ભોગબનનારને તેની ઇજાઓ અને સારવાર
અંગે આપવામાં આવેલા પ્રમાણપત્રની પણ ઓળખ કરવામાં આવી હતી. તેમણે
કહ્યું કે પ્રમાણપત્ર પ્રીંટ સ્વરૂપમાં જારી કરવામાં આવ્યું હતું પરંતુ તેમણે
પ્રમાણપત્ર પર તેમના હાથનું લખાણ અને સહીની ઓળખ કરી હતી. આ
સાક્ષીએ અવલોકન કર્યું હતું કે દર્દીને થયેલી ઇજાઓ ગંભીર હોવાનું કહી શકાય
કારણ કે ગોળી ડાબી આંખના નીચલા ભાગમાંથી દર્દીના ગળામાં પ્રવેશી હતી.
૨૬. ૧૩મા ફરિયાદ પક્ષના સાક્ષી (પીડબ્લ્યુ-૧૩), ડૉ. શ્રીકાંત, એક સર્જને
જણાવ્યું હતું કે, ૪ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ તેમણે તેમની ડોકટરોની ટીમ સાથે
ભોગબનનારને ગોળી વાગી હોય, તેનું ઓપરેશન કર્યુ હતુ. ગોળી ગરદનની ડાબી
બાજુએ લટકી રહી હતી. આ ડૉક્ટરે ગોળી કેવી રીતે બહાર કાઢવામાં આવી હતી
તેનું વર્ણન કર્યું હતું. આ ડૉક્ટરે એવું પણ મંતવ્ય આપ્યું હતું કે ગોળી શરીરના
એક મહત્વપૂર્ણ ભાગમાં અટકી ગઈ હતી.
૨૭. ઉપર જણાવેલા સાક્ષીઓના નિવેદનો અને તેના પર આધાર રાખેલા
દસ્તાવેજો પરથી, તેમાં લેશ માત્ર શંકા ન હોઈ શકે કે, ભોગબનનાર જ્યારે તેમના
ડ્રાઇવર, ફરિયાદી દ્વારા ચલાવવામાં આવી રહેલ તેમની ઇન્ડિકા કારમાં તેમના
ઘરથી તેમની પેથોલોજીકલ લેબોરેટરી તરફ જઈ રહ્યા હતા ત્યારે ૩ ડિસેમ્બર
૨૦૦૨ના રોજ લગભગ સાંજે ૪ઃ૪૫ વાગ્યે ગેલેક્સી સિનેમા નજીક ગોળી
મારવામાં આવી હતી. ફરિયાદી (પીડબ્લ્યુ-૮) અને ભોગબનનાર (પીડબ્લ્યુ-
૧૨) બંનેએ જુબાની આપી છે કે, જ્યારે આ કાર ગેલેક્સી સિનેમા નજીક સ્પીડ
બ્રેકરની પસાર કરવા માટે ધીમી પડી હતી, ત્યારે મોટર સાયકલ જે કારની
પાછળ ડાબી તરફ ઊભી રહી હતી, તેના પાછળ બેઠેલ સવારે પિસ્તોલ ખેંચી
હતી અને ભોગબનનાર (પીડબ્લ્યુ-૧૨) ઉપર પોઇન્ટ બ્લેન્ક રેન્જ પર
ગોળીબાર કર્યો હતો અને ભાગી ગયા હતા. ફરિયાદી અને ભોગબનનાર બંનેેએ
નજરે જોનાર સાક્ષી તરીકે, અપીલકર્તાની ઓળખ કરી હતી.
૨૮. અપીલકર્તાએ કોઈ સાક્ષી તપાસ્યા ન હતાં. ઉપરોક્ત ૧૪ ફરિયાદી
સાક્ષીઓની તપાસ થયા પછી અપીલકર્તાની ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ
૩૧૩ હેઠળ તપાસ કરવામાં આવી હતી. તેમનો બચાવ સંપૂર્ણ અસ્વીકારનો
હતો.
૨૯. અપીલકર્તા તરફે હાજર વિદ્વાન વરિષ્ઠ વકીલ સુશ્રી મીનાક્ષી અરોરાએ
રજૂઆત હતી કે, અપીલકર્તાની ટેસ્ટ ઓળખ પરેડ પુરાવાના નિયમોની વિરુદ્ધ
હાથ ધરવામાં આવી હતી અને અપીલકર્તાની ઓળખ સ્થાપિત કરવામાં નિષ્ફળ
રહી હતી. તેણીએ દલીલ કરી હતી કે ફરિયાદ પક્ષના કેસ અનુસાર, માત્ર બે
નજરે જોનારા સાક્ષીઓ ફરિયાદી (પીડબ્લ્યુ-૮) અને ભોગબનનાર
(પીડબ્લ્યુ-૧૨) હતા. જો કે, બીજા આરોપી તરીકે રજૂ કરાયેલા અપીલકર્તાની
ઓળખ માત્ર પીડબ્લ્યુ-૮ દ્વારા કરવામાં આવી હતી.
૩૦. સત્ર અદાલતના ચુકાદા અને આદેશ, જેને ઉચ્ચ અદાલત દ્વારા યોગ્ય
રીતે સમર્થન આપવામાં આવ્યું છે, તે ઉપરથી જણાય છે કે, પંચ સાક્ષી
(પીડબ્લ્યુ-૧૦) સિવાય ભોગબનનાર (પીડબ્લ્યુ-૧૨) અને ફરિયાદી
(પીડબ્લ્યુ-૮) બંને દ્વારા અપીલકર્તાની ઓળખ કરવામાં આવી છે. જો કે, ઇજાગ્રસ્ત ભોગબનનારની જુબાની દોષિત ઠેરવવા માટે પૂરતી છે.
૩૧. આ અદાલતને સમજ કરવા માટે કે ફરિયાદી કારનો ચાલક હોવાથી
અપીલકર્તાને ઓળખી શક્યો ન હોત, સુશ્રી અરોરાએ ધ્યાન દોર્યું કે, ફરિયાદીએ
તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે "મેં જોયું કે મારી કારની પાછળ બે વ્યક્તિઓ
હતી, જેમાંથી પાછળ આવતા વ્યક્તિએ કાળા ગોગલ્સ અને કાળી ટોપી પહેરી
હતી". કોર્ટમાં તેમની જુબાનીમાં તેમણે કહ્યુંઃ-
“....... મેં વચ્ચેના અરીસામાંથી પાછળની બાજુ જોયું. તે સમયે મારી પાછળ
મોટર સાઇકલ પર બે લોકો આવી રહ્યા હતા, જેમાં આગળના વ્યક્તિએ કાળા
ચશ્મા અને પાછળની ટોપી પહેરી હતી.”
(સર-તપાસ)
“......... ત્યારબાદ તારીખ ૪/૧/૨૦૦૩ ના રોજ પોલીસે મને ઘીકાંટા કોર્ટમાં
બોલાવ્યો હતો. હું ત્યાં સાંજ ૩.૪૫ થી ૪.૦૦ વાગ્યા વચ્ચે પહોંચ્યો.
પટાવાળાએ મને કોર્ટની બહાર બેઠક સ્થળ પર બેસાડ્યો અને લગભગ પંદરથી
વીસ મિનિટ પછી મને ફરીથી બોલાવવામાં આવ્યો હતો. મને ન્યાયાધીશ સમક્ષ
કોર્ટ રૂમમાં લઈ જવામાં આવ્યો અને ત્યાંના ન્યાયાધીશે મને મારુ
ં નામ, સરનામું
વગેરે પૂછ્યું. ત્યારબાદ મને છ વ્યક્તિઓમાંથી જે વ્યક્તિને હું ઓળખી શકું તે
વ્યક્તિને ઓળખવા કહેવામાં આવ્યું. મેં વચ્ચે ત્રીજા અને ચોથા સ્થાને ઊભેલા
વ્યક્તિને ઓળખી કાઢ્યો હતો અને તેનો હાથ પકડીને ખેંચી લીધો હતો.
ન્યાયાધીશે આ વ્યક્તિનું નામ પૂછ્યું અને વ્યક્તિએ તેનું નામ મુસ્તાક ઉર્ફે
કાણિયો હોવાનું જણાવ્યું. પ્રક્રિયા પૂર્ણ થયા પછી (ન્યાયાધીશે) મને જવા કહ્યું.
(સર-તપાસ)
"........એ વાત સાચી છે કે, મેં મોટર સાયકલની પાછળ બેઠેલી વ્યક્તિઓ
માંથી કોઇને પણ બનાવ પેહલા ક્યારેય નથી જોયા. એ વાત સાચી છે કે, મેં
મોટર સાયકલની પાછળ બેઠેલી વ્યક્તિની માત્ર પીઠ જોઈ હતી. મોટર સાયકલ
લગભગ ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે ઘટના સ્થળથી દૂર ગઈ હતી. તે
વાાત સાચી છે કે, બનાવ પછી મોટર સાયકલ અમારી કારના ડાબી બાજુના
દરવાજાથી વળતા ખરબચડા રસ્તા પર જતી રહી હતી. ઉક્ત મોટર સાયકલ
અમારી કારની આગળથી નહોતી ગઈ પરંતુ અમારી કારના ડાબી બાજુના
પાછળનો દરવાજો પાસેથી વળાંક લઇ દુર જતાં રહ્યા હતાં"
(ઉલટ-તપાસ)
એ વાત સાચી છે કે, મેં મોટર સાઇકલ સવારને જોયો હતો, વિસ્ફોટ સાંભળ્યો
હતો, અને મોટર સાઇકલ સવારો ચંદ્રેશ નગર તરફ વળ્યા હતા, આ બધું આંખના
પલકારામાં જ થયું હતું....
એ વાત સાચી છે કે તે જ સમયે મેં મોટર સાઇકલ સવારોને ચંદ્રેશનગર તરફ
વળતા જોયા હતા. એ વાત સાચી છે કે જે રસ્તા પર અમારુ
ં વાહન હતું, તે ખૂબ
જ વ્યસ્ત રસ્તો છે. તે સાચું નથી કે, તે યામાહા મોટર સાયકલ ન હતી પરંતુ
યામાહા જેવી મોટર સાયકલ હતી. સાક્ષી ભારપૂર્વક જણાવે છે કે, તે યામાહા
મોટર સાયકલ જ હતી. એ વાત સાચી છે કે, બનાવ બન્યો ત્યારે હું કારમાંથી
બહાર નહોતો નીકળ્યો. ડૉ. પરેશ શાહની હોસ્પિટલ પહોંચ્યા પછી પહેલી વાર હું
કારમાંથી બહાર આવ્યો, તે સમયે જયદીપભાઈને પણ કારમાંથી બહાર કાઢવામાં
આવ્યા હતા.
એ વાત સાચી છે કે, ખાસ કરીને મોટર સાયકલ પર સવારી કરતા વ્યક્તિઓના
ભૌતિક વર્ણન વિશે હું માત્ર એટલું જ જાણતો હતો કે તેમની ઉંમર વીસથી પચીસ
વર્ષની હોઈ શકે.
એ વાત સાચી છે કે, ઓળખ પરેડમાં કોઈ પણ વ્યક્તિએ ટોપી અથવા ચશ્મા
પહેર્યા ન હતા. એ વાત સાચી છે કે, ઓળખ પરેડમાંથી કોઈ પણ વ્યક્તિને સૂક્ષ્મ
આંખ નહોતી.(ઉલટ-તપાસ)
૩૨. ઉપર તારવેલા ફરિયાદીના પુરાવા અને તારવવામાં આવેલી ફરિયાદના
ભાગનો ઉલ્લેખ કરતા, સુશ્રી અરોરાએ ભારપૂર્વક દલીલ કરી હતી કે, ફરિયાદી
કદાચ અપીલકર્તાને નિશ્ચિતતા સાથે ઓળખી શક્યા નથી કારણ કે, અપીલકર્તાએ કાળા ચશ્મા અને ટોપી પહેરી હતી, મોટર સાયકલ પાછળ હતી
અને કારની સામે નહોતી, ફરિયાદીએ અપીલકર્તાને પાછળના અરીસામાંથી જોયો
હતો જ્યારે મોટર સાયકલ ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી અને
જ્યારે ફરિયાદીએ પિસ્તોલની ગોળી સાંભળીને પાછળ ફર્યા ત્યારે મોટર સાયકલ
આંખના પલકારામાં દૂર થઈ ગઈ હતી.
૩૩. સૌથી વધુ માન પૂર્વક, સાક્ષીઓના પુરાવાને સંપૂર્ણ રીતે વાંચવો પડે.
શબ્દો અને વાક્યોને કાપીને અલગથી વાંચી શકાય નહિ. સાક્ષીએ સ્પષ્ટપણે
જણાવ્યું છે કે તે મોટર સાયકલના ચાલકને અપીલકર્તા તરીકે ઓળખી શકે તેમ
હતા અને ખરેખર ઓળખ્યા હતાં. પીડબ્લ્યુ-૧૧ કે જેઓ ન્યાયિક મેજિસ્ટ્રેટ છે
તેમણે ટેસ્ટ ઓળખ પરેડમાં ફરિયાદી દ્વારા અપીલકર્તાની ઓળખને સમર્થન
આપ્યું છે.
૩૪. ત્યારબાદ સુશ્રી અરોરાએ પીડબ્લ્યુ-૧૧, ન્યાયિક મેજિસ્ટ્રેટ
મોહમ્મદયુનુસ એ મન્સુરીની જુબાનીનો ઉલ્લેખ કર્યો છે, જેમણે ટેસ્ટ ઓળખ
પરેડનું સંચાલન કર્યું હતું અને ખાસ કરીને નીચેના ભાગોનો ઉલ્લેખ કર્યો હતોઃ-
"આ કેસના આરોપીઓને ૨/૧/૨૦૦૩ પર ૧૬:૩૦ વાગ્યે કોર્ટ રૂમમાં મારી
સામે લાવવામાં આવ્યા હતા, આરોપીઓને નામ, સરનામું પૂછવામાં આવ્યું હતું
અને તેની ચકાસણી કરવામાં આવી હતી, તેમને કોર્ટમાં બેસાડવામાં આવ્યા
હતા...... .......ત્યારબાદ બહારથી પાંચ ડમી વ્યક્તિઓને મારા પટાવાળા દ્વારા
બોલાવવામાં આવ્યા. આ દરમિયાન કેસના સાક્ષીઓ આવ્યા ન હતા અને મારા
બીજા પટાવાળા જાણ કરી હતી કે તેઓ ૧૬:૩૫ વાગ્યે આવ્યા હતા.
(સરતપાસ) ....એ વાત સાચી છે કે આરોપીને પડદો ઢાંકીને રજૂ કરવામાં આવ્યો ન
હતો...... .......તે સાચું છે કે, પંચનામામાં કોઈ પણ ડમીનું શારિરીક વર્ણન આપવામાં
આવ્યું નથી. એ વાત સાચી છે કે, યાદી આંક-૬૪માં એવો ઉલ્લેખ કરવામાં
આવ્યો છે કે આરોપીની ઉંમર લગભગ વીસથી પચીસ વર્ષની છે. એ વાત સાચી
છે કે ડમીમાંથી કોઈની ઉંમર ૨૭ વર્ષની નથી...... ...... મેં સાક્ષીને પૂછ્યું ન હતું કે તમે ઓળખ પરેડ પહેલાં આરોપીને જોયો છે કે
નહીં.
તે સાચું છે કે યાદીમાંથી એવું જણાયું હતું કે બે વ્યક્તિઓ મોટર સાઇકલ સવાર
હતા અને તેમણે કાળા ગોગલ્સ અને કાળી ટોપી પહેરી હતી અને તેમની ઉંમર
લગભગ વીસથી પચીસ વર્ષની હતી. યાદીમાંથી એવું પણ જણાયું હતું કે
પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિએ કાળા રંગનું જેકેટ અને કાળા રંગની જીન્સ
પહેરી હતી. એ વાત સાચી છે કે યાદીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
કે ફરિયાદી મોટરસાયકલ સવારોને ઓળખી શકે છે અને સાક્ષી ગોળીબાર કરનાર
વ્યક્તિને ઓળખી શકે છે. યાદી આંક-૬૪ પરથી મને એવું લાગ્યું નહીં કે
આરોપી સલીમ મોટરસાયકલનો ચાલક હતો......
એ વાત સાચી છે કે, મારી સૂચનાઓ છતાં ઓળખ પરેડ સમયે બંને આરોપીઓને
પડદા હેઠળ મારી પાસે લાવવામાં આવ્યા ન હતા. મેં કોઈ કાર્યવાહી કરી નથી
કારણ કે પોલીસે મારા તરફથી આવી સ્પષ્ટ સૂચનાનું પાલન કર્યું નથી. એ વાત
સાચી છે કે બંને યાદીઓમાંથી મને સમજાયું હતું કે કયા સાક્ષી કયા આરોપીની
ઓળખ કરી શકે છે.
એ વાત સાચી છે કે, મારા કોર્ટ રૂમની બહાર એક કોરિડોર છે અને ત્યારબાદ
પરિસરની દિવાલ આવેલી છે. તે સાચું છે કે, પોલીસ અને જનતાના ઘણા બધા
સભ્યો કોરિડોર તેમજ કમ્પાઉન્ડ બંને જગ્યાએ છે. તે સાચું છે કે, હું એવું કશું
કહી શકતો નથી કે જ્યારે સાક્ષી અને આરોપીઓને મારી પાસે લાવવામાં આવ્યા
ત્યારે સાક્ષી અને આરોપીઓનો મારી સાથે પરિચય કરાવવામાં આવ્યો હોત...... ....બન્ને સમયે મને એવું નહોતું લાગ્યું કે કોઈ પણ ડમી યોગ્ય નથી અને તેને
પરત મોકલવો જોઈએ. મેં ડમીની ઉંમર, ઊંચાઈ, દેખાવ અને કપડાને ધ્યાનમાં
લીધા નહોતા. એ વાત સાચી છે કે હવે હું એક પણ ડમીનું વર્ણન કરવામાં
અસમર્થ છ
ુ ં...... .......એ વાત સાચી છે કે, આરોપીઓને ડમી સાથે હરોળમાં ગોઠવ્યા પછી, મારો પટાવાળો સાક્ષીને બોલાવવા ગયો હતો, આવું બંને સમયે થયું હતું. તે સાચું
છે કે, હું એમ ન કહી શકું કે આ બંને સમય દરમિયાન જો મારા પટાવાળા અને
સાક્ષી વચ્ચે કોઈ વાતચીત થઈ હોત...... ...... એ વાત સાચી છે કે, બંને પંચનામા દરમિયાન મેં આરોપીની પૂછપરછ કરી
ન હતી. એ વાત સાચી છે કે પંચનામુ પૂર્ણ થયા પછી બંનેમાંથી કોઈ પણ
સાક્ષીએ એ જાણ કરી ન હતી કે તેણે કયા કારણોસર આરોપીની ઓળખ કરી
છે...."
૩૫. ફરિયાદપક્ષના સાહેદ નં.૧૧ના પુરાવા પરથી, ન્યાયિક મેજિસ્ટ્રેટ હોવાના
કારણે, એવું લાગે છે કે સાક્ષીઓ આવે તે પહેલાં અપીલકર્તા તેમજ ડમીઝને
ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ લાવવામાં આવ્યા હતા. તે સ્પષ્ટ છે કે અપીલકર્તાની
નજરે જોનાર સાક્ષીઓ દ્વારા યોગ્ય રીતે ઓળખ કરવામાં આવી હતી. બચાવ પક્ષ
અપીલકર્તાની ઓળખ પરેડમાં આવી કોઈ નબળાઈ દર્શાવી શક્યો નથી જે
ઓળખને દૂષિત કરે છે.
૩૬. કોરિડોરમાં ઘણા પોલીસ કર્મચારીઓ તેમજ જાહેર સભ્યો હોવાનું સૂચન
એ સંકેત આપે છે કે સાક્ષીઓને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હોઈ શકે છે.
સાક્ષીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે કોઈ વાતચીતનો કોઈ પુરાવો નથી તે
હકીકત ઉપરાંત, ન્યાયિક મેજિસ્ટ્રેટે જુબાની આપી છે કે સાક્ષીઓ આવે તે પહેલાં
અપીલકર્તાને તેની સામે લાવવામાં આવ્યો હતો. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના
મૌખિક પુરાવાના આધાર પરથી, તે સ્પષ્ટ છે કે તેમણે પ્રામાણિકપણે પદભ્રષ્ટ
કર્યા હતા અને કોઈ ખામીઓ અથવા ખામીઓને છ
ુ પાવવાનો પ્રયાસ કર્યો ન
હતો.
૩૭. સુશ્રી અરોરાની રજૂઆત કે સેશન્સ કોર્ટે સ્વીકાર્યું હતું કે અપીલકર્તાની
ઓળખ સ્થાપિત થઈ નથી, પરંતુ તે જ સમયે તે જ સાક્ષીઓની જુબાનીના
આધારે અપીલકર્તાને દોષિત ઠેરવ્યો હતો, તે સ્વીકારવું મુશ્કેલ છે. સુશ્રી
અરોરાએ ટ્રાયલ કોર્ટના ચુકાદાના જે ભાગ પર આધાર રાખ્યો હતો તે નીચે
તારવેલ છેઃ -
૩૦. ભારપૂર્વક દલીલ કરવામાં આવી છે અને, મારા મતે, હું એમ કહેવાનું સાહસ પણ કરી શકું છ
ુ ં કે, દલીલો
સંપૂર્ણપણે યોગ્યતાથી વંચિત નથી, કે આરોપી નં.૧ અને
૨ ની ઓળખ અંગે કેટલીક શંકાઓ છે કે જેઓ અહીં
ગુનાના ગુનેગારો છે. બચાવ પક્ષ વતી કરવામાં આવેલી
રજૂઆતમાં અમુક યોગ્યતા છે કે, આરોપી નં.૧ અને ૨
પહેલેથી જ નરોડા પોલીસની કસ્ટડીમાં હોવા છતાં તેમની
અન્ય કોઈ ગુનાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી
હોવાના આરોપી હોવા છતાં, લગભગ એક અઠવાડિયા
પછી વર્તમાન ગુનામાં તેમની ધરપકડ પર શા માટે અસર
થઈ તેનું કોઈ યોગ્ય કારણ નથી. બંને આરોપી પહેલેથી જ
પોલીસ કસ્ટડીમાં હોવાથી એટલે કે સંબંધિત તારીખોએ
નરોડા પોલીસની કસ્ટડીમાં હોવાના કારણે, તે વધુ યોગ્ય
છે, કહેવા માટે, ઓળખ પરેડ અનુક્રમે ૦૧.૦૧.૨૦૦૩
અને ૦૩.૦૧.૨૦૦૩ પર અલગથી યોજવામાં આવી હતી.
એ પણ નોંધવું જરૂરી છે કે, તપાસ અધિકારી
ફરિયાદપક્ષના સાહેદ નં.૧૪ તરફથી કોઈ સંતોષકારક
સમજૂતી આવી નથી, જેમણે મારા મતે, ખૂબ જ ગંભીર
રીતે નહીં પણ સામાન્ય રીતે જુબાની આપી છે...... "
૩૮. સત્ર કોર્ટના ચુકાદાને સંપૂર્ણ રીતે વાંચવો પડશે. તપાસ અધિકારીએ જે
આકસ્મિક રીતે જુબાની આપી હતી તેના સંદર્ભમાં ટ્રાયલ કોર્ટે અમુક અવલોકનો
કર્યા હોવા છતાં, ટ્રાયલ કોર્ટે શોધી કાઢ્યું હતું કે પ્રથમ આરોપી અને બીજા
આરોપીની ઓળખ સંબંધિત સાક્ષીઓ એટલે કે ફરિયાદપક્ષના સાહેદ નં.-૧૨
અને ફરિયાદપક્ષના સાહેદ નં.-૮ બંને દ્વારા હકારાત્મક રીતે કરવામાં આવી
હતી.
૩૯. ચુકાદાનો સંબંધિત ભાગ નીચે તારવવામાં આવ્યો છેઃ -
"૩૧. એ નોંધવું જરૂરી છે કે, બંને આરોપી નં ૧ અને ૨ની બંને
સંબંધિત સાક્ષીઓ દ્વારા ઓળખ પરેડ દરમિયાન હકારાત્મક
ઓળખ કરવામાં આવી છે. અનુક્રમે ફરિયાદપક્ષના સાહેદ નં.-૧૨
અને ફરિયાદપક્ષના સાહેદ નં.-૮ એ વ્યક્તિઓ તરીકે કે જેઓ
આરોપી નં. ૨ દ્વારા ચલાવાતી મોટર સાયકલ પર આવ્યા હતા.
આરોપી નં. ૧ એક પિલિયન રાઇડર હતો અને જે નિર્વિવાદ અને
અનિયંત્રિત વધુ હકીકત બહાર આવે છે તે એ છે કે આરોપી
નં.૧એ પિસ્તોલ જેવા હથિયારને બહાર કાઢીને ડૉ. જયદીપ પટેલ
પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કર્યો. ઓળખ પરેડ અનુક્રમે
આંક ૬૫ અને ૬૭ને ફરિયાદપક્ષના સાહેદ નં-૧૧ એક્ઝિક્યુટિવ
મેજિસ્ટ્રેટ અને મોહમ્મદ્યુનસ એ.મન્સુરી દ્વારા સમર્થન આપવામાં
આવ્યું છે અને અનુક્રમે ફરિયાદપક્ષના સાહેદ નં-૧૨ અને
ફરિયાદપક્ષના સાહેદ નં-૮ ની જુબાનીઓ દ્વારા વધુ સમર્થન અને
ટેકો આપવામાં આવેલ છે અને બચાવપક્ષના વિદ્ધાન વકીલ દ્વારા
વ્યાપક ઉલટ-તપાસ કરી હોવા છતાં, ત્રણેય સાક્ષીઓની
જુબાનીએ ઉલટ-તપાસની કસોટીનો સામનો કર્યો છે અને આવી
જુબાનીઓની સંચિત અસર મને નિઃશંકપણે એવા નિષ્કર્ષ પર
લાવે છે કે, બંને આરોપી નં. ૧ અને ૨ ને અનુક્રમે ફરિયાદપક્ષના
સાહેદ નં-૧૨ અને ફરિયાદપક્ષના સાહેદ નં-૮ દ્વારા ઓળખ
પરેડ દરમિયાન હકારાત્મક રીતે ઓળખવામાં આવ્યા હતા.
૪૦. અમે સુશ્રી અરોરાની રજૂઆતને સ્વીકારવામાં અસમર્થ છીએ કે ઉચ્ચ
અદાલતે અપીલને નકારી કાઢવામાં અને દોષિત ઠેરવવામાં ભૂલ કરી હતી, આ
નિરીક્ષણ સાથે કે બચાવ પક્ષ દ્વારા સાક્ષીઓની વ્યાપક ઉલટ-તપાસ કરવામાં
આવી હતી, પરંતુ ઉલટ-તપાસમાં કંઈપણ વાંધાજનક બહાર આવ્યું ન હતું. તે
નોંધની બાબત છે કે બંને સાક્ષીઓએ અલગ-અલગ ટેસ્ટ ઓળખ પરેડ
દરમિયાન પ્રથમ આરોપી તેમજ અપીલકર્તાની અહીં હકારાત્મક રીતે ઓળખ કરી
હતી.
૪૧. ફરિયાદપક્ષના સાહેદો દ્વારા અપીલકર્તાની હકારાત્મક ઓળખ કરવામાં
આવી હોવાનું માનીને નીચેની અદાલતોએ ભૂલ કરી હતી તેવી સુશ્રી અરોરાની
રજૂઆત પણ ટકાઉ નથી.ગુનાના નજરે જોનાર સાક્ષીઓ તેમજ પંચ સાક્ષી દ્વારા
અપીલકર્તાની ઓળખ વ્યાજબી શંકાની બહાર સાબિત થઈ છે. તે સાચું હોઈ શકે
છે કે ખોટી ઓળખ અને ખામીયુક્ત ટેસ્ટ આઇડેન્ટિફિકેશન પરેડના આધારે
દોષિત ઠેરવવામાં ન આવી શકે. ઇકબાલ અને અન્ય વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય [
ફુટ નોટઃ ૧ (૨૦૧૫) ૬ એસસીસી ૬૨૩] માં સુશ્રી અરોરા દ્વારા ટાંકવામાં
આવેલ કાયદાનો પ્રસ્તાવ અપવાદરૂપ છે. જો કે, જેમ ઉપર અવલોકન કરવામાં
આવ્યું છે તેમ આ કેસમાં અપીલકર્તાની ઓળખ ખરેખર ભોગબનનાર અને
ફરિયાદી બંને દ્વારા અને પંચ સાક્ષી (ફરિયાદ પક્ષના સાહેદ નં.૧૦) દ્વારા કોર્ટમાં
પણ કરવામાં આવી હતી, ઓળખ ભૂલભરેલી હોવાનું કહી શકાય નહી.ન તો ટેસ્ટ
ઓળખ પરેડને આવી નબળાઈનો સામનો કરવો પડ્યો હતો કે જેથી ઓળખ
પોતે જ દૂષિત થઈ જાય.
૪૨. ત્યારબાદ સુશ્રી અરોરાએ રજૂઆત કરી હતી કે ફરિયાદી પક્ષ ડૉ. શ્રીકાંત
(ફરિયાદપક્ષના સાહેદ નં.-૧૩) દ્વારા પીડિતાના શરીરમાંથી કાઢવામાં આવેલી
ગોળીની કસ્ટડીની સાંકળ સ્થાપિત કરી શક્યો નથી.તેણીએ ડૉ. શ્રીકાંતના
નિવેદનનો ઉલ્લેખ કર્યો કેઃ -
"શસ્ત્રક્રિયા પછી અમે દર્દીના શરીરમાંથી બહાર કાઢેલી ગોળી બહેનને આપી, બહેન એટલે કે સ્ટેડીંંગ નર્સ, મને વ્યક્તિગત માહિતી નથી કે તેણે તે કોને
આપી, અમે તેને છ
ૂ ટી ગોળી આપેલી.એ વાત સાચી છે કે મેડિકો-લીગલ કેસમાં
જ્યારે કોઈના શરીરમાંથી કોઈ ગોળી બહાર કાઢવામાં આવે છે, ત્યારે ધ્યાન
રાખવું જોઈએ કે આવી ગોળી પર કોઈ પણ પ્રકારના સ્ક્રેચ ન દેખાય અથવા તેને
અન્ય રીતે નુકસાન ન થાય.મને કંઈ ખબર નથી કે આવી ગોળીને ફ્રી બોક્સમાં
રાખવી જોઈએ અને એફ્.એસ.એલ. પર મોકલવી જોઈએ. એ વાત સાચી છે કે મેં
ક્યાંય પણ આ ગોળીના વર્ણનનો ઉલ્લેખ કર્યો નથી."(ઉલટ-તપાસ પાના
નં.૧૧૮-૧૧૯ પર)
૪૩. સુશ્રી અરોરાએ વધુમાં ધ્યાન દોર્યું હતું કે ૧૪મા ફરિયાદપક્ષના સાહેદ
(ફરિયાદપક્ષના સાહેદ નં.-૧૪) હોવાના કારણે તપાસ અધિકારીએ તેના
પુરાવામાં જણાવ્યું હતું કે "....આજે મને યાદ નથી કે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા
મારી સામે જે ગોળી રજૂ કરવામાં આવી હતી તે સીલ કરેલી સ્થિતિમાં હતી કે
નહી....." (ઉલટ-તપાસ).
૪૪. સુશ્રી અરોરાએ દલીલ કરી હતી કે જ્યારે દોષિત ઠેરવવાની સજા ગોળી
ચલાવવા પર આધારિત હોય, ત્યારે ફરિયાદી પક્ષે એ સ્થાપિત કરવું પડશે કે તે
જ ગોળી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે.ફરિયાદી પક્ષ એવું કરવામાં
નિષ્ફળ ગયો. સુશ્રી અરોરાએ ટ્રાયલ કોર્ટના નીચેના તારણોની ચોકસાઈ પર
સવાલ ઉઠાવ્યોઃ -
"પંચનામા આંક.-૮૨ ને ફરીથી સમર્થન મળે છે અને
તેથી, તપાસ અધિકારીને ગોળી સોંપવાની રીત કાયદાની
જોગવાઈઓ અનુસાર ન હોવા અંગે ઘણું કહેવામાં આવ્યું
હોવા છતાં, મારો અભિપ્રાય છે કે, જો કેટલીક
અનિયમિતતાઓ થઈ હોવાનું જણાયું હોય, તો પણ તે
ફરિયાદી પક્ષની વાતને નબળી પાડી શકે નહીં અને નકારી
શકે નહીં. બચાવપક્ષ દ્વારા માંગવામાં આવેલ એક્વિટલ
આરોપી નં.૧ અને ૨ને મળી શકે નહી "
૪૫. સત્ર અદાલતના તારણોમાં હસ્તક્ષેપની બાંહેધરી આપતી આવી કોઈ ભૂલ
અમને મળતી નથી.જ્યારે ઘટના અને સુનાવણી વચ્ચે સમયનું અંતર હોય ત્યારે
પોલીસ/તપાસ અધિકારી માટે નાનામાં નાની વિગતો યાદ રાખવી અશક્ય હોય
છે. ન તો ઓપરેશન કરી રહેલા સર્જન માટે દર્દીના શરીરમાંથી ગોળીને બહાર
કાઢવી શક્ય છે, જેથી ગોળીની કસ્ટડીની સાંકળ પર પ્રકાશ પાડી શકાય, પછી
તે હાજરી આપતી નર્સને સોંપવામાં આવી હતી. અપીલકર્તાને દોષિત ઠેરવવા
માટે પૂરતા પુરાવા હતા.
૪૬. સુશ્રી અરોરાએ એવી પણ દલીલ કરી હતી કે અપીલકર્તા દ્વારા ખુલ્લા
મેદાનમાંથી હથિયારની કથિત વસૂલાત પર આધાર રાખવાની દોષિતતાને ટકાવી
શકાતી નથી.તેણીની રજૂઆતના સમર્થનમાં તેણીએ તપાસ અધિકારી
(ફરિયાદપક્ષના સાહેદ નં.-૧૪) ની નીચે કાઢેલી જુબાનીનો ઉલ્લેખ કર્યોઃ
".... ૫/૧/૨૦૦૩ના રોજ આરોપી મુસ્તક અહમદભાઈ શેખે
આ ગુનામાં વપરાયેલ હથિયાર તેમજ અન્ય બે હથિયારો
બતાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી જે શાહાલમની સામે
જમીનમાં દાટીને છ
ુ પાવ્યા હતા......
અમે શાહાલમ દરવાજા પર આવ્યા, જ્યાં આરોપીએ કહ્યું કે જીપ આગળ નહીં
જાય, તેથી અમે નીચે ઊતરીએ છીએ, આરોપી આગળ ચાલ્યો ગયો અને
શાહાલમ દરગાહથી સામે બાજુની શેરીમાંથી ખુલ્લા મેદાનમાં આવ્યો અને તેણે
જમીન પરથી રેતી કાઢીને બહાર કાઢ્યું અને કપડાની થેલીમાં એક હથિયાર
બતાવ્યું જે બે પિસ્તોલ અને તમાંકા હતી જેના માટે વિગતવાર પંચનામુ
દોરવામાં આવ્યુ હતુ અને જપ્ત કરીને ત્રણેયને અલગથી પેક કરીને સીલ કરી
દેવામાં આવ્યા હતા, પંચો દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષરિત ચીટ તેમાં મૂકવામાં
આવી હતી અને સીલ કરવામાં આવી હતી."
૪૭. સુશ્રી અરોરાએ દલીલ કરી હતી કે કથિત ઘટનાની તારીખથી એક મહિના
પછી ફરિયાદી પક્ષ ખુલ્લા મેદાનમાંથી હથિયારની પુનઃપ્રાપ્તિ પર આધાર રાખી
શક્યો ન હોત.ફરિયાદપક્ષના સાહેદ નં.૧૪ તપાસ અધિકારી, કથિત વસૂલાતના
સ્થળના વર્ણન અને તેના નિર્દેશના સંદર્ભમાં ઉલટ-તપાસની કસોટીમાં ટકી
શક્યા નહીં. પોતાની દલીલોને સમર્થન આપવા માટે, સુશ્રી અરોરાએ
ફરિયાદપક્ષના સાહેદ નં.-૧૪ની ઉલટ તપાસનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે
કહ્યું હતું કેઃ-
"તે સાચું નથી કે જ્યાંથી આરોપીને હથિયાર મળ્યું તે સ્થળ મુખ્ય માર્ગથી ખૂબ
દૂર અને ઊંડાણમાં આવેલું છે.મને અત્યારે યાદ નથી કે જીપમાંથી ઉતર્યા પછી
અને તે સ્થળે પહોંચવા માટે, તે ત્રણ વળાંક પછી આવે છે કે નહીં, હવે મને યાદ
નથી.તે સાચું છે કે ઘણા બધા રહેણાંક મકાનો રસ્તામાં આવે છે, હું એમ ન કહી
શકું કે તે રહેણાંક મકાનોની હરોળની સામે શું આવેલું છે.એ વાત સાચી છે કે
જ્યાંથી હથિયાર મળી આવ્યું હતું તે જગ્યા ખુલ્લી હતી, ત્યાં કોઈ ટ્રાફિક નહોતો.
મેં આ સ્થળની નજીક આવેલા રહેણાંક મકાનોમાંથી કોઈનું નિવેદન નોંધ્યું
નથી."
૪૮. મારા વિચારમાં, પુરાવાઓમાં નાની-મોટી વિસંગતતાઓ અને ઘણાં વર્ષો
પછી ઘરો, રસ્તાઓ અને શેરીઓના વર્ણનની વિગતોને યાદ કરવામાં
અસમર્થતા, પુનઃપ્રાપ્તિના પુરાવાને દૂષિત કરતી નથી. અપીલકર્તાએ પોલીસને
તે સ્થળ બતાવ્યું જ્યાં રેતીની નીચે હથિયારો છ
ુ પાવવામાં આવ્યા હતા.ટ્રાયલ
કોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓની પ્રશંસા પર ખૂબ જ યોગ્ય રીતે ચુકાદો આપ્યોઃ -
"ફરીથી સમગ્ર સંસ્કરણને હકારાત્મક સમર્થન પૂરુ
ં પાડવું એ
પંચનામા આંક-૮૮ના સંદર્ભમાં મુદ્દામાલ શસ્ત્રની શોધની
હકીકત છે. આરોપી નં.૨ ના કહેવાથી પંચનામા, મુદ્દામાલની
પુનઃપ્રાપ્તિને હકારાત્મક રીતે સ્થાપિત કરે છે.આ પંચનામાને
ફરીયાદ પક્ષના સાહેદ નં.૧૦ પ્રદીપ મોહનભાઈ પટેલ ની
જુબાનીમાં સ્વતંત્ર સમર્થન અને ટેકો મળેલ છે, જેમણે માત્ર
આરોપીની સકારાત્મક ઓળખ જ નથી કરી પરંતુ પંચનામા, આંક-૮૮માં પ્રતિબિંબિત પ્રક્રિયાને સંપૂર્ણ સમર્થન પણ આપ્યું
છે.પંચ સાક્ષીએ પણ, મારા મતે, સ્પષ્ટ રીતે વ્યાપક ઉલટ-
તપાસની કસોટીનો સામનો કર્યો છે અને મારા મતે, આવા
સાક્ષીને નકારી કાઢવાનું અથવા નહી માનવાનુ કોઈ કારણ
નથી. ......... મારા મતે ફરિયાદી પક્ષે ઘટનાના ટેન્કિંગ સ્થળને જોડતી ઘટનાઓની
સાંકળ સફળતાપૂર્વક સ્થાપિત કરી છે, આરોપી નં.૧ અને ૨ ની સકારાત્મક
ઓળખ સ્થાપિત કરી છે, આરોપી નં.૨ ના કહેવા પર મુદ્દામલ હથિયારની
પુનઃપ્રાપ્તિ કરી છે.
૪૯. તેણીની રજૂઆતના સમર્થનમાં કે બધા માટે સુલભ ખુલ્લી જગ્યાએથી
વસૂલાત દૂષિત કરવામાં આવી હતી અને અપીલકર્તાને દોષિત ઠેરવવા માટે તેના
પર આધાર રાખી શકાતો ન હતો, સુશ્રી અરોરાએ નીચેના ચુકાદાઓ ટાંક્યા
હતાઃ-
૧.સલીમ અખ્તર ઉર્ફે મોટા વિ. સ્ટેટ ઓફ યુ.પી.
૨. બોધરાજ ઉર્ફે બોધા અને અન્યો વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર રાજ્ય
૫૦. રેકોર્ડ પરના પુરાવા અને સામગ્રી પરથી એવું ન કહી શકાય કે ગુનાના
હથિયારની વસૂલાત ખુલ્લી જગ્યાએથી થઈ હતી જે બધા માટે સુલભ હતી.
શાહઆલમ દરગાહની પાછળના ખુલ્લા મેદાનમાં રેતીની નીચેથી હથિયારો
ખોદવામાં આવ્યા હતા.
૨ (૨૦૦૩) ૫ એસ.સી.સી. પારા- ૯-૧૨
૩(૨૦૦૨) ૮ એસ.સી.સી. ૪૫ પારા-૧૮
૫૧. સુશ્રી અરોરાએ આખરે દલીલ કરી હતી કે ફરિયાદી પક્ષ હેતુ અને કાવતરુ
ં
સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો જે અપીલકર્તાને દોષિત ઠેરવવા માટે જરૂરી
હતું. જો કે, જ્યાં ગોળીબાર થયો હતો અને ગોળીબારના નજરે જોનાર સાક્ષીઓ
હતા, ત્યાં હેતુ સ્થાપિત કરવાની જરૂર નહોતી. પુનરાવર્તનની કિંમતે એ
પુનરોચ્ચાર કરવામાં આવે છે કે અપીલકર્તા અને પ્રથમ આરોપી બંનેની ઓળખ
ગોળીબારના નજરે જોનારા સાક્ષીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ફરિયાદી
(ફરીયાદપક્ષના સાહેદ નં.-૮) અને અપીલકર્તા હતા.
૫૨. ફરિયાદી પક્ષ હિન્દુ સમુદાયના અગ્રણી નેતાઓને નિશાન બનાવવાનું
મોટું કાવતરુ
ં સાબિત કરી શક્યો ન હોત. વધુ મોટું કાવતરુ
ં સ્થાપિત કરવામાં
ફરિયાદી પક્ષની અસમર્થતા ત્રીજા આરોપીને નિર્દોષ જાહેર કરવા તરફ દોરી ગઈ.
તે સારી રીતે નક્કી કરવામાં આવ્યું છે કે પુરાવામાં નાની વિસંગતતાઓ દોષિત
ઠેરવતા નથી.સમયની વિસંગતતા જો કોઈ હોય તો તે નજીવી છે.ફરીયદ પક્ષના
સાહેદ નં.-૮એ તેની ઉલટ-તપાસમાં જણાવ્યું હતું કે આ ઘટના ૩.૧૨.૨૦૦૨
ના રોજ ૪.૪૫ થી ૫.૦૦ વાગ્યા ની વચ્ચે બની હતી.--પીડિતાએ કહ્યું છે કે
આ ઘટના લગભગ ૪.૪૫ વાગ્યાની આસપાસ બની હતી. તેઓ બંનેએ જણાવ્યું
હતું કે આ ઘટના ગેલેક્સી સિનેમા નજીક બની હતી.
૫૩. ટ્રાયલ દરમિયાન, ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પરના પુરાવાને વિસ્તૃત રીતે ધ્યાનમાં
લીધા છે.એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવે છે કે ગુનાનો નજરે જોનાર સાક્ષી
ભોગબનનાર અને તેની કારનો ચાલક હોવાથી, ફરિયાદીએ વિશ્વાસપૂર્વક
અપીલકર્તા અને પ્રથમ આરોપીની ઓળખ કરી હતી અને તેમને ઉલટ-તપાસમાં
હચમચાવી શકાયા ન હતા. ફરીયાદ પક્ષના સાહેદ નં.૧૦ એ અપીલકર્તાના
કહેવા પર તેની હાજરીમાં ગુનાની વસૂલાત માટે જુબાની આપી હતી અને કોર્ટમાં
અપીલકર્તાની ઓળખ પણ કરી હતી.ગુનાની ગંભીરતા અને ઈજાની ગંભીરતા
અને પીડિતાને જે રીતે ગોળી મારવામાં આવી હતી તેને ધ્યાનમાં લેતા, તેમાં કોઈ
શંકા ન હોઈ શકે કે આ પ્રયાસ પીડિતાની હત્યાનો હતો.ઉચ્ચ અદાલતે ચુકાદા
અને દોષિત ઠેરવવાના આદેશની પુષ્ટિ કરી હતી પરંતુ ભારતીય દંડ સંહિતાની
કલમ ૩૦૭ અને ૧૧૪ હેઠળની સજાને છને બદલે સાત વર્ષ કરી હતી.
૫૪. ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પરના પુરાવાને ધ્યાનમાં લીધા પછી અને ફરિયાદી
પક્ષને સાંભળ્યા પછી, અપીલકર્તા અને અન્ય આરોપીઓને જાણવા મળ્યું કે
ત્રીજો આરોપી ઘટના સ્થળે હાજર ન હતો અને તે કોઈ કાવતરાનો ભાગ હતો તે
સ્થાપિત કરવા માટે કોઈ પુરાવા નથી. તે મુજબ ત્રીજા આરોપીને નિર્દોષ જાહેર
કરવામાં આવ્યો હતો. જોકે, સેશન્સ કોર્ટે અપીલકર્તા અને પ્રથમ આરોપીને
દોષિત ઠેરવ્યા હતા અને તેમને પીડિતાને નિશાન બનાવવા અને હત્યાના
પ્રયાસમાં એકબીજાને મદદગારી કરવા અને સહાય કરવાનો ગુનો કરવા બદલ
બોમ્બે પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ (૧) સાથે વાંચતા અધિનિયમની
કલમ ૨૫ (૧) (બી) (એ) સાથે વાંચતા દંડ સંહિતાની કલમ ૧૧૪ સાથે
વાંચતા કલમ ૩૦૭ હેઠળ સજાપાત્ર ગુનાઓ માટે દોષિત ઠેરવ્યા હતા.
૫૫. સેશન્સ કોર્ટે અપીલકર્તાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ સાથે
વાંચતા કલમ ૧૧૪ હેઠળ ગુના માટે ૬ વર્ષની સખત કેદ, શસ્ત્ર અધિનિયમની
કલમ ૨૫ (૧) (બી) (એ) હેઠળ સજાપાત્ર ગુના માટે ૩ વર્ષની સખત કેદ અને
બોમ્બે પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) ના ઉલ્લંઘન માટે ૬ મહિનાની
સખત કેદની સજા ફટકારી હતી. સજાઓ એક સાથે ચાલવાની હતી અને
અપીલકર્તા દ્વારા ન્યાયિક કસ્ટડીમાં વિતાવેલા સમયને સજાના કુલ
સમયગાળાની ગણતરી કરતી વખતે મજરે આપવાનો આદેશ આપવામાં આવ્યો
હતો.
૫૬. ટ્રાયલ કોર્ટે, અસરથી શોધી કાઢ્યુંઃ
( ) i તે કોઈ પણ શંકાની બહાર સ્થાપિત કરવામાં આવ્યું હતું કે ભોગબનનારને
ગોળીની ઇજાઓ થઈ હતી.તે પણ સાબિત થયું હતું કે આ ઘટના કથિત રીતે
બની હતી.
( ) ii ઈજાની ગંભીરતા અને જોખમકારકતાને ધ્યાનમાં રાખીને ત્રણ તબીબી
નિષ્ણાતોની જુબાનીને ધ્યાનમાં લેતા બચાવ પક્ષની દલીલ કે ઇજાઓ એટલી
જીવલેણ અથવા ગંભીર અથવા જોખમી ન હતી કે જે ભારતીય દંડ સંહિતાની
કલમ ૩૦૭ ને આકર્ષિત કરે.
( ) iii એફ. એસ. એલ. (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) નિષ્ણાત મુકેશ એન.
જોશીના પુરાવા અને આંક-૯૨એ સ્થાપિત કર્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ
૩૦૭ની જોગવાઈઓને આકર્ષતો ગુનો થયો હતો.
( ) iv પંચનામા (આંક-૮૮) ની દ્રષ્ટિએ શસ્ત્રની પુનઃપ્રાપ્તિ વાજબી શંકાની
બહાર સાબિત થઈ હતી.
( ) v તપાસની નાની અનિયમિતતાઓ અને ખાસ કરીને, તપાસ અધિકારી
(ફરીયાદપક્ષના સાહેદ-૧૪) જે આકસ્મિક રીતે જુબાની આપે છે તે કાર્યવાહીના
કેસને દૂષિત કરશે નહીં.
( ) vi ૧લી અને ૩જી જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ યોજાયેલી ઓળખ પરેડ
દરમિયાન ફરિયાદી (ફરીયદપક્ષના સાહેદ નં.-૮) અને ભોગબનનાર
(પીડબ્લ્યુ-૧૨) બંને દ્વારા અપીલકર્તા અને પ્રથમ આરોપીની યોગ્ય રીતે
ઓળખ કરવામાં આવી હતી અને કોર્ટમાં પણ તેમની ઓળખ કરવામાં આવી
હતી. માત્ર હકીકત એ છે કે ઓળખ પરેડ જુદી જુદી તારીખો પર યોજવામાં આવી
હતી તે ઓળખને અવિશ્વસનીય બનાવશે નહીં.
( ) vii બંને નજરે જોનારા સાક્ષીઓએ અપીલકર્તા અને પ્રથમ આરોપીની ઓળખ
મોટરસાયકલ પર સવાર વ્યક્તિઓ તરીકે કરી હતી.મોટર સાયકલ અપીલકર્તા
દ્વારા ચલાવવામાં આવી હતી અને પ્રથમ આરોપી પિલિયન રાઇડર હતો. બંને
નજરે જોનારા સાહેદોએ પાછળ બેઠેલા સવારને, એટલે કે હથિયાર સંભાળનારા
પ્રથમ આરોપીને જોયો હતો. પીડિતાએ સ્પષ્ટપણે જુબાની આપી હતી કે પ્રથમ
આરોપીએ પીડિતા પર પોઇન્ટ બ્લેન્ક રેન્જ પર ગોળીબાર કર્યો હતો. વિસ્તૃત
ઉલટ-તપાસ છતાં આ સાક્ષીઓ અડગ રહ્યા હતા.
( ) viii ઓળખ પરેડ (ફરીયાદપક્ષના સાહેદ નં.-૧૧) નું સંચાલન કરનાર
સંબંધિત કાર્યકારી મેજિસ્ટ્રેટે ઓળખના સંદર્ભમાં ફરીયાદપક્ષના સાહેદ નં.-૧૨
અને ફરીયાદપક્ષના સાહેદ નં.-૮ના પુરાવાને સમર્થન આપ્યું હતું અને વ્યાપક
તપાસ છતાં તેને હચમચાવી શકાયો ન હતો.
( ) ix શસ્ત્રની પુનઃપ્રાપ્તિ સાથે સંબંધિત પંચનામા આંક-૮૮ પ્રદીપ મોહનભાઈ
પટેલ (ફરીયાદ પક્ષના સાહેદ નં.-૧૦) ની મૌખિક જુબાની દ્વારા યોગ્ય રીતે
સાબિત થયું હતું, જેમણે અપીલકર્તાની પણ ઓળખ કરી હતી.
( ) x ફરિયાદી પક્ષે બેલિસ્ટિક અહેવાલ આંક-૯૨ અને એફએસએલ
નિષ્ણાતોના પુરાવા પરથી સ્થાપિત કર્યું હતું કે પીડિતાના શરીરમાંથી કાઢવામાં
આવેલી ગોળી અપીલકર્તાની કબૂલાત પર મળી આવેલા હથિયારમાંથી
ચલાવવામાં આવી હતી.
૫૭. સત્ર ન્યાયાધીશે, અમારા માનવામાં આવેલા અભિપ્રાયમાં, યોગ્ય રીતે
શોધી કાઢ્યું હતું કે નાની વિસંગતતાઓ હોવા છતાં, ફરિયાદી પક્ષે સફળતાપૂર્વક
ઘટનાઓની સાંકળ સ્થાપિત કરી હતી, જે ગુનાને અન્ય બાબતોની સાથે
અપીલકર્તા સાથે જોડે છે.
૫૮. આ અપીલમાં, અમે પ્રથમ આરોપીની સજા સાથે સંબંધિત નથી.કથિત
ગુનાઓમાં અપીલકર્તાની સંડોવણી, અમારા મતે, પીડિતાની ઈજા દ્વારા અન્ય
બાબતોની સાથે સાથે યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવી છે; પીડિતાના
શરીરમાંથી ગોળી કાઢવી; ફોરેન્સિક તપાસ પર અપીલકર્તાની કબૂલાત પર મળી
આવેલા હથિયાર સાથે ગોળીને જોડવી; ગુનાના બે નજરે જોનારા સાક્ષીઓ, એટલે કે ફરિયાદી (ફરીયાદપક્ષના સાહેદ નં.-૮) અને ભોગબનનાર
(ફરીયાદપક્ષના સાહેદ નં.-૧૨); અદાલતમાં પણ ઓળખ પરેડમાં ફરિયાદી
અને અપીલકર્તાની ભોગબનનાર દ્વારા ઓળખ; પંચ સાક્ષી (ફરીયાદપક્ષના
સાહેદ નં-૧૨) દ્વારા ઓળખ૧૦) અપીલકર્તાની તે વ્યક્તિ તરીકે કે જેમના
કહેવા પર ગુનાનું હથિયાર જપ્ત કરવામાં આવ્યું હતું.
૫૯. સેશન્સ કોર્ટનો ચુકાદો કે ફરિયાદી પક્ષ ત્રીજા આરોપીની સંડોવણીને
સ્થાપિત કરી શક્યો ન હતો, અથવા તે સ્થાપિત કરી શક્યો ન હતો કે
અપીલકર્તા અને પ્રથમ આરોપી એક કાવતરાનો ભાગ હતા, જેણે હિન્દુ
સમુદાયના અગ્રણી નેતાઓને નિશાન બનાવ્યા હતા, અમારા મતે, દખલગીરીની
બાંહેધરી નથી. અમારા મતે, ઉચ્ચ અદાલતે ક્રિ.અ.નં.૧૧૪૫/૨૦૦૬ની
ફોજદારી અપીલને યોગ્ય રીતે ફગાવી દીધી હતી અને સામાવાળા રાજ્ય દ્વારા
દાખલ ક્રિ.અ.નં. ૫૬૭/૨૦૦૬ની ફોજદારી અપીલને મંજૂરી આપી હતી, જે
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ સાથે
વાંચતા કલમ ૧૧૪ હેઠળ અપીલકર્તાની કેદની સજાને વધારીને ૭ વર્ષ કરવાની
હદ સુધી હતી.
૬૦. ઉપર ચર્ચા કરાયેલા કારણો માટે, અમે આ અપીલને નકારી કાઢીએ છીએ
અને અપીલકર્તાની દોષિતતા અને અપીલકર્તાને ઉચ્ચ અદાલત દ્વારા
વધારવામાં આવેલી સજાની પુષ્ટિ કરીએ છીએ. ..........ન્યાયમુર્તિ
[આર. ભાનુમતી] .... જન્યાયમુર્તિ
[ઇન્દિરા બેનર્જી]
૧૮ જૂન, ૨૦૨૦;
નવી દિલ્હી.
This
JUDGMENT
has been translated using AI Tool – SUVAS.
:
DISCLAIMER The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used
. for any other purpose For all practical and official
, purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of
. execution and implementation
:
DISCLAIMER The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used
. for any other purpose For all practical and official
, purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of
. execution and implementation