Full Text
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલતમાં
દીવાની અપીલીય/મૂળ હકૂમત
સિવિલ અપીલ ક્ર. ૭૩૦૦/૨૦૨૨
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય ... અપીલકર્તાઓ
વિરુદ્ધ
રાજેશ અગ્રવાલ અને અન્ય ... સામાવાળા
સહ
સિવિલ અપીલ ક્ર. ૭૩૦૧/૨૦૨૨
સહ
સિવિલ અપીલ ક્ર. ૭૩૦૨/૨૦૨૨
સહ
સિવિલ અપીલ ક્ર. ૭૩૦૩/૨૦૨૨
સહ
સિવિલ અપીલ ક્ર. ૭૩૦૪/૨૦૨૨
સહ
સિવિલ અપીલ ક્ર. ૭૩૦૫/૨૦૨૨
સિવિલ અપીલ ક્ર. ૭૩૦૬/૨૦૨૨
સહ
સિવિલ અપીલ ક્ર. ૭૩૦૭/૨૦૨૨
સહ
રિટ પિટીશન ક્ર. ૧૩૮/૨૦૨૨
મુખ્ય ન્યાયમૂર્તિ ડો. ધનંજય વાય. ચંદ્રચુડ
એ. પૃષ્ઠભૂમિ ........................................................ ૪
બી. હકીકતો .......................................................... ૫
સી. રજૂઆતો ......................................................... ૧૩
ડી. વિશ્લેષણ ........................................................ ૨૦
ડી.૧ નિયમનકારી માળખું ...................................... ૨૦
ડી.૨
ઓડી અલ્ટરમ પાર્ટેમ
(સામા પક્ષકારને સાંભળવો જરૂરી છે) ...................
૩૭
ડી.૩ ઓડી અલ્ટરમ પાર્ટેમને બાકાત રાખવાનો આશય નથી .. ૫૯
ડી.૪ બંધારણીય માન્યતાને પડકાર ............................ ૭૩
ઇ. નિષ્કર્ષ .......................................................... ૮૭
૧. સદર સિવિલ અપીલો મારફતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (ફ્રોડ
ક્લાસીફીકેશન એન્ડ રીપોર્ટિંગ બાય કોમર્શિયલ બેન્ક્સ એન્ડ સિલેક્ટ
એફઆઇ) ડિરેક્શન ૨૦૧૬ (માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ)ને
પડકારવામાં આવેલ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા
બહાર પાડવામાં આવેલા આ નિર્દેશોને વિવિધ હાઇકોર્ટ સમક્ષ મુખ્યત્વે એ
આધાર પર પડકારવામાં આવ્યા હતા કે, ઋણધારકોના ખાતાઓને
ફ્રોડ્યુલન્ટ તરીકે વર્ગીકૃ ત કરતા પહેલા તેઓને સાંભળવાની કોઈ તક
આપવામાં આવતી નથી. તેલંગણા હાઇકોર્ટે વાદગ્રસ્ત ચુકાદામાં [રીટ
પિટીશન ક્ર.૧૯૧૦૨/૨૦૧૯] ઠરાવ્યું હતું કે, કુદરતી ન્યાયના
સિદ્ધાંતોને માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડની જોગવાઈઓના સંદર્ભમાં
સમજવા જોઈએ. આરબીઆઇ અને ધિરાણદાર બેંકોએ આ સિવિલ
અપીલો મારફતે તે નિર્ણય પડકારેલ છે.
૨. આ પૃષ્ઠભૂમિમાં કોર્ટે વિચારવું પડશે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને માસ્ટર
ડિરેક્શન્સ ઓન ફ્રોડની જોગવાઈઓમાં વાંચવા જોઈએ કે નહીં. હવે
દર્શાવેલ કારણોસર, અમે માનીએ છીએ કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો, ખાસ કરીને ઓડી અલ્ટરમ પાર્ટેમનો નિયમ, તેને મનસ્વીતાના
દુર્વ્યવહારથી બચાવવા માટે ડિરેક્શન્સ ઓન ફ્રોડમાં આવશ્યકપણે
નાગરિક પરિણામો ભોગવવા પડે છે, તેથી આ દિશાનિર્દેશોનો અર્થ
કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને
વાજબી રીતે કરવો જોઈએ.
બી. હકીકતો
(૧) એસએલપી (સી) ક્ર.૩૯૩૧/૨૦૨૧; એસએલપી (સી)
ક્ર.૪૯૨૨/૨૦૨૧; એસએલપી (સી) ક્ર.૫૦૫૬/૨૦૨૧
૩. બી. એસ. લિમિટેડ પાવર ટ્રાન્સમિશન અને વિતરણ, પેસિવ ટેલિકોમ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પુનઃપ્રાપ્ય ઊર્જા અને ખનીજ સંસાધનોના વ્યવસાય સાથે
સંકળાયેલી કંપની છે. તેણે વિવિધ બેંકો પાસેથી રૂ.૧૪૦૬ કરોડની લોન
લીધી હતી. કંપની ધિરાણદાર બેંકો પ્રત્યે તેની ચુકવણીની જવાબદારી
નિભાવવામાં નિષ્ફળ રહી હતી, અને પરિણામે ધિરાણ સુવિધાઓની
પુનઃચુકવણીમાં ચૂક કરેલ. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ અનુસાર, તમામ
ધિરાણદાર બેંકોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ એક
જોઇન્ટ લેન્ડર્સ ફોરમ [જેએલએફ]ની રચના કરી હતી.
પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) જાહેર કરી હતી. ધિરાણકર્તા બેંકોએ
તા.૧૧ જુલાઈ, ૨૦૧૬ના રોજ યોજાયેલી પોતાની બેઠકમાં સસ્ટેનેબલ
સ્ટ્રક્ચરિંગ ઓફ સ્ટ્રેસ્ડ એસેટ્સ સ્કીમ [એસફોરએ]ને અપનાવવાનો
નિર્ણય લીધો હતો અને ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ તેમજ ટેકનો ઇકોનોમિક
વાયબિલિટી [ટીઇવી] અભ્યાસનું સૂચન કરેલ. ફોરેન્સિક ઓડિટ
રિપોર્ટના તારણોના આધારે જેએલએફે આ મુદ્દાને બંધ કરીને જણાવ્યુ હતું
કે, તેમાં કોઈ અનિયમિતતા નથી. જોકે, ટીઇવી અભ્યાસના આધારે એવું
તારણ કાઢવામાં આવ્યું હતું કે, કંપની એસફોરએ યોજના માટે પાત્ર નથી
અને તેને તેના ખાતાને નિયમિત કરવા માટે વૈકલ્પિક યોજના રજૂ કરવાની
વિનંતી કરી હતી. દરમિયાન, ધિરાણદાર બેંકોમાંની એક આઇડીબીઆઇ
બેંકે કંપનીના ખાતાને રેડ ફ્લેગ કરેલ. આ ઉપરાંત, તે કંપની સામે
ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ, 2016 હેઠળ પણ કાર્યવાહી શરૂ
કરવામાં આવી હતી. તા.૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ જેએલએફે માસ્ટર
ડાયરેક્શન્સ ઓન ફ્રોડના ક્લોઝ ૨.૨.૧(જી)નો ઉપયોગ કરીને કંપનીના
ખાતાને ફ્રોડ જાહેર કરેલ. ત્યારબાદ, ફ્રોડ આઇડેન્ટિફિકેશન કમિટી
[એફઆઇસી]એ તા.૩૧ જુલાઈ, ૨૦૧૯ના રોજ કંપનીના ખાતાને ફ્રોડ
તરીકે જાહેર કરતો ઠરાવ પસાર કર્યો હતો. કંપનીએ તા.૧૫ ફેબ્રુઆરી,
રોજના એફઆઇસીનાં ઠરાવને પડકારતા, રિટ પિટિશન દાખલ કરી હતી.
૫. તા.૧૦ ડિસેમ્બર ૨૦૨૦ના રોજના ચુકાદા દ્વારા, હાઇકોર્ટની ડિવિઝન
બેન્ચે આ રિટ પિટિશનને મંજૂરી આપી હતી અને ઠરાવ્યું હતું કે, ઔડી
આલ્ટરમ પાર્ટેમના સિદ્ધાંતને માસ્ટર ડાયરેક્શન્સ ઓન ફ્રોડના ક્લોઝ
૮.૯.૪ અને ૮.૯.૫માં વાંચવો જોઈએ. હાઇકોર્ટે ધિરાણદાર બેંકોને
વધુમાં નિર્દેશો આપ્યા કે: (૧) ફોરેન્સિક ઓડિટ રિપોર્ટની નકલ પૂરી
પાડ્યા બાદ, ઋણધારકોને સુનાવણીની તક આપવી; અને (૨)
ઋણધારકના ખાતાને ફ્રોડ તરીકે વર્ગીકૃ ત કરતા પહેલા તેઓને વ્યક્તિગત
સુનાવણીની તક પૂરી પાડવી. હાઇકોર્ટના ચુકાદાને એસએલપી (સી) ક્ર.
૩૯૩૧/૨૦૨૧માં પડકારવામાં આવ્યો હતો. તા.૧૫ એપ્રિલ, ૨૦૨૧ના
રોજ આ કોર્ટે નોટિસ ઇશ્યૂ કરતી વખતે તેલંગાણા હાઈકોર્ટ દ્વારા
આપવામાં આવેલા નિર્દેશો પર નીચે મુજબ અંશતઃ રોક લગાવી હતીઃ
"દરમિયાન, જોઇન્ટ લેન્ડર્સ મિટિંગ દ્વારા તા.૧૫.૦૨.૨૦૧૯ના
રોજ પસાર કરવામાં આવેલા મિનિટ્સ/ઓર્ડરને ધ્યાનમાં રાખીને
કાર્યવાહી કરવામાં આવશે નહીં. હાઇકોર્ટના એ નિર્દેશ કે, વ્યક્તિગત સુનાવણીની તક આપવામાં આવે, તેના પર સ્ટે
મૂકવામાં આવે છે."
ક્ર.૮૭૩/૨૦૨૨; એસએલપી (સી) ક્ર.૧૫૧૪/૨૦૨૨
૬. અપીલકર્તા એ તેલંગણા રાજ્યમાં ખાદ્ય તેલ, ચરબી, ચોખા અને સોજીના
ઉત્પાદનો સાથે સંકળાયેલી કંપની છે. અપીલકર્તાએ વર્ષ ૨૦૦૩થી
૨૦૧૫ સુધી આંધ્ર બેંક (જે હવે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે
વિલિનીકૃ ત છે)ની આગેવાની હેઠળની બેંકોના કોન્સોર્ટિયમ પાસેથી
રૂ.૬૭૫ કરોડનું ધિરાણ પ્રાપ્ત કરેલ. તા.૧૪ મે, ૨૦૧૮ના રોજ
અપીલકર્તાને તા.૩૧ માર્ચ, ૨૦૧૮ની અસરથી એનપીએ તરીકે જાહેર
કરવામાં આવેલ. ત્યારબાદ, જેએલએફની બેઠકમાં ધિરાણકર્તાઓના
કોન્સોર્ટિયમે તા.૩૧ માર્ચ, ૨૦૧૯ સુધીના સમયગાળા માટે
અપીલકર્તાનું ફોરેન્સિક ઓડિટ હાથ ધરવાનો નિર્ણય લીધો હતો.
અપીલકર્તાએ ઓડિટ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને સમયાંતરે ઓડિટર
દ્વારા માંગવામાં આવેલ તમામ માહિતી રજૂ કરેલ. સપ્ટેમ્બર, ૨૦૧૯માં
અપીલકર્તાને જાણવા મળેલ કે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (ભૂતપૂર્વ
આંધ્ર બેંક) દ્વારા તેના ખાતાને ફ્રોડ જાહેર કરવામાં આવ્યું છે. આ
વર્ગીકરણથી નારાજ થઈને, અપીલકર્તાએ તેલંગાણા હાઇકોર્ટમાં રિટ
પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટે એ બાબતને ધ્યાનમાં રાખીને કુદરતી
ન્યાય અને નિષ્પક્ષતાના સિદ્ધાંતો સાથે સંબંધિત મુદ્દાઓ પર વિચારણા
એસએલપી(સી) ક્ર.૩૯૩૧/૨૦૨૧માં પેન્ડિંગ હતી. હાઈકોર્ટે તેના
તા.૨૨ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજના ચુકાદા દ્વારા રિટ અરજીઓ ફગાવી
દીધેલ. કોર્ટે ઠરાવ્યું હતું કે, અપીલકર્તાનું ખાતું યોગ્ય રીતે જ ફ્રોડ તરીકે
વર્ગીકૃ ત કરવામાં આવ્યું હતું, કારણ કે ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં
અપીલકર્તા વિરુદ્ધ વિપરીત તારણો હતા.
૭. તા.૨૪ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ, આ કોર્ટે એસએલપી (સી) ક્ર.
૭૬૨/૨૦૨૨માં નોટિસ ઇશ્યૂ કરતાં, નિર્દેશ આપ્યો હતો કે, અત્યારે આ
મેટર સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન [સીબીઆઈ]ને રિપોર્ટ કરવામાં ન
આવે. તા.૨૮ માર્ચ, ૨૦૨૨ના રોજ આ કોર્ટે એસએલપી (સી)
ક્ર.૮૭૩/૨૦૨૨ અને એસએલપી (સી) ક્ર. ૧૫૧૪/૨૦૨૨ માં સમાન
વચગાળાનો હુકમ પસાર કરેલ.
(૩) એસએલપી (સી) ક્ર. ૨૯૮૦/૨૦૨૨
૮. અપીલકર્તા એ ગોલ્ડન જ્યુબિલી હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ
[જીજેએચપીએલ]ના પ્રમોટર અને ડિરેક્ટર છે. જીજેએચપીએલનું ખાતું
તા.૩૧ ડિસેમ્બર, ૨૦૧૫થી એનપીએ તરીકે જાહેર કરવામાં આવેલ,
એપ્રિલ, ૨૦૧૬ના રોજ યોજાયેલી તેની બેઠકમાં, જેએલએફે
અપીલકર્તાની કંપનીનું વિશેષ ઓડિટ કરવાનો નિર્ણય લીધો હતો.
ત્યારબાદ, અપીલકર્તાએ જેએલએફ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકોમાં ભાગ
લીધો હતો અને ઓડિટ રિપોર્ટ તૈયાર કરતી વખતે ફોરેન્સિક ઓડિટરે
તેમની સાથે ચર્ચા-વિચારણા કરેલ. બેંક ઓફ બરોડાએ ફોરેન્સિક ઓડિટ
રિપોર્ટના અવલોકનના આધારે તા.૩ મે, ૨૦૧૯ના રોજ અપીલકર્તાના
ખાતાને રેડ-ફ્લેગ કરેલ. તા.૧૪ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ અપીલકર્તાના
ખાતાને ફ્રોડ તરીકે વર્ગીકૃ ત કરવામાં આવેલ. સીબીઆઇમાં ફોજદારી
ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ. અપીલકર્તાને તેમના ખાતાનું
વર્ગીકરણ ફ્રોડ તરીકે થયું હોવાની જાણકારી વર્ષ ૨૦૨૧માં ત્યારે મળી
જ્યારે તેમને એફઆઈઆરની નકલ મળેલ. અપીલકર્તાએ માસ્ટર
ડિરેક્શન્સ ઓન ફ્રોડની કાયદેસરતાને પડકારતા તેલંગાણા હાઇકોર્ટમાં
એક રિટ અરજી દાખલ કરેલ. હાઈકોર્ટે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના
રોજના તેના ચુકાદા દ્વારા ઠરાવેલ કે, એસએલપી (સી) ક્ર.
૩૯૩૧/૨૦૨૧ આ કોર્ટ સમક્ષ પેન્ડિંગ હોવાના કારણે, અપીલકર્તાને
વ્યક્તિગત સુનાવણીના મુદ્દા પર કોઈ રાહત આપી શકાય નહીં. હાઇકોર્ટે
એમ પણ ઠરાવ્યું હતું કે, ફોરેન્સિક ઓડિટ રિપોર્ટના વિપરિત તારણોને
કરવામાં આવ્યું હતું.
(૪) રિટ પિટિશન (સી) ક્ર. ૧૩૮/૨૦૨૨ અને એસએલપી (સી) ક્ર.
૩૩૮૮/૨૦૨૨
૯. અપીલકર્તા, મેસર્સ વિમલ ઓઇલ એન્ડ ફૂડ્સ લિમિટેડ નામની કંપનીના
ડિરેક્ટરોમાંના એક છે. સદર કંપનીએ સમયાંતરે વિવિધ નાણાકીય
સંસ્થાઓ પાસેથી લોનની સુવિધાઓ મેળવી હતી. વર્ષ ૨૦૧૫માં, સામાવાળા બેંકના ઓડિટરે કંપનીના ખાતાઓમાં કેટલીક
અનિયમિતતાઓ દર્શાવી હતી. એક વિશેષ ઓડિટના આધારે, સામાવાળા બેંકે તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ કંપનીના ખાતાને
એનપીએ જાહેર કર્યા હતા. ત્યારબાદ, તા. ૫ જુલાઈ, ૨૦૧૬ના રોજ
સામાવાળા બેંક દ્વારા કંપનીના ખાતાને રેડ ફ્લેગ કરવામાં આવેલ.
