Sabarmati Gas Ltd. v. Shah Aloys Ltd.

High Court of Gujarat · 04 Jan 2023
Ajay Rastogi; C. T. Ravikumar
Civil Appeal No. 1669 of 2020
corporate appeal_dismissed Significant

AI Summary

The Supreme Court upheld the dismissal of a Section 9 IBC application as barred by limitation and due to a prior existing dispute, excluding the SICA moratorium period from limitation computation.

Full Text
Translation output
Translation of
JUDGMENT
dtd. 04/01/2023
:
DISCLAIMER The translated judgment in vernacular language is meant for the restricted use of the litigant to understand it
/ in his her language and may not be used for any other
. , purpose For all practical and official purposes the English version of the judgment shall be authentic and shall hold the
. field for the purpose of execution and implementation
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ
સિવિલ અપીલીય ન્યાયક્ષેત્ર
દીવાની અપીલ નં. ૧૬૬૯ / ૨૦૨૦
સાબરમતી ગેસ લિ...... અપીલકર્તા
વિરુદ્ધ
શાહ એલોય્સ લિ......... સામાવાળા
ચુકાદો
ન્યાયમૂર્તિ સી. ટી. રવિકુમાર
(૧) ઇન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬ (આઇબીસી) ની કલમ ૬૨
હેઠળ હાલની આ અપીલ સાબરમતી ગેસ લિ. (હવે પછી 'અપીલકર્તા' તરીકે
ઉલ્લેખ કરવામાં આવ્યો છે) દ્વારા નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ
(એનસીએલએટી) ના કંપની અપીલ (એટી) (ઇન્સોલ્વન્સી) નંબર 820/2019
માં તારીખ 19.12.2019 ના અંતિમ ચુકાદા સામે કરવામાં આવી છે. જે મુજબ
એન.સી.એલ.એ.ટી. એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, અમદાવાદ બેન્ચ
(એનસીએલટી) ની સીપી આઇ.બી.સી. નં. 516/9/એનસીએલટી/
એએચએમ/2018 ના તારીખ 27.06.201 ના આદેશ સામે અપીલકર્તા દ્વારા
Page No. 1/49
તેની મેસર્સ. શાહ એલોય્સ લિ.ના વહીવટી લેણદારની ક્ષમતાએ આઇ.બી.સી. ની
કલમ-૯ હેઠળ દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી.
(૨) ઉપર્યુક્ત અપીલમાં મુખ્યત્વે કાયદાના બે પ્રશ્નોનો વિચાર કરવાની જરૂર છે , એટલે કે ....
( ) i શું આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના
સંદર્ભમાં લિમિટેશન પીરિયડની ગણતરીમાં, તે સમયગાળો કે જે દરમ્યાન
ઇન્ડસ્ટ્રીયલ કંપનીસ (સ્પેશયલ પ્રોવિઝન એક્ટ, 1985) (એસઆઈસીએ) ની
કલમ-૨૨(૧) મુજબ કોર્પોરેટ દેણદાર સામે કાર્યવાહી કરવાનો કે દાવો કરવાનો
ઓપરેશનલ (વહીવટી) લેણદારનો અધિકાર સિકાની કલમ-૨૨(૫) હેઠળની
જોગવાઈ અન્વયે મોકુફ રહેલ તેને બાકાત રાખી શકાય કે કેમ?
( ) ii શું સામાવાળાએ એવો વાદ લીધો છે કે તેમની અને અપીલકર્તા વચ્ચે નો
વિવાદ અગાઉ થી ચાલ્યો આવતો વિવાદ હોઇ, આઇ.બી.સી. ની કલમ-૯
હેઠળની અરજી રદ કરવા પાત્ર છે?
આ બંને પ્રશ્નો પર વિચાર કરતી વખતે કેટલાક અન્ય સંબંધિત પ્રશ્નો પણ
વિચારણા માટે આવી શકે છે, જે આપણે યોગ્ય સમયે જણાવીશું અને ધ્યાનમાં
લઈશું. સામાવાળા- દેવાદારે બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાયનાનસિયલ
રીકંસ્ટ્રક્શન (બીઆઇએફઆર) સમક્ષના કેસ નં. ૧૩/૨૦૧૦ માં અરજકર્તા હતા
Page No. 2/49
અને હાલના અપીલકર્તા કેસ નં. ૧૩/૨૦૧૦ માંની પરચુરણ અરજી ક્રમાંક
૪૩૨/૨૦૧૩ માં અરજદાર હતા.
(૩) અરજકર્તા તરફે વિદ્વાન સિનિયર કાઉન્સેલ શ્રી શ્યામ દીવાન અને
સામાવાળા તરફે વિદ્વાન સિનિયર કાઉન્સેલ શ્રી એસ. ગુરુ ક્રિષ્ના કુમારને
સાંભળ્યા.
(૪) ઉપરોક્ત તેમજ હવે પછી જણાવેલા પ્રશ્નોની વિચારણા નીચેની હકીકતોની
પૃષ્ઠભૂમિમાં કરવાની જરૂર છેઃ
સામાવાળા કંપનીને પોતાની ઉત્પાદન જરૂરિયાતો માટે નેચરલ ગેસના
વ્યાપારી પૂરવઠાની જરૂર હતી. આ માટે 30.05.2008 ના રોજ અપીલકર્તા અને
સામાવાળાએ ગેસ વેચાણ સમજૂતી (જીએસએ) કરી હતી, જેમાં તેમજ સમજૂતિ
કરાર સાથે જોડેલ પરિશિષ્ટ-૨માં દર્શાવેલા સ્પષ્ટીકરણો અનુસારનો નેચરલ ગેસ
પુરવઠો પૂરો પાડવાની જવાબદારી અપીલકર્તાની હતી અને તે કરારનો ભાગ પણ
છે. સમજૂતીની શરત-૧૧.૨ અનુસાર, સિવાય કે કોઇક બીલની રકમ બાબતે
તકરાર હોય, સામાવાળા કરાર અનુસારનું કોઇપણ ચુકવણું અટકાવી શકે તેમ
નહોતા. અપીલકર્તાના જણાવ્યા અનુસાર સામાવાળાએ નવેમ્બર, ૨૦૧૧થી
ફક્ત આંશિક અનિયમિત ચૂકવણીઓ કરેલ, જ્યારે તે સિવાયનાં બીલોના
ચુકવણામાં ડિફોલ્ટ કરેલ. દરમિયાન, સામાવાળાઓ SICA હેઠળની
Page No. 3/49
જોગવાઈઓના સંદર્ભમાં તેને ‘માંદા એકમ' તરીકે જાહેર કરવા અને તેના
પુનરોત્થાન માટેની યોજનાની ભલામણ સબબ બી.આઇ.એફ.આર. સમક્ષ ગયા.
ઉક્ત રેફરન્સ બી.આઇ.એફ.આર. સમક્ષ કેસ નં. ૧૩/૨૦૧૦ તરીકે દાખલ થયેલ
અને તા.૩૧/૦૮/૨૦૧૦ ના હુકમ અન્વયે સામાવાળા 'બીમાર એકમ' તરીકે
જાહેર થયેલ. અપીલકર્તાનો કેસ છે કે SICA ની કલમ-૨૨ ના કારણે સામાવાળા
પર મોરેટોરિયમ હતું અને તેથી, તે બી.આઇ.એફ.આર.ની મંજૂરી વિના બાકી
નીકળતી રકમ માટે સામાવાળા સામે કાર્યવાહી કરી શકે તેમ નહોતા.
તા.૦૭/૦૮/૨૦૧૨ ના રોજ અપીલકર્તાએ ગેસ પૂરવઠો મોકલવાનું બંધ કરેલ
અને બી.આઇ.એફ.આર. સમક્ષના કેસ નં. ૧૩/૨૦૧૦ માં દરમ્યાનગીરી કરેલ.
તા.૦૮/૦૩/૨૦૧૩ ના રોજ પરચુરણ અરજી ક્રમાંક ૪૩૨/૨૦૧૩ અન્વયે
અપીલકર્તાએ સામાવાળા સામે ૱ 4,71,56,095/- ની બાકી નીકળતી રકમ
વસૂલવા કાર્યવાહી શરૂ કરવા માટે બી.આઇ.એફ.આર.ની મંજૂરી માગી હતી.
તા.૦૯/૦૯/૨૦૧૫ ના રોજ બી.આઇ.એફ.આર.એ આ અંગે આદેશ પસાર કર્યો
હતો. એ પછી ટૂંક સમયમાં, ચોક્કસપણે કહીએ તો તા.01.12.2016 થી, એસ.આઇ.સી.એ. કાયદો રદ કરવામાં આવેલ.
(૫) અપીલકર્તાના જણાવ્યા અનુસાર, બી.આઇ.એફ.આર. નું અધિકારક્ષેત્ર
નાબૂદ થયું અને તેની સમક્ષની પડતર તમામ કાર્યવાહીઓ, જેમાં સામાવાળાનો
કેસ પણ સામેલ છે, રદ કરવામાં આવી હતી અને આઇ.બી.સી.ની કલમ ૮ અને ૯
Page No. 4/49
સહિત કેટલીક કલમો તા.01.12.2016 થી અમલમાં આવી. એટલે
આઇ.બી.સી.ના અમલીકરણ પછી અપીલકર્તાએ તા.01.04.2017 ના રોજ
આઇબીસીની કલમ-૮ અને ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી (એપ્લિકેશન ટુ
એડજુડિકેટિંગ ઓથોરિટી) રૂલ્સ, ૨૦૧૬ના નિયમ-૫ હેઠળ ફોર્મ નંબર-3 ના
સ્વરૂપે સામાવાળા તરફના વહીવટી દેવાં ૱ ૪,૭૧,૫૬,૦૯૪.૭૬ ની ચુકવણીની
માંગણી કરતી ડીમાન્ડ નોટીસ પાઠવેલ. તા.૧૦/૦૪/૨૦૧૭ ના રોજ
સામાવાળાએ ઉપરોક્ત માંગણા-નોટિસનો જવાબ આપ્યો હતો, જેમાં
જણાવવામાં આવ્યું હતું કે, નેચરલ ગેસના પૂરવઠામાં કાપ મૂકવામાં આવ્યો હતો
અને ગેસ પૂરવઠો બંધ થવાને કારણે મોટું નુકસાન થયું છે. આ પ્રકારની દલીલો
ઉઠાવી, સામાવાળાએ માંગવામાં આવેલી રકમની ચૂકવણી કરવાની જવાબદારીને
નકારી કાઢી હતી. ત્યારબાદ, અપીલકર્તાએ આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળ
, NCLT અમદાવાદ સમક્ષ એક અરજી દાખલ કરી હતી, જેમાં સામાવાળાના
ઓપરેશનલ ક્રેડિટર તરીકે કોર્પોરેટ ઇન્સોલ્વેન્સી રીઝોલ્યુશન પ્રોસેસ ( )
CIRP
શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી. એનસીએલટીએ તા.૨૭/૦૬/૨૦૧૯
ના રોજ આપેલા આદેશ અનુસાર આ અરજીને લિમિટેશનનો બાધ હોવા ઉપરાંત તે
અપીલકર્તા અને સામાવાળા વચ્ચે ‘અગાઉથી અસ્તિત્વ ધરાવતા વિવાદ’ના
કારણસર રદ કરવામાં આવી હતી. એન.સી.એલ.એ.ટી. સમક્ષ તેને પડકારતી
અપીલ છેવટે વાદગ્રસ્ત ચુકાદામાં પરિણમી હતી.
Page No. 5/49
(૬) લિમિટેશનનો બાધ હોવાના આધાર પર આઇ.બી.સી. ની કલમ-૯ હેઠળ
અપીલકર્તાની અરજી રદ થવાને કારણે ઊભા થયેલા કાયદાના પ્રથમ પ્રશ્ન પર અમે
સૌપ્રથમ વિચાર કરીશું. ઉપરોક્ત હકીકતો અને દલીલોને ધ્યાનમાં રાખીને
અપીલકર્તાએ દલીલ કરી કે જ્યારે આઇ.બી.સી. ની કલમ-૯ હેઠળ અરજીને
લિમિટેશનનો બાધ હોઇ તેને રદ કરવામાં આવી હતી, ત્યારે એનસીએલટી અને
એન.સી.એલ.એ.ટી. એસઆઈસીએની કલમ કલમ-૨૨(૧) અને (૫) ની
સંચિત અસરને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહ્યા છે. આ દલીલની વિસ્તૃત સમજણ
આપતાં એ રજૂઆત કરવામાં આવી છે કે એનસીએલટી અને એન.સી.એલ.એ.ટી.
આ વાતને સમજવામાં નિષ્ફળ ગયા હતા કે બી.આઇ.એફ.આર. દ્વારા
સામાવાળાને ૩૧/૦૮/૨૦૧૦ના રોજ તેના આદેશ અનુસાર ‘માંદા કંપની’ તરીકે
દાખલ કરવામાં આવ્યા હતા અને એટલે કલમ-૨૨ની પેટા કલમ(૫) અનુસાર, એસઆઈસીએ હેઠળ સસ્પેન્શનનો ગાળો એટલે કે 31.08.2010 થી
01.12.2016 સુધીનો ગાળો લિમિટેશન પિરિયડની ગણતરી કરતી વખતે બાકાત
રાખવો જોઈતો હતો. અપીલકર્તાના જણાવ્યા અનુસાર, આઇ.બી.સી. ની કલમ-
૯ હેઠળની અરજી તા. 20.08.2018 ના રોજ દાખલ કરવામાં આવી હોઇ આવી
મુક્તિ મંજૂર કરતાં ઉક્ત અરજીને લિમિટેશન કાયદાના અનુચ્છેદ-૧૩૭ ની
જોગવાઇઓ મુજબના ૩ વર્ષના સમયગાળાની અંદર કરવામાં આવેલ હોવાનું માની
શકાયું હોત. તે દલીલ કે અરજકકર્તાને મળેલ કાયદાદત્ત અધિકારો કે જે અન્વયે
તેઓ કોઇક કાનૂની પ્રક્રિયા શરૂ કરી શકે કે ચાલુ રાખી શકે તેના સમર્થનમાં
Page No. 6/49
અરજકર્તાના વિદ્વાન કાઉન્સેલ શ્રી એ પરમજીત સિંગ વિરુદ્ધ આઇ.સી.ડી.એસ.
લિ. ના ચુકાદા,૧ ખાસ કરીને ફકરા નં. ૪૩( ) ii નો આધાર લીધો છે.
--------
૧. (૨૦૦૬) ૧૩ એસ.સી.સી. ૩૨૨
(૭) અપીલકર્તાની દલીલોનો પ્રતિકાર કરતાં અને વાદગ્રસ્ત ચુકાદોનું સમર્થન
કરતાં સામાવાળાએ દલીલ કરી કે એનસીએલટી અને એન.સી.એલ.એ.ટી. બંનેએ
હાલના આ કેસમાં તથ્યાત્મક સ્થિતિને યોગ્ય રીતે ધ્યાને લીધી છે અને તે નિષ્કર્ષ
કે, અપીલકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલ આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળની તે
અરજીને લિમિટેશનની જોગવાઇઓનો બાધ નડે છે, તે યોગ્ય છે. સામાવાળાના
જણાવ્યા અનુસાર આઇ.બી.સી. ની કલમ-૯ હેઠળની અપીલકર્તાઓની ઉક્ત
અરજી અને તેમના દ્વારા પાઠવવામાં આવેલ કલમ-૯ હેઠળની માંગણાં-
નોટીસમાં બાકી લેણાંની રકમમાં વિસંગતતા છે. એવો પણ વાદ લેવામાં આવ્યો છે
કે આ પ્રકારની વિસંગતતા કાર્યવાહીની તારીખનાં સંબંધમાં પણ અસ્તિત્વમાં છે, કારણ કે કલમ-૯ હેઠળની અરજીમાં જણાવ્યા મુજબ તથાકથિત દેવું નવેમ્બર, 2011 થી બાકી હતું અને ડિમાન્ડ-નોટિસ મુજબ તથાકથિત દેવું 9 જુલાઈ, 2012 નાં રોજ બાકી થયું અને ઉક્ત બન્ને કિસ્સામાં કલમ-૯ હેઠળની અરજીને
લિમિટેશનનો બાધ નડે છે, કેમ કે તે વર્ષ ૨૦૧૮માં દાખલ કરવામાં આવી હતી, એટલે કે ચોક્કસપણે કહેવામાં આવે તો, કથિત ડિફોલ્ટથી 3 વર્ષ પછી! વધુમાં
વાદ લેવામાં આવ્યો કે SICA ની કલમ 22(5) હેઠળ બાકાત રખાયેલ
સમયગાળાનો લાભ અપીલકર્તાને આઇ.બી.સી. ની કલમ-૯ હેઠળની અરજીના
Page No. 7/49
સંદર્ભમાં લિમિટેશન પીરીયડ ગણતરીમાં લેવા માટે ઉપલબ્ધ નથી. સામાવાળાના
જણાવ્યા અનુસાર, એસઆઈસીએની કલમ-૨૨(૧) કાર્યવાહીના કારણને
અમર્યાદિત જીવિત રાખવા માટેનું બિનશરતી રક્ષણ પૂરુ
ં પાડતી નથી અને તેનો
આશય બળજબરી સ્વરૂપની કાયદાકીય કાર્યવાહીને સ્થગિત કરી તેનાથી
ઉદ્યોગસાહસની મિલકતોને સુરક્ષિત રાખવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો, વાદ
એ છે કે વસૂલાત અરજી દાખલ કરવાની મંજૂરી હતી અને એસ.આઇ.સી.એ. ની
કલમ-૨૨(૧) તેમ કરતાં અટકાવતી નહોતી પરંતુ, જેની સામે કામ ચલાવવામાં
આવી રહ્યું છે તે ઔધ્યોગિક કંપનીની મિલ્કતો કે તેનાં પરનાં ભારણ સબબ
પ્રતિનિર્દેશ આપતી હતી.
(૮) જ્યારે આઇ.બી.સી. ની કલમ-૮ અને ૯ તા. 01.12.2016 થી અમલમાં
આવી હતી, ત્યારે કલમ-૯ હેઠળ અરજી દાખલ કરીને સીઆઈઆરપી શરૂ
કરવાનો પ્રશ્ન 01.12.2016 થી જ શક્ય બન્યો હતો. પરંતુ પ્રશ્ન એ છે કે, આઇ.બી.સી. હેઠળ ‘ઓપરેશનલ ક્રેડિટર’ અભિવ્યક્તિ હેઠળ આવતાં કોઈ
પક્ષકાર કે જે ઔદ્યોગિક કંપનીને બાકી નીકળતું કાર્યકારી દેવું હોવાનો દાવો કરે છે
અને તેની વસૂલાત માટેનું કારણ 01.12.2016 થી ઘણું વહેલું ઊભું થયું હતું, પણ
એસઆઈસીએની કલમ-૨૨(૧) હેઠળના કાયદાના બંધનના પરિપ્રેક્ષ્યમાં, એસઆઈસીએની કલમ-૨૨(૫) હેઠળના મોકૂફીના સમયગાળાના રક્ષણના
પગલે કાર્યવાહીનું કારણ ઉત્તપન્ન થયાના ત્રણ વર્ષ વીતી જવા છતાં, શું
Page No. 8/49
સી.આઇ.આર.પી. (કોર્પોરેટ ઇન્સોલ્વેન્સી રીઝોલ્યુશન પ્રોસેસ) શરૂ કરી શકાઇ
હોત કે કેમ?
(૮. ૧) તે સંદર્ભમાં માત્ર SICA અન્વયની ઉપરોક્ત સુસંગત જોગવાઈઓનો
સંદર્ભ લેવો યોગ્ય છે. એસ.આઇ.સી.એ. ની કલમ-૨૨(૧) નીચે મુજબ છે.-
“(૨૨) કાયદાકીય કાર્યવાહીઓ, કરારો વગેરેને મુલતવી રાખવા-
(૧) કોઈ ઔદ્યોગિક કંપનીના સંબંધમાં, કલમ ૧૬ હેઠળ તપાસ
પડતર હોય અથવા કલમ ૧૭ હેઠળ ઉલ્લેખિત કોઈ યોજના તૈયારી કે
વિચારણા હેઠળ હોય અથવા મંજૂર કરેલી કોઈ યોજના અમલમાં હોય
અથવા કોઈ ઔદ્યોગિક કંપની સાથે સંબંધિત કલમ-૨૫ હેઠળ
અપીલ પડતર હોય ત્યારે કંપની અધિનિયમ, ૧૯૫૬ (૧૯૫૬નો
૧) અથવા કોઈ અન્ય કાયદો અથવા ઔદ્યોગિક કંપનીના
એસોસિયેશનના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ અથવા સદરહુ કાયદા
અથવા અન્ય કાયદા હેઠળ અસરકર્તા હોય તેવા અન્ય કોઈપણ
લેખમાં ગમે તે મજકૂર હોય તે છતાં, ઔદ્યોગિક કંપનીને બંધ કરવા
માટે અથવા ઔદ્યોગિક કંપનીની કોઈ મિલકતો સબબ તેના
રિસીવરની નિમણૂક માટે [અને આવી ઔધ્યોગિક કંપની પાસે થી
નાણાંની વસૂલાત અથવા કોઇ જામીનગીરીના અમલ માટે કે કોઇક
લોન અથવા ધીરાણ સામે આપવામાં આવેલ ગેરંટી સબબ] કોઇ
કાર્યવાહી હાથ ધરી શકાશે નહીં કે આગળ ધપાવી શકાશે નહિ, સિવાય કે સંબંધિત કિસ્સામાં બોર્ડ કે અપીલીય સત્તામંડળે તેની
મંજૂરી આપી હોય."
Page No. 9/49
(૮.૨) લિમિટેશન પિરીયડની ગણતરી કરતી વખતે 31.08.2010 થી
01.12.2016 સુધીના સમયગાળાને બાકાત રાખવા માટે અપીલકર્તા દ્વારા
એસઆઈસીએની કલમ-૨૨(૫) નો નીચે મુજબ આધાર લેવામાં આવ્યો છેઃ -
“(૨૨) કાયદાકીય કાર્યવાહીઓ, કરારો વગેરેને મુલતવી રાખવા.
(૧). ....
(૨). .......
(૩). .........
(4). .....
(૫) કોઈ અધિકાર, વિશેષાધિકાર અથવા જવાબદારીના
અમલીકરણ માટે લિમિટેશન પિરીયડની ગણતરી કરતી વખતે આ
કલમ હેઠળના મોકૂફીગાળા અથવા તેના અમલીકરણ માટેના
ઉપાયો સબબના ગાળાને બાકાત રાખવામાં આવશે."
(૯) આમ, ઉપરોક્ત એસઆઈસીએની કલમ-૨૨(૧) સ્પષ્ટતા કરે છે કે જ્યારે
એક વાર કલમ-૧૬ હેઠળ કોઈ ઔદ્યોગિક કંપની સામે તપાસ પડતર હોય અથવા
કલમ-૧૭ હેઠળની તેની કોઈ યોજના પડતર હોય અથવા કોઈ મંજૂર થયેલી
યોજના અમલમાં હોય અથવા કોઈ ઔદ્યોગિક કંપની સાથે સંબંધિત કલમ-૨૫
અન્વયેની કોઈ અપીલ પડતર હોય, ત્યારે બોર્ડ કે અપીલીય સત્તામંડળની સંમતિ
સિવાય, ઉપરોક્ત કલમમાં ઉલ્લેખિત અધિકારની પ્રાપ્તિ માટે કોઈ પણ કાર્યવાહી
હાથ ધરવા માટે કાયદેસરનો બાધ રહે. અગાઉ નોંધ્યું હતું તેમ, એસઆઈસીએને
રદ કરવામાં આવ્યું અને આઇ.બી.સી. (કલમ ૭ થી ૯ અને વિવિધ અન્ય ધારાઓ
સહિત) એ જ દિવસે એટલે કે 01.12.2016 ના રોજ અમલમાં આવી હતી .
Page No. 10/49
(૧૦)પરમજીત સિંહ પઠેજાના કેસ (સુપ્રા)માં આ કોર્ટના બે જજોની ખંડપીઠે
આપેલા ચુકાદામાં, ખાસકરીને આઇ.બી.સી. ની કલમ-૯ અન્વયેની અરજી
દાખલ કરતાં સમયે લિમિટેશન પીરીયડની ગણતરીમાં તા.૩૧/૦૮/૨૦૧૦ થી
૦૧/૧૨/૨૦૧૬ના ગાળાને બાકાત રાખવા સબબ, પરિચ્છેદ ૪૩( ) vii નો
અપીલકર્તાએ આધાર લીધો છે. અત્રે સંબંધિત તે ભાગ નીચે મુજબ છે: -
(૪૩) આ ચર્ચાઓ સબબ અમે ઠેરવ્યું છે કે:
( ) .......... i
( ) ....... ii
( ) ......... iii
( ) ....... iv
( ) v
( ) vi ...
( ) vii એ સુસ્થાપિત નિયમ છે કે કોઈ જોગવાઈનો અર્થ એવી રીતે
કરવો જોઈએ કે તે તેના હેતુને અસરકારક બનાવે અને જે બાબતને
ધ્યાનમાં રાખીને તેનો અમલ કરવામાં આવ્યો હતો તેમાંની ખોટી
બાબતોને દૂર કરે. કલમ-૨૨ નો ઉદ્દેશ મુખ્ય દેવાદારના
બી.આઇ.એફ.આર. સમક્ષ પડતર રેફરેન્સ સબબની કાયદેસરની
કાર્યવાહીમાં ગેરન્ટર્સને બચાવવાનો છે, જેથી બીમાર કંપનીના
ગેરન્ટર્સ સામેની અલગ અલગ કાર્યવાહીથી પુનરોત્થાનની યોજના
નિષ્ફળ ન જાય. આ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે કલમ-૨૨ હેઠળની
‘દાવા’ અભિવ્યક્તિને તેનો સ્પષ્ટ અર્થમાં લેવી ઘટે, એટલે કે
પક્ષકારમાં નિહિત કાયદેસરના અધિકારની પ્રાપ્તિ માટે કોઈ પણ
Page No. 11/49
કાર્યવાહીને અપનાવવી રહી. તેમાં સ્પષ્ટપણે લવાદની પ્રક્રિયા
સામેલ હશે."
(ભારપૂર્વક)
(૧૧) આમ પરમજીત સિંહ પઠેજાના કેસમાં (સુપ્રા) નિર્ણિત થયેલી
સ્થિતિને ધ્યાનમાં રાખીને આ અદાલતની અગાઉની બે જજોની ખંડપીઠે
કૈલાશનાથ અગ્રવાલ અને અન્યો વિરુદ્ધ પ્રદેશિકા ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ
લિ. યુ. પી. અને અન્ય૨ ના કેસમાં આપેલ ચુકાદાને ધ્યાને લેવો યોગ્ય રહેશે. તે
કેસમાં એ પ્રશ્ન પણ ધ્યાને લેવામાં આવેલ કે એસ.આઇ.સી.એ. ની કલમ-૨૨ શું
બીમાર કંપનીના બાંહેધરી આપનારા (ગેરંટર્સ)ને પણ રક્ષણ આપે છે કે માત્ર
બીમાર કંપની ને જ? આ સંદર્ભમાં નોંધ લેવી સુસંગત છે કે કૈલાશ નાથ
અગ્રવાલના કેસનો નિર્ણય (સુપ્રા) પરમજીત સિંહ પઠેજાના કેસનો નિર્ણય કરતી
વખતે પછીની લાર્જર બેંચના ધ્યાનમાં લાવવામાં આવ્યો ન હતો. બીજા શબ્દોમાં
કહીએ તો, પછીનો કેસ કાયદાના તથ્યો ધ્યાને લીધા સિવાય નિર્ણિત થયો હતો.
કૈલાશ નાથ અગ્રવાલના કેસમાં, પરમજીત સિંહ પઠેજાના કેસમાં ઉઠાવવામાં
આવેલી દલીલોને સમાન ગણ્યા પછી, આ અદાલતે ઠેરવ્યું હતું કે “કાર્યવાહી”
અને “દાવા” શબ્દોનો અલગ અલગ પરીપેક્ષ્યમાં અર્થ કાઢવો પડશે, કારણ કે
તેઓ ભિન્ન બાબતોને દર્શાવવા માટે ઉઠાવવામાં આવ્યા છે. એવું તારણ કાઢવામાં
આવ્યું હતું કે, SICA ની કલમ-૨૨(૧) માત્ર ઔદ્યોગિક કંપની સામે રિકવરી પર
Page No. 12/49
પ્રતિબંધ મૂકે છે અને રિકવરી પ્રક્રિયા સામે ગેરન્ટરને કોઈ સુરક્ષા આપવામાં આવી
નથી.
-------------
૨. (૨૦૦૩) ૪ એસ.સી.સી. ૩૦૫
(૧૨) ઉપરોક્ત પરસ્પર વિરોધાભાસી નિર્ણયો અમને ત્યારબાદના આ
અદાલતની ત્રણ જજીસની બેંચ દ્વારા કે.એસ.એલ. એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ. વિરુદ્ધ
મેસર્સ અરિહંત થ્રેડ્સ લિ.૩ ના કેસમાં આપવામાં આવેલ ચુકાદાના પ્રકાશમાં, કૈલાશનાથ અગ્રવાલ (સુપ્રા)ના કેસમાં બે જજીસની બેન્ચ સમક્ષ લેવામાં આવેલ
વાદના ફાઇન્ડીંગ્સની નોંધ લેતાં, તે જણાયું છે કે તે નિર્ણય એસ.આઇ.સી.એ. ની
કલમ-૨૨(૧) હેઠળ સંબંધિત કંપનીને મળતાં રક્ષણના વ્યાપ અંગેના પ્રશ્નને
સ્પર્શતો નથી. આ અવલોકન ઉપરાંત તે ત્રણ જજીસની બેન્ચે આ પ્રશ્નને ધ્યાને
લીધો. આ સંબંધમાં ફકરા 32,33 અને 53 સુસંગત છે અને નીચે મુજબ વંચાણે
લેવામાં આવે છેઃ
-------------------
૩. (૨૦૧૫) ૧ એસ.સી.સી. ૧૬૬
“(૩૨) અગાઉ જણાવ્યા અનુસાર કલમ-૨૨ની પેટાકલમ- (૧)
ને બે ભાગોમાં વહેંચી શકાય. એક ભાગમાં તેમાં જોગવાઈ કરવામાં
આવી છે કે, ઔદ્યોગિક કંપનીને બંધ કરવા માટે અથવા આવી
ઔદ્યોગિક કંપનીની કોઇપણ મિલકતો સામે અમલીકરણ, ભારણ કે
તેના જેવું કોઈ કાર્ય શરૂ કરવામાં આવશે નહીં અને બીજા ભાગમાં
તેમાં જોગવાઈ કરવામાં આવી છે કે, નાણાંની વસૂલાત માટે અથવા
ઔદ્યોગિક કંપની સામે કોઈ જામીનગીરી લાગુ કરવા માટે અથવા
ઔદ્યોગિક કંપનીને આપવામાં આવેલી કોઈ લોન કે એડવાન્સ
Page No. 13/49
અથવા તેના સંબંધની કોઈ બાંયધરી સબબ કોઈ કેસ શરૂ કરવામાં
આવશે નહીં સિવાય કે, બોર્ડ અથવા અપીલીય સત્તામંડળ જે લાગુ
પડતું હોય તેની સંમતિ હોય."
"(33) નિઃશંકપણે, વર્તમાન કાર્યવાહીઓ એટલે કે "વસૂલી
માટેની અરજી" ને કોઈ પણ મિલકત સામેની કાર્યવાહીઓ તરીકે
વર્ણવી શકાતી નથી, પરંતુ તે ચોક્કસપણે એક કાર્યવાહી છે, જેના
પરિણામે કંપનીની મિલકત સામે કાર્યવાહી અને ભારણ ઊભાં થયાં
છે અને આથી તેને ઔદ્યોગિક કંપનીની કોઈ પણ મિલકત સામે
અમલીકરણ, ભારણ અથવા તેના જેવી કાર્યવાહી તરીકે ગણવામાં
આવે છે." અમારુ
ં માનવું છે કે આ પ્રકારનું માળખું સંસદી હેતુની
મર્યાદામાં છે, જ્યાં ઋણધારકનું દેવું કે દેવાં પેટે મિલ્કત ગિરવે
મૂકીને દેવાની વસૂલાત માટેની કાર્યવાહી સુનિસ્ચિત કરવામાં આવી
છે. ચોક્કસપણે એવું માનવાનો કોઇ કારણ નથી કે સંસદનો
આશય એ હતો કે સમરી પ્રોસીજર દ્વારા વસૂલાત માટેની આવી
અરજી કરી શકાય કે આગળ ધપાવી શકાય, પણ તેની અમલવારીને
અન્યથા નિર્દેશિત કે અવરોધી શકાય. આ સંદર્ભમાં એ બાબત યાદ
રાખવામાં આવે કે આરડીડીબી કાયદા હેઠળ જોગવાઇ કરવામાં
આવેલી સમરી પ્રોસીડિંગ અનુસારની વસૂલાત માટેની અરજી
સબબની કાર્યવાહીનો ઉલ્લેખ કલમ-૨૨ માં કરવામાં આવ્યો નથી, કારણકે આરડીડીબી કાયદો તે સમયે અમલમાં આવ્યો ન હતો.“
“(૫૩) વધુમાં, અમને કલમ-૨૨ના કાર્યક્ષેત્રમાંથી વસૂલાંત
માટેની અરજીને બાકાત રાખવાના એસ.આઇ.સી.એ.ના ઈરાદામાં
કોઈ વિરોધાભાસ જોવા મળ્યો નથી. ખરેખર આ પ્રકારનું કોઈ કારણ
ન હોઈ શકે કારણ કે આ જોગવાઈનો હેતુ બીમાર કંપનીની
Page No. 14/49
મિલકતોનું રક્ષણ કરવાનો છે, જેથી બી.આઇ.એફ.આર. દ્વારા તેના
પુનરોત્થાનના હેતુ માટે શ્રેષ્ઠત્તમ શક્ય રીતે ઉકેલ લાવી શકાય.
પંજાબ રાજ્ય વિરુદ્ધ ઓકારા ગ્રેન બાયર સિંડિકેટ લિ.
મનુ/એસસી/0023/1963: 1964 669
AIR SC કેસમાં
અદાલતે કાયદાના લાભદાયી હેતુને જાળવી રાખવાના મહત્વને
વ્યક્ત કર્યું અને નોંધ્યું હતું કેઃ
૧૪. આથી અમે કાયદાની જોગવાઈઓની ચકાસણી આ પ્રમાણે
કરીશું કે સરકાર કાયદાથી બંધાયેલી છે કે નહીં એ નક્કી કરવાની
કસોટી એ છે કે સરકાર કાયદાથી બંધાયેલી છે કે નહીં, તે બાબતોની
કાયદાની જોગવાઈઓમાં સ્પષ્ટપણે નામજત કરવામાં આવી છે કે
"કાયદાની શરતોના આધારે સરકાર એમ જણાવે છે કે તેનાં
બંધાયેલાં રહેવું તે વિધાનમંડળનો ઇરાદો હતો", અને જો સરકાર
બંધાયેલ ન હોય, તો કાયદાનો લાભદાયી હેતુ સંપૂર્ણપણે નષ્ટ થઇ
જાય."
(૧૩) આમ, એ સ્પષ્ટ છે કે કેએસએલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ. (સુપ્રા) ના
કેસમાં ત્રણ જજોની ખંડપીઠે એસઆઈસીએની કલમ-૨૨(૧) માં સમાવિષ્ટ
બંધનને ધ્યાનમાં રાખીને બેંકો અને નાણાકીય સંસ્થાઓના બાકી દેવાંની વસૂલાત
ધારો, ૧૯૬૩ (આરડીડીબી કાયદા) હેઠળની વસૂલાત માટેની અરજી બીમાર
કંપની સામે કાર્યવાહી હાથ ધરવા માટે કરી શકાય કે આવી કાર્યવાહીને આગળ
ધપાવી શકાય તે પ્રશ્ન ધ્યાને લેવામાં આવ્યો. દેખીતી રીતે તે જાણ્યા પછી કે
આર.ડી.ડી.બી. એક્ટ હેઠળની રિકવરી માટેની અરજીને મિલ્કત પર
એક્ઝીક્યુશન, ભારણ કે તેવી પ્રક્રિયા લાદવાની કાર્યવાહી કહી શકાય કે કેમ, તે
Page No. 15/49
સબબ તે ઠરાવ્યું છે કે તે ચોક્કસપણે કંપનીની મિલ્કત સામે એક્ઝીક્યુશન કે
ભારણ તરીકે પરિણમતી હોઇ, તેને ઔદ્યોગિક કંપનીની મિલ્કત પરની
એક્ઝીક્યુશન, ભારણ કે તેવી કાર્યવાહી માનવી રહી. તે મુજબ એવું માનવામાં
આવ્યું હતું કે, આ પ્રકારનું માળખું સંસદની હેતુ-મર્યાદાની અંદર હોય. વધુમાં, તેમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, સંસદનો આશય એવો નથી કે સમરી
પ્રોસીઝર હેઠળ વસૂલાત માટે આવી અરજી કરી શકાય કે આગળ ધપાવી શકાય, પરંતુ તેના અમલ પર જ પ્રતિનિર્દેશ આપવાનો કે તેને અટકાવવાનો છે. આ
ઉપરાંત ત્રણ જજોની ખંડપીઠને એસઆઈસીએના કલમ-૨૨ ના કાર્યક્ષેત્રમાંથી
વસૂલાત માટેની અરજીને બાકાત રાખવાના ઈરાદામાં કોઈ વિરોધાભાસ જણાયો ન
હતો. તે હકીકતની નોંધ લેતાં કે ઉક્ત જોગવાઈનો ઉદ્દેશ બીમાર કંપનીની
મિલકતોનું રક્ષણ કરવાનો છે, જેથી બી.આઇ.એફ.આર. દ્વારા તેને પુનર્જીવિત
કરવાના હેતુ માટે શક્ય હોય તેટલી શ્રેષ્ઠ રીતે તેનો સામનો કરી શકાય.
(૧૪) સિકાની કલમ-૨૨(૧) હેઠળની જોગવાઈઓ અને પરમજીત સિંહ
કેસ (સુપ્રા) અને કેએસએલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (સુપ્રા) ના નિર્ણયોને
ધ્યાનમાં રાખીને એ નોંધવું યોગ્ય રહેશે કે હાલના કેસમાં ઔદ્યોગિક કંપની
(હાલના પ્રતિવાદી) એ સીકાની જોગવાઈઓ હેઠળ બી.આઇ.એફ.આર. કેસ નં.
૧૩/૨૦૧૦ દાખલ કરેલ. તે પછી અપીલકર્તાએ પરચુરણ અરજી ક્રમાંક
432/2013 દાખલ કરી હતી, જેમાં અન્ય બાબતોની સાથે-સાથે
એસઆઈસીએની કલમ-૨૨ હેઠળ ઉપરોક્ત દેવાંની વસૂલાત માટે યોગ્ય
Page No. 16/49
અધિકારક્ષેત્રની દીવાની અદાલતમાં વ્યાજની ચૂકવણી કરવાની મંજૂરી માંગી હતી;
પરિશિષ્ટ-એ 40 ની કાર્યવાહી અનુસાર આ અરજીનો નિકાલ 09.09.2015 ના
રોજ કરવામાં આવ્યો હતો, અને તે પણ અરજદારની બાકી નીકળતી રકમનો
ડીઆરએસમાં સમાવેશ કરવા સામાવાળા કંપનીને નિર્દેશ આપવા સાથે, અને
પરિશિષ્ટ-એ 40, કેસ નંબર 13 ઓફ 2010 અને એમ. એ. નં. 292/2014
મુજબ તે સમયે સુનાવણી પર રાખવામાં આવ્યા હતા. ટૂંકમાં કહીએ તો, કેસ નં.
13/2010 બી.આઇ.એફ.આર. સમક્ષ પડતર હતો, જ્યારે સીકા
01.12.2016 થી રદ કરવામાં આવ્યો હતો અને આઇ.બી.સી. 01.12.2016 થી
અમલમાં આવ્યો. આમ, દેખીતી રીતે, જ્યારે સામાવાળા તરફથી કથિત રીતે
ડીફોલ્ટ થયો ત્યારે એસ.આઇ.સી.એ. સમક્ષની કાર્યવાહી પડતર હતી અને
એસ.આઇ.સી.એ. ની કલમ-૨૨(૧) અને ઉપર ઉલ્લેખિત હુકમોને કારણે
અપીલકર્તા તે સમયે કોઈ પણ અધિકારનો અમલ કરાવવા માટે કોઈ પણ
કાયદાકીય કાર્યવાહીનો આશ્રય લઈ શકે તેમ નહોતા કે જેનાથી સામાવાળા
કંપનીની મિલકતોમાંથી દેવાંની વસૂલાત થઈ શકે. આ જ કારણોસર, સામાવાળાની દલીલ કે બી.આઇ.એફ.આર. સમક્ષ કાર્યવાહી પડતર હોવાં દરમ્યાન
અપીલકર્તા લવાદ કાર્યવાહીનો આશરો લઈ શક્યા હોત, તેમાં વજૂદ નથી કેમ કે, તે પણ નિષ્ફળ જ જાત.
Page No. 17/49
(૧૫) હવે આપણે કલમ-૨૨(૫), એસઆઈસીએના હેતુ-આશય પર
વિચાર કરવો રહ્યો. તેનો આશય પક્ષકારના હિતોનું રક્ષણ કરવાનો જણાય છે, જેને
કલમ-૨૨(૧), SICA અન્વયેના મોરેટોરિયમ અમલીકરણ સમયગાળા
દરમિયાન બાકી નીકળતી રકમ વસૂલવાના અધિકારનો કાયદેસર અમલ કરવાથી
અટકાવવામાં આવ્યો હતો જે અન્યથા તેની પાસે ઉપલબ્ધ હોત તેમજ તે
બી.આઇ.એફ.આર. સમક્ષ કાર્યવાહીના સમાપન પછી પણ તેમાં સ્પષ્ટપણે
જણાવેલ મર્યાદાઓના દાયરામાં ઉપલબ્ધ હોત. અમારા મુજબ કલમ-૨૨(૫)
હેઠળ જોગવાઈઓનું અન્ય કોઈપણ અર્થઘટન સંપૂર્ણપણે અર્થહીન અને
ઉદ્દેશ્યહીન રહેશે. જ્યારે અપીલકર્તા બી.આઇ.એફ.આર. માં પક્ષકાર છે એટલે કે
સામાવાળા કંપનીને બાકી નીકળતી રકમ વસૂલવા માટે મંજૂરી માંગતી અરજીમાં
ડ્રાફ્ટ રિહેબિલિટેશન સ્કીમ (ડીઆરએસ)માં તેના લેણાંનો સમાવેશ કરવાનો
આદેશ મેળવી દરમ્યાનગીરી કરી હોય અને આ પ્રકારનો તબક્કો 01.12.2016
સુધીમાં આવ્યો ન હોય, ત્યારે શું એસઆઈસીએની કલમ-૨૨(૫) હેઠળની
જોગવાઈઓથી મળતા લાભોનો દાવો કરવા માટેનું કોઈ ઔચિત્ય રહશે?
(૧૬) ઉક્ત સ્થિતિમાં આઇ.બી.સી. કલમ-૨૫૨નો સંદર્ભ લેવો યોગ્ય
રહે, જે નીચે મુજબ છેઃ -
Page No. 18/49
"૨૫૨. ધી સીક ઇન્ડસ્ટ્રીયલ કંપનીઝ (સ્પેશયલ પ્રોવિઝન્સ)
રીપીલ એક્ટ, ૨૦૦૩ ને આઠમી અનુસૂચિમાં નિર્દિષ્ટ રીતે
સુધારવો રહ્યો."
(૧૬.૧) આઠમી અનુસૂચિમાં સિકા રિપીલ એક્ટ, 2003 ની કલમ-૪ની
પેટા-કલમ (બી) ને તા.૦૧/૧૨/૨૦૧૬ ની અસરથી બદલવા માટે નીચે મુજબ
સુધારા કરવામાં આવ્યા છેઃ
“(ખ) આ સંબંધમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરવામાં આવે તેવી
તારીખે અપીલીય સત્તામંડળને કરેલી કોઈ અપીલ અથવા બોર્ડ
સમક્ષ કરેલ કોઇપણ રેફરન્સ અથવા તપાસ અથવા કોઇપણ
કાર્યવાહી કે જે માંદા ઔદ્યોગિક કંપનીઓ (ખાસ જોગવાઈઓ)
અધિનિયમ, ૧૯૮૫ (૧૯૮૬નો ૧) હેઠળ અપીલીય સત્તામંડળ
અથવા બોર્ડ સમક્ષ પડતર હોય તેવી કોઈપણ કાર્યવાહી રદ કરવામાં
આવશેઃ જોગવાઈ કરવામાં આવી છે કે જે કંપનીના સંબંધમાં આવી
અપીલ કે રેફરન્સ કે તપાસ રદ કરવામાં આવી હોય તે કંપનીએ
ઇન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬ની જોગવાઈઓ અનુસાર
ઇન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬ની શરૂઆત થયાના
એકસો એંસી દિવસની અંદર ઇન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬ અંતર્ગત નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ સમક્ષ
રેફરન્સ દાખલ કરવો રહ્યો:
વધુમાં, જે કંપનીની અપીલ કે રેફરન્સ કે તપાસ આ ક્લોઝ હેઠળ
રદ કરવામાં આવી હોય તેવી કંપની દ્વારા ઇન્સોલ્વેન્સી એન્ડ
બેંકરપ્સી કોડ, ૨૦૧૬ હેઠળ આવો રેફરન્સ દાખલ કરવા માટે કોઈ
ફી ચૂકવવાની રહેશે નહીં.''
Page No. 19/49
(૧૭) ઉપરોક્ત બદલાયેલા સબ-ક્લોઝ-(બી) નું અવલોકન કરવાથી
જાણવા મળશે કે એસઆઈસીએ હેઠળ બોર્ડ સમક્ષ કરેલા રેફરન્સ કે તપાસ પડતર
હોવાં દરમ્યાન કે અન્ય કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા અધિસૂચના
બહાર પડતાં રદ થઈ જશે. પેટા-ખંડ-(બી) ના પ્રથમ પરંતુકમાં માત્ર એ કંપનીને
લાગુ પડતી સમયમર્યાદાનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જેના સંબંધમાં અપીલ
અથવા રેફરન્સ અથવા તપાસ અથવા આવી કોઈ કાર્યવાહી સદરહુ સબ-ક્લોઝ
હેઠળ રદ કરવામાં આવી છે. ઉપરોક્ત શરતો અનુસાર, આવી કંપની
આઇ.બી.સી. શરૂ થયાનાં ૧૮૦ દિવસની અંદર અને એની જોગવાઈઓ અનુસાર
આઇ.બી.સી. હેઠળ એનસીએલટી સમક્ષ રેફરન્સ દાખલ કરી શકે છે. ત્યારબાદ
કેન્દ્ર સરકાર દ્વારા 25.11.2016 ના રોજ એસ. ઓ. ૩૫૬૯(ઈ) હેઠળ ઉક્ત
સુધારો અધિસૂચિત કરવામાં આવ્યો હતો. આથી એ સ્પષ્ટ છે કે, રિપીલ એક્ટ
(2003 નો 1) હેઠળ એસઆઈસીએને 01.12.2016 ની અસરથી નાબૂદ કરવાના
કારણે ઔદ્યોગિક કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી એસઆઈસીએ અંતર્ગત
કોઇપણ પડતરકાર્યવાહી કે તપાસ રદ કરવામાં આવી હોય અને આવા 180
દિવસના સમયગાળાની શરત માત્ર આવી કંપનીને લાગુ પડે. ઉક્ત પેટા-
ક્લોઝ(બી) અને શરતો પર નજર કરતાં તેવું જણાતું નથી કે આઇ.બી.સી. હેઠળ
ઉપલબ્ધ ઉપાયો સાથે આગળ વધવા માટેના રેફરન્સ, તપાસ કે કાર્યવાહીમાં
વિરોધી પક્ષના સંબંધમાં આવી કોઈ ચોક્કસ સમયમર્યાદા દર્શાવતું નથી અથવા
Page No. 20/49
સૂચવતું નથી. ઉપરોક્ત સંજોગોમાં, જો આ પ્રકારનો કોઈ વિરોધી પક્ષ
આઇ.બી.સી. હેઠળ ‘ઓપરેશનલ ક્રેડિટર’ અભિવ્યક્તિની અંદર આવે છે, તો તે
સબબ માત્ર એવું જ માની શકાય છે કે એડજ્યુડિકટેિંગ સત્તામંડળ સમક્ષ
સમયમર્યાદા બાધ સબબ રજૂઆત કરવા આઇ.બી.સી.ની જોગવાઇઓનું
અનુસરણ થશે. આ સંદર્ભમાં એ પણ નોંધ લેવી સુસંગત છે કે જે કંપની સબબ
રેફરન્સ કે તપાસ કે કોઈ પણ કાર્યવાહી ઉલ્લેખ કર્યા પ્રમાણે રદ થઈ હોય, તો તેને
આઇ.બી.સી. હેઠળ રેફરન્સ દાખલ કરવા માટે એસઆઈસીએ રિપીલ એક્ટની
કલમ 4 ની પેટા-કલમ(બી) ની બીજી જોગવાઈની દ્રષ્ટિએ કોઈ ફી ચૂકવવાની
જરૂર નથી. એ કહેવાની જરૂર નથી કે આ મુક્તિ રદ કરવામાં આવેલી કાર્યવાહીઓ
કે સંબંધિત રેફરન્સ કે તપાસમાં અન્ય પક્ષોને ઉપલબ્ધ નથી.
(૧૮) આઇબીસીની કલમ-૬ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે
કોઈ પણ કોર્પોરેટ દેણદાર ડિફોલ્ટ કરે છે, ત્યારે નાણાકીય લેણદાર, ઓપરેશનલ
લેણદાર અથવા કોર્પોરેટ દેણદાર પોતે આઇ.બી.સી. પ્રકરણ-૨ હેઠળ જોગવાઇ
કરેલ રીતમાં આવા કોર્પોરેટ દેણદારના સંબંધમાં સીઆઈઆરપી શરૂ કરી શકે છે.
કલમ-૮, કે જે પ્રકરણ-૨ હેઠળ આવે છે, તે ઓપરેશનલ લેણદાર દ્વારા નાદારી
ઠરાવ સાથે સંબંધિત છે. તેમાં જોગવાઈ કરવામાં આવી છે કે, ઓપરેશનલ ક્રેડિટર
ડિફોલ્ટ થવાના કિસ્સામાં નહિ ચુકવાયેલ વહીવટી દેવાં માટેની માંગણા-નોટીસ કે
ડિફોલ્ટ હેઠળની કોર્પોરેટ દેવાંદાર પ્રત્યે લેણી રકમની માંગણી કરતાં ઇનવોઇસની
નકલ સ્વરૂપે કે અન્ય એવાં કોઇપણ નિર્ધારિત સ્વરૂપે અને રીતથી નોટીસ આપી
Page No. 21/49
શકે છે. અહીં નોંધનીય છે કે, આઇ.બી.સી. ની કલમ ૮(૧) માં છાપકામની ભૂલ
હોવાનું જણાય છે, કારણ કે ‘ચૂકવણી ન કરેલા ઓપરેશનલ ઋણની માંગણા
નોટિસ’ને બદલે તેને ‘ચૂકવણી ન કરેલા ઓપરેશનલ ઋણદાતાની માંગણા
નોટિસ' તરીકે છાપવામાં આવેલ છે. દેખીતી રીતે, ગેઝેટ નોટિફિકેશનમાં પણ
‘દેણદાર’ શબ્દ ‘ચૂકવણી વગરની ઓપરેશનલ’ શબ્દસમૂહની પાછળ છપાયો છે.
તેમાં ઉપયોગમાં લેનારા ‘દેણદાર’ શબ્દને ‘ઋણ’ અને ‘અથવા 'માં વિભાજીત
કરવો પડશે, જેથી હેતુ સિદ્ધ થાય અને કલમ ૮(૧) નો આશયપૂર્ણ અર્થ કરી
શકાય અને આ દ્રષ્ટિકોણ કલમ ૮ની પેટા કલમ (૨) થી પણ સમર્થિત થાય છે.
આઇ.બી.સી.ની કલમ-૮ ની પેટા-કલમ-૨ જ્યાં સુધી સંબંધિત છે, તે નીચે
મુજબ વંચાણે લઇ શકાય: -
(૮) (૧)....
(૨) કોર્પોરેટ દેણદારે ડિમાન્ડ નોટિસ (માંગણાં નોટીસ) અથવા
પેટાકલમ (૧) માં ઉલ્લેખિત ઇનવોઇસની નકલ મળ્યાના ૧૦
દિવસની અંદર ઓપરેશનલ લેણદારના ધ્યાનમાં લાવવું રહ્યું કે -
(ક) આવી નોટિસ અથવા આવા વિવાદના સંબંધમાં ઇન્વોઇસ
મળ્યા પહેલાં દાખલ કરવામાં આવેલ દાવો અથવા લવાદની પડતર
કાર્યવાહી કે જે આવી નોટીસ કે ઇન્વોઇસ મળ્યા પહેલાં આવાં વાદ
સબબ દાખલ કરવામાં આવેલ છે, જો આવો કિસ્સો હોય તો;
(ખ) નહિ ચૂકવાયેલ કાર્યકારી દેવાની ચુકવણી -
(રેખાંકિત કરવામાં આવે છે)
Page No. 22/49
(૧૯) તેવી જ રીતે, ઉપરોક્ત સ્થિતિ ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી
(એપ્લિકેશન ટુ એડજ્યુડિકેટિંગ ઓથોરિટી) રૂલ્સ, ૨૦૧૬ના નિયમ ૫ (ટૂંકમાં
‘નિયમો’) માંથી પણ સ્પષ્ટ થાય છે. નમૂના-૩માં આપવામાં આવેલી સૂચના
અનુસાર, જેમાં ‘નિયમો’ અંતર્ગત કૉર્પોરેટ દેણદારને ડિમાન્ડ નોટિસ આપવી ઘટે, તેમાંથી સંહિતાની કલમ-૯ હેઠળ અરજી દાખલ કરવાના ૧૦ દિવસ અગાઉ
કૉર્પોરેટ દેણદારને નોટિસ આપવામાં આવે. આ સૂચનાનો માત્ર એવો અર્થ કાઢી
શકાય છે કે, સંહિતાની કલમ ૯ હેઠળ અરજી દાખલ કરવા માટે ઓછામાં ઓછા
૧૦ દિવસ અગાઉ કોર્પોરેટ દેવાદારને તે પાઠવવી રહી, કારણ કે આઇ.બી.સી.ની
કલમ -૯ હેઠળ અરજી દાખલ કરવા માટેની મર્યાદા આઇ.બી.સી.ની કલમ-
૨૩૮એ અન્વયે નિયમિત થાય છે. અને આથી એવો અર્થ કાઢી શકાતો નથી કે
નમૂના-૩માં એડવાન્સ ડિમાન્ડ નોટિસની તાકીદ થયાના અગિયારમા દિવસે
ફરજીયાતપણે કલમ ૯ની અરજી દાખલ કરવી રહી. આઇ.બી.સી.ની કલમ 238
એ લિમિટેશનના સમયગાળા સાથે સંબંધિત છે, જે તા.06.06.2018 થી અમલમાં
આવી છે અને તે નીચે મુજબ છેઃ - -
“(૨૩૮-એ) લિમિટેશનલિમિટેશન એક્ટ, ૧૯૬૩ (૧૯૬૩ નો
૩૬) ની જોગવાઈઓ, શક્ય હોય ત્યાં સુધી, ન્યાય આપનાર
સત્તામંડળ, નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ, ડેટ રિકવરી
ટ્રિબ્યુનલ અથવા ડેટ રિકવરી અપીલેટ ટ્રિબ્યુનલ સમક્ષ કાર્યવાહીઓ
અથવા અપીલોને લાગુ પડે. "
Page No. 23/49
(૨૦) સ્પષ્ટપણે, આઇ.બી.સી.ની કલમ-૨૩૮ એ લિમિટેશન એક્ટ, ૧૯૬૩ની જોગવાઈઓને એડજ્યુડીકેટિંગ ઓથોરિટી અને અન્ય ફોરમ સમક્ષની
કાર્યવાહીના સંબંધમાં લિમિટેશન પિરીયડની ગણતરી સબબ લાગુ કરે છે. આ
સ્થિતિ બી. કે. એજ્યુકેશનલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ પરાગ ગુપ્તા એન્ડ
એસોસિએટ્સ૪ માં આ અદાલતના ચુકાદાના પરિચ્છેદ ૪૩ અને ૪૮માં સ્પષ્ટ
કરવામાં આવી છે અને તે નીચે મુજબ છેઃ -
---------------------
૪. (૨૦૧૯) ૧૧ એસ.સી.સી. ૬૩૩
"(૪૩) કલમ ૮(૨)(એ) વંચાણે લેતાં જણાશે કે કોર્પોરેટ દેણદાર
માંગણાં નોટિસ મળ્યાના ૧૦ દિવસના સમયગાળાની અંદર
વિવાદની હયાતી ઓપરેશનલ લેણદારના ધ્યાને લાવશે. અમે જોયું
છે કે, કલમ-૫ (૬) માં પરિભાષિત 'વિવાદ'માં ચોક્કસ બાબતો
સાથે સંબંધિત વાદ કે લવાદ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. વધુમાં, કલમ ૮(૨)(એ) હેઠળ કૉર્પોરેટ દેણદાર વૈકલ્પિક રીતે માંગણાં-
નોટિસ મળે તે પહેલાં દાખલ થયેલ દાવો અથવા લવાદની પ્રક્રિયા
પડતર હોવા અંગે ખુલાસો કરી શકે છે. એટલે એ સ્પષ્ટ છે કે
ઓછામાં ઓછા ઓપરેશનલ ક્રેડિટરના કિસ્સામાં ડિફોલ્ટ એ રકમ
હોવી જોઈએ, જે કાયદેસર બાકી છે અને ચૂકવવાપાત્ર છે. ‘તકરાર’
અથવા દાવો કે લવાદની પ્રક્રિયા પડતર રહેતાં અનિવાર્યપણે
લિમિટેશન એક્ટ લાગૂ થશે, કારણ કે જો કોઈ દાવો અથવા લવાદની
કાર્યવાહી ને સમયનો બાધ હોય તો તે રદ થવાં પાત્ર છે. આ
હકીકતનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન એ છે કે જ્યારે સંહિતાની કલમ
૩(૧૧) અને ૩(૧૨) માં “બાકી અને ચૂકવણી” અભિવ્યક્તિ આવે
છે, ત્યારે તે “ડિફોલ્ટ”નો ઉલ્લેખ કરે છે, જે કાયદાકીય રીતે દેવું છે
Page No. 24/49
એટલે કે આ પ્રકારનું દેવું લિમિટેશન એક્ટ હેઠળ પ્રતિબંધિત નથી.
એ બાબત પ્રસ્થાપિત છે કે જ્યાં એક જ શબ્દ સરખા સંદર્ભમાં આવે
છે, ત્યાં કાયદાના મુસદ્દાકારનો આશય એ છે કે સમગ્ર કાયદામાં આ
શબ્દનો એક જ અર્થ છે (જુઓ ભોગિલાલ ચુનીલાલ પંડ્યા વિરુદ્ધ
સ્ટેટ ઓફ બોમ્બે ૧૯૫૯ સપ્લીમેન્ટ (1) 310, 1959
SCR AIR
356,1959 389, . 313 -
SC Cri LJ Supper SCR at pp
૧૪) આમ એ સ્પષ્ટ છે કે સંહિતાની કલમ ૭ અને ૮માં
‘ડિફોલ્ટ’ શબ્દનો એક જ અર્થ છે, જે સ્પષ્ટ કરે છે કે કોર્પોરેટ
દેવાદાર સામે કોર્પોરેટ ઇન્સોલ્વેન્સી રીઝોલ્યુશન પ્રોસેસ માત્ર
નાણાંકીય અથવા ઓપરેશનલ લેણદારો દ્વારા જ, એવા ઋણના
સંબંધમાં કે જેમાં સમયબાધ નથી તેમાં શરૂ કરી શકાય છે.
(૪૮) આમ એ સ્પષ્ટ છે કે લિમિટેશન એક્ટ સંહિતાની શરૂઆતથી
જ સંહિતાની કલમ ૭ અને ૯ હેઠળ દાખલ કરવામાં આવેલી
અરજીઓ પર લાગુ પડતો હોઇ લિમિટેશન એક્ટની કલમ ૧૩૭ લાગુ
પડે છે. આથી જ્યારે ડિફોલ્ટ થાય છે ત્યારે "દાવો કરવાનો અધિકાર"
ઉત્તપન્ન થાય છે. જો અરજી દાખલ કરવાની તારીખથી ત્રણ વર્ષ
અગાઉ ડિફોલ્ટ થયો હોય, તો અરજીને લિમિટેશન એક્ટની કલમ
૧૩૭ નો બાધ રહેશે, સિવાય કે એવા કિસ્સાઓમાં કે જ્યાં આ
પ્રકારની અરજી દાખલ કરવામાં વિલંબને માફ કરવા માટે લિમિટેશન
એક્ટની કલમ ૫ લાગુ થતી હોય.”
(૨૧) બી. કે. એજ્યુકેશનલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (સુપ્રા) ના
ચુકાદાથી જાણવા મળશે કે લિમિટેશન એક્ટ, ૧૯૬૩ની કલમ ૧૩૭ અને ૫
Page No. 25/49
આઇ.બી.સી.ની કલમ ૭ અને ૯ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીઓને લાગુ
પડે છે. અહીં નોંધનીય છે કે, લિમિટેશન એક્ટની કલમ ૧૩૭માં ત્રીજી કોલમ
એવું દર્શાવે છે કે ‘અરજી કરવાનો અધિકાર’ ઊભો થતાં જ સમયની ગણતરી શરૂ
થઇ જાય છે. બાબૂલાલ વર્ધનજી ગુર્જર વર્સસ વીર ગુર્જર એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીઝ
પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય૫ કેસમાં આ અદાલતે એ પ્રશ્ન વિચાર્યો હતો કે અરજી
કરવાનો અધિકાર ક્યારે ઊભો થાય? સદરહુ નિર્ણયનો પરિચ્છેદ-૩૨, જ્યાં સુધી
તે આ કેસના હેતુ માટે સુસંગત છે ત્યાં સુધી, નીચે મુજબ વંચાણે છેઃ -
------------------
૫. (૨૦૨૦) ૧૫ એસ.સી.સી. ૧
"(૩૨) જ્યારે સંહિતાની કલમ-૨૩૮-એ ને આ અદાલતના
ઉપરોક્ત સાતત્યપૂર્ણ ચુકાદાઓ - ઇન્નોવેટીવ ઇન્ડસ્ટ્રીઝ
[ઇન્નોવેટીવ ઇન્ડસ્ટ્રીઝ લિ. વિ. આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક, (૨૦૧૮) ૧ એસ.સી.સી. ૪૦૭], બી.કે. એજ્યુકેશનલ સર્વિસિસ
[બી.કે. એજ્યુકેશનલ સર્વિસીસ પ્રા. લિ. વિ. પારસ ગુપ્તા એન્ડ
એેસોસીયેટ, (૨૦૧૯) ૧૧ એસ.સી.સી. ૬૩૩], સ્વિસ રિબોન્સ
[સ્વિસ રિબોન્સ પ્રા. લિ. વિ. યુનિયન ઓફ ઇન્ડિયા, (૨૦૧૯) ૪
એસ.સી.સી. ૧૭], કે. સશીધર [કે. સશીધર વિ. ઇન્ડીયન
ઓવરસીસ બેન્ક, (૨૦૧૯) ૧૨ એસ.સી.સી. ૧૫૦], જીગ્નેશ
શાહ [જિગ્નેશ શાહ વિ. યુનિયન ઓફ ઇન્ડીયા, (૨૦૧૯) ૧૦
એસ.સી.સી. ૭૫૦], વશદેઓ આર. ભોજવાણી [વશદેવ આર.
ભોજવાણી વિ. અભ્યુદય કો.ઓ. બેન્ક લિ., (૨૦૧૯) ૯
એસ.સી.સી. ૧૫૮],ગૌરવ હરગોવિંદભાઈ દવે (ગૌરવ
હરગોવિંદભાઈ દવે વર્સસ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા)
લિમિટેડ, (2019) 10 એસસીસી 572) અને સાગર શર્મા (સાગર
Page No. 26/49
શર્મા વર્સસ ફીનિક્સ એઆરસી (પી) લિમિટેડ, (2019) 10
એસસીસી 353), અનુક્રમે નીચેની મૂળભૂત બાબતો નિઃશંકપણે
બહાર લાવે છેઃ
(ક) આ સંહિતા એક લાભદાયી કાયદો છે જેનો ઉદ્દેશ કોર્પોરેટ
દેવાદારને ફરી પગભેર કરવાનો છે અને તે માત્ર નાણાં વસૂલવા
માટેનો કાયદો નથી
(ખ) સીઆઈઆરપીનો ઉદ્દેશ કોર્પોરેટ દેવાદારના વિરોધી બનવાનો
નથી પરંતુ કોર્પોરેટ દેવાદારના હિતોનું રક્ષણ કરવાનો છે;
(ગ) સંહિતાનો આશય સમયની મર્યાદા ધરાવતા ઋણને
પુનઃજીવન આપવાનો નથી;
(ઘ) સંહિતાની કલમ ૭ હેઠળ સીઆઈઆરપી શરૂ કરવાની માંગણી
કરતી અરજી માટે મર્યાદાનો ગાળો લિમિટેશન એક્ટની કલમ ૧૩૭
દ્વારા સંચાલિત છે, એટલે કે તે અરજી કરવાનો અધિકાર મળ્યાની
તારીખથી ત્રણ વર્ષ સુધી હોય છે;
(ઇ) નાણાકીય લેણદાર દ્વારા સીઆઈઆરપી શરૂ કરવા માટેનું
કારણ કોર્પોરેટ દેણદારની તરફથી ડિફોલ્ટ છે, એટલે કે જ્યારે
ડિફોલ્ટ થાય છે તે તારીખે સંહિતા અન્વયેની અરજી કરવાનો
અધિકાર પ્રાપ્ત થાય છે ;
(ચ) સંહિતામાં ઉલ્લેખિત ડિફોલ્ટ એ કોર્પોરેટ દેણદાર દ્વારા
વાસ્તવિક વણચૂકવેલ દેવાં બાબત છે કે જ્યારે તે ઋણ દેણું અને
ચુકવવાપાત્ર થયું; અને
(છ) જો અરજી દાખલ કરવાની તારીખથી ત્રણ વર્ષ અગાઉ ડિફોલ્ટ
થયો હોય, તો અરજીને સમયમર્યાદાનો બાધ લાગૂ પડે, સિવાય કે
જેમાં તથ્યોના આધારે અરજી દાખલ કરવાનો વિલંબ માફ કરવામાં
આવ્યો હોય; અને
Page No. 27/49
(હ) સંહિતાની કલમ-૭ હેઠળ અરજી મોર્ગેજ જવાબદારીના
અમલીકરણ માટે નથી અને લિમિટેશન એક્ટની કલમ-૬૨ આ
અરજીને લાગુ પડતી નથી.
(૨૨) પરિચ્છેદ ૩૪, ૩૪.૧, ૩૮ અને ૩૮.૧ માંથી નીચે મુજબના
પ્રાસંગિક અવતરણ ઉપર ઉલ્લેખિત સંદર્ભમાં નોંધવા યોગ્ય છે અને તેઓ નીચે
મુજબ વંચાણે છેઃ -
34............................................... જેમ ધ્યાને લીધું કે
બી.કે. એજ્યુકેશનલ સર્વિસીસ [બી.કે.એજ્યુકેશનલ સર્વિસીસ પ્રા.
લિ. વિરુદ્ધ પારસ ગુપ્તા એન્ડ એેસોસીયેટ્સ, (૨૦૧૯) ૧૧
એસ.સી.સી. ૬૩૩ ]ના ચુકાદામાં તે સ્પષ્ટપણે ઠેરવવામાં આવેલ
કે, સંહિતાની કલમ-૭ હેઠળની અરજી દાખલ કરવાનો લિમિટેશન
ગાળો લિમિટેશન એક્ટના અનુચ્છેદ-૧૩૭ હેઠળની જોગવાઇ
મુજબ ત્રણ વર્ષનો છે અને તે ડિફોલ્ટ થયાં તારીખ થી શરૂ થાય છે
અને જો માત્ર કોઇ સંજોગોમાં લિમિટેશન એક્ટની કલમ-૫ હેઠળ
વિલંબ ક્ષમ્ય કર્યો હોય તો જ તે વધારવામાં આવે છે. જીગ્નેશ શાહ
[જીગ્નેશ શાહ વિરુદ્ધ ભારત સરકાર, (૨૦૧૯) ૧૦ એસ.સી.સી.
૭૫૦]ના ચુકાદાના ફકરા-૧૨ ના ફાઇન્ડિંગ્સ તે સ્પષ્ટ કરે છે કે, બી.કે. એજ્યુકેશનલ સર્વિસીસ [બી.કે. એજ્યુકેશનલ સર્વિસીસ પ્રા.
લિ. વર્સીસ પારસ ગુપ્તા એન્ડ એસોસિએટ્સ, (2019) 11
એસસીસી 633] માં જણાવેલા સિદ્ધાંતોનું અદાલતે વાસ્તવિક
અનુસરણ કરેલ અને ઠેરવ્યું હતું કે, ડિફોલ્ટની તારીખથી ત્રણ વર્ષ
પછી દાખલ કરવામાં આવેલી વાઇન્ડઅપ અરજી સમયમર્યાદાથી
બાધ છે.
Page No. 28/49
(૩૪.૧) પાછળના નિર્ણયોમાં પણ, આ અદાલતે બી. કે.
એજ્યુકેશનલ સર્વિસીસ [બી. કે. એજ્યુકેશનલ સર્વિસીસ પ્રા. લિ.
વિરુદ્ધ પારસ ગુપ્તા એન્ડ એસોસિએટ્સ, (2019) 11 એસસીસી
633] માં કાયદાના ઉક્ત કથનને સતત લાગુ પાડ્યું છે. વાશદેવ
આર. ભોજવાણી [વાશદેવ આર. ભોજવાણી વર્સસ અભ્યુદય
કોઓપરેટિવ બેંક લિમિટેડ, (2019) 9 એસસીસી 158] ના
ચુકાદામાં ધ્યાન પર લેવાયું તેમ,આ અદાલતે તે દલીલ ફગાવી હતી
કે સંહિતાની કલમ ૭ હેઠળ અરજી કરવાના હેતુ અન્વયે એમ
સૂચવવામાં આવ્યું છે કે કોઝ ઓફ એક્શનનું સાતત્ય જળવાવુ રહ્યું.
અદાલતે ઠેરવ્યું હતું કે તા.24-12-2001 ના રોજ રિકવરી
સર્ટિફિકેટ ઇશ્યૂ થયાની તારીખથી જ આ લિમિટેશન પિરીયડ શરૂ
થઈ ગયો હતો. ફરીવાર, ગૌરવ હરગોવિંદભાઈ દવે [ગૌરવ
હરગોવિંદભાઈ દવે વિરુદ્ધ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા)
લિમિટેડ, (2019) 10 એસસીસી 572], કે જ્યાં એન.પી.એ. થયા
તારીખ એટલે કે ૨૧-૭-૨૦૧૧ ને સંહિતાની કલમ ૭ હેઠળની
અરજીમાં ડિફોલ્ટની તારીખ જણાવવામાં આવી હતી, તેમાં આ
અદાલતે ચુકાદો આપ્યો હતો કે લિમિટેશન એનપીએ થયાની
તારીખથી શરૂ થઈ હતી અને આથી, ૩-૧૦-૨૦૧૭ ના રોજ
સંહિતાની કલમ ૭ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીને
લિમિટેશનનો બાધ નડે છે.
(૩૮) સંહિતાની અમલીકરણની તારીખ (એટલે કે 1-12-2016)
સંહિતાની કલમ-૭ હેઠળ અરજી કરવા માટે લિમિટેશન પીરીયડ શરૂ
થયાની ગણતરી માટેનું શરૂઆતી બિંદુ છે કે શું તે પ્રશ્ન હતો અને
આથી વર્ષ ૨૦૧૮માં કરવામાં આવેલ પ્રશ્નવાળી અરજી લિમિટેશન
ગાળાની અંદર હોઇ આ બાબત સમય ફાળવવો પણ યોગ્ય રહેશે
Page No. 29/49
નહિ. વાદગ્રસ્ત હુકમ(બાબુલાલ વર્ધજી ગુર્જર વર્સેસ વીર ગુર્જર
એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીઝ (પી) લિમિટેડ, 201 એસસીસી
ઓનલાઇન એન.સી.એલ.એ.ટી. 295)ના ફકરા-૨૧ પર એક
નજર કરીએ તો તેમાંથી એવો કોઈ અંદાજ ન લઇ શકાય કે એપેલેટ
ટ્રિબ્યુનલના આ પ્રકારનાં અવલોકનો એ માત્ર પાયાવિહોણાં
અનુમાન સ્વરૂપના અને કોઈ આધાર વગરના હતા. સંહિતામાં એવું
કંઈ નથી કે જે ક્યાંક દૂરથી પણ એવું સૂચવતું હોય કે કલમ ૭ હેઠળ
અરજી કરવા માટે લિમિટેશન પિરિયડની ગણતરી તે સંહિતા અમલી
બન્યા તારીખથી જ શરૂ થવો જોઈએ. એ જ પ્રમાણે લિમિટેશન
એક્ટમાં કરવામાં આવેલી કોઈ પણ જોગવાઈ અપીલેટ ટ્રિબ્યુનલના
કથનના ભાગને ટેકો આપતી જોગવાઇ તરીકે લઇ શકાય નહિ.
હકીકતમાં, આવાં અવલોકનો આ અદાલતે બી. કે. એજ્યુકેશનલ
સર્વિસીસ [બી. કે. એજ્યુકેશનલ સર્વિસીસ પ્રા. લિ. વિરુદ્ધ પારસ
ગુપ્તા એન્ડ એસોસિએટ્સ, (2019) 11 એસસીસી 633]ના
ચુકાદામાં સ્થાપિત સિદ્ધાંતનો ધારદાર ભાગ હતાં.
(૩૮.૧) એવું જણાય છે કે આપેલા સમયગાળામાં
એન.સી.એલ.એ.ટી. અન્ય કેસોમાં પણ આ પ્રકારની દરખાસ્તને
સરળતાથી અપનાવે છે કે જેથી આ પ્રકારની અરજીઓને લિમિટેશન
ગાળાની અંદરની ગણી શકાય. એન.સી.એલ.એ.ટી.નો આ
અભિગમ આ અદાલત દ્વારા સાગર શર્મા [સાગર શર્મા વિરુદ્ધ
ફીનિક્સ એઆરસી પ્રા. લિ., (2019) 10 એસસીસી 353] માં
ચોક્કસપણે નામંજૂર કર્યો હતો, જ્યાં બી. કે. એજ્યુકેશનલ
સર્વિસીસ [બી. કે. એજ્યુકેશનલ સર્વિસીસ પ્રા. લિ. વર્સીસ પારસ
ગુપ્તા એન્ડ એસોસિએટ્સ, (2019) 11 એસસીસી 633] માં
પહેલેથી જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે આ સંહિતા અમલી થયાં
તારીખ ૧-૧૨-૨૦૧૬ એ આ સંહિતાના હેતુ માટે કોઇપણ
Page No. 30/49
લિમિટેશન પીરીયડની ગણતરી માટે સંપૂર્ણપણે અપ્રાસંગિક છે, (સાગર શર્મા કેસ [સાગર શર્મા વિરુદ્ધ ફીનિક્સ એઆરસી (પી)
લિમિટેડ, (2019) 10 એસસીસી 353], એસસીસી પી. 354, પેરા 3)
“(3) ભારતના બંધારણનો અનુચ્છેદ-૧૪૧ આદેશ કરે છે કે
અમારાં નિર્ણયોનું અક્ષરશઃ પાલન થવું જોઈએ. આઈબી સંહિતા
અમલમાં આવ્યા તારીખ આ સંહિતા અંતર્ગત દાખલ કરવામાં
આવેલી અરજીઓ માટે લિમિટેશનની ગણતરી શરૂ કરવા માટેનું બિંદુ
નથી બનતું અને ન તો તે આવું બિંદુ બની શકે. તે જ પ્રમાણે, ‘અરજીઓ’ એ સંહિતા હેઠળ દાખલ કરવામાં આવેલી યાચિકાઓ
હોઇ, આ પ્રકારની અરજીઓ પર લિમિટેશન એક્ટની અનુચ્છેદ-
૧૩૭ લાગુ પડશે."
(૨૩) આઇ.બી.સી.ની કલમ-૭ સબબ ઠેરવાયેલ ઉપરોક્ત સ્થિતિ
સંહિતાની સ્વયં ક્ષમતાએ આઇ.બી.સી.ની કલમ-૯ ને લાગુ પડે. ટૂંકમાં કહીએ
તો, આઇ.બી.સી.ની કલમ-૯ અંતર્ગત આઇ.બી.સી.ના અમલમાં આવવાની
તારીખ એટલે કે 01.12.2016 એ લિમિટેશનનું મુખ્ય બિંદુ નથી અને
આઇ.બી.સી. ની કલમ-૯ હેઠળ સીઆઈઆરપી શરૂ કરવા માટે અરજી કરવા
માટેનો લિમિટેશન સમયગાળો, લિમિટેશન એક્ટની કલમ-૧૩૭ હેઠળ જોગવાઇ
કર્યા મુજબ, જે તારીખથી અરજી કરવાનો હક પેદા થયો ત્યારથી ત્રણ વર્ષનો રહે.
ઉપરાંત આઇ.બી.સી. હેઠળ અરજી કરવાનો અધિકાર ડિફોલ્ટ થયાની તારીખે પ્રાપ્ત
થશે અને તેને લિમિટેશન એક્ટની કલમ-૫ મુજબ જ લંબાવી શકાય. SICA
Page No. 31/49
હેઠળ જોગવાઈના સ્વરૂપને અને BIFR દ્વારા કરી શકાય તેવા આદેશોના સ્વરૂપને
ધ્યાનમાં રાખતાં અને આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળની બી.આઇ.એફ.આર. શરૂ
કરવા માટેની અરજી કરવા માટેની સ્થાપિત સ્થિતિને ધ્યાનમાં રાખતાં, ઉપર
ઉલ્લેખ કર્યા મુજબ, અમને આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળ કાર્યવાહીના સંબંધમાં
લિમિટેશન એક્ટની કલમ-૧૪ની પ્રયોજ્યતા અથવા અન્યથા અંગેના પ્રશ્નમાં
ઊંડા ઉતરવું સંપૂર્ણપણે બિનજરૂરી લાગે છે, કારણ કે તે માત્ર જેનામાં અધિકાર
ક્ષેત્ર નિહિત નથી તેવી અદાલત સમક્ષની કાર્યવાહીનો ગાળો બાકાત રાખવાની
જોગવાઈ કરે છે.
(૨૪) જ્યારે આઇ.બી.સી.ની કલમ-૯ અંતર્ગત સીઆઈઆરપી શરૂ કરવા
માટેનો લિમિટેશન પીરીયડ ડિફોલ્ટ થયાની તારીખથી ગણવામાં આવે છે, જે
આઇ.બી.સી. શરૂ થવાની તારીખ અને તેના માટે નિર્ધારિત સમયગાળાથી વિપરીત
હોઇ લિમિટેશન એક્ટ, ૧૯૬૩ની કલમ-૧૩૭ અન્વયે કરવામાં આવેલ જોગવાઈ
પ્રમાણે ત્રણ વર્ષનો છે અને તે ડિફોલ્ટ થયાની તારીખથી શરૂ થાય અને લિમિટેશન
એક્ટ, ૧૯૬૩ની કલમ-૫ લાગૂ પાડીને જ લંબાવી શકાય, અને તેવા સમયે, જ્યારે કે સંબંધિત કાર્યવાહી લિમિટેશન ગાળા ઉપરાંત દાખલ કરવામાં આવી
હોવાનું જણાય, ત્યારે ન્યાયિક સત્તામંડળે વિલંબ માફી માટેના દાવાને ધ્યાનમાં
લેવાની જરૂરી છે.
Page No. 32/49
(૨૫) લિમિટેશન એક્ટની કલમ-૫ વિલંબ માફ કરવા માટેનો એકમાત્ર
માપદંડ છે અને તે 'પર્યાપ્ત કારણ' વિષે જણાવે છે. ‘પર્યાપ્ત કારણ’ એ જ કારણ
છે કે જેના માટે પક્ષકારને દોષ ન આપી શકાય. અમે એસઆઈસીએની કલમ-
૨૨(૧) ના આધારે ઔદ્યોગિક કંપની સામે કાર્યવાહી શરૂ કરવા માટે કાયદાકીય
બાધની પહેલાંથી જ નોંધ લીધી છે અને સ્પષ્ટપણે, જ્યારે કોઈ પક્ષકાર
બી.આઇ.એફ.આર.ની મંજૂરી વિના બાકી નીકળતી રકમ વસૂલ કરવા માટે
કાયદેસર કાર્યવાહીનો આશરો લેવાથી કાયદેસર રીતે વંચિત હતો અને તેના માટે
અરજી કરવાની મંજૂરી પણ આપવામાં આવી ન હતી, ત્યારે કાયદેસર કાર્યવાહીને
મુલતવી રાખવાનો ગાળો એસઆઈસીએની કલમ-૨૨(૫)ના પરિપેક્ષ્યમાં આ
અધિકારના અમલીકરણ માટે લિમિટેશન પીરીયડની ગણતરીમાંથી બાકાત કરી
શકાય છે. આઈબીસીની કલમ-૨૩૮એ અને લિમિટેશન એક્ટ હેઠળની
જોગવાઈઓ સાથે વંચાણે લેવા છતાં, આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળની
અરજીના સંદર્ભમાં આ પ્રકારનાં સમયગાળાને બાકાત રાખવાની જોગવાઈઓની
ગેરહાજરીમાં, આ પ્રકારનાં પક્ષકારને તે કાયદેસર ઉપલબ્ધ છે કે, લિમિટેશન
એક્ટની કલમ-૫ હેઠળ વિલંબ માફ કરવા માટેનું તે 'પર્યાપ્ત કારણ' કહેવાય.
આવી સ્થિતિમાં કોઇપણ ચોક્કસ કિસ્સામાં મળેલી વાસ્તવિક સ્થિતિ અનુસાર
એટલે કે વિલંબ થવાનો ગાળો અને SICA ની કલમ-૨૨(૧) વગેરે હેઠળ
અધિકારના સસ્પેન્શન હેઠળ આવરી લેવામાં આવેલો ગાળો, વિલંબ માફ કરવાના
પ્રશ્ન પર વિચાર કરવો રહ્યો અન્યથા તે અન્યાયમાં પરિણમશે કારણ કે સંબંધિત
Page No. 33/49
ઔદ્યોગિક કંપની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવાથી પક્ષકારને કાયદેસર રીતે
અટકાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત ઊભા થયેલ પ્રથમ પ્રશ્નનો જવાબ તે મુજબ
આપવામાં આવ્યો છે.
(૨૬) હાલના કિસ્સામાં, સ્વાભાવિકપણે, આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળ
અરજી દાખલ કરવામાં વિલંબ થયો છે કે નહીં તે પ્રશ્ન પર વિચાર કરવામાં આવ્યો
નહોતો. વાદગ્રસ્ત હુકમ વંચાણે લેતાં જાણવા મળશે કે ડિફોલ્ટની તારીખ અને
આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળ અરજી દાખલ કરવાની તારીખને ધ્યાનમાં લીધા
પછી એન.સી.એલ.એ.ટી.એ એવું ઠેરવેલ કે તેને સમયમર્યાદાનો બાધ નડે છે.
જ્યારે પ્રથમ વખત આ બાબત બહાર આવી હોત, ત્યારે અમે આ બાબતને
નવેસરથી વિચારણા માટે મોકલી હોત, પરંતુ આ હકીકતને ધ્યાનમાં લેવી રહી કે
આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળની અરજીને 'અગાઉથી અસ્તિત્વમાં રહેલા
વિવાદ'નું કારણ આપીને ફગાવી દેવામાં આવી હતી.
(૨૭) અપીલકર્તા અને સામાવાળાએ પક્ષકારો મધ્યેના 'અગાઉથી
અસ્તિત્વમાં રહેલાં વિવાદો’ આધાર પર ઉક્ત અરજી રદ કરવાના સમર્થનમાં અને
તેમના પ્રતિસ્પર્ધી દાવાઓના સમર્થનમાં વિવિધ ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો છે.
આમ છતાં, અમારુ
ં માનવું છે કે, આ સંબંધમાં માત્ર સંબંધિત નિર્ણયો ધ્યાને લેવાં
રહ્યા. તમામ કિસ્સાઓથી વિપરીત, હાલના કેસમાં બંને પક્ષકારોએ આ
Page No. 34/49
અદાલતના એક જ ચુકાદા - મેક્વાયર બેંક લિ. વિરુદ્ધ શિલ્પી કેબલ લિ.૬- નો
આધાર લીધો હતો.
-------------------
૬. (૨૦૧૮) ૨ એસ.સી.સી. ૬૭૪
(૨૮) મેક્વેરી બેંક લિમિટેડના કેસ (સુપ્રા)નો અપીલકર્તાએ આધાર લીધો
છે, જેથી તે એ મુદ્દો સમજાવી શકે કે આઇ.બી.સી.ની કલમ-૯(૩)(સી) હેઠળ
આવરી લેવાયેલ ઓપરેશનલ લેણદારના ખાતાની જાળવણી કરતી નાણાકીય
સંસ્થા પાસેથી પ્રમાણપત્ર/નિવેદનનું પ્રસ્તુત કરવું સીઆઈઆરપી શરૂ કરવાની
પૂર્વવર્તી શરત નથી અને તેથી, તેનો આગ્રહ કરવો એ તે અંતર્ગત નિર્ધારિત
કાયદાનું ઉલ્લંઘન રહે. મેક્વાયર બેંક લિ. (સુપ્રા) માં ફકરા-૧૬માં આ અદાલતે
ઠરવ્યું હતું કે: -
"(૧૬) જ્યારે આપણે કલમ-૯(૩)ની જોગવાઈ (સી) તરફ ધ્યાન
આપીએ, ત્યારે એટલું સ્પષ્ટ છે કે ઓપરેશનલ ક્રેડિટરના
એકાઉન્ટ્સની જાળવણી કરતી નાણાકીય સંસ્થા પાસેથી મળેલા
સર્ટિફિકેટની નકલ એ કોર્પોરેટ લેણદાર ના લેણાં થયેલા
ઓપરેશનલ ઋણની કોર્પોરેટ દેવાદાર દ્વારા ચુકવણી કરવામાં આવી
નથી, તે ચોક્કસપણે આ સંહિતા હેઠળ નાદારી પ્રક્રિયા શરૂ કરવાની
પૂર્વવર્તી શરત નથી. "પુષ્ટિ" અભિવ્યક્તિથી સ્પષ્ટ થાય છે કે આ
પુરાવાનો એક ભાગ માત્ર છે, જોકે તે એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ
છે, જે માત્ર "પુષ્ટિ કરે છે" કે "દેણાં થયેલ કાર્યકારી દેવાની ચુકવણી
થઇ નથી." જ્યારે આપણે કલમ-૯(૩) ની જોગવાઈ (ડી) તરફ
નજર કરીએ છીએ ત્યારે અરજીની સાથે નિર્દિષ્ટ કરવામાં આવેલી
Page No. 35/49
અન્ય માહિતીની પણ જરૂર હોવા અંગેની બાબત વધુ સ્પષ્ટ થઇ
જાય છે. "
(૨૯) આ સ્થિતિ ઉપર જણાવ્યા પ્રમાણે યોગ્ય રીતે નિર્ણિત કરવામાં આવી
છે. બીજી તરફ, સામાવાળાએ પોતાના દાવાની પુષ્ટિ કરવા માટે ઉક્ત નિર્ણયનો
જ આધાર લીધો કે 'પહેલાંથી અસ્તિત્વમાં રહેલા વિવાદ' ની હયાતી
આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળની અરજીને રદ થવા તરફ દોરી જતી હોવી જોઇએ.
(૩૦) મેક્વાયર બેંક લિ. (સુપ્રા) માં આ અદાલતે ફકરા ૧૩ અને ૧૪માં
ઠરવ્યું હતું કે: -
“(૧૩) સંહિતાની કલમ ૮ અને ૯ નું સહપઠન એ બાબત તરફ
ધ્યાન ખેંચે છે કે જે મોબીલોક્ષ ઇનોવેશન પ્રા. લિ. વિરુદ્ધ કિરુસા
સોફ્ટવેર પ્રા. લિ. (2018) 1 એસસીસી 353, ફેંસલ તા. 21-9-
2017, ના ચુકાદાના ફકરા ૩૩ થી ૩૬ માં ખુલાસો કરે છે કે જ્યાં
સુધી ઓપરેશનલ ક્રેડિટરની વાત છે, કલમ-૯(૧) માં સંહિતા લાગુ
પાડવા માટેની પૂર્વવર્તી શરતો છે. સંબંધિત કિસ્સામાં સંહિતા લાગૂ
પાડવા માટેના જરૂરી ઘટકોઃ
( ) i ડિફોલ્ટ નું થવું
( ) ii ચૂકવણી ન કરેલા કાર્યકારી ઋણની ડીમાન્ડ નોટીસ અથવા
સંબંધિત રકમની માંગણી કરતાં ઇનવોઇસને પહોંચતું કરવું ; અને
( ) iii હકીકતે, ઓપરેશનલ ક્રેડિટરને ડિમાન્ડ નોટિસ અથવા
ચૂકવણીની માંગણી કરતી ઇનવોઇસની નકલ મળ્યાના ૧૦
દિવસના સમયગાળાની અંદર કૉર્પોરેટ દેણદાર પાસેથી ચુકવણી
Page No. 36/49
પ્રાપ્ત થઈ નથી અથવા કૉર્પોરેટ દેણદાર પાસેથી જવાબ મળ્યો નથી, જે અગાઉથી અસ્તિત્વમાં હોય તેવો કોઈ વિવાદ કે ન ચૂકવવામાં
આવેલા ઓપરેશનલ ઋણની પુનઃચુકવણી દર્શાવતું નથી.
(૧૪) આ શરતો પૂર્ણ થાય ત્યારે જ સંહિતાની કલમ ૯(૨) હેઠળ
નિયત ફી સાથે અરજી દાખલ કરી શકાશે......"
(૩૧) ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ લિ. વિરુદ્ધ આઇ.સી.આઇ.સી.આઇ. બેંક
અન્યના૭ ચુકાદાના ફકરા-૨૯ માં આ અદાલતે ઠેરવ્યું છે કે: -
--------------------
૭. (૨૦૧૮) ૧ એસ.સી.સી. ૪૦૭
"(૨૯) કલમ-૭ની યોજના કલમ-૮ હેઠળની યોજનાથી વિપરીત
છે, જ્યાં ઓપરેશનલ ક્રેડિટર ડિફોલ્ટ થવાના કિસ્સામાં સંહિતાની
કલમ-૮(૧) માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ઓપરેશનલ
ઋણદારને બાકી રહેલા ઋણની ડિમાન્ડ નોટિસ આપે છે. કલમ-
૮(૨) અંતર્ગત કોર્પોરેટ દેણદાર પેટા કલમ (૧) માં ઉલ્લેખિત
ડિમાન્ડ નોટિસ અથવા ઇનવોઇસની નકલ મળ્યાના ૧૦ દિવસના
સમયગાળામાં જે અગાઉથી અસ્તિત્વમાં છે તેવા વિવાદની હયાતી -
એટલે કે આવી નોટિસ અથવા ઇનવોઇસ કૉર્પોરેટ દેણદારને મળી તે
પહેલાં થી, અથવા દાવો કે લવાદની પ્રક્રિયાનો રેકોર્ડ ઓપરેશનલ
લેણદારના ધ્યાનમાં લાવી શકે છે. જેવી આવા પ્રકારના વિવાદની
હયાતી જણાય કે તુરંત ઓપરેશનલ ક્રેડિટર સંહિતાની દાયરાથી મુક્ત
થઇ જાય છે."
Page No. 37/49
(૩૨) ઉપરોક્ત ઉલ્લેખિત ચુકદાઓ પર નજર ફેરવવાથી જાણવા મળશે કે
'પહેલેથી અસ્તિત્વમાં રહેલા વિવાદ' ની હયાતી સબબ આઇ.બી.સી.ની કલમ-૯
હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીને તે જ સ્તરે નામંજૂર કરવી રહી. એટલે પ્રશ્ન
એ છે કે, શું સામાવાળાએ એવો કોઈ વાદ ઉઠાવ્યો હતો કે જેને ‘પહેલેથી
અસ્તિત્વમાં રહેલો વિવાદ’ તરીકે વર્ણવી શકાય, કે જેથી આઇ.બી.સી.ની કલમ-
૯ હેઠળની અપીલકર્તાની અરજીને રદ કરવામાં આવે. મોબીલોક્ષ ઇનોવેશન પ્રા.
લિ. (સુપ્રા) માં, ખાસ કરીને ફકરા ૩૩ અને ૫૧ માં આ અદાલતે ઠેરવ્યું છેઃ -
“(૩૩) એવું જણાય છે કે સંહિતાની કલમ-૮ અને ૯ હેઠળની
યોજના સબબ પરિભાષિત ઓપરેશનલ ક્રેડિટર ડિફોલ્ટ (એટલે કે, ઋણની ચૂકવણી ન થવાના કારણે, કે ઋણનો કોઈ હિસ્સો લેણો
થયો છે અને ચુકવાયો નથી) ની સ્થિતિમાં આ પ્રકારનાં નહીં
ચૂકવાયેલ ઓપરેશનલ ઋણની ડિમાન્ડ-નોટિસ પાઠવી શકે છે
અથવા નાદારી અને દેવાળિયાપણા (ન્યાયિક સત્તામંડળને અરજી)
નિયમો, ૨૦૧૬નાં નિયમ-૫માં દર્શાવેલા નમૂનામાં આ પ્રકારની
રકમની ચૂકવણીની માંગ કરતાં ઇનવોઇસની નકલ કોર્પોરેટ
દેવાદારને પાઠવી શકે છે (કલમ ૮(૧)). આવી ડિમાન્ડ નોટિસ
અથવા ઇનવોઇસની નકલ મળ્યાના ૧૦ દિવસના સમયગાળાની
અંદર કોર્પોરેટ દેણદારોએ આવી નોટિસ અથવા ઇનવોઇસ મળ્યા
અગાઉ દાખલ કરવામાં આવેલ દાવો અથવા લવાદની પ્રક્રિયાનો
રેકોર્ડ ઓપરેશનલ લેણદારના ધ્યાનમાં લાવવો જોઈએ [કલમ-
૮(૨)(એ)]. મહત્વની બાબત એ છે કે, વિવાદ અને/અથવા
વાદ કે લવાદની કાર્યવાહી અગાઉથી અસ્તિત્વમાં હોવી જોઈએ
એટલે કે, તે ડિમાન્ડ નોટિસ અથવા ઇનવોઇસ મળ્યાં પહેલાં થી
Page No. 38/49
હયાત હોવી જોઈએ. [...] ઉપરોક્ત ૧૦ દિવસની મુદત પૂરી થયા
પછી ઓપરેશનલ લેણદારને કોર્પોરેટ દેણદાર પાસેથી ચુકવણી કે
અગાઉથી ચાલતાં વિવાદની હયાતીની નોટિસ ન મળે તો જ
ઓપરેશનલ લેણદાર કલમ-૯(૧) અને ૯(૨) હેઠળ ન્યાયિક
સત્તામંડળ સમક્ષ અરજી દાખલ કરીને નાદારીની પ્રક્રિયાને વેગ
આપી શકે છે. [....] જો ઓપરેશનલ લેણદારને વિવાદ હાયાતી
સબબની નોટિસ મળી હોય અથવા ઇન્ફોર્મેશન યુટિલિટીમાં
વિવાદનો કોઈ રેકોર્ડ હોય તો તે પણ અરજી નામંજૂર કરી શકે છે
[કલમ-૯(૫)( )( )]. ii d કલમ-૯(૫)( )( ) ii d અગાઉથી
હયાત વિવાદની નોટિસ કે જે આ રીતે પ્રાપ્ત થઈ છે તેનો સંદર્ભ આપે
છે, જેને કલમ-૮(૨)(એ) ની સાથે વંચાણે લેવી રહી. ઉપરાંત, જો કોઈ રીઝોલ્યુશન પ્રોફેશનલ સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી
પડતર હોય, તો અરજી રદ કરી શકાય છે [કલમ -૯(૫)( ) ii
( )]. e
(૫૧) આથી એ સ્પષ્ટ છે કે એકવાર ઓપરેશનલ ક્રેડિટરે અરજી
દાખલ કરી દીધી હોય, જે અન્યથા પૂર્ણ હોય, પરંતુ જો ઓપરેશનલ
ક્રેડિટરને અગાઉથી હયાત વિવાદની નોટિસ પ્રાપ્ત થઇ હોય અથવા
વિવાદનો રેકોર્ડ હોવાનું જ્ઞાત હોય, તો ન્યાયિક સત્તામંડળે કલમ-
૯(૫) (૨)(ડી) હેઠળ અરજી રદ કરવી રહી. એ સ્પષ્ટ છે કે આવી
નોટિસ અગાઉથી ચાલતા વિવાદનું અસ્તિત્વ અથવા બંને પક્ષકારો
વચ્ચે વિવાદ સાથે સંબંધિત કોઈ કેસ કે લવાદ પ્રક્રિયા પડતર
હોવાનું ઓપરેશનલ ક્રેડિટરના ધ્યાનમાં લાવતી હોવી જોઈએ.
એટલે ન્યાય આપનાર સત્તામંડળે આ તબક્કે માત્ર એ જ જોવું રહ્યું કે
શું કોઈ વાજબી વાદ છે કે જેની વધુ તપાસની જરૂર છે અને આ
‘વિવાદ’ સ્પષ્ટ રીતે નબળી કાનૂની દલીલ કે પુરાવા વગરની
Page No. 39/49
હકીકતનો દાવો નથી. જેમ દાણાને ભૂસાથી અલગ કરવા જરૂરી છે
તેમ માત્ર બચાવ ખાતર લીધેલ ખોટાં અને બકવાસ વાદોને નામંજૂર
કરવા રહ્યા. જોકે, આમ કરવામાં અદાલતને આ વાતથી સંતુષ્ટ
થવાની જરૂર નથી કે બચાવ પક્ષ સફળ થશે. આ તબક્કે કોર્ટ ઉપર
દર્શાવેલા વિસ્તાર સિવાય વિવાદના ગુણદોષ પર વિચાર કરતી
નથી. જ્યાં સુધી અગાઉથી હયાત વિવાદ ખરેખર અસ્તિત્વમાં હોય
અને તે બનાવટી, કાલ્પનિક કે ભ્રામક ન હોય, ત્યાં સુધી ન્યાય
આપનાર સત્તામંડળે અરજી ફગાવી દેવી પડશે."
(૩૩) આ અદાલતે મેક્વાયર બેંક લિ. (સુપ્રા) અને મોબીલોક્ષ ઇનોવેશન
પ્રા. લિ. (સુપ્રા) માં નિર્ણિત કરેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે તે પ્રશ્નની
તપાસ કરીશું કે શું પક્ષકારો વચ્ચે 'અગાઉથી હયાત વિવાદ' હતો, જેને કારણે
અપીલકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી સીઆઈઆરપીની શરૂઆત માટેની
અરજી રદ થવી રહી?
(૩૪) આ સંદર્ભમાં, એ નોંધવું જરૂરી છે કે, આઇ.બી.સી.ની કલમ-૮
હેઠળ પરિશિષ્ટ એ-૪૧ વાળી ડિમાન્ડ નોટિસ 01.04.2017 ના રોજ અપીલકર્તા
દ્વારા ઇશ્યૂ કરવામાં આવી હતી અને સામાવાળાએ તેનો જવાબ 10.04.2017 ના
રોજ પરિશિષ્ટ એ-૪૨ વાળા પત્ર થી આપ્યો હતો. જે પરિશિષ્ટ એ-૪૧ પ્રાપ્ત
થયાની તારીખથી ૧૦ દિવસની અંદર હતો. સ્પષ્ટપણે, સામાવાળાએ આપેલ
પરિશિષ્ટ એ-૪૨ વાળા જવાબમાં એવો દાવો કર્યો હતો કે ગેસના પુરવઠામાં કાપ
Page No. 40/49
કરવામાં આવ્યો હતો અને ગેસના પુરવઠામાં કપાત થવાને કારણે તેને મોટું
નુકસાન થયું છે. સાચું છે કે મોબીલોક્ષ ઇનોવેશન પ્રા. લિ.(સુપ્રા)ના ચુકાદાની
દ્રષ્ટિએ વિવાદ અને/અથવા ડિમાન્ડ નોટિસ કે ઇનવોઇસ મળે તે પહેલાં કેસ
અથવા લવાદની કાર્યવાહીનું ચાલુ છે કે નહિ તે ચકાસવાની જરૂર છે. આ કેસમાં, અગાઉ નોંધ્યું હતું તેમ, અપીલકર્તાએ 01.04.2017 ના રોજ આઇ.બી.સી.ની
કલમ-૮ હેઠળ, 2016 નિયમોના નિયમ-૫ સાથે વંચાણે લેતાં, ડિમાન્ડ નોટિસ
ઇશ્યૂ કરી હતી. દેખીતી રીતે જ એનસીએલટી અને એન.સી.એલ.એ.ટી. એ
તા.04.01.2013 ના રોજ લખાયેલ એક પત્રનો ઉલ્લેખ કર્યો હતો (અહીં પરિશિષ્ટ
એ-36), જેમાં બંને પક્ષકારો વચ્ચે અગાઉથી હયાત/ચાલ્યા આવતા વિવાદનું
અસ્તિત્વ દર્શાવવામાં આવ્યું હતું. અપીલકર્તાના તા.03.01.2013 ના પત્રના
જવાબમાં સામાવાળા દ્વારા તા.04.01.2013 ના રોજ લખવામાં આવેલ ઉપરોક્ત
પત્ર નીચે મુજબ છેઃ - -
"તારીખઃ 04.01.2013
પ્રતિ
ડાયરેક્ટર, સાબરમતી ગેસ લિમિટેડ
ગાંધીનગર.
આદરણીય સાહેબ શ્રી, સંદર્ભ:આપનો તા. 03.01.2013 નો પત્ર
અમે બી.આઇ.એફ.આર સમક્ષ કેસ નં.૧૩/૨૦૧૦ થી નોંધાયેલ
છીએ, જેમાં એસ.આઇ.સી.એ.ની કલમ-૨૨ ને પગલે વસૂલાત
Page No. 41/49
કરવા કોઇ દબાણયુક્ત પગલાં લઇ શકાય નહિ. કૃ પા કરીને નોંધ
લેશો કે અમારા એકમને ગેસનો પુરવઠો પૂરો પાડવાનું અચાનક બંધ
કરી દેવાથી અમારા ઉત્પાદન પર થયેલી અસરને કારણે ભારે
નુકસાન પહોંચી રહ્યું છે. રેલ્વે બોર્ડ અને અન્ય મોટાં એકમો સહિત
વિવિધ પક્ષકારોને પૂરતા પ્રમાણમાં સામગ્રીનો પૂરવઠો ન મળવાને
કારણે આ નુકસાનની માત્રા ઘણી મોટી થઇ રહી છે. કૃ પા કરીને
નોંધ લેશો કે તમે રોજના રૂ. ૩૦ થી ૫૦ લાખના પ્રત્યક્ષ નુકસાન
માટે જવાબદાર છો અને કરારનું પાલન ન થવાને પરિણામે અમને
થનાર નુકશાન, જેમાં કરારનું અનુપાલન નહિ કરવાના દંડનો પણ
સમાવેશ થાય, તે માટે માત્ર તમને જવાબદાર ઠેરવીશું.
ઉપરોક્ત વિષયને ધ્યાનમાં રાખીને અમે બિલની ચુકવણી
કરવા સંમત થઇએ છીએ અને આદરણીય બી.આઇ.એફ.આર. દ્વારા
પુનર્ગઠન મંજૂર થાય ત્યાં સુધી (જૂનાં બીલ્સ સબબ) તમને રાહ
જોવા વિનંતી કરીએ છીએ.
તમારા શ્રેષ્ઠ સહયોગની આશા રાખું છ
ુ ં.
આભારસહ, મે.શાહ એલોય્સ લિ. વતી
અધિકૃ ત સહીકર્તા"
(૩૫) અપીલકર્તાના વિદ્વાન વરિષ્ઠ વકીલે દલીલ કરી હતી કે
તા.04.01.2013 ના રોજ લખેલા પત્રનો છેલ્લો ફકરો એ હકીકતનો ખુલાસો કરે છે
કે સામાવાળા ચૂકવણી કરવા માટે સંમત થયા હતા અને બી.આઇ.એફ.આર. દ્વારા
Page No. 42/49
પુનર્ગઠન મંજૂર થાય ત્યાં સુધી માત્ર જૂના બિલની ચૂકવણી અંગે રાહ જોવાની
વિનંતી કરી હતી અને બીજા શબ્દોમાં કહીએ તો 'અગાઉથી હયાત વિવાદ'
અસ્તિત્વમાં નથી. આ ઉપરાંત, અપીલકર્તાએ બી.આઇ.એફ.આર કેસ
નં.૧૩/૨૦૧૦ માં તા.૦૯/૦૯/૨૦૧૫ ની કાર્યવાહી સબબના એનેક્ષર-૪૦ ના
ફકરા નં. ૨.૭ અને ૨.૧૦(૪) પર પ્રબળ આધાર લીધો છે અને તે સ્થિતિની
રજૂઆત કરી છે કે સામાવાળાની અપીલકર્તાને ચુકવવાપાત્ર દેણાં સબબ અગાઉથી
હયાત વિવાદનો વાદ કોઇપણ આધાર વગરનો છે. પરિશિષ્ટ એ-40 માં ઉપરોક્ત
સંબંધિત ફકરો નીચે મુજબ છેઃ -
“(૨.૭) પછી ખંડપીઠે એમ. એ. નં. 432/2013 કામ પર લીધું.
અરજદાર (સાબરમતી ગેસ લિમિટેડ) તરફે હાજર વિદ્વાન વકીલે
સુનાવણીની આગામી તારીખે હાજર થવા માટે સમય માંગ્યો હતો, કારણ કે તેઓને હમણાં જ આ કેસમાં સાંકળવામાં આવ્યા છે.
કંપનીનું પ્રતિનિધિત્વ કરતા વિદ્વાન વકીલે રજૂઆત કરી કે, અરજદાર અસુરક્ષિત લેણદાર છે અને સામાવાળાએ અરજદારની
લેણી રકમ બાકી હોવી સ્વીકારી છે. તેમણે ખાતરી આપી હતી કે, અસુરક્ષિત લેણદારના રૂપમાં ડીઆરએસમાં તેમના સમાધાનપૂર્વક
નિર્ણિત થનાર ઋણની કાળજી લેવામાં આવશે અને જ્યારે બોર્ડ
દ્વારા મંજૂરી આપવામાં આવશે ત્યારે તેમને ડીઆરએસની શરતો
અનુસાર ચૂકવણી કરવામાં આવશે.
(૨.૧૦) સુનાવણી દરમિયાન કરવામાં આવેલી રજૂઆતો અને
રેકોર્ડ પરની સામગ્રી પર વિચાર કર્યા પછી ખંડપીઠે નીચેના નિર્દેશો
આપ્યા:
Page No. 43/49 .........
( ) iv સાબરમતી ગેસ લિ. દ્વારા દાખલ કરવામાં આવેલી એમએ-
432 નો નિકાલ કરવામાં આવે છે જેમાં કંપનીને નિર્દેશ આપવામાં
આવે છે કે અરજદારની બાકી નીકળતી રકમનો ડીઆરએસમાં
સમાવેશ કરવામાં આવે.”
(૩૬) સાચું છે કે પરિશિષ્ટ-૪૦ના ફકરા-૨. ૭ માં સામાવાળા તરફે
વિદ્વાન વકીલ દ્વારા બીઆઇએફઆર સમક્ષ કરાયેલ ઉપરોક્ત રજૂઆતો નોંધવામાં
આવી છે. આ પ્રકારનાં તમામ પાસાંઓને ટાંકીને, અપીલકર્તાનાં વિદ્વાન વરિષ્ઠ
વકીલે દલીલ કરી હતી કે, ‘અગાઉથી અસ્તિત્વમાં રહેલા’ વિવાદ વિશે
સામાવાળાની દલીલ ફક્ત સ્પષ્ટ રીતે નબળી કાનૂની દલીલ/તર્ક થી સમર્થિત
હકીકતનો વાદ છે અને તેથી, તેને ટ્રિબ્યુનલ દ્વારા નકારાવાની જ હતી. અરજદાર
દ્વારા વધુમાં દલીલ કરવામાં આવી છે કે પરિચ્છેદ 2.10( ) iv પરના નિર્દેશો પણ
આ સંદર્ભમાં પ્રાસંગિક છે કારણ કે તે દર્શાવે છે કે અહીં અપીલકર્તા દ્વારા દાખલ
કરવામાં આવેલી પરચૂરણ અરજી નં. ૪૩૨/૨૦૧૩નો નિકાલ પ્રતિવાદી કંપનીને
એવાં નિર્દેશ સાથે કરવામાં આવેલ કે અપીલકર્તાઓ/અરજદારોની સ્થિતિને ડેટ
રીઝોલ્યુશન સ્કીમમાં સામેલ કરવાં.
(૩૭) તેનાથી વિપરિત, સામાવાળા તરફે વિદ્વાન કાઉન્સેલે રજૂઆત કરી કે
પરિચ્છેદ ૨.૭ પર નજર કરતાં તે દર્શાવશે કે બી.આઇ.એફ.આર. સમક્ષ
સામાવાળા વતી હાજર થયેલા વકીલે જે ખાતરી આપી હતી તે અપીલકર્તાએ દાવો
Page No. 44/49
કર્યા મુજબની સંપૂર્ણ રકમની ચુકવણી માટે નહિ, પરંતુ અપીલકર્તા તરફેના
રીકોન્સાઇલ્ડ એટલે કે સમાધાનપૂર્ણ દેવાં બાબત ડી.આર.એસ.માં અસુરક્ષિત
લેણદાર તરીકે કાળજીમાં લેશે અને ડેટ રીઝોલ્યુશન સ્કીમની શરતો અનુસાર જ્યારે
તે બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવશે, તેનું ચુકવણું કરવામાં આવશે તેમ હતી.
(૩૮) આ સંદર્ભમાં 'સમાધાન' (રીકોન્સીલીએશન) શબ્દનો અર્થ ધ્યાનમાં
લેવો પડે. બ્લેક્સ લો ડિક્શનરી, 10 મી આવૃત્તિ અનુસાર હિસાબ સાથે સંબંધિત
પરિસ્થિતિમાં યોગ્ય અર્થ નીચે મુજબ છેઃ "રકમનું એવું સમાયોજન કે જેમાં તેઓ
સંમત થાય, ખાસ કરીને બાકી રહેલી ચીજવસ્તુઓ માટે મંજૂરી આપીને."
સામાવાળા તરફે વિદ્વાન કાઉન્સેલ દ્વારા રજૂઆત કરવામાં આવી કે આ પ્રકારનું
સમાધાન થયું ન હતું અને નિર્વિવાદ રીતે ડીઆરએસ ઘડાયું કે મંજૂર થયું નહોતું.
ઉપરોક્ત હકીકતો પરિશિષ્ટ-૪૦ તેમજ સામાવાળાએ તેમના
તા.૦૪/૦૧/૨૦૧૩ (એનેક્ષર-૩૬)ના પત્રમાં લીધેલ સ્થિતિ માંથી બહાર આવે
છે કે જેમાં પક્ષકારો મધ્યે અગાઉથી હયાત વિવાદનું અસ્તિત્વ જણાય છે. સંદર્ભની
સ્થિતિમાં મોબીલોક્ષ ઇનોવેશન પ્રા. લિ. (સુપ્રા) ના અવલોકનને યાદ કરાવવું
યોગ્ય છે કે અનાજને ભૂસામાંથી અલગ કરવાની કામગીરી કરવામાં અદાલતે તે
સંતુષ્ટી લેવાની જરૂર નથી કે બચાવ પક્ષ સફળ થશે. તે પૂરતું છે કે પક્ષકારો વચ્ચે
વિવાદ ચાલી રહ્યો છે અને બીજા શબ્દોમાં કહીએ તો, જે જોવાનું છે તે એ છે કે
ન્યાય-નિર્ણયના હેતુ માટે તપાસની જરૂર હોય તેવી કોઈ વાજબી દલીલ છે કે
Page No. 45/49
નહીં. અપીલકર્તા દ્વારા કરવામાં આવેલા દાવાના સંબંધમાં અહીં અગાઉ ઉલ્લેખ
કરવામાં આવેલા સામાવાળાના વિવાદના સ્વરૂપને ધ્યાનમાં રાખતાં, અમને
ટ્રિબ્યુનલના સહવર્તી તારણો સાથે અસંમત થવાનું કોઈ કારણ મળતું નથી કે
આઇ.બી.સી.ની કલમ-૮ હેઠળની માંગણાં-નોટિસ મળ્યાં પહેલા પક્ષકારો વચ્ચે
‘અગાઉથી અસ્તિત્વ ધરાવતો’ વિવાદ હતો. બીજા શબ્દોમાં કહીએ તો
આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળ પહેલેથી અસ્તિત્વમાં રહેલા વિવાદના આધારે
અરજી ફગાવી દેવાની પ્રક્રિયાને સ્પષ્ટ રીતે ગેરકાયદેસર અથવા વિકૃ ત ન કહી
શકાય. અમને ઉક્ત હકીકતો અને સંજોગોએ સામાવાળા દ્વારા લેવાયેલ વાદને
સ્પષ્ટ રીતે નબળો કાનૂની તર્ક માનવાનું કોઈ કારણ મળ્યું નથી. કોઈ પણ રીતે, અમે સામાવાળાના કેસને બનાવટી તરીકે નકારી કાઢવા માંગતા નથી. અમે અહીં
ઝડપથી તે ઉમેરવા માંગીએ છીએ કે અમને એમ ન સમજવાં કે સામાવાળા દ્વારા
નક્કી થનાર દેણાં જ આખરમાં આખર થશે એવું અમે ઠેરવી રહ્યા છીએ. ચોક્કસ, જ્યારે ‘પહેલેથી અસ્તિત્વમાં રહેલા વિવાદ’ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે
છે, ત્યારે તે આઇ.બી.સી.ની કલમ-૮ હેઠળની માંગણી-નોટિસ મળે તે પહેલાં
વિવાદનું અસ્તિત્વ સૂચવે છે અને તેની ખરાઈ અથવા તેની સત્યતા એ પુરાવાની
બાબત છે. ટૂંકમાં કહીએ તો, સામાવાળા ‘અગાઉથી અસ્તિત્વમાં રહેલા’ વિવાદ
સબબનો વાદ ઊભો કરવામાં સફળ રહ્યા છે. આ બાબતને ધ્યાને રાખતાં, અમને
જ્યારે એકવાર જણાયું કે ટ્રીબ્યુનલે તે સાચું જ ઠેરવ્યું છે કે પક્ષકારો વચ્ચે
Page No. 46/49
અગાઉથી ચાલતો વિવાદ હયાત હતો અને આથી જ આ કેસને આઇ.બી.સી.ની
કલમ-૯ લાગૂ પાડવા બાબત ટ્રીબ્યુનલ સમક્ષ રીમાન્ડ કરતો હુકમ થઇ શકે નહિ.
(૩૯) ઉક્ત સ્થિતિમાં, એનસીએલટી દ્વારા યોગ્ય રીતે નોંધ લેવામાં
આવેલી હકીકતનો સંદર્ભ આપવો પણ પ્રાસંગિક છે કે, હાલના સામાવાળાએ તા.
૨૮/૦૪/૨૦૧૭ના રોજ અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં કોમર્શિયલ સૂટ નંબર
૯૨/૨૦૧૭ દાખલ કર્યો હતો, જેમાં ગેસનો પુરવઠો બંધ થવાને કારણે નુકસાન
થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એ સાચું છે કે તા.12.07.2018 ના રોજ
અમદાવાદ ખાતેની વાણિજ્યિક અદાલતે ઉપરોક્ત વાણિજ્યિક સિવિલ દાવાને
સમયમર્યાદા બાધના આધાર પર રદ કર્યો હતો. પરિશિષ્ટ-બી દર્શાવે છે કે ઉક્ત
દાવો રદ કરવાના ચુકાદા સામે હાલના સામાવાળાએ ગુજરાત ઉચ્ચ અદાલત, અમદાવાદ મધ્યે ફસ્ટ અપીલ નં.૩૮૪૧/૨૦૧૮ દાખલ કરી હતી. તેનો નિકાલ
તા.11.08.2021 ના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં સંયુક્ત રજૂઆતને ધ્યાનમાં
લેવામાં આવી હતી કે, પક્ષકારો મધ્યેના વિવાદનું સમાધાન મધ્યસ્થીકરણની
પ્રક્રિયા દ્વારા કરવાની મંજૂરી આપવામાં આવે. આ સંદર્ભમાં નોંધનીય છે કે, તા.૨૯/૧૧/૨૦૧૯ ના રોજ અપીલકર્તા દ્વારા જ લવાદની નોટિસ ઇશ્યૂ કરવામાં
આવી હતી. આ રજૂઆતની નોંધ લેતાં અપીલ પાછી ખેંચવાની મંજૂરી આપવામાં
આવી હતી અને બંને પક્ષોને લવાદની પ્રક્રિયા આગળ વધારવાની છ
ૂ ટ આપવામાં
આવી હતી. આ હકીકત વિષે કોઇ વાદ નથી અને હકીકતમાં, ગુજરાત હાઇકોર્ટના
Page No. 47/49
પરચૂરણ પ્રથમ અપીલ નં. ૩૮૪૧/૨૦૧૮ માં તા.11.08.2021 ના રોજ આપેલા
ચુકાદાને ધ્યાનમાં લેતાં તે નિર્વિવાદ છે. પરિશિષ્ટ-બીમાં તેનાં સંબંધિત ભાગને
નીચે મુજબ નોંધવામાં આવેલ છેઃ-
"બંને વિદ્વાન કાઉન્સેલે તેમનાં પક્ષકારો પાસેથી સૂચનાઓ મેળવી
અને સંયુક્તપણે રજૂઆત કરી છે કે પક્ષકારોને લવાદની પ્રક્રિયા દ્વારા
તેમના વિવાદોનું સમાધાન કરવા દો, જ્યાં આ અદાલતના વિદ્વાન
પૂર્વ ન્યાયાધીશ, ન્યાયમૂર્તિ શ્રી જે. સી. ઉપાધ્યાય (નિવૃત્ત) ને
૨૯/૧૧/૨૦૧૯ના રોજ આર્બિટ્રેટરના રૂપમાં નિયુક્ત કરવામાં
આવ્યા છે અને ત્યારથી આ મામલો અહીં પડતર છે."
આ સંદર્ભમાં એ પણ નોંધવું જરૂરી છે કે નેચરલ ગેસ પુરવઠાના
સંબંધમાં અપીલકર્તા અને સામાવાળા વચ્ચે તારીખ 30.05.2008 ના રોજ થયેલી
ગેસ પુરવઠાની સમજૂતી (જીએએસ) માં મધ્યસ્થતાની જોગવાઈ, એટલે કે ક્લોઝ
નં.૧૭, સામેલ છે. જ્યારે પક્ષો વચ્ચે થયેલી સમજૂતીમાં લવાદની જોગવાઈ હોય
અને બંને પક્ષો વચ્ચે પરસ્પર સંમતિ હોય અને હાઈકોર્ટ સમક્ષ લવાદની પ્રક્રિયા
આગળ ધપાવવા માંગતા હોય અને વધુમાં, લવાદની પ્રક્રિયા પડતર હોય ત્યારે
અમે એવું માનીએ છીએ કે પક્ષકારોને આ ચુકાદામાં ચર્ચા કરવામાં આવેલા અને
નક્કી કરવામાં આવેલા કાયદાકીય પ્રશ્નો સિવાયની તમામ દલીલો મધ્યસ્થી સમક્ષ
ઉઠાવવાની સ્વતંત્રતા છે.
Page No. 48/49
(૪૦) ઉપરોક્ત બાબતોને આધિન, આ અપીલ રદ કરવામાં આવે છે.
તમામ પેન્ડિંગ અરજી(ઓ) નો નિકાલ કરવામાં આવે છે. ........…......, ન્યાયમૂર્તિ
(અજય રસ્તોગી) ................., ન્યાયમૂર્તિ
(સી. ટી. રવિકુમાર)
નવી દિલ્હી
જાન્યુઆરી ૦૪, ૨૦૨૩
----------------------------------
Translation has been done through AI Tool: SUVAS
:
DISCLAIMER The translated judgment in vernacular language is meant for the restricted use of the litigant to understand it
/ in his her language and may not be used for any other
. , purpose For all practical and official purposes the English version of the judgment shall be authentic and shall hold the
. field for the purpose of execution and implementation
Page No. 49/49