દરમિયાન, તા.૧ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ આ કંપની વિરુદ્ધ કોર્પોરેટ
ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ [સીઆઈઆરપી] શરૂ કરવામાં આવેલ
અને કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે અપીલકર્તાને સસ્પેન્ડ કરવામાં
આવેલ. સસ્પેન્શન બાદ, અપીલકર્તાને જેએલએફની બેઠકોમાં હાજરી
આપવા માટે આમંત્રણ આપવામાં ન આવેલ. અપીલકર્તાને કથિત રીતે
કરેલ. વધુમાં, સામાવાળા બેંક દ્વારા સીબીઆઈને સંબોધવામાં આવેલા
પત્રના આધારે, અપીલકર્તા સામે એફઆઈઆર નોંધવામાં આવેલ.
સામાવાળાનો આક્ષેપ છે કે, તેઓના ખાતાને ફ્રોડ તરીકે વર્ગીકૃ ત કરવામાં
આવેલ હોવાની અને એફઆઈઆર નોંધવામાં આવેલ હોવાની જાણ
તેઓને ત્યારે જ થયેલ, કે જ્યારે એફઆઈઆરના અનુસંધાનમાં તેમના
રહેણાંક સંકુલોમાં તપાસ હાથ ધરવામાં આવેલ. અપીલકર્તાએ સામાવાળા
બેંકની કાર્યવાહીને પડકારતા, સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન દાખલ
કરેલ, જેને ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા નામંજૂર કરવામાં
આવેલ. ડિવિઝન બેંચે તા.૨૩ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજના તેના ચુકાદા
દ્વારા લેટર્સ પેટેન્ટ અપીલને આંશિક રીતે મંજૂરી આપેલ, જેમાં સામાવાળા
બેંકને રજૂઆત કરવાની અપીલકર્તાને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ
વ્યક્તિગત સુનાવણીની મંજૂરી આપવાનો ઇનકાર કરેલ.
અપીલકર્તા/અરજદારે માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડની કાયદેસરતાને
પડકારતા, આ કોર્ટના રિટ અધિકારક્ષેત્રનો પણ ઉપયોગ કરેલ છે.
૧૦. ઋણધારકો વતી ઉપસ્થિત સિનિયર એડવોકેટ્સ ડો. અભિષેક મનુ
સિંઘવી, શ્રી રણજીત કુમાર, શ્રી ધ્રુવ મહેતા, શ્રી અરુણાભ ચૌધરી, શ્રી
નવીન પાહવા અને વિદ્વાન વકીલ શ્રી સૂરજ પ્રકાશને અમે સાંભળ્યા.
વકીલે રજૂઆત કરેલ કે, માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ હેઠળ ખાતાને ફ્રોડ
તરીકે વર્ગીકૃ ત કરવાની પ્રક્રિયા ગેરકાયદેસર છે, કારણકેઃ
એ. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડના ક્લોઝ ૮.૯.૪ અને ૮.૯.૫ હેઠળ, ધિરાણ લેનારી કંપની અથવા તેના પ્રમોટર્સ અને પૂર્ણકાલિન
ડિરેક્ટરો સહિત ડિરેક્ટર્સને કોઈ નોટિસ આપવામાં આવતી નથી.
તેમને પોતાનો બચાવ કરવાની તક આપવામાં આવતી નથી અને
તેમને અંતિમ નિર્ણયની નકલ પણ આપવામાં આવતી નથી.
બી. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ હેઠળ ઋણધારકના બેંક ખાતાઓનું
ફ્રોડ તરીકે વર્ગીકરણ, ગંભીર નાગરિક પરિણામો ધરાવે છે. માસ્ટર
ડિરેક્શન્સ ઓન ફ્રોડના ક્લોઝ ૮.૧૨ હેઠળની શિક્ષાત્મક
જોગવાઈઓ પ્રમોટર્સ, ડિરેક્ટરો અને અન્ય પૂર્ણકાલિન ડિરેક્ટરોને
પણ લાગુ પડે છે. એકવાર બેંક ખાતાને ફ્રોડ્યુલન્ટ તરીકે વર્ગીકૃ ત
તેના નોંધપાત્ર પરિણામો ભોગવવા પડે છે, જેમ કે સીબીઆઈમાં
ફરિયાદ તથા પ્રમોટર્સ અને ડિરેક્ટરોને સંસ્થાકીય ધિરાણ પ્રાપ્ત
કરવા પર પ્રતિબંધ. વધુમાં, ખાતાને 'ફ્રોડ' તરીકે વર્ગીકૃ ત કરવાની
બેંકોની કાર્યવાહી, ઋણધારકને બ્લેકલિસ્ટ કરવા જેવી કલંકજનક
છે, જે તેમની પ્રતિષ્ઠાના અધિકારને અસર કરે છે. આમ, ખાતાને
ફ્રોડ તરીકે જાહેર કરવાના પરિણામે સંબંધિત વ્યક્તિઓના
મૂળભૂત અધિકારો પર સીધી અસર પડે છે.
સી. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ, ભારતીય બંધારણના અનુચ્છેદ
૧૪, ૧૯ અને ૨૧નું ઉલ્લંઘન કરે છે, કારણ કે તે કોઈ કંપની અને
તેના પ્રમોટર્સ અને ડિરેક્ટરોને કારણ બતાવો નોટિસ કે
સુનાવણીની તક આપ્યા વગર પાંચ વર્ષના સમયગાળા માટે
નાણાકીય અને ધિરાણ બજારોનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરે
છે.
ડી. વ્યક્તિગત સુનાવણી ઉપરાંત ઓડી અલ્ટરમ પાર્ટેમના સિદ્ધાંતના
અન્ય પાસાઓ પણ છે. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ, અન્ય
બાબતોની સાથે, ઓડી અલ્ટરમ પાર્ટેમના અન્ય પાસાઓ જેમકે
નોટિસ, પ્રસ્તાવિત દંડની નોટિસ વગેરે માટે યોગ્ય નથી. માસ્ટર
ડિરેક્શન્સ ઓન ફ્રોડ હેઠળ નિયત પ્રક્રિયા અનુસાર, કંપની અથવા
તેના પ્રમોટર્સ અને ડિરેક્ટરોને એ પણ જાણકારી આપવામાં
આવતી નથી કે તેમને ફ્રોડ તરીકે વર્ગીકૃ ત કરવામાં આવ્યા છે અને
તેમના પર દંડ ફટકારવામાં આવ્યો છે.
ઇ. ઋણધારકને ફોરેન્સિક ઓડિટ અહેવાલ પ્રાપ્ત થયા પછી અને
ઋણધારકના ખાતાને ફ્રોડ તરીકે વર્ગીકૃ ત કરવા જોઈએ કે નહીં
તેનો નિર્ણય લેતા પહેલા, ઋણધારક સાંભળવાની તક મેળવવા
માટે હકદાર છે કે નહીં, તે અંગે માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ મૌન
છે. ખાતાને ફ્રોડ તરીકે વર્ગીકૃ ત કરવાનો નિર્ણય નોંધપાત્ર નાગરિક
પરિણામો ધરાવતો હોવાથી, કુદરતી ન્યાયના સિદ્ધાંતોને માસ્ટર
ડિરેક્શન્સ ઓન ફ્રોડમાં વાંચવા જોઈએ.
એફ. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડના ક્લોઝ ૮.૧૨.૧૫માં સ્પષ્ટપણે
જોગવાઈ કરવામાં આવી છે કે, ત્રાહિત પક્ષકારોને સુનાવણીની તક
પૂરી પાડવામાં આવે. આ નિર્દેશો સ્પષ્ટ રીતે મનસ્વી છે, કારણ કે
જી. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડનો હેતુ અને ઉદ્દેશ્ય, ફ્રોડ ઝડપથી
શોધી કાઢવા અને કાયદા અમલીકરણ એજન્સીઓને તેની જાણ
કરવાનો હોવા છતાં, આ પ્રકારની આવશ્યકતાઓ, કુદરતી
ન્યાયના સિદ્ધાંતોના અમલીકરણને બાકાત રાખવાનો કાયદેસર
આધાર બની શકે નહીં.
એચ. ભારતીય સ્ટેટ બેંક વિ. જાહ ડેવલપર્સ [(૨૦૧૯) ૬ એસસીસી
૭૮૭]માં આ કોર્ટનો નિર્ણય ઋણધારકને વિલફુલ ડિફોલ્ટર તરીકે
જાહેર કરવાના હેતુઓ માટે કુદરતી ન્યાયની જરૂરિયાતમાં
વાંચવામાં આવ્યો છે. જાહ ડેવલપર્સ (સુપ્રા)ના કેસમાં પ્રસ્થાપિત
સિદ્ધાંતો હાલની મેટરોને સંપૂર્ણપણે લાગુ પડશે.
આઇ. ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ તૈયાર કરતી વખતે ઋણધારકની
ભાગીદારી એ જ માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ હેઠળ કુદરતી
ન્યાયના સિદ્ધાંતોની જરૂરિયાતને પૂર્ણ કરતી નથી. આ નિર્દેશો
ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ તૈયાર કરતી વખતે ઋણધારકની
પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવાની શક્યતા વધી જાય છે.
૧૧. અમે આર.બી.આઈ. અને ધિરાણકર્તા બેંકો તરફે ભારતના સોલિસિટર
જનરલ શ્રી તુષાર મહેતા, વિદ્વાન સિનિયર કાઉન્સેલ શ્રી ગોપાલ જૈન
અને વિદ્વાન કાઉન્સેલ્સ શ્રી રમેશ બાબુ એમ. આર. અને શ્રી જી. એન.
રેડ્ડીને સાંભળ્યા. કાઉન્સેલે રજૂઆત કરી કે, કુદરતી ન્યાયના સિદ્ધાંતોના
ઉલ્લંઘનના આધારે લોન એકાઉન્ટને ફ્રોડ્યુલન્ટ તરીકે વર્ગીકૃ ત કરવાને
પડકારવું નીચેના કારણોસર મેરીટ મુજબનું નથી:
એ. છેતરપિંડીઓના વધતાં જતા કિસ્સાઓથી થાપણદારો અને
બેંકોના હિતોનું રક્ષણ કરવા માટે માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ
જરૂરી હતા. કપટી ઋણધારકોનો ન્યાય કરવામાં આવે તેમજ
બેંકોને થતા નુકસાનને અટકાવવાનું સુનિશ્ચિત કરવા માટે
આર.બી.આઈ.ને જાહેર હિતમાં અગમચેતીરૂપ પગલાં લેવાની
પૂરતી સત્તા આપવામાં આવી છે. તેથી, માસ્ટર ડીરેક્શન્સ ઓન
ફ્રોડના ક્લોઝીસનું અર્થઘટન છેતરપીંડીને સમયસર શોધી કાઢવી,
હેતુ અને ઉદ્દેશ્યના પ્રકાશમાં કરવું રહ્યું.
બી. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડની જોગવાઈઓ નીચેની મર્યાદાઓને
ધ્યાનમાં રાખીને સમજવી રહી: ( ) i ન્યાયૌચિત્ય; ( ) ii પીડિત
પક્ષકારો પ્રત્યે નિષ્પક્ષતા; ( ) iii વ્યાજબીપણું; અને ( ) iv
ઉત્પાત્ત અને સુધારાત્મક પગલાં વચ્ચે પ્રમાણસરતા. માસ્ટર
ડિરેક્શન્સ ઓન ફ્રોડ એ આર્થિક નીતિગત નિર્ણય હોવાનું ધ્યાને
લેતાં, આ અદાલતે તેની જોગવાઈઓની મૂલવણી સબબ બહોળા
વ્યાપને ધ્યાને લેવો રહ્યો.
સી. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ હેઠળ ખાતાને ફ્રોડ્યુલન્ટ તરીકે
વર્ગીકૃ ત કરવાની પ્રક્રિયા મનસ્વી નથી. કાયદાની અમલકર્તા
સંસ્થાઓને આ બાબતની જાણ કરવા માટે જ આ વર્ગીકરણ
કરવામાં આવે છે. બેંક ખાતાઓમાં થતી છેતરપિંડીયુક્ત
પ્રવૃત્તિઓને ઓળખવા અને તેની તપાસ કરવા માટે બેંકો પાસે
પહેલેથી જ એક સંરચિત સંગઠનાત્મક માળખું હયાત છે. બેંકો
કાયદાની અમલકર્તા સંસ્થાઓ સમક્ષ ફરિયાદો દાખલ કરે છે,
સક્ષમ અદાલત દ્વારા લેવામાં આવે છે.
ડી. ફોજદારી કાયદાની પ્રક્રિયાને ગતિશીલ કરવાના તબક્કે કુદરતી
ન્યાયના સિદ્ધાંતો લાગુ પડતા નથી. ફ્રોડ્યુલન્ટ ખાતાના કિસ્સામાં
ધિરાણકર્તા બેંક ભોગ બનનાર પક્ષ હોઇ, તેને છેતરપિંડી કરનાર
ઋણધારકને સાંભળવાની તક આપ્યા વિના કાયદાની અમલકર્તા
સંસ્થાઓને ગુનાની જાણ કરવાનો અધિકાર છે. છેતરપિંડી કરનારા
ઋણધારકો વિરુદ્ધ કારણ-બતાવો નોટિસ આપવાથી તેઓને
અગ્રીમ-ચેતવણી મળી શકે છે અને કાયદાની અમલકર્તા
સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી તપાસમાં અવરોધ આવી શકે છે.
ઇ. છેતરપિંડી કરનારા ઋણધારકોને બેંક ધિરાણનો લાભ લેવાથી
પ્રતિબંધિત કરવાં એ એક નિવારક પગલું છે, જેના વિના માસ્ટર
ડિરેક્શન્સ ઓન ફ્રોડ જાણે કે દાંત વિનાના થઇ જશે. છેતરપિંડી
કરનાર ઋણધારકોને અન્ય બેંકોમાં છેતરપિંડી કરતા અટકાવવા
માટે આ પ્રકારનું પગલું જરૂરી છે.
અવરોધ ઊભો થતો હોય, તો તેને બાકાત રાખી શકાય છે. વધુમાં, દરેક કિસ્સામાં વ્યક્તિગત સુનાવણી કરવી તે કોઈ અદમ્ય નિયમ
નથી.
જી. વિલફુલ ડિફોલ્ટર્સ પરના માસ્ટર સર્ક્યુલર (માસ્ટર સર્ક્યુલર ઓન
વીલફુલ ડિફોલ્ટર્સ, ૨૦૧૫) હેઠળ ઋણધારકને વિલફુલ
ડિફોલ્ટર તરીકે વર્ગીકૃ ત કરવાની પ્રક્રિયા માસ્ટર ડિરેક્શન્સ ઓન
ફ્રોડ હેઠળ ખાતાને ફ્રોડ્યુલન્ટ તરીકે વર્ગીકૃ ત કરવાની પ્રક્રિયાથી
નોંધપાત્ર રીતે ભિન્ન છે. તેથી, જાહ ડેવલપર્સ (સુપ્રા)માં આ
અદાલતનો નિર્ણય હાલની અપીલના તથ્યોને લાગુ પડશે નહીં.
ડી. વિશ્લેષણ
ડી.૧ નિયમનકારી માળખું
૧૨. આર.બી.આઈ. એ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, ૧૯૩૪ની કલમ ૩
હેઠળ રચાયેલી વૈધાનિક સંસ્થા છે. કેન્દ્ર સરકાર પાસેથી ચલણી નાણાંનું
સંચાલન પોતાના હાથમાં લેવા, બેંક નોટોના પ્રશ્નોને નિયંત્રિત કરવા, નાણાંકીય સ્થિરતા જાળવવાના હેતુસર અનામત ભંડોળ રાખવા અને
ચલણી નાણાં અને ધિરાણ વ્યવસ્થાને કાર્યાન્વિત રાખવા માટે
આર.બી.આઇ.ની સ્થાપના કરવામાં આવી છે. આર.બી.આઈ.ને બેંકિંગ
સંચાલન કરવાની વૈધાનિક જવાબદારી સોંપવામાં આવી છે. બી.આર.
એક્ટ આર.બી.આઈ.ને બેંકિંગ કંપનીઓના સંદર્ભમાં, લાઇસન્સ આપવા, નિરીક્ષણ કરવું અને નિર્દેશો આપવાં, જેવી વિવિધ સત્તાઓ આપે છે.
૧૩. બી.આર. એક્ટની કલમ ૩૫એ આર.બી.આઇ.ને બેંકિંગ કંપનીઓને
નિર્દેશો આપવાની સત્તા આપે છે. આવાં નિર્દેશો વૈધાનિક સ્વરૂપના છે.
કલમ ૩૫એ નીચે મુજબ છે:
“૩૫એ. દિશાનિર્દેશો આપવાની રિઝર્વ બેંકની સત્તા -
(૧) જ્યારે રિઝર્વ બેંકને સંતોષ થાય કે -
(એ) જાહેર હિતમાં; અથવા
(એએ) બેંકિંગ નીતિના હિતમાં; અથવા
(બી) થાપણદારોના હિતોને નુકશાનકારક રીતે અથવા
બેંકિંગ કંપનીના હિતોથી પ્રતિકૂળ રીતે ચલાવવામાં
આવતી કોઈપણ બેંકિંગ કંપનીના કામકાજોને
અટકાવવા માટે; અથવા
(સી) સામાન્ય રીતે, કોઈપણ બેંકિંગ કંપનીનું યોગ્ય
સંચાલન સુનિશ્ચિત કરવા માટે, બેંકિંગ કંપનીઓને સર્વસામાન્યપણે અથવા કોઈ બેંકિંગ
કંપનીને વિશેષરૂપે નિર્દેશો આપવા જરૂરી છે, તો તે, વખતોવખત, તેને યોગ્ય લાગે તેવા નિર્દેશો આપી શકે છે, અને બેંકિંગ કંપનીઓ અથવા બેંકિંગ કંપની, યથાસ્થિતિ, આવાં નિર્દેશોનું પાલન કરવા બંધાયેલા છે.
સ્વ પહેલ પર, પેટાકલમ (૧) હેઠળ આપવામાં આવેલ
કોઈપણ નિર્દેશમાં ફેરફાર કરી શકે છે અથવા તેને રદ કરી
શકે છે, અને નિર્દેશમાં આવાં કોઇપણ ફેરફાર અથવા રદ
કરતાં સમયે તેને યોગ્ય લાગે તેવી શરતો લાદી શકે છે, કે
જેને આધિન આવાં ફેરફારો અથવા રદ કરવાની બાબત લાગૂ
કરવી રહે."
૧૪. આર.બી.આઈ. વર્ષ ૨૦૧૬ થી વિવિધ મુદ્દાઓ પર 'માસ્ટર ડિરેક્શન્સ'
આપી રહી છે. આ નિર્દેશોમાં જેતે ચોક્કસ વિષય પરની સૂચનાઓનો
સમાવેશ થાય છે. જ્યારે પણ નીતિમાં ફેરફાર થાય છે, ત્યારે માસ્ટર
ડિરેક્શન્સમાં તે મુજબના સુધારા કરવામાં આવે છે અને આવા સુધારાઓ
આર.બી.આઇ.ની વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવે છે. કલમ ૩૫એ
હેઠળની સત્તાનો ઉપયોગ કરીને, આર.બી.આઇ.એ જૂન ૨૦૦૯ અને
જાન્યુઆરી ૨૦૧૬ વચ્ચે આપેલાં છેતરપિંડીના વર્ગીકરણ, રિપોર્ટિંગ અને
મોનિટરિંગ પરના અગાઉના સાત પરિપત્રોને એકીકૃ ત અને અપડેટ કરવાં, તા. ૦૧ જુલાઇ ૨૦૧૬ના રોજ માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ જાહેર કર્યા
હતા. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડને તા. ૦૩ જુલાઈ ૨૦૧૭ ના રોજ
અપડેટ કરવામાં આવ્યા હતા. માસ્ટર ડિરેક્શન્સનો હેતુ નીચે ટાંકવામાં
આવ્યો છે:
“૧.૩ હેતુ
ં પાડવાના હેતુથી
આપવામાં આવે છે, કે જેથી તેઓ વહેલી તકે
છેતરપિંડીઓને શોધી અને તેનો અહેવાલ કરી શકે અને
તપાસ એજન્સીઓને જાણ કરવાં જેવા સમયસર પરિણામી
પગલાં લઇ શકે, કે જેથી છેતરપિંડી કરનારાઓ સામે વહેલી
તકે કામ ચલાવી શકાય, સ્ટાફની જવાબદારીની તપાસ કરી
શકાય અને અસરકારક રીતે ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ કરી
શકાય. આ નિર્દેશો ભારતીય રિઝર્વ બેંક
(આર.બી.આઇ.)ને બેંકોના રિપોર્ટિંગના આધારે
છેતરપિંડીની વિગતો, છદ્મ ઋણધારકો અને સંબંધિત
પક્ષકારોની માહિતી બેંકોને ઝડપભેર પૂરી પાડવાં લક્ષી છે, કે જેથી બેંકો આવાં પક્ષકારો સાથેના વ્યવહારમાં યોગ્ય
કાર્યવાહી સ્વરૂપે જરૂરી પગલાં/ અગ્રીમ પગલાં લઇ શકે, આંતરિક ચકાસણીઓ લાગૂ કરી શકે અને સાવચેતી રાખી
શકે."
૧૫. ઉપરોક્ત નિર્દેશો ચોક્કસ હેતુઓ હાંસલ કરવા માટે આપવામાં આવ્યા
હતા: ( ) i છેતરપિંડીની વહેલી અને સમયસર ઓળખવી અને તેનો
અહેવાલ કરવો; ( ) ii તપાસકર્તા સંસ્થાઓને વહેલાં અને સમયસર
છેતરપિંડીની જાણ કરવી; ( ) iii છેતરપિંડી અને છેતરપિંડી કરનારા
ઋણધારકોની વિગતોને લગતી માહિતીનો બેંકો સુધી ઝડપી પ્રસાર; અને
( ) iv બેંકોને નિવારક પગલાં લાગૂ કરવામાં મદદ કરવી. આ હેતુઓ
માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડના ક્લોઝ-૨.૧.૧ માં પ્રતિબિંબિત થાય છે:
ડિરેક્ટર્સ/ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ
(સી.એમ.ડી./સી.ઇ.ઓ.)એ, અન્ય બાબતોની સાથે, છેતરપિંડીના કેસોની અસરકારક તપાસ અને ભારતીય રીઝર્વ
બેંક સહિતના યોગ્ય નિયમનકારી અને કાયદા-અમલકર્તા
સત્તામંડળોને ત્વરિત અને સચોટ રિપોર્ટિંગને સક્ષમ
બનાવવાં "ફ્રોડ પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ફંક્શન" પર
ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે."
(ભારપૂર્વક)
૧૬. ક્લોઝ ૨.૨.૧ ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની જોગવાઈઓના આધારે
ફ્રોડનું વર્ગીકરણ કરે છે:
“ક્લોઝ ૨.૨.૧ રિપોર્ટિંગમાં એકરૂપતા રાખવા માટે, છેતરપિંડીઓને મુખ્યત્વે ભારતીય દંડ સંહિતાની
જોગવાઈઓના આધારે નીચે પ્રમાણે વર્ગીકૃ ત કરવામાં આવી
છે:
એ. દુરુપયોગ અને વિશ્વાસનો ગુનાહિત ભંગ
બી. બનાવટી ખતો દ્વારા કપટપૂર્વક રોકડ રકમ, હિસાબના ચોપડામાં અથવા બનાવટી ખાતાંઓ દ્વારા
હેરાફેરી અને મિલકતનું રૂપાંતરણ.
સી. ગેરકાયદેસર લાભો મેળવવાં આપવામાં આવેલ
અનધિકૃ ત ધિરાણ સુવિધાઓ
ડી. રોકડની અછત.
ઇ. છેતરપિંડી અને બનાવટ
એફ. વિદેશી હુંડિયામણ સબબના કપટપૂર્ણ વ્યવહારો
લેવામાં ન આવેલ અન્ય કોઇપણ પ્રકારની
છેતરપિંડી.”
૧૭. ક્લોઝ 3 બેંકોને ફ્રોડ સાથે જોડાંયેલ જોખમોની સમયસર ઓળખ, કંટ્રોલ, રિપોર્ટિંગ અને ઉપચાર માટે સેન્ટ્રલ ફ્રોડ રજીસ્ટ્રી (સી.એફ.આર.)
(ફ્રોડ્યુલન્ટ ખાતાંઓની માહિતી બેંકોને ઉપલબ્ધ કરાવવા
આર.બી.આઇ. દ્વારા તૈયાર કરવામાં આવેલ ડેટાબેઝ)નો પૂર્ણ ઉપયોગ
કરવાની સલાહ આપે છે. ઉપરોક્ત નિર્દેશોની કલમ 3.3 છેતરપિંડી પર
સમયસર માહિતી પ્રદાન કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે અને
સમયરેખાનું પાલન ન કરવા બદલ બેંકોને દંડ કરે છે:
“૩.૩.૧ બેંકોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે, રિપોર્ટિંગ
સિસ્ટમ યોગ્ય રીતે સુવ્યવસ્થિત હોય, કે જેથી કરીને
છેતરપિંડીઓની જાણ કરવામાં વિલંબ અને છેતરપિંડીના
વિલંબિત અને અપૂર્ણ અહેવાલોને ટાળી શકાય. બેંકોએ
આર.બી.આઈ.ને છેતરપિંડીના કેસોની જાણ કરવામાં
વિલંબના સંદર્ભમાં સ્ટાફની જવાબદારી નક્કી કરવી જોઈએ.
૩.૩.૨ છેતરપિંડીઓની જાણ કરવામાં વિલંબ અને
તેનાં પગલે અન્ય બેંકોને મોડસ ઓપરેન્ડી અને બનાવટી
ઋણધારકો સામે કોશન એલર્ટ/સી.એફ.આર. મારફત
માહતીનો પ્રસાર કરવામાં વિલંબને પરિણામે અન્યત્ર સમાન
છેતરપિંડી આચરવામાં આવી શકે છે. તેથી, બેંકોએ
પરિપત્રમાં નિર્ધારિત સમયમર્યાદાનું ચુસ્તપણે પાલન કરવું
જોઈએ, જેમાં નિષ્ફળ રહેતાં, તેઓ બેંકિંગ રેગ્યુલેશન
એક્ટ, ૧૯૪૯ની કલમ ૪૭(એ) હેઠળ નિર્ધારિત
શિક્ષાત્મક પગલાં માટે જવાબદાર રહેશે."
(શબ્દભાર આપવામાં આવે છે.)
૧૮. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ ચાર પ્રકારની છેતરપિંડી માટે નિયમનકારી
માળખું પૂરુ
ં પાડે છે: ( ) i પ્રકરણ IV પ્રયાસ કરવામાં આવેલ છેતરપિંડી
બાબત છે; ( ) ii પ્રકરણ VII ચેક સંબંધિત છેતરપિંડી બાબતે છે; ( ) iii
પ્રકરણ VIII લોન(ધિરાણ)ની છેતરપિંડી સાથે સંબંધિત છે; અને ( ) iv
પ્રકરણ X ચોરી, ઘરફોડ, લૂંટ અને બેંક લૂંટને લગતા કેસો બાબત છે.
હાલના કેસોમાંનો વિવાદ લોનની છેતરપિંડી સાથે સંકળાયેલા પ્રકરણ
VIII સાથે સંબંધિત છે.
૧૯. પ્રકરણ VI જણાવે છે કે, એક સામાન્ય નિયમ તરીકે, છેતરપિંડી/ઉચાપત સાથે સંકળાયેલા કેસો નિરાપવાદપણે રાજ્ય પોલીસ
અથવા સી.બી.આઇ.ને મોકલવા જોઈએ. પ્રકરણ VIII વધુ સબળ
સુરક્ષાની જોગવાઇ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે, બેંકો પૂરી જાણકારી
સહિત અભિપ્રાય ઘડ્યા પછી, તપાસકર્તા સંસ્થાઓને છેતરપિંડીની જાણ
કરે છે. લોનની છેતરપિંડીનો સામનો કરવા માટેનું ફ્રેમવર્ક તા.૦૭ મે
ફ્રેમવર્કના ઉદ્દેશો ક્લોઝ-૮.૨ હેઠળ દર્શાવવામાં આવ્યા છે:
“૮.૨ ફ્રેમવર્કનો ઉદ્દેશ્ય
ફ્રેમવર્કનો ઉદ્દેશ્ય અગમચેતી, વહેલાસર તપાસ, આર.બી.આઈ.ને (સિસ્ટમ સ્તરના એકત્રીકરણ, દેખરેખ
અને પ્રસારણ માટે) ત્વરિત રિપોર્ટિંગ અને (છેતરપિંડી
કરનારા ઋણધારકો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવા
માટે) તપાસ સંસ્થાઓ સંબંધિત પાસાઓ પર બેંકોનું ધ્યાન
કેન્દ્રિત કરવાનો છે, તેમજ બેંકોના સામાન્ય ધંધા-કામકાજ
અને તેમની જોખમ લેવાની ક્ષમતાને પ્રતિકૂળ અસર ન થાય
અને બેંકો પર કોઈ નવી અને ભારે જવાબદારીઓ મૂકવામાં
ન આવે તેની ખાતરી કરવાની સાથે-સાથે (બેદરકારી
અથવા મેળાપીપણું નક્કી કરવા માટે, જો હોય તો) સ્ટાફની
જવાબદારી સબબની કાર્યવાહી સમયસર શરૂ કરવા પર પણ
ધ્યાન આપવાનું છે. આ ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે, ફ્રેમવર્કમાં બેંકે કરવાની કાર્યવાહીની સાથે-સાથે
સમયમર્યાદા પણ સૂચિત કરી છે. ધિરાણના સમગ્ર
કાળક્રમમાં સમયરેખા (ટાઇમ-લાઇન) / તબક્કાવારના
પગલાં બેંક દ્વારા છેતરપિંડીને ઓળખવામાં અને કાયદાની
અમલકર્તા સંસ્થાઓને વધુ અસરકારક પગલાં લેવાં
મદદરૂપ થવામાં બેંકોને લાગતાં સમયને ઘટાડશે તેવી
અપેક્ષા છે. છેતરપિંડીને વહેલાસર શોધી કાઢવી અને જરૂરી
સુધારાત્મક પગલાં લેવાં એ છેતરપિંડી ચાલુ રહેવાથી થનાર
નુકસાનની માત્રા ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે."
એકાઉન્ટ્સ (આર.એફ.એ.) સાથે સંબંધિત છે. ક્લોઝ ૮.૩.૧ હેઠળ, એક આર.એફ.એ. એવું ખાતું છે, જેની શંકાસ્પદ કપટપૂર્ણ ગતિવિધિ
બાબત એક અથવા વધુ ઇ.ડબલ્યુ.એસ. કરવામાં આવ્યા હોય. ધિરાણ
ખાતાંમાં ગેરકૃ ત્ય વિશે બેંક અધિકારીઓને એલર્ટ આપશે તે
ઇ.ડબલ્યુ.એસ. એનેક્ષર-II માં દર્શાવેલ છે, જેમાંના કેટલાંક નીચે મુજબ
છે: i એ. વાર્ષિક અહેવાલમાં જાહેર કર્યા મુજબ વૈધાનિક સંસ્થાઓને
નિર્વિવાદ ચુકવણીમાં કસૂર;
બી. ઊંચા મૂલ્યના ચેકનું પરત થવું;
. ii બાકી લેણાંની ચુકવણીમાં વિલંબ;
. iii સામાન્ય ક્રમથી અલગ, બાકી લોનની રકમ ચૂકવવા માટે અન્ય
બેંકો તરફથી આવતાં ભંડોળ;
. iv હાલના ચાર્જ ધારકોના ન-વાંધા પ્રમાણપત્ર વિના સંખ્યાબંધ
ધિરાણકર્તાઓને વિશેષ કોલેટરલ ચાર્જ માટે આપવામાં આવતાં;
. v કોલેટરલ સિક્યોરિટીઝના ટાઇટલ બાબત વિવાદ; અને
. vi સ્ટોક ઓડિટ રિપોર્ટમાં ગંભીર સમસ્યાઓ.
૨૧. ઇ.ડબલ્યુ.એસ. આગળ જતાં છેતરપિંડી બની શકે તેવાં ગેરકૃ ત્યો તરફ
ઇશારો કરે છે. ઇ.ડબલ્યુ.એસ.ની હાજરીથી બેંકને ચેતવણી મળે છે અને
સંબંધિત બેંક ખાતા સબબ વિગતવાર તપાસ શરૂ કરવા માટે બેંકે તેનો
જવાબદાર અધિકારીએ ઇ.ડબલ્યુ.એસ. માંથી આવતી કોઇપણ જાણકારી
બાબત બેંક દ્વારા રચવામાં આવેલ ફ્રોડ મોનિટરિંગ ગ્રુપ
(એફ.એમ.જી.)ને તુરંત જ રિપોર્ટ કરવો જોઇએ. આ ક્લોઝ બેંકોને
ઇ.ડબલ્યુ.એસ. (અર્લી વોર્નિંગ સિસ્ટમ) નું સંજ્ઞાન લેવા અને
આર.એફ.એ. (રેડ ફ્લેગ્ડ એકાઉન્ટ)માં વિગતવાર તપાસ શરૂ કરવા
નિર્દેશ આપે છે.
૨૨. ક્લોઝ ૮.૮ એવી પરિસ્થિતિઓ સાથે સંબંધિત છે જ્યાં બેંક એકમાત્ર
ધિરાણકર્તા હોય. આવી પરિસ્થિતિઓમાં, એફ.એમ.જી. (ફ્રોડ
મોનિટરિંગ ગ્રુપ)ને એ નિર્ણય લેવાની જવાબદારી સોંપવામાં આવી છે કે, જે બેંક ખાતામાં ઇ.ડબલ્યુ.એસ. જોવામાં આવ્યું છે તેને આર.એફ.એ.
તરીકે વર્ગીકૃ ત કરવું કે કેમ. બેંકને આર.એફ.એ. સ્ટેટસ પર આખરી
નિર્ણય લેતાં પૂર્વે બાહ્ય ઓડિટરની સેવા લેવાની પરવાનગી છે. જો કે, તે
જરૂરી છે કે, છ મહિનાની અંદર બેંક કાં તો આર.એફ.એ.નું સ્ટેટસ હટાવી
લે અથવા તપાસ કે ફોરેન્સિક ઓડિટ અનુસાર ખાતાને ફ્રોડ્યુલન્ટ તરીકે
વર્ગીકૃ ત કરે.
૨૩. ક્લોઝ ૮.૯ કન્સોર્ટિયમ અથવા મલ્ટીપલ બેંકિંગ સિસ્ટમ (એમ.બી.એ.)
હેઠળ ધિરાણ સાથે સંબંધિત છે. ક્લોઝ ૮.૯.૨ જોગવાઈ કરે છે કે,
પરિણામી કાનૂની પગલાંઓ માટેની સર્વસંમત વ્યૂહરચના, ફોલો-અપ્સ, વિગતો અને માહિતીની આપ-લે સતત કરતાં રહેવું જોઈએ. ક્લોઝીસ
૮.૯.૪ અને ૮.૯.૫ ઋણધારકના ખાતાને ફ્રોડ્યુલન્ટ તરીકે વર્ગીકૃ ત
કરવાની પ્રક્રિયાની જોગવાઇ કરે છે:
“૮.૯.૪ કોઈપણ પ્રમાણભૂત ખાતાંને આર.પી.એ. (રેડ
ફ્લેગ્ડ એકાઉન્ટ) એન.પી.એ. ખાતું અથવા ફ્રોડ્યુલન્ટ તરીકે
વર્ગીકૃ ત કરવાનો પ્રારંભિક નિર્ણય વ્યક્તિગત સ્તરે હશે અને
સી.આર.આઇ.એલ.સી. પ્લેટફોર્મ પર ખાતાંને આર.એફ.એ. કે
ફ્રોડ્યુલન્ટ હોવાની સ્થિતિની જાણ કરવાની જવાબદારી જે તે
બેંકની રહેશે, કે જેથી કરીને અન્ય બેંકો પણ સચેત થઇ શકે. એવાં
કિસ્સામાં, જ્યાં આ તબક્કે જ લોન ખાતાંને સીધેસીધું ફ્રોડ તરીકે
વર્ગીકૃ ત કરવમાં આવ્યું હોય તો, બેંકે આવું જ્ઞાત થયાના ૨૧
દીવસની અંદર તે ફ્રોડનો રિપોર્ટ આર.બી.આઇ.ને કરવાનો રહેશે
અને જે હાલમાં અનુસરવામાં આવી રહ્યું છે તેમ, તે કેસ
સી.બી.આઇ./ પોલીસને રિપોર્ટ કરવાનો રહેશે. વધુમાં, આર.એફ.એ./છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત થયાના ૧૫ દિવસની
અંદર, જે બેંકે ખાતાને રેડ ફ્લેગ કર્યું છે અથવા છેતરપિંડી શોધી
કાઢી છે તે કન્સોર્ટિયમ લીડર અથવા એમ.બી.એ. હેઠળના સૌથી
મોટા ધિરાણકર્તાને આ મુદ્દા પર ચર્ચા કરવા જે.એલ.એફ.
(જોઇન્ટ લેન્ડિંગ ફોરમ)ની બેઠક બોલાવવા કહેશે. આવી વિનંતી
પ્રાપ્ત થયાના ૧૫ દિવસની અંદર જે.એલ.એફ.ની આ રીતે
જણાવવામાં આવેલી બેઠક બોલાવવી આવશ્યક છે. એવાં
કિસ્સામાં, જ્યાં ખાતાંને ફ્રોડ તરીકે વર્ગીકૃ ત કરવામાં વ્યાપક
નિયમાનુસાર કુલ ધિરાણમાં ઓછામાં ઓછા ૬૦ ટકા ભાગ
ધિરાણ ધરાવતી બેંકો વચ્ચે સહમતિ થતાં, કોન્સોર્ટીયમ લીડર
અથવા એમ.બી.એ. હેઠળની સૌથી મોટી ધિરાણકર્તા બેંક દ્વારા
અધિકૃ ત કરાયેલ ફોરેન્સિક ઓડિટને આધીન, તમામ બેંકોએ
ખાતાંને રેડ ફ્લેગ કરવાનું રહેશે. બહુવિધ-બેંકિંગ વ્યવસ્થાના
કોન્સોર્ટિયમના ભાગરૂપે, તમામ બેંકોએ ખર્ચ વહેંચવાનો રહેશે
અને આવી તપાસ માટે જરૂરી સહાય પૂરી પાડવાની રહેશે.
૮.૯.૫ ઓડિટને અધિકૃ ત કરતી જેએલએફ (જોઇન્ટ લેન્ડિંગ
ફોરમ)ની બેઠકની તારીખથી મહત્તમ ત્રણ મહિનાની અંદર
ફોરેન્સિક ઓડિટ પૂર્ણ થવું રહયું. ફોરેન્સિક ઓડિટ પૂર્ણ થયાનાં
૧૫ દિવસની અંદર જેએલએફ ફેર-બેઠક યોજશે અને, સર્વસંમતિ
દ્વારા કે ઉપર જણાવ્યા અનુસાર બહુમતીના નિયમ મુજબ, એકાઉન્ટની સ્થિતિ પર નિર્ણય લેશે. જો એકાઉન્ટને ફ્રોડ તરીકે
વર્ગીકૃ ત કરવાનો નિર્ણય લેવામાં આવે, તો તમામ બેંકોમાં
આર.એફ.એ. (રેડ ફ્લેગ એકાઉન્ટ)નો દરજ્જો બદલીને 'ફ્રોડ'
કરવામાં આવશે અને આ નિર્ણયના એક અઠવાડિયાની અંદર
આર.બી.આઈ.ને તેમજ સી.આર.આઈ.એલ.સી.ના પ્લેટફોર્મ પર
જાણ કરવામાં આવશે. આ ઉપરાંત રિઝર્વ બેંકના અહેવાલનાં ૩૦
દિવસની અંદર ફોરેન્સિક ઓડિટ મંજૂર કરનાર/શરૂ કરનાર બેંકે
કન્સોર્ટિયમ/એમ.બી.એ.ની તમામ બેંકો વતી સીબીઆઈમાં
ફરિયાદ દાખલ કરવી જોઈએ. આ હેતુ માટે, જો ફોરેન્સિક ઓડિટ
શરૂ કરનારી બેંક ખાનગી ક્ષેત્રની બેંક હોય, તો
કોન્સોર્ટિયમ/એમ.બી.એ. માંથી સંબંધિત ખાતાંમાં સૌથી વધુ
એક્સપોઝર ધરાવતી જાહેર ક્ષેત્રની બેંકે સીબીઆઈમાં ફરિયાદ
પી.એસ.યુ. બેંક ન હોય કે એક માત્ર ખાનગી ક્ષેત્રની બેંક/વિદેશી
બેંક દ્વારા જ ધિરાણ કરવાામાં આવ્યું હોય, તો ખાનગી
બેંક/વિદેશી બેંકે હાલની સૂચનાઓ અનુસાર પોલીસને જાણ
કરવાની રહેશે. આગલી બેંક કે જેણે છેતરપિંડીની ઓળખ કરી હતી
અને કોન્સોર્ટિયમ/એમ.બી.એ.ને જાણ કરી હતી તેનાં દ્વારા
દાખલ કરવામાં આવેલ ફરિયાદ ઉપરાંતમાં આ કરવાનું રહેશે.
૨૪. ક્લોઝ ૮.૯.૪ જણાવે છે કે, આર.એફ.એ. અથવા ફ્રોડ તરીકે કોઈ
ખાતાનું વર્ગીકરણ કરવાનો પ્રારંભિક નિર્ણય લેવાની ક્ષમતા સંબંધિત
બેંકમાં નિહિત છે. એકવાર બેંક જે તે ખાતાને 'ફ્રોડ' તરીકે વર્ગીકૃ ત કરે, તો
તે બેંકની જવાબદારી છે કે તે અન્ય બેંકોને એલર્ટ કરવાં સેન્ટ્રલ
રિપોઝીટરી ઓફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ
(સી.આર.આઇ.એલ.સી.) પ્લેટફોર્મ પર સંબંધિત ખાતાંના આર.એફ.એ.
(રેડ ફ્લેગ્ડ એકાઉન્ટ) અથવા ફ્રોડના દરજ્જાને રિપોર્ટ કરે. જો કોઈ બેંક જે
તે ખાતાંને સીધા જ 'ફ્રોડ' તરીકે વર્ગીકૃ ત કરવાનો નિર્ણય લે છે, તો તે
ફ્રોડ જ્ઞાત થયાના ૨૧ દિવસની અંદર રિઝર્વ બેંકને જાણ કરવી જરૂરી છે
તેમજ સી.બી.આઇ./પોલીસને પણ આ કેસની જાણ કરવી. વધુમાં, ૧૫
દિવસની અંદર જે તે બેંક એમ.બી.એ. (મલ્ટીપલ બેંકિંગ એરેન્જમેન્ટ)
હેઠળ કન્સોર્ટિયમ લીડર અથવા સૌથી મોટા ધિરાણકર્તાને આ મુદ્દે ચર્ચા
શકે છે. વિનંતી મળ્યાના ૧૫ દિવસની અંદર જે.એલ.એફ.ની બેઠક
યોજવાની રહેશે. જો વ્યાપક સંમતિ હોય તો જે.એલ.એફ. જે તે ખાતાંને
'ફ્રોડ' તરીકે વર્ગીકૃ ત કરી શકે છે. અન્યથા, આ ક્લોઝ સૂચવે છે કે, એમ.બી.એ. હેઠળ કોન્સોર્ટિયમ લીડર અથવા સૌથી મોટા ધિરાણકર્તા
દ્વારા મંજૂર/શરૂ કરાયેલ ફોરેન્સિક ઓડિટને આધિન, કુલ ધિરાણમાં
ઓછામાં ઓછા ૬૦ ટકા હિસ્સો ધરાવતી બેંકો મધ્યેની સહમતિને આધારે
તમામ બેંકોએ ખાતાને રેડ-ફ્લેગ્ડ કરવું જોઈએ.
૨૫. ક્લોઝ ૮.૫ જણાવે છે કે, ઓડિટને અધિકૃ ત કરતી જે.એલ.એફ.ની
બેઠકની તારીખથી ૩ મહિનાની અંદર ફોરેન્સિક ઓડિટ પૂર્ણ કરવું રહ્યું.
ઓડિટ પૂર્ણ થયાના ૧૫ દિવસની અંદર, જે.એલ.એફ.એ ખાતાને 'ફ્રોડ'
તરીકે વર્ગીકૃ ત કરવા બાબતનો નિર્ણય લેવાનો રહેશે અને રિઝર્વ બેંકને
તેની જાણ કરવાની રહેશે. આ ક્લોઝ મુજબ તે પણ જરૂરી છે કે, ઓડિટ
શરૂ કરનારી બેંક રિઝર્વ બેંકને અહેવાલ કર્યાના ૩૦ દિવસની અંદર
કન્સોર્ટિયમમાંની તમામ બેંકો વતી સીબીઆઈમાં ફરિયાદ દાખલ કરે.
૨૬. ક્લોઝ ૮.૧૧ કાયદાની અમલકર્તા સંસ્થાઓ સમક્ષ ફરિયાદો દાખલ કરવા
સાથે સંબંધિત છે. ક્લોઝ ૮.૧૧.૧ મુજબ બેંકોએ ફ્રોડની જાણ થતાં,
છે. સદરહુ ક્લોઝ બેંકોને ફરિયાદ દાખલ કરવામાં થતાં વિલંબને નાબૂદ
કરવાનું આદેશાત્મક વિધાન છે, કેમ કે, તેમ (વિલંબ) થતાં દસ્તાવેજોનો
નાશ, સાક્ષીઓની અનુપલબ્ધિ, ઋણધારકનું પલાયન, નાણાંના ટ્રેલનો
અંત અને કપટી ઋણધારકો દ્વારા અસ્કામતોને સગેવગે કરવી જેવાં
પરિણામો આવી શકે છે.
૨૭. છેતરપિંડી કરનારાઓ માટેના શિક્ષાત્મક પગલાં ક્લોઝ ૮.૧૨ માં
દર્શાવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છેઃ
“૮.૧૨ છેતરપિંડી કરનારાઓ માટેના શિક્ષાત્મક પગલાં
૮.૧૨.૧ સામાન્યપણે, જ્યાં સુધી જે તે કંપની માટે બેંકિંગ
વ્યવસ્થા કે મૂડીબજારમાંથી ભંડોળ ઊભું કરવાને સંબંધ છે, વિલફુલ ડિફોલ્ટર્સને લાગુ પડતી શિક્ષાત્મક જોગવાઈઓ કંપની
સાથે જોડાયેલ કે સંબંધ ધરાવતાં કંપનીના પ્રમોટર ડાયરેક્ટર અને
અન્ય પૂર્ણકાલિન ડિરેક્ટરો સહિત, છેતરપિંડી કરનારાઓને લાગુ
પડશે. ખાસ કરીને, જે ઋણધારકોએ ડિફોલ્ટ કર્યો છે અને
ખાતામાં છેતરપિંડી પણ કરી છે, તેમને છેતરપિંડી થયેલી રકમની
સંપૂર્ણ ચુકવણીની તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે
શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો, વિકાસલક્ષી નાણાકીય સંસ્થાઓ, સરકારની માલિકીની એન.બી.એફ.સી. (નોન-બેંકિંગ ફાયનાન્સ
કંપની), રોકાણ સંસ્થાઓ વગેરે પાસેથી બેંક ધિરાણ મેળવવાથી
વંચિત રાખવામાં આવશે. આ સમયગાળા પછી, આ પ્રકારના
ઋણધારકોને ધિરાણ આપવું કે નહીં તે અંગે નિર્ણય જે તે
ડિરેક્ટર્સ અને ઇન્ડીડેન્ડેન્ટ ડિરેક્ટર્સની જેમ) બિન-પૂર્ણકાલીન
(નોન-હોલટાઇમ) ડાયરેક્ટર્સને, તેમની સંડોવણીના નિર્ણાયક
પુરાવાના આધાર પર, માત્ર વિશેષ કિસ્સાઓમાં જ લાગુ પડશે.
૮.૧૨.૨ આર.એફ.એ. (રેડ ફ્લેગ્ડ એકાઉન્ટ) અથવા ફ્રોડ
ખાતાઓના કિસ્સામાં કોઈ (ધિરાણ) પુનર્ગઠન કે વધારાની
સુવિધાઓ મંજૂર કરી શકાશે નહીં. જોકે છેતરપિંડી/ગેરરીતિના
કિસ્સાઓમાં, જ્યાં હાલના પ્રમોટર્સનું સ્થાન નવા પ્રમોટર્સ લે અને
ઋણધારક કંપની અગાઉના પ્રમોટર્સ/મેનેજમેન્ટથી સંપૂર્ણપણે
અલગ થઈ જાય, તેવાં કિસ્સામાં બેંકો અને જે.એલ.એફ., અગાઉના પ્રમોટર્સ/મેનેજમેન્ટ સામેની ફોજદારી કાર્યવાહી પર કોઇ
અસર ન થાય તેમ, મેનેજમેન્ટની વ્યવહારિકતાને આધારે આવા
ખાતાઓના (ધિરાણ) પુનર્ગઠન પર વિચાર કરી શકે છે.
૮.૧૨.૩ કપટકર્તા ઋણધારક સામેલ હોય તેવાં કોઈ પણ
ધિરાણ સબબ, સિવાય કે ફોજદારી ફરિયાદ ચાલુ રાખવાની શરત
મૂકવામાં આવી હોય, કોઇ સેટલમેન્ટ (પતાવટ)ની મંજૂરી નથી.
૮.૧૨.૪ ઉપરોક્ત ઋણધારકો ઉપરાંતમાં, ધિરાણ મંજૂર
કરાવવામાં/ ચૂકવણું કરાવવામાં કે છેતરપિંડીને માર્ગ કરી
આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય, તેવાં કપટકર્તા
બિલ્ડરો, વેરહાઉસ/કોલ્ડ સ્ટોરેજ માલિકો, મોટર વાહન/ટ્રેક્ટર
ડીલરો, ટ્રાવેલ એજન્ટો વગેરે જેવા ત્રાહિત પક્ષકારો તેમજ
આર્કિટેક્ટ, વેલ્યુઅર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એડવોકેટ ઇત્યાદિ
જેવા વ્યાવસાયિકોને પણ જવાબદાર ઠેરવવામાં આવે છે. બેંકોને
સામેલ પક્ષકારોની વિગતોની ઇન્ડિયન બેંક્સ એસોસિએશન
(આઈબીએ) ને જાણ કરે.
૮.૧૨.૫ આઇ.બી.એ. સમક્ષ રજૂઆત કરતા પહેલાં બેંકોએ
સંબંધિત ત્રીજા પક્ષોની સંડોવણી અંગે પોતે ખાતરી કરવાની રહે છે
તેમજ તેમને સુનાવણીની તક પણ આપવાની રહે છે. આ સંબંધમાં
બેંકોએ સામાન્ય પ્રક્રિયાઓનું પાલન કરવું જોઈએ અને યોગ્ય રીતે
અનુસરવામાં આવેલી પ્રક્રિયાઓની નોંધ પણ રાખવી જોઈએ. આ
પ્રકારની માહિતીના આધારે આઇ.બી.એ., બેંકોને અરસપરસ જાણ
કરવાના હેતુસર, આ પ્રકારના ત્રાહિત પક્ષકારોની સાવચેતી-યાદી
(કોશન લિસ્ટ) તૈયાર કરશે.”
૨૮. ક્લોઝ ૮.૧૨.૧ જોગવાઈ કરે છે કે, બેન્કિંગ સિસ્ટમ અને નાણાકીય
સંસ્થાઓમાંથી ભંડોળ ઊભું કરવાના સંબંધમાં છેતરપિંડી કરનારાઓ પર
વિલફુલ ડિફોલ્ટર્સ પર લાગૂ થતી શિક્ષાત્મક જોગવાઈઓ લાગુ પડશે.
મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, આ ક્લોઝ હેઠળ છેતરપિંડી કરનારાઓમાં
ધિરાણ લેનારી કંપનીના પ્રમોટર્સ, ડિરેક્ટર્સ અને અન્ય પૂર્ણકાલીન
ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે. સદરહુ ક્લોઝ કપટી ઋણધારકોને, છેતરપિંડીની રકમની સંપૂર્ણ ચુકવણીની તારીખથી પાંચ વર્ષના
સમયગાળા માટે, શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો, વિકાસલક્ષી નાણાકીય
સંસ્થાઓ, સરકારની માલિકીની એન.બી.એફ.સી., રોકાણ સંસ્થાઓ
થયા પછી પણ, તે જે તે નાણાકીય સંસ્થાઓએ નક્કી કરવાનું છે કે, ઋણધારક કંપનીના ડિરેક્ટર્સ અને પ્રમોટર્સ સહિત, છેતરપિંડી
કરનારાઓને ધિરાણ આપવું કે નહીં. વધુમાં, ક્લોઝ ૮.૧૨.૨ હેઠળ, કપટી ઋણધારકોને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા (દેવાંનું)
પુનર્ગઠન અથવા વધારાની સુવિધાઓ આપવાનો ઇનકાર કરવામાં આવે
છે.
ડી.૨ ઓડી અલ્ટેરમ પાર્ટેમ (સામા પક્ષને સુનાવણીની તકનો સિદ્ધાંત)
૨૯. આપણે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, કુદરતી ન્યાયના સિદ્ધાંતો એ
કાયદેસરની ઔપચારિકતાઓ માત્ર નથી. તે નિર્ણયકર્તા અને ફેંસલકર્તા
સત્તામંડળોઓએ અનુસરવાની થતી નક્કર જવાબદારીનું નિર્માણ કરે છે.
કુદરતી ન્યાયના સિદ્ધાંતો ન્યાયિક, અર્ધ-ન્યાયિક અને વહીવટી
સત્તામંડળો દ્વારા પ્રક્રિયા અને વજૂદ એમ બંને દ્રષ્ટિએ મનમાનીપૂર્ણ
કાર્યવાહી સામે બાંહેધરી તરીકે કામ કરે છે. કુદરતી ન્યાયના બે મૂળભૂત
સિદ્ધાંતો ભારતીય ન્યાયશાસ્ત્રમાં સમાયેલા છેઃ ( ) i નેમો જુડેક્સ ઇન
કોઝા સુઆ, જેનો અર્થ એ થાય કે, કોઈ પણ વ્યક્તિ પોતાના કેસમાં
ન્યાયાધીશ બનવી જોઈએ નહિ. ( ) ‘ ii ઓડી અલ્ટેરમ પાર્ટેમ’ એટલે કે
વહીવટી, ન્યાયિક કે અર્ધ-ન્યાયિક કાર્યવાહીમાં, નિર્ણય લેતાં પહેલાં
જોગવાઇઓના તેવાં અર્થઘટનની તરફેણ કરે છે, જે કુદરતી ન્યાયના
સિદ્ધાંતો સાથે સુસંગત છે, કારણ કે, એવું માનવામાં આવે છે કે કાનૂની
સત્તામંડળોનો આશય મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવાનો હોતો નથી.
ઉક્ત સિદ્ધાંતો લાગૂ પાડવાની બાબત જે તે કેસના તથ્યો અને સંજોગો પર
આધારિત છે. જે કાયદાઓ હેઠળ વહીવટી સત્તાનું પ્રયોજન કરવામાં આવે
છે તેની ભાષા અને માળખાંની અભિવ્યક્તિ પર, જે પ્રકૃ તિ અને હેતુ માટે
સત્તા આપવામાં આવી છે અને તે સત્તાના ઉપયોગની અંતિમ અસર પર તે
નિર્ભર કરે છે. [ભારત સરકાર વિ. કર્નલ જે. એન. સિંહા, (૧૯૭૦) ૨
એસ. સી. સી. ૪૫૮]
૩૦. જ્યારે ઋણધારકો દલીલ કરે છે કે, માસ્ટર ડાયરેક્શન્સ ઓન ફ્રોડ હેઠળ
નિર્ધારિત પ્રક્રિયા અનુસાર ઋણધારકોના ખાતાઓનું ફ્રોડ તરીકે
વર્ગીકરણ કરવામાં બેંકોની કામગીરી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન
કરે છે, ત્યારે આર.બી.આઈ. અને ધિરાણકર્તા બેંકો દલીલ કરે છે કે, તપાસકર્તા સંસ્થાઓને ફોજદારી ગુનાની જાણ કરવાના તબક્કે આ
સિદ્ધાંતો લાગૂ પાડી શકાતા નથી. સૌપ્રથમ, અમે સ્પષ્ટતા કરીએ છીએ
કે, તે આ અદાલતે સ્વીકારેલી કાયદાની સાતત્યપૂર્ણ સ્થિતિ છે કે, ફોજદારી ગુનો નોંધાવવાના તબક્કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો લાગુ પડતાં
ન્યાયાધીશોની ખંડપીઠે ઠેરવ્યુું હતું કે, દરેક ફોજદારી કેસમાં આરોપીઓ
સામે કોઈ પણ કાર્યવાહી કરતાં પહેલાં તેમને સુનાવણીની તક આપવી એ
કાર્યવાહીને નિષ્ફળ બનાવશે, કાયદો જેની માંગ કરે છે તે શીઘ્ર-
કાર્યવાહીમાં અવરોધ ઊભો થશે, ન્યાયના હેતુઓ માર્યા જશે અને તપાસ
સાથે સંબંધિત કાયદાની જોગવાઈઓને તે નિર્જીવ, બેતુકી અને
સ્વહાનિકર્તા બનાવશે. (૧૯૯૩ સપ્પ. (૪) એસ.સી.સી. ૨૬૦.)
ફરીવાર, આ અદાલતની બે ન્યાયાધીશોની ખંડપીઠે અંજુ ચૌધરી વિરુદ્ધ
યુપી રાજ્ય (૨૦૧૩) ૬ એસ.સી.સી. ૩૮૪ માં પુનરોચ્ચાર કર્યો છે કે, ફોજદારી પ્રક્રિયા સંહિતા, ૧૯૭૩ એફ.આઇ.આર. નોંધાયા પહેલાં
સુનાવણીના અધિકારની જોગવાઇ કરતી નથી.
૩૧. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડનાં પ્રકરણ VIII માં ઋણધારકો સામે
ફોજદારી ફરિયાદ કરવાનો અભિપ્રાય બનાવતાં પહેલા બેંકોએ
અનુસરવાની થતી વિસ્તૃત પ્રક્રિયાઓની જોગવાઇ કરવામાં આવી છે.
ઉક્ત પ્રકરણ હેઠળ, ઋણધારકના ખાતાનું ફ્રોડ તરીકે વર્ગીકરણ કર્યા
પછી ધિરાણકર્તા બેંકોએ સીબીઆઈને ઋણધારકની જાણ કરવાની રહે
છે. જો કે, ઋણધારકના ખાતાનું વર્ગીકરણ થતાં કાયદાની અમલકર્તા
સત્તામંડળ સમક્ષ માત્ર ફોજદારી ફરિયાદ કે અહેવાલ કરવામાં આવતાં
શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવે છે.
૩૨. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ હેઠળ જાણકારી સહિતનો અભિપ્રાય
ઘડવાની પ્રક્રિયા વહીવટી સ્વરૂપની છે. રિઝર્વ બેંક અને ધિરાણકર્તા બેંકો
દ્વારા તેમની લેખિત રજૂઆતમાં પણ આ સ્વીકારવામાં આવ્યું છે. હવે, એ
કાયદાનો સ્થાપિત સિદ્ધાંત છે કે, ઓડી આલ્ટેર્મ પાર્ટમ (સામાપક્ષને
સુનાવણીના અધિકાર)નો નિયમ ન્યાયિક અને અર્ધ-ન્યાયિક કાર્યો
ઉપરાંત વહીવટી કામગીરીઓને પણ લાગુ પડે છે. (એ. કે. ક્રિપાક વિ.
ભારત સરકાર, (૧૯૬૯) ૨ એસ.સી.સી. ૨૬૨ – ગવર્નિંગ બોડી, સેન્ટ
એન્થોની કોલેજ, શિલોંગ અને અન્યો વિરુદ્ધ રેવ.ફા.પોલ પેટ્ટા ઓફ
શિલોંગ, (૧૯૮૮) સપ્પ. એસ.સી.સી. ૬૭૬; ઉમા નાથ પાંડે અને
અન્યો વિ. ઉત્તરપ્રદેશ સરકાર, (૨૦૦૯) ૧૨ એસ.સી.સી. ૪૦.)
વહીવટી કાયદામાં પણ એક સ્થાપિત સ્થિતિ એ છે કે, જ્યારે કોઈ
વહીવટી કાર્યવાહી કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને દીવાની પરિણામો તરફ
દોરી જાય, ત્યારે તેને સુનાવણીની તક આપવી ફરજિયાત છે.
૩૩. ઓડિશા રાજ્ય વિરુદ્ધ ડૉ. (મિસ) બિનાપાની દેઈ (એઆઈઆર ૧૯૬૭
એસસી ૧૨૬૯) કેસમાં આ અદાલતની બે ન્યાયાધીશોની ખંડપીઠે ઠેરવ્યું
ધરાવતા દરેક સત્તામંડળની ફરજ છે કે તેઓ સુનાવણીની વાજબી તક
આપે.વધુમાં, આ અદાલતે ઠરવ્યું હતું કે, દિવાની પરિણામો સાથે
સંકળાયેલી વહીવટી કાર્યવાહી કુદરતી ન્યાયના નિયમો સાથે સુસંગત
હોવી જોઈએઃ
"૯. […] એવો નિયમ કે, જે પક્ષકારની વિરુદ્ધ/
સામેનો કોઈ આદેશ પસાર કરવાનો ઇરાદો હોય, તે પક્ષકાર
સુનાવણીને હકદાર છે, અને આ નિયમ ન્યાયિક
ટ્રિબ્યુનલ્સ અને, જેનાં પરિણામો દીવાની પ્રકારના હોય
તેવી કાર્યવાહીના ન્યાયનિર્ણયની સત્તા જેનામાં નિહિત્ છે
તેવાં, સત્તામંડળને સમાનપણે લાગૂ પડે છે. આપણા
બંધારણીય માળખાનો આ મૂળભૂત નિયમ છે કે, દરેક
નાગરિકને રાજ્ય અથવા તેના અધિકારીઓ દ્વારા કરવામાં
આવતાં સત્તાના મનસ્વી ઉપયોગથી રક્ષણ આપવામાં
આવે. આથી, ન્યાયિક રીતે કામગીરી કરવાની ફરજ આ
કાર્યના સ્વરૂપમાંથી જ ઉભી થશે. તેને વિશેષપણે
ઉમેરાયેલી દર્શાવવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિના
વિરુદ્ધમાં કે તેની સામે નિર્ણય લેવાની અને ફેંસલ કરવાની
સત્તા હોય, તો ન્યાયિક રીતે કાર્ય કરવાની ગર્ભિત ફરજ
આવી શક્તિના પ્રયોજનમાં નિહિત છે. જો ન્યાયના
આવશ્યક ઘટકોને અવગણવામાં આવે અને કોઈ વ્યક્તિના
વિરુદ્ધમાં હુકમ કરવામાં આવે, તો તે આદેશ અમાન્ય
ગણાય છે. આ કાયદાના શાસનનો મૂળભૂત ખ્યાલ છે અને
તેનું મહત્વ કોઈ પણ કેસમાં નિર્ણયના મહત્વથી ઉપર છે."
અદાલતની સાત ન્યાયાધીશોની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે, સત્તામંડળે લીધેલાં નિર્ણયને પગલે દીવાની સ્વરૂપના પરિણામોનો
સામનો કરી રહેલ કોઈ વ્યક્તિને સુનાવણીની તક મળવી જોઈએ. આ
અદાલતના અનેક નિર્ણયોમાં તેનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે.
કાયદાની સ્થાપિત સ્થિતિને ધ્યાનમાં રાખીને આપણી સામે આગામી પ્રશ્ન
એ છે કે, 'દીવાની પરિણામો' અભિવ્યક્તિનો વ્યાપ અને વ્યાખ્યા શું છે.
૩૫. મોહિન્દર સિંહ ગિલ વિરુદ્ધ મુખ્ય ચૂંટણી કમિશનર, નવી દિલ્હી
(૧૯૭૮) ૧ એસ.સી.સી. ૪૦૫ માં આ કોર્ટની બંધારણીય પીઠે ઠેરવ્યું હતું
કે, 'દીવાની પરિણામો' માં માત્ર મિલકત અથવા વ્યક્તિગત અધિકારોનો
જ નહીં, પરંતુ નાગરિક સ્વાતંત્ર્યો, ભૌતિક વંચિતતાઓ અને બિન-
નાણાંકીય નુકસાનનો પણ સમાવેશ થાય છે. તે કેસમાં અદાલતે ઠેરવ્યું
હતું કે, મત આપવાના લોકતાંત્રિક અધિકારથી વંચિત રાખવાં એ દીવાની
પગલાંમાં પરિણમે છે. ડી. કે. યાદવ વિ. જે. એમ. એ. ઇન્ડસ્ટ્રીઝ
(૧૯૯૩) ૩ એસ.સી.સી. ૨૫૯માં આ અદાલતની ત્રણ જજોની ખંડપીઠે
નોંધ્યું હતું કે, “નાગરિક જીવનમાં નાગરિકને અસર કરતી દરેક બાબત
દીવાની પગલાંમાં પરિણમે છે."
અદાલતની બે ન્યાયાધીશોની ખંડપીઠે, સ્પષ્ટપણે, દીવાની પરિણામો
સાથે સંકળાયેલા વહીવટી કાર્યવાહીઓ માટે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો
ઇતિહાસ, વ્યાપ અને અમલીકરણનો સારાંશ નીચે મુજબ આપ્યો છેઃ
૧૪. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કુદરતી ન્યાયના ખ્યાલમાં
ઘણો બદલાવ આવ્યો છે. કુદરતી ન્યાયના નિયમો એ
કાયદામાં અથવા તે અંતર્ગત બનાવેલા નિયમોમાં હંમેશા
સ્પષ્ટ રીતે સમાવિષ્ટ નિયમો નથી. જે તે કાયદા હેઠળની
ફરજરૂપે તે ગર્ભિતરૂપે પણ હોઇ શકે છે. કુદરતી ન્યાયનો
કયો નિયમ અને કયા સંદર્ભમાં લાગૂ પાડવો તે માટે, મુખ્યત્વે, કેસની હકીકત અને સંજોગો તેમજ જે કાયદા
હેઠળ તપાસ હાથ ધરવામાં આવે છે તેના માળખા પર
આધાર રાખવો જોઇએ. ન્યાયિક કાયદા અને વહીવટી
કાયદા વચ્ચેનો જૂનો તફાવત હવે દૂર થઈ ગયો છે. દીવાની
પરિણામો સામેલ હોય તેવાં વહીવટી આદેશો પણ કુદરતી
ન્યાયના નિયમો સાથે સુસંગત હોવા જોઈએ. "દીવાની
પરિણામો" "અભિવ્યક્તિમાં માત્ર મિલકત અથવા
વ્યક્તિગત અધિકારોનું ઉલ્લંઘન નહીં, પરંતુ નાગરિક
સ્વાતંત્ર્યો, ભૌતિક વંચિતતાઓ અને બિન-નાણાંકીય
નુકસાનનો પણ સમાવેશ થાય છે." તેનાં વિશાળ
પરિપેક્ષ્યમાં, નાગરિકને તેનાં નાગરિક-જીવન દરમ્યાન
અસર કરતી તમામ બાબતોને તે આવરી લે છે.
માત્ર સંપત્તિ અથવા વ્યક્તિગત અધિકારોનું જ ઉલ્લંઘન જ નહિ, પરંતુ
નાગરિક સ્વાતંત્ર, ભૌતિક વંચિતતાઓ અને બિન-નાણાંકીય નુકસાનનો
પણ સમાવેશ થાય છે. દીવાની પરિણામો સામેલ હોય અથવા નાગરિકને
પ્રતિકૂળ અસર થતી હોય તેવાં પ્રત્યેક આદેશ અથવા કાર્યવાહી કુદરતી
ન્યાયના સિદ્ધાંતો અનુસારના હોવાં જોઈએ.
૩૭. અમારી વિચારણાં માંગી લેતો હવે પછીનો પ્રશ્ન એ છે કે, શું માસ્ટર
ડાયરેક્શન્સ ઓન ફ્રોડ હેઠળ ઋણધારકના ખાતાનું ફ્રોડ તરીકેનું
વર્ગીકરણ ઋણધારક માટે દીવાની પગલાંમાં પરિણમે છે કે કેમ?
૩૮. આર.બી.આઇ. અને ધિરાણકર્તા બેંકોએ દલીલ કરી છે કે, માસ્ટર
ડાયરેક્શન્સ ઓન ફ્રોડના ક્લોઝ ૮.૧૨.૧ અન્વયે વિચારવામાં આવેલ
દીવાની પરિણામો (પગલાંઓ) વ્યાજબી છે. ઉપરોક્ત ક્લોઝ હેઠળ, કંપનીના પ્રમોટર્સ અને ડિરેક્ટર્સ સહિત ઋણધારકને પાંચ વર્ષ અને
કદાચ તેનાથી વધુ સમયગાળા માટે પણ નાણાં બજાર અને મૂડી
બજારોમાંથી ધિરાણ મેળવવાથી પ્રતિબંધિત કરવામાં આવે છે.
આર.બી.આઇ. અને ધિરાણકર્તા બેંકોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના
ઓન ફ્રોડ અન્વયે જોગવાઇ કરેલ કાર્યવાહી જાહેર હિતમાં, બેંકિંગ
પ્રણાલીનું રક્ષણ કરવા અમલી બનાવાઇ હોવાનું સ્વીકારવાની સાથે, ઋણધારક પર લાદવામાં આવતાં ગંભીર દીવાની પરિણામોને અમે
અવગણી શકીએ નહિ.
૩૯. માસ્ટર ડાયરેક્શન્સ ઓન ફ્રોડનો ક્લોઝ ૮.૧૨ ઋણધારકો માટેના
શિક્ષાત્મક પગલાંઓ સાથે સંબંધિત છે. ક્લોઝ ૮.૧૨.૧ જોગવાઈ કરે છે
કે, સઇરાદે ચૂકવણીમાં ચૂક કરનારાઓ (વીલફૂલ ડિફોલ્ટર્સ)ને લાગુ
પડતી દંડાત્મક જોગવાઈઓ, ઋણધારક કંપનીના પ્રમોટર્સ અને ડિરેક્ટર્સ
સહિત, કપટી (ફ્રોડ્યુલન્ટ) ઋણધારકોને લાગુ પડશે. માસ્ટર સર્ક્યુલર
ઓન વિલફુલ ડિફોલ્ટર્સ હેઠળ વિલફુલ ડિફોલ્ટર્સને લાગુ પડતાં
પરિણામી પગલાં જાહ ડેવલપર્સ (સુપ્રા) માં સુસ્પષ્ટ કરવામાં આવ્યા છેઃ
"૯. […] કોઈ વ્યક્તિને (સઇરાદે ચુકવણીમાં કસૂર
કરનાર) વીલફુલ ડિફોલ્ટર તરીકે વર્ગીકૃ ત કરતાં ગંભીર
પરિણામો નિષ્પન્ન થાય છે. આ પરિણામો નીચે મુજબ છેઃ
(એ) કોઇપણ બેંક/નાણાકીય સંસ્થા દ્વારા કોઈ વધારાની
સુવિધા આપવામાં આવશે નહીં [ફકરો ૨.૫ (એ)].
(બી) ઉદ્યોગસાહસિકો/પ્રમોટર્સ ૫ વર્ષના સમયગાળા માટે
સંસ્થાકીય ધિરાણ મેળવવાથી પ્રતિબંધિત રહેશે [ફકરો
૨.૫ (એ)].
કાર્યવાહી શરૂ કરી શકાય છે [ફકરો ૨.૫ (બી)].
(ડી) વિલફૂલ ડિફોલ્ટર્સના મેનેજમેન્ટને બદલવામાં બેંકો
અને નાણાકીય સંસ્થાઓ અગ્રીમ-સક્રિયતાનો અભિગમ
અપનાવશે [ફકરો ૨.૫ (સી)].
(ઇ) વીલફુલ ડિફોલ્ટર્સના પ્રમોટર/ડિરેક્ટરને અન્ય
ઋણધારક કંપનીમાં સામેલ કરવામાં આવશે નહીં [ફકરો
૨.૫(ડી)].
(એફ)ઇન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬ ની કલમ
૨૯-એ અનુસાર વિલફુલ ડિફોલ્ટર રીઝોલ્યુશન એપ્લીકન્ટ
(દેવાં-પુનર્ગઠનના અરજદાર) બની શકે નહિ.”
૪૦. ઉપરોક્ત પરિણામોના ઉપરાંતમાં, માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ હેઠળ
ઋણધારકોને નીચે મુજબના પરિણામો ભોગવવાના રહે છે:
(એ) આર.એફ.એ. અથવા ફ્રોડ ખાતાઓના કિસ્સામાં કોઈ
(દેવાં-)પુનર્ગઠન કરી શકાશે નહીં (ક્લોઝ ૮.૧૨.૨)
(બી) કપટી ઋણધારક સામેલ હોય તેવી કોઇપણ પતાવટ
(સેટલમેન્ટ)માં કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિ, સિવાય કે, ફોજદારી ફરિયાદ ચાલુ રાખવાની શરત તેમાં સામેલ હોય. (ક્લોઝ
૮.૧૨.૩)
ઉપરોક્ત પરિણામો દર્શાવે છે કે, માસ્ટર ડાયરેક્શન્સ ઓન ફ્રોડ હેઠળ
ઋણધારકના ખાતાનું 'ફ્રોડ' તરીકે વર્ગીકરણ કરવાથી ઋણધારકને
કરવું એ માત્ર તપાસ એજન્સીઓને હકીકતની જાણ કરવા પૂરતું સીમિત
નથી, પરંતુ ક્લોઝ ૮.૧૨.૧ અને ૮.૧૨.૩ માં ઉલ્લેખિત અન્ય શિક્ષાત્મક
પગલાં અને દીવાની પરિણામો પણ ભોગવવાના રહે છે. ધી માસ્ટર
ડિરેક્શન્સ ઓન ફ્રોડના ક્લોઝ ૮.૧૨.૧ હેઠળ સંસ્થાગત ધિરાણ
મેળવવાથી તેમને પ્રતિબંધિત કરવાથી ધંધો-વ્યવસાય કરવાના
ઋણધારકના મૂળભૂત અધિકારને અસર થાય છે, એવી રજૂઆત કરવા
ઋણધારકોએ જાહ ડેવલપર્સ (ઉપરોક્ત)ના ચુકાદાનો આધાર લીધો છે.
બીજી તરફ, ભારતીય રિઝર્વ બેંક અને ધિરાણકર્તા બેંકોએ દલીલ કરી છે
કે, જાહ ડેવલપર્સ (ઉપરોક્ત)ના અવલોકનો પર લીધેલો આધાર
અસ્થાને છે, કારણ કે આ નિર્ણય ઋણધારકને વીલફુલ ડિફોલ્ટર તરીકે
વર્ગીકૃ ત કરવા સાથે સંબંધિત છે, જ્યારે હાલની આ અપીલ્સ
ઋણધારકના ખાતાનું ફ્રોડ તરીકે વર્ગીકરણ કરવા સાથે સંબંધિત છે.
૪૧. જાહ ડેવલપર્સ (ઉપરોક્ત) માં પ્રશ્ન એ હતો કે, માસ્ટર સર્ક્યુલર ઓન
ડિફોલ્ટર્સમાં જણાવેલ પ્રક્રિયા અનુસાર વીલફુલ ડિફોલ્ટર જાહેર થયેલી
વ્યક્તિ, આવી જાહેરાત કરવામાં આવે તે પહેલાં, તેમની પસંદગીના
વકીલ દ્વારા પ્રતિનિધિત્વ માટે હકદાર છે કે નહીં. અદાલતે ઠેરવ્યું હતું કે, માસ્ટર સર્ક્યુલર ઓન વીલફુલ ડિફોલ્ટર્સના પરિચ્છેદ-૩માં ઉલ્લેખિત
અધિકાર નથી. માસ્ટર સર્ક્યુલર ઓન વિલફુલ ડિફોલ્ટર્સનો પરિચ્છેદ-૩
વિલફુલ ડિફોલ્ટર્સની ઓળખ માટે બે સ્તરીય પ્રક્રિયાની જોગવાઇ કરે છે.
પ્રથમ તબક્કામાં, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અથવા સમકક્ષ
અધિકારીઓની અધ્યક્ષતામાં, બેંકના બે અન્ય વરિષ્ઠ અધિકારીઓની
બનેલી પ્રથમ સમિતિએ સઇરાદે ચુકવણીમાં કસૂર (વિલફુલ ડિફોલ્ટ)ના
પુરાવાઓની તપાસ કર્યા પછી અને ઇરાદાપૂર્વક ડિફોલ્ટ થયું હોવાનું
તારણ કાઢ્યા પછી, સંબંધિત ઋણધારકો અને પ્રમોટર્સ/પૂર્ણકાલિન
ડિરેક્ટર્સને તેમની રજૂઆત માટે કારણ-બતાવો નોટિસ આપવાની રહેશે.
પ્રથમ સમિતિએ વીલફુલ ડિફોલ્ટની હકીકતની નોંધ કરતાં પહેલાં, કારણ
સહિત, રજૂઆતો પર વિચાર કરવાનો છે. જો સમિતિને તે જરૂરી લાગતું
હોય તો, તે ધિરાણકર્તા અને ઋણધારક કંપનીના પ્રમોટર/પૂર્ણકાલિન
ડિરેક્ટરને વ્યક્તિગત સુનાવણીની તક પણ આપી શકે છે. બીજો તબક્કો
એ છે કે, સમીક્ષા સમિતિ તરીકે ઓળખાતી અન્ય એક સમિતિ પ્રથમ
સમિતિના આદેશની સમીક્ષા કરે છે. આમ, તે સ્પષ્ટ છે કે, ઋણધારકને
વીલફુલ ડિફોલ્ટર જાહેર કરવાની પ્રક્રિયા, ઋણધારકના ખાતાને 'ફ્રોડ'
તરીકે વર્ગીકૃ ત કરવા માટેની માસ્ટર ડાયરેક્શન્સ ઓન ફ્રોડ હેઠળ
નિર્ધારિત પ્રક્રિયાથી અલગ છે. જો કે, માસ્ટર ડાયરેક્શન્સ ઓન ફ્રોડના
ક્લોઝ ૮.૧૨.૧ની જોગવાઈ અન્વયે, વિલફુલ ડિફોલ્ટર્સ પર લાગૂ પડતી
લાગુ પડે છે. આમ, કોઇ ઋણધારકને ઇરાદાપૂર્વકના ડિફોલ્ટર જાહેર
કરવા માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયા ઋણધારકના ખાતાનું ફ્રોડ
તરીકે વર્ગીકરણ કરવા માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયા કરતાં અલગ
હોવાં છતાં, તેમને સમાન પરિણામોનો સામનો કરવાનો રહે છે.
હકીકતમાં, ઉપર જણાવ્યા મુજબ, માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ હેઠળ
ફ્રોડ તરીકે વર્ગીકૃ ત ઋણધારકોના ખાતાઓને ક્લોઝ ૮.૧૨.૨ અને
૮.૧૨.૩ માં દર્શાવેલ કેટલાંક વધારાના પગલાંઓનો સામનો કરવાનો રહે
છે. બંને પરિપત્રોમાંથી નિપજતાં પરિણાંમો સમાન હોઇ, જાહ ડેવલપર્સ
(ઉપરોક્ત)માં ઋણધારકને વીલફુલ ડિફોલ્ટર જાહેર કરવાની અસરો
પરના અવલોકનો હાલના કેસમાં સંપૂર્ણપણે લાગુ પડશે. અદાલતના
અવલોકનો નીચે મુજબ છેઃ
૨૪. જો કે, અમારુ
ં માનવું છે કે, હાલના કેસની હકીકતોને
અનુચ્છેદ-૧૯(૧)(જી) લાગૂ પડે છે, કેમ કે, જે ઘડીએ
એક વ્યક્તિને વિલફુલ ડિફોલ્ટર ઘોષિત કરવામાં આવે છે, તેની ત્વરિત અને પ્રત્યક્ષ અસર તેનાં ધંધો-વ્યવસાય
કરવાના મૂળભૂત અધિકાર પર પડે છે. આનું કારણ તે છે કે, કોઈ પણ બેંક/નાણાંકીય સંસ્થાઓ દ્વારા કોઈ પણ
પ્રકારની વધારાની સુવિધા આપી શકાતી નથી અને
ઉદ્યોગસાહસિકો/પ્રમોટર્સને પાંચ વર્ષ માટે સંસ્થાગત
નાણાંકીય સંસ્થાઓ વિલફુલ ડિફોલ્ટરનું સંચાલન
(મેનેજમેન્ટ) પણ બદલી શકે છે અને વિલફુલ ડિફોલ્ટરના
પ્રમોટર/ ડાયરેક્ટર કોઇ અન્ય ઋણધારક કંપનીના પ્રમોટર
કે ડાયરેક્ટર બની શકતાં નથી. આ જ પ્રમાણે, ઇન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬ ની કલમ 29-
એ હેઠળ વિલફુલ ડિફોલ્ટર રિઝોલ્યુશન એપ્લીકન્ટ તરીકે
પણ અરજી કરી શકે નહીં. આ ગંભીર પરિણામો ધ્યાનમાં
રાખતાં, એ સ્પષ્ટ છે કે સુધારેલા પરિપત્રને, વ્યાજબીપણે, જાહેર હિતના પરિપેક્ષ્યમાં જોવો રહ્યો.
જાહ ડેવલપર્સ (ઉપરોક્ત)માં, આ અદાલતે કુદરતી ન્યાયના સિદ્ધાંતો
સાથે સુસંગત કરીને માસ્ટર સર્ક્યુલર ઓન વિલફુલ ડિફોલ્ટર્સનું અર્થઘટન
કર્યું છે. વિશેષપણે, એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કેઃ ( ) i પ્રથમ
સમિતિએ શક્ય તેટલી વહેલી તકે ઋણધારકને પોતાનો આદેશ આપવો
જોઈએ. ( ) ii ત્યારબાદ ઋણધારકો સમીક્ષા સમિતિ સમક્ષ પ્રથમ
સમિતિના આદેશ સામે લેખિત રજૂઆત કરી શકે છે અને ( ) iii સમીક્ષા
સમિતિએ સકારણ (કારણો સહિતનો) હુકમ પસાર કરવો રહ્યો અને તેની
એક નકલ ઋણધારકને આપવી રહી.
વર્ગીકરણ વાસ્તવમાં, જેને નાણાં બજાર અને મૂડી બજારોમાંથી નાણાં
એકત્ર કરવા પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે તે, ઋણધારક માટે
ધિરાણની અનુપ્લબ્ધિ તરફ દોરી જાય છે. નાણાં ભંડોળ ઊભું કરી
શકવાનો નિષેધ ઋણધારકો માટે મરણતોલ સાબિત થઈ શકે છે, જે
બંધારણના અનુચ્છેદ-૧૯(૧)(જી) હેઠળ તેમના અધિકારોનું ઉલ્લંઘન
કરવા ઉપરાંત તેમનાં ‘દીવાની મૃત્યુ’ તરફ દોરી જાય છે. કોઇ વ્યક્તિ પર
પ્રતિબંધ ફરમાવવાથી તે પોતાના અધિકારો અને/અથવા
વિશેષાધિકારોનો ઉપયોગ કરવાથી વંચિત રહેતો હોઇ, તે મૂળભૂત બાબત
છે કે, કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું અનુસરણ થાય અને જેની વિરુદ્ધ
નિષેધાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હોય તેને
સુનાવણીની તક આપવામાં આવે. હકીકતમાં, નિષેધ એ ઋણધારકને
ધિરાણનો લાભ લેવાથી બ્લેકલિસ્ટ કરવા સમાન છે. બ્લેક્સ લો
ડિક્શનરી [બ્લેક્સ લો ડિક્શનરી, ૫ મી આવૃત્તિ (૧૯૭૯)]માં 'બ્લેક
લિસ્ટ' અભિવ્યક્તિને નીચેના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છેઃ
"જે લોકો આ યાદી તૈયાર કરે છે અથવા જેમને પ્રસારિત
કરવાનો ઇરાદો છે, તેવા લોકો તરફથી વિશેષપણે ટાળવાં, વિરોધ કરવા અથવા શત્રુભાવ રાખવા માટે ચિહ્નિત કરવામાં
આવેલી વ્યક્તિઓની યાદી, જ્યાં ટ્રેડ-યુનિયન તેના
નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરતા કામદારોને
બ્લેકલિસ્ટ કરે છે અથવા જ્યાં નાદાર અથવા બિન-
વેપારી સંગઠન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે."
એ જ રીતે, પી. રામનાથ ઐય્યર્સ લૉ લેક્સિકોન [પી. રામાનાથ ઐયર, 'ધી લો લેક્સિકન: એન્સાયક્લોપેડિક લો ડિક્શનરી (૧૯૯૭
એડિએન)] 'બ્લેક લિસ્ટ' અભિવ્યક્તિને નીચે મુજબ વ્યાખ્યાયિત કરે
છેઃ
"બ્લેક લિસ્ટ એ એવી વ્યક્તિઓ અથવા કંપનીઓની યાદી
છે, જે તેને સંકલિત કરનાર લોકોને અથવા લોકોનાં કેટલાંક
વર્ગોને ચેતવણી આપે છે, અથવા ધિરાણ માટે અયોગ્ય
વ્યક્તિઓ અથવા જેમની સાથે કરાર નહિ કરવાની સલાહ
આપવામાં આવે છે તેવાં વ્યક્તિઓની યાદી. આમ, સ્ટોક
એક્સચેન્જ પર ડિફોલ્ટર્સની સત્તાવાર યાદી એ બ્લેક લિસ્ટ
છે. કોઇપણ વ્યક્તિનું નામ કાયદેસરના કારણ વગર આ
પ્રકારના બ્લેક લિસ્ટમાં મૂકવું એ કાનૂની કાર્યવાહીને પાત્ર છે
તેમજ આ પ્રકારના લિસ્ટનું આગળનું પ્રકાશન કાનૂની હુકમ
મેળવી પ્રતિબંધિત કરી શકાય."
૪૩. બ્લેક લિસ્ટ એટલે : -( ) i વાણિજ્યિક સંસ્થા અથવા મર્કેન્ટાઇલ
એસોસિયેશન દ્વારા પ્રકાશિત નાદાર અથવા બિન-ભરોસાપાત્ર
વ્યક્તિઓની યાદી અને ( ) ii ધિરાણને પાત્ર ન હોય તેવી અથવા જેની
યાદી. આ કોર્ટ સમક્ષ, ભારતીય રિઝર્વ બેંક અને ધિરાણકર્તા બેંકોએ
રજૂઆત કરી કે, સંસ્થાકીય ધિરાણ મેળવવાથી ઋણધારકોને અટકાવવા
માત્ર એટલાં માટે જરૂરી નથી કે, આ વ્યક્તિઓ અન્ય બેંકોમાં છેતરપિંડી
ન કરી શકે, પરંતુ, જાહેર હિતમાં, બેંકોને છદ્મ ઋણધારકો સાથે વ્યવહાર
ન કરવાની જાણ કરી શકાય. માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડના ક્લોઝ
૮.૧૨.૧ હેઠળ ઋણધારકને રોકવા એ ધિરાણકર્તા બેંકો દ્વારા ધિરાણ
મેળવવા માટે બિનભરોસાપાત્ર અને ધિરાણને લાયક ન હોવા બદલ
બ્લેકલિસ્ટ કરવા સમાન છે. આ અદાલતે સતતપણે ઠેરવ્યું છે કે, કોઈ
વ્યક્તિને બ્લેક લિસ્ટ પર મૂકતાં પહેલાં તેને સુનાવણીની તક આપવી
જોઈએ.
૪૪. યુરેશિયન ઇક્વિપમેન્ટ એન્ડ કેમિકલ્સ લિ. વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય
(૧૯૭૫) ૧ એસ.સી.સી. ૭૦ કેસમાં આ અદાલત સમક્ષ મુદ્દો એ હતો કે, કોઈ વ્યક્તિ સરકાર દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવે તે પહેલાં નોટિસ
મેળવવાને હકદાર છે કે નહીં. આ અદાલતે ઠેરવ્યું હતું કે, બ્લેકલિસ્ટિંગથી
બ્લેક લિસ્ટેડ વ્યક્તિના વિશેષાધિકારોને અસર થાય છે, તેથી નિષ્પક્ષતા
જાળવવા માટે આ પ્રકારની વ્યક્તિને સુનાવણીની તક આપવી જરૂરી છેઃ
"૨૦. બ્લેકલિસ્ટિંગની પરિણામી અસર એ થાય છે કે, વ્યક્તિ લાભના હેતુસર સરકાર સાથે કાયદેસરનો સંબંધ
બ્લેકલિસ્ટિંગથી એક અસમર્થતા ઊભી થતી હોવાનું તથ્ય
એ દર્શાવે છે કે, સંબંધિત સત્તામંડળે હેતૂપૂર્તિની ખાતરી
કરવી રહી. સંબંધિત વ્યક્તિને બ્લેક લિસ્ટમાં મૂકતાં પહેલાં
પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે તે નિષ્પક્ષ
આચરણનું મૂળભૂત ઘટક છે.”
૪૫. જોસેફ વિલાંગંદન વિ. એક્ઝિક્યુટિવ એન્જિનિયર (૧૯૭૮) ૩ એસ.સી.સી.
૩૬માં બે ન્યાયાધીશો સમક્ષનો આ મુદ્દો સરકારી કોન્ટ્રાક્ટરને
સુનાવણીની તક આપ્યા વિના સરકાર સાથે નવાં કોઈ કોન્ટ્રાક્ટ કરવા પર
પ્રતિબંધ મૂકવા બાબતનો હતો. તે નોટીસની વાક્ય-સામગ્રી નીચે મુજબ
છે:
"આથી તમને કારણ બતાવવા વિનંતી છે કે, ..... શા માટે
તમને ડિફોલ્ટર તરીકે પ્રતિબંધિત કર્યા પછી, તમારા જોખમ
અને નુકસાન પર, અન્ય એજન્સીઓની મદદથી કામની
વ્યવસ્થા કરવામાં ન આવે...…"
આ અદાલતે યુરેશિયન ઇક્વિપમેન્ટ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (ઉપરોક્ત)
માં કાયદાની સ્થિતિ લાગુ કરી ઠેરવ્યું કે, કાર્યપાલક એન્જિનિયરે
કોન્ટ્રાક્ટરને પ્રતિબંધની પ્રસ્તાવિત કાર્યવાહી સામે રજૂઆત કરવાની
પૂરતી તક આપવી જોઈતી હતી.
આ અદાલતની બે ન્યાયાધીશોની ખંડપીઠે ઠેરવ્યું હતું કે, બ્લેકલિસ્ટિંગ
દીવાની પગલાંમાં પરિણમતું હોઇ, કુદરતી ન્યાયના સિદ્ધાંતોના અનુસરણ
ઉપરાંત જ બ્લેકલિસ્ટિંગનો હુકમ કરવો જોઈએઃ
"૪. [.…] જ્યાં સુધી એ રજૂઆતને લાગેવળગે છે કે, નોટીસ આપવાની કોઇ વિશેષ જરૂરિયાત નહોતી, સામાવાળા સાચાં છે. પરંતુ કાયદાના શાશનનો એક ગર્ભિત
સિદ્ધાંત છે કે, દીવાની પગલાંમાં પરિણમતો કોઈ પણ હુકમ
કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું અનુસરણ કર્યા પછી જ પસાર
કરવો જોઈએ. એ જ્ઞાત થવું રહ્યું કે, કોઇપણ કિસ્સામાં કોઇ
વ્યક્તિને બિઝનેસ વેન્ચર્સના સંદર્ભમાં બ્લેકલિસ્ટ કરવાથી
સંબંધિત વ્યક્તિના ભવિષ્યના બિઝનેસ માટે દીવાની
પગલાં પરિણમી શકે છે. જો નિયમોમાં આવું વ્યક્તપણે
જણાવવામાં આવ્યું ન હોય, તો પણ એ કુદરતી ન્યાયનો
મૂળભૂત સિદ્ધાંત છે કે, કોઈ પણ આદેશના અસરગ્રસ્ત
પક્ષોને સુનાવણીનો અને આદેશ સામે રજૂઆતો કરવાનો
અધિકાર હોવો જોઈએ."" "[.]"
૪૭. ગોરખા સિક્યુરિટી સર્વિસીસ વિ. સરકાર (એનસીટી ઓફ દિલ્હી)
JUDGMENT
(2014) 9 105 SCC માં, આ કોર્ટ સમક્ષનો મુદ્દો કારણદર્શક નોટિસના ફોર્મ અને સામગ્રીને લગતો હતો જે નોટિસને બ્લેકલિસ્ટ કરતા પહેલા બજાવવાની જરૂર છે. આ અદાલતની બે જજોની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, કોઈ વ્યક્તિને બ્લેકલિસ્ટ કરવાનો આદેશ કલંકરુપ છે. સંબંધિત અવલોકન નીચે મુજબ છેઃ ૧૬. પક્ષકારોનો સામાન્ય કેસ છે કે બ્લેકલિસ્ટિંગ પહેલા કારણદર્શક નોટિસ આપવી પડે છે. આ સંબંધમાં કાયદો મજબૂત આધાર ધરાવે છે અને વધુ વિસ્તરણની માંગ પણ કરતું નથી. જેની સામે બ્લેકલિસ્ટિંગની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તે વ્યક્તિને તક આપીને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવાની આવશ્યકતા તેની પાછળ માન્ય અને નક્કર તર્ક ધરાવે છે. બ્લેક લિસ્ટિંગ સાથે, ઘણા સિવિલ અને/અથવા ખરાબ પરિણામો આવે છે. તેને બ્લેકલિસ્ટના ઓર્ડર સાથે લાદવામાં આવેલી વ્યક્તિનું સિવિલ ડેથ તરીકે વર્ણવવામાં આવે છે. આ પ્રકારનો આદેશ સ્વભાવે કલંકરુપ છે અને આવી વ્યક્તિને સરકારી ટેન્ડરાેમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરે છે જેનો અર્થ છે કે તેને સરકારી કોન્ટ્રાક્ટ આપવામાંથી બાકાત રાખવું. ૪૮. ઋણધારકના ખાતાનું છેતરપિંડી તરીકે વર્ગીકરણ કરવાથી ઋણધારકને વ્યવસાયના હેતુ માટે સંસ્થાગત ધિરાણ મેળવવામાં અવરોધ આવે છે. તે નોંધપાત્ર નાગરિક પરિણામો પણ લાવે છે કારણ કે તે ઋણધારકના વ્યવસાયના ભવિષ્યને જોખમમાં મૂકે છે. એટલે કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ છેતરપિંડી પર મુખ્ય દિશાનિર્દેશોની કલમ ૮.૧૨.૧ હેઠળ સંસ્થાગત ધિરાણ મેળવવાથી ઋણધારકને અટકાવતા પહેલા સુનાવણીની તક આપવી જરૂરી છે. એકાઉન્ટને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરવાની કામગીરી માત્ર ઋણધારકના વ્યવસાય અને સદ્ભાવનાને જ અસર નથી કરતી પરંતુ પ્રતિષ્ઠાના અધિકારને પણ અસર કરે છે. ૪૯. મહારાષ્ટ્ર રાજ્ય વિ. પબ્લિક કન્સર્ન ફોર ગવર્નન્સ ટ્રસ્ટ (2007) 3 એસસીસી 587 માં આ અદાલતની બે ન્યાયાધીશોની બેન્ચે ઠરાવ્યું હતું કે, વ્યક્તિની પ્રતિષ્ઠાના અધિકારને અસર કરતા કોઈપણ સત્તા દ્વારા લેવાયેલા નિર્ણયના સિવિલ પરિણામો હોય છે. એટલે આવી પરિસ્થિતિઓમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતો અમલમાં આવશે. અદાલતે ઠરાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત પ્રતિષ્ઠાને પ્રતિકૂળ અસર કરતી સત્તાનો કોઈપણ આદેશ અથવા નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા પછી લેવામાં આવવો જોઈએ: "૪૧. આ રીતે તે પૂરતું સ્પષ્ટ છે કે વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા રાખવા અને જાળવવાનો હકદાર છે અને તેની રક્ષા કરવાનો પણ તેને અધિકાર છે. જો કાયદા હેઠળ તેની ફરજો નિભાવવામાં કોઈ સત્તાધિકારી તેના પર પ્રતિકૂળ અસર કરે છે, વ્યક્તિગત પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં મુસાફરી કરે છે, તો તેણે તેને આ બાબતે પોતાનો અભિપ્રાય રાખવાની તક પૂરી પાડવી જોઈએ. આવા સંજોગોમાં, પ્રતિકૂળ ટિપ્પણી કરતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંતોની સુરક્ષા મેળવવાનો વ્યક્તિનો અધિકાર વૈધાનિક રીતે માન્ય છે અને તેનું ઉલ્લંઘન બદલ ન્યાયિક સમીક્ષાની તપાસ સહન કરવી પડશે.” ૫૦. રિઝર્વ બેંક અને ધિરાણદાર બેંકોએ પીયરલેસ જનરલ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ વિરુદ્ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (1992) 2 એસસીસી 343, જોસેફ કુરુવિલા વેલુકુનેલ વિરુદ્ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( ) 1962 AIR એસસીસ 1371 અને ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા વિ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (2020) 10 એસસીસી 274 પર આધાર રાખ્યો છે કે છેતરપિંડી પરના મુખ્ય દિશાનિર્દેશો વૈધાનિક નિયમન અને આર્થિક નીતિ અંગેના નિર્ણયની સમાન છે, જેને સન્માનનું સ્તર આપવું આવશ્યક છે. ૫૧. છેતરપિંડી પર મુખ્ય નિર્દેશો જારી કરવાની રિઝર્વ બેંકની સક્ષમતા આ અપીલોમાં વિવાદનું મૂળ નથી. આરબીઆઇ પોતાના અંદાજમાં બેંકિંગ કંપનીઓનું યોગ્ય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે જાહેર હિતમાં આર્થિક પગલાં નક્કી કરવા અને તેને અમલમાં મૂકવાની સત્તા ધરાવે છે. જોકે મુદ્દો એ છે કે બેંકિંગ કંપનીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાના નિર્ણયના અમલીકરણ માટે કાયદાની યોગ્ય પ્રક્રિયા સાથે સુસંગત હોવું આવશ્યક છે. ઋણધારકના ખાતાનું છેતરપિંડી તરીકે વર્ગીકરણ કરવાથી જે સિવિલ પરિણામો આવે છે તે ગંભીર છે અને ઋણધારકના હિતો માટે પ્રતિકૂળ છે. નિષ્પક્ષ વ્યવહારના સિદ્ધાંતો અનુસાર, છેતરપિંડી પર મુખ્ય નિર્દેશો હેઠળ નિર્ધારિત પ્રક્રિયા અનુસાર એકાઉન્ટને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરતા પહેલા ઋણધારકને સાંભળવાની તક આપવી જોઈએ. ડી.૩– બીજા પક્ષને સાંભળવાની બાબતને ગર્ભિત રીતે બાકાત ન રાખવાની બાબત ૫૨. ભારતીય રિઝર્વ બેંક અને ધિરાણદાર બેંકોએ દલીલ કરી છે કે છેતરપિંડી પર મુખ્ય નિર્દેશો સૂચિત રીતે સાંભળવાના અધિકારને બાકાત રાખે છે. છેતરપિંડી પર મુખ્ય નિર્દેશોનો ઉદ્દેશ અન્ય બેંકોને ચેતવણી આપવા અને ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માટે છેતરપિંડીના કેસોની સમયસર ઓળખ અને અહેવાલ સુનિશ્ચિત કરવાનો છે. આ નિર્દેશોમાં છેતરપિંડીની પ્રવૃત્તિમાં સામેલ થનાર ત્રીજા પક્ષને સાંભળવાની તક આપવાની વાત કરવામાં આવી છે, પરંતુ તેમાં ઋણધારકને સુનાવણી માટે સ્પષ્ટપણે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આમ, એવી વિનંતી કરવામાં આવે છે કે ઋણ લેનારાઓને સુનાવણી જરૂરી સૂચિતાર્થ દ્વારા બાકાત રાખવામાં આવે છે. ૫૩. છેતરપિંડી પરના મુખ્ય નિર્દેશો ઋણ લેનારાઓને તેમના ખાતાને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરવાની કાર્યવાહી કરતા પહેલા સુનાવણીના અધિકારને સ્પષ્ટપણે બાકાત રાખતા નથી. કુદરતી ન્યાયના સિદ્ધાંતોને કાયદો કે જાહેરનામામાં વાંચી શકાય છે, જેમાં તે એવા પક્ષકારોને સુનાવણીની તક આપવા અંગે મૌન છે કે જેના અધિકારો અને હિતોને પસાર થઈ શકે તેવા આદેશોથી અસર થવાની સંભાવના છે. ૫૪. આ અદાલતની ત્રણ જજોની ખંડપીઠે સ્વદેશી કોટન મિલ્સ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા (1981) 1 એસસીસી 664 માં આપેલા ચુકાદામાં મુદ્દો એ હતો કે, ઇન્ડસ્ટ્રીઝ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૧ની કલમ ૧૮-એએ(૧)(એ) હેઠળ કોઈ ઔદ્યોગિક એકમનું મેનેજમેન્ટ સંભાળતાં પહેલાં કેન્દ્ર સરકારે બીજા પક્ષને સાંભળવાની બાબતની જરૂરિયાતોનું પાલન કરવું જરૂરી છે કે નહીં. ન્યાયમૂર્તિ આર.એસ. સરકારિયા અને ન્યાયમૂર્તિ ડી.એ.દેસાઈએ બહુમતીથી કાયદાના નીચે મુજબના સિદ્ધાંતો નક્કી કર્યા હતાઃ ૪૪. ટૂંકમાં, સામાન્ય સિદ્ધાંત - એકસમાન અરજીના સંપૂર્ણ નિયમથી અલગ - એવું લાગે છે કે જ્યાં કાનૂન, શરતોમાં, અગાઉની સુનાવણીના આ નિયમને બાકાત રાખતો નથી, પરંતુ સંપૂર્ણ સમીક્ષાની નિર્ણાયક પછીની સુનાવણીનો વિચાર કરે છે, ત્યારે આવા કાયદાનો અર્થ અગાઉના નિર્ણય લેવાના તબક્કે બીજા પક્ષને સાંભળવાની બાબતના નિયમને બાકાત રાખવાનો અર્થ થાય છે. તેનાથી વિપરિત, જો સત્તા આપતો કાયદો અસરગ્રસ્ત વ્યક્તિને અગાઉથી નિર્ણય લેવાની સુનાવણી આપવાના સંબંધમાં મૌન હોય અને સત્તામંડળ દ્વારા લેવામાં આવેલા વહીવટી નિર્ણયમાં ગંભીર સ્વરૂપની સિવિલ પરિણામો સામેલ હોય અને તે નિર્ણય સામે ગુણદોષ પર કોઈ સંપૂર્ણ સમીક્ષા કે અપીલ પૂરી પાડવામાં આવતી ન હોય, તો અદાલતો આવા કાયદાનો અર્થ લગાવવામાં અત્યંત અનિચ્છ ુ ક રહેશે, જેમાં અગાઉથી નિર્ણય લેવાના તબક્કે તેના તમામ ઔપચારિક બાબતાે અને વિલંબકારક લાક્ષણિકતાઓની ઓછામાં ઓછી સુનાવણી કરવાની ફરજને પણ બાકાત રાખવામાં આવશે, જો વ્યવહારિક રીતે જોવામાં ન આવે તો તે વહીવટી પ્રગતિને નિષ્ફળ બનાવશે અથવા અત્યંત ઝડપથી કરવાની જરૂરિયાતને નિષ્ફળ બનાવશે. ટૂંકમાં કહીએ તો જ્યાં ફરજિયાત જરૂરિયાત હોય ત્યાં અપવાદરૂપ સંજોગોને છોડીને ‘નિષ્પક્ષતા’નો આ નિયમ રદ થવો જોઈએ નહી. અદાલતે પરિસ્થિતિગત ફેરફારો સાથે, શક્ય તેટલી મહત્તમ હદ સુધી આ મુખ્ય નિયમને બચાવવા માટેના તમામ પ્રયાસો કરવા જોઈએ. પરંતુ, ન્યાયમૂર્તિ ભગવતીના શબ્દોને યાદ કરવા માટે, તેનું હાર્દ હોવું જોઈએ, એટલે કે, અસરગ્રસ્ત વ્યક્તિને સાંભળવાની વાજબી તક મળવી જોઈએ અને સુનાવણી એક વાસ્તવિક સુનાવણી હોવી જોઈએ, ખાલી જનસંપર્ક કવાયત નહીં. ૫૫. સ્વદેશી કોટન મિલ્સ (સુપ્રા) માં આ કોર્ટ સમક્ષ વિચારણા માટેનો મુખ્ય મુદ્દો એ હતો કે શું આઇડીઆર અધિનિયમની કલમ ૧૮-એએ(૧)(એ) હેઠળ "તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે" શબ્દનો ઉપયોગ ગર્ભિત રીતે બીજા પક્ષને સાંભળવાની બાબતના નિયમને બાકાત રાખે છે કે કેમ. ન્યાયમૂર્તિ સરકારિયાએ ઠરાવ્યુ હતું કે, “તાત્કાલિક કાર્યવાહી” શબ્દપ્રયોગનો અર્થ કાયદાના સંપૂર્ણ સંદર્ભ, ઉદ્દેશ્ય અને કારણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જે અગાઉની સુનાવણીની જરૂરિયાતને બાકાત રાખવાનો ઇરાદો દર્શાવતું નથી. અદાલતે જણાવ્યું હતું કે આ શબ્દસમૂહનો ઉપયોગ બીજા પક્ષને સાંભળવાના નિયમનું પાલન કરવાની ફરજને બાકાત રાખતો નથીઃ "૭૭. બીજુ ં કારણ – જે લગભગ પહેલાનું એક પાસું છે – ‘તાત્કાલિક કાર્યવાહી’ શબ્દસમૂહમાં માત્ર ‘તાત્કાલિક કાર્યવાહી’ શબ્દનો ઉપયોગ જરૂરી છે તેવું માનવા માટે – બીજા પક્ષને સાંભળવાના નિયમના અગાઉના અમલીકરણને જરૂરી અને સંપૂર્ણપણે બાકાત રાખતું નથી, કારણ કે તાત્કાલિક કાર્યવાહીની જરૂર એ પરિસ્થિતિજન્ય હકીકત છે, જે ઉત્પાદનમાં ઘટાડો પર પ્રતિકૂળ અસરની સંભાવના સાથે સીધો સંબંધ ધરાવે છે. અને, આવી શક્યતા અને તેને અટકાવવાની તાકીદની કામગીરીમાં ઘણો તફાવત હોઈ શકે છે. કલમ ૧૮-એએ(૧) (એ) માં ઉપયોગમાં લેવાયેલા “ઉત્પાદન પર અસર થવાની શક્યતા” શબ્દનો ઉપયોગ પરિસ્થિતિઓના વ્યાપક સ્પેક્ટ્રમને સમજવા માટે પૂરતો લવચીક છે, જ્યાં બનાવની સંભાવના નજીકના ભવિષ્યમાં કયારેક બનવાની વાજબી રીતે ધારણા છે. અત્યંત તાકીદના કિસ્સાઓમાં જ્યારે ઉત્પાદનમાં ઘટાડો અને તેના પરિણામે જાહેર હિતને નુકસાન અટકાવવા માટે કલમ ૧૮-એએ(૧)(એ) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે કોઈ વિલંબ થતો નથી. મોટા ભાગના કિસ્સાઓમાં, જ્યાં તાકીદની જરૂરિયાત એટલી તીવ્ર નથી, ત્યાં ઉતાવળ અને સુનાવણીના સ્પર્ધાત્મક દાવાઓ વચ્ચે સંતુલનનું આયોજન કરવું અને સંતુલન સાધવું વ્યવહારિક છે.” ન્યાયમૂર્તિ સરકારિયાએ અવલોકન કર્યું હતું કે બાંયધરીનો માલિક પૂર્વ- નિર્ણયાત્મક તબક્કે ન્યાયી સુનાવણી માટે હકદાર છે કારણ કે કલમ ૧૮-એએ(૧)(એ) હેઠળ કેન્દ્ર સરકારની સત્તા હાથમાં લેવાની સત્તા દૂરગામી છે અને માલિકોના અધિકારો અને હિતોને પ્રતિકૂળ અસર કરે છે. ૫૬. માંગીલાલ વિ. મધ્ય પ્રદેશ રાજ્ય (2004) 2 447 SCC માં, આ કોર્ટની બે જજની બેન્ચે એવું નક્કી કર્યું હતું કે જો કાનૂન તે સંદર્ભમાં મૌન હોય તો પણ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવાની જરૂર છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં પક્ષોના નોંધપાત્ર અધિકારોને અસર થાય છે ત્યાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવાની જરૂરિયાત દર્શાવવા વૈધાનિક મૌન અપનાવવું જોઈએઃ ૧૦. જો કાયદો મૌન હોય અને અધિનિયમ કે તે અંતર્ગત બનાવેલા નિયમોમાં હકારાત્મક શબ્દો ન હોય તો પણ જે પક્ષોના અધિકારો અને હિતોને આદેશો દ્વારા અસર થવાની શક્યતા હોય તેમને સાંભળવાની જરૂર જણાવવામાં અને કાયદામાં અન્યથા જોગવાઈ ન હોય તો નિર્ણય લેતા પહેલા વાજબી પ્રક્રિયાનું પાલન કરવાની જરૂરિયાત જણાવવામાં કંઈ ખોટું નથી. કુદરતી ન્યાયના સિદ્ધાંતોને કાનૂનના અવ્યવસ્થિત આંતરછેદમાં વાંચવા જોઈએ, સિવાય કે તેનાથી વિરુદ્ધ કોઈ સ્પષ્ટ આદેશ ન હોય. પક્ષકારના બચાવ અથવા સ્ટેન્ડની રજૂઆતને બાકાત રાખવા માટે કોઈપણ ફોર્મ અથવા પ્રક્રિયાને ક્યારેય મંજૂરી આપવી જોઈએ નહીં. પ્રક્રિયાગત કાયદાઓમાં કોઈ જોગવાઈની ગેરહાજરીમાં પણ દરેક ટ્રિબ્યુનલ/ન્યાયિક કે અર્ધ-ન્યાયિક સ્વરૂપની અદાલતમાં કુદરતી ન્યાયની જરૂરિયાતો પૂર્ણ કરવા અને તેમની ફરજોનું વધુ સારી રીતે અને યોગ્ય રીતે પાલન સુનિશ્ચિત કરવા માટે જરૂરી પદ્ધતિઓ અપનાવવાની સત્તા છે. આપેલ પરિસ્થિતિમાં તે સંદર્ભમાં સ્પષ્ટ જોગવાઈ દ્વારા તેની અરજીની મર્યાદાને ધ્યાનમાં લીધા વિનાની પ્રક્રિયા મુખ્યત્વે કુદરતી ન્યાયના સિદ્ધાંતો પર આધારિત છે. તે હંમેશાથી એક પ્રિય સિદ્ધાંત રહ્યો છે. જ્યાં કાનૂન કુદરતી ન્યાયના સિદ્ધાંતોના પાલન વિશે મૌન છે, ત્યાં આવા વૈધાનિક મૌનને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવા માટે લેવામાં આવે છે જ્યાં પક્ષકારોના નોંધપાત્ર અધિકારો નોંધપાત્ર રીતે પ્રભાવિત થાય છે. જ્યાં સુધી કાયદાના સ્પષ્ટ શબ્દો દ્વારા અથવા જરૂરી સુધારાઓ દ્વારા પ્રાકૃ તિક ન્યાયને બાકાત રાખવામાં ન આવે ત્યાં સુધી તે સંભવિત બની જાય છે. તેનો ઉદ્દેશ ન્યાય મેળવવાનો અથવા ન્યાયની કસુવાવડ અટકાવવાનો છે. કુદરતી ન્યાયના સિદ્ધાંતો કાયદાનું સ્થાન લેતા નથી, પરંતુ તેને પૂરક બનાવે છે. આ નિયમો માત્ર એવા વિસ્તારોમાં જ કાર્ય કરે છે જ્યાં માન્ય રીતે બનાવેલા કોઈપણ કાયદા દ્વારા આવરી લેવામાં આવ્યા નથી. તેઓ ધ્યેયનું સાધન છે અને પોતાનામાં અંત નથી. […] ૫૭. ઉપરોક્ત કાનૂની સ્થિતિના પ્રતિકાર સ્વરૂપે, આરબીઆઈ અને ધિરાણકર્તા બેંકોએ દલીલ કરી છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને એવા કિસ્સાઓમાં બાકાત રાખવામાં આવી શકે છે કે જ્યાં ત્વરિત અથવા તાત્કાલિક પગલાંની આવશ્યકતા હોય. રજૂઆતના સમર્થનમાં, આરબીઆઈ અને બેંકોએ અજિત કુમાર નાગ વિ. જનરલ મેનેજર (પીજે), ઈન્ડિયન ઓઈલ કોર્પો. લિમિટેડ (2005) 7 એસસીસી 764 પર આધાર રાખ્યો છે,જે બદલામાં, જેણે યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ તુલસીરામ પટેલ (1985) 3 એસસીસી 398 માં આ કોર્ટની બંધારણીય ખંડપીઠના નિર્ણય પર આધાર રાખ્યો હતો. જે બદલામાં યુનિયનમાં આ કોર્ટના બંધારણીય બેંચના નિર્ણય પર આધાર રાખે છે. તુલસીરામ પટેલ (સુપ્રા) કેસમાં આ અદાલતે નોંધ્યું હતું કે, જો આ પ્રકારનાં અધિકારને મંજૂરી આપવાથી તાત્કાલિક પગલાં લેવામાં અવરોધ આવે તો અગાઉની નોટિસ અને સુનાવણીની તકને બાકાત રાખી શકાય છેઃ ૧૦૧ [...] જ્યાં સુધી બીજા પક્ષને સાંભળવાના નિયમનો સંબંધ છે, ઇંગ્લેન્ડ અને ભારતમાં એમ બંને જગ્યાએ, તે સારી રીતે સ્થાપિત છે કે જ્યાં અગાઉથી નોટિસ મેળવવાનો અધિકાર અને આદેશ આપતા પહેલા સુનાવણી કરવાની તક તાત્કાલિક કાર્યવાહી કરવામાં અવરોધે છે, ત્યાં આવા અધિકારને બાકાત રાખી શકાય છે. આ અધિકારને પણ બાકાત કરી શકાય છે જ્યાં કાર્યવાહી કરવાની પ્રકૃ તિ, તેનો ઉદ્દેશ્ય અને હેતુ અને સંબંધિત વૈધાનિક જોગવાઈઓની યોજના તેને બાકાત રાખવાની બાંયધરી આપે છે; અથવા બીજા પક્ષને સાંભળવાના નિયમનો ઉપયોગ કરી શકાતો નથી જો તેની આયાત કરવાથી વહીવટી પ્રક્રિયાને પાંગળી કરવાની અસર થાય અથવા જ્યાં તત્પરતાની જરૂર હોય અથવા પગલાં લેવાની તાકીદની જરૂર હોય, તો […] ૫૮. ધિરાણકર્તાઓએ છેતરપિંડી પરના નિર્દેશોના ક્લોઝ ૮.૯.૬ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે મુજબ કોઈ એક બેંક દ્વારા છેતરપિંડી પકડાવાથી લઈને જેએલએફ દ્વારા છેતરપિંડી ઘોષણા સુધીની સંપૂર્ણ કવાયત છ મહિનાની અંદર પૂર્ણ કરવાની રહેશે. ક્લોઝ ૮.૯.૬ આ રીતે જોગવાઈ કરે છેઃ "૮.૯.૬ અહીં નોંધનીય છે કે, સમગ્ર કવાયત પૂર્ણ કરવા માટેનો એકંદર સમય એ તારીખથી છ મહિનાનો છે જ્યારે પ્રથમ સભ્ય બેંકે CRILC પ્લેટફોર્મ પર ખાતાને RFA અથવા છેતરપિંડી તરીકે જાણ કરી હતી." ૫૯. કે.આઈ.શેફર્ડ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા (1987) 4 એસ. સી. સી. 431 માં આ અદાલતને ભારતીય રિઝર્વ બેંક દ્વારા દોરવામાં આવેલી વિલિનીકરણ યોજનાઓની માન્યતા નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી, જે અંતર્ગત ત્રણ ખાનગી બેંકોને રાષ્ટ્રીયકૃ ત બેંકો સાથે જોડવામાં આવી હતી. વિલિનીકરણ સમયે ખાનગી બેંકોના કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા કારણ કે ટ્રાન્સફરી બેંકોએ તેમની સામે ગેરવર્તણૂકના આરોપોને ધ્યાનમાં રાખીને તેમની સેવાઓ લીધી નહોતી. એ હકીકતની નોંધ લેતી વખતે કે વિલિનીકરણની સમગ્ર પ્રક્રિયા ૬ મહિનામાં પૂર્ણ કરવાની વૈધાનિક રીતે આવશ્યકતા હતી, આ કોર્ટે નોંધ્યું હતું કે આ સમયમર્યાદા અસરગ્રસ્ત કર્મચારીઓને સુનાવણીની તક આપવા માટે અવકાશ પ્રદાન કરે છે: ૧૫. [....] અમને નથી લાગતું કે કેસની હકીકતોમાં એવું માનવા માટે કોઈ વાજબીપણું છે કે કુદરતી ન્યાયના નિયમો સમયમર્યાદાના કારણે જરૂરી સૂચિતાર્થ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ અમારુ ં માનવું છે કે કાયદા દ્વારા મર્યાદિત સમય યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પહેલાં ઇચ્છિત બાકાત કર્મચારીઓને લંબાવવાની તક પૂરી પાડે છે જેથી કર્મચારીઓના એક વર્ગને પરિસ્થિતિને અનુરૂપ સુનાવણી પૂરી પાડવામાં આવે. ૬૦. આ અદાલતે સ્વદેશી કોટન મિલ્સ (સુપ્રા) અને કે.આઈ.શેફર્ડ (સુપ્રા) માં આપેલા ચુકાદા દર્શાવે છે કે પરિસ્થિતિની તાકીદ સંદર્ભિત છે. જ્યારે નિયમનકારી મૌનનો સામનો કરવો પડે ત્યારે અદાલતે કુદરતી ન્યાયના સિદ્ધાંતો વાંચવાની તરફેણમાં રહેવું જોઈએ. કોઈપણ બાકાત શક્ય તેટલી સાંકડી મર્યાદાઓ સુધી મર્યાદિત હોવી જોઈએ. અગાઉથી સુનાવણી કરવાની જરૂરિયાતને માત્ર એ સ્થિતિમાં જ બાકાત રાખી શકાશે, જ્યારે તેની આયાત કરવાથી આખી પ્રક્રિયા નિષ્ક્રિય થઈ જશે. ઉપરોક્ત ઉલ્લેખ કર્યા મુજબ, છેતરપિંડી પર મુખ્ય નિર્દેશોની જોગવાઈ ક્લોઝ ૮.૯.૬ મુજબ, એકાઉન્ટને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરવાની પ્રક્રિયા છ મહિનાની અંદર પૂર્ણ કરવાની રહેશે. છેતરપિંડી પરના મુખ્ય દિશાનિર્દેશો હેઠળ અપનાવવામાં આવેલી પ્રક્રિયા બેંકોને ખાતાને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરતા પહેલા ઇરાદાપૂર્વકનો સમય પૂરો પાડે છે. આ અંતરાલ દરમિયાન બેંકો ઋણધારકોને નોટિસ મોકલી શકે છે અને તેમને ફોરેન્સિક ઓડિટ રિપોર્ટના તારણો અંગે પોતાનો જવાબ અને રજૂઆત રજૂ કરવાની તક આપી શકે છે. છેતરપિંડી પરના મુખ્ય દિશાનિર્દેશો હેઠળ વિચારવામાં આવેલ વિશાળ સમયમર્યાદા તેમજ અપનાવવામાં આવેલી પ્રક્રિયાની પ્રકૃ તિને જોતાં, બેંકો માટે તેમના ખાતાને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરતા પહેલા ઋણ લેનારાઓને સુનાવણીની પર્યાપ્ત તક પૂરી પાડવા તે વ્યાજબી રીતે વ્યવહારુ છે. તુલસીરામ પટેલ (ઉપર) કેસમાં આ અદાલતના નિર્ણયમાં જે બાકાત રાખવાનો વિચાર કરવામાં આવ્યો છે તે લાગુ નહીં પડે, કારણ કે ઋણધારકોને સુનાવણીની તક આપવાથી છેતરપિંડી પરના મુખ્ય નિર્દેશો હેઠળ તાત્કાલિક પગલાં લેવામાં અવરોધ નહીં આવે. ૬૧. ભારતીય રિઝર્વ બેંક અને ધિરાણદાર બેંકોએ વધુમાં જણાવ્યું છે કે છેતરપિંડી પર મુખ્ય નિર્દેશો હેઠળ કુદરતી ન્યાયની જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ છે, કારણ કે ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ તૈયાર કરવા દરમિયાન ઋણધારકને તેમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે છે. બીજી તરફ, ઋણધારકોએ રજૂઆત કરી છે કે મુખ્ય નિર્દેશો ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ દરમિયાન ઋણ લેનારાઓની સહભાગિતા માટે સ્પષ્ટપણે પ્રદાન કરતા નથી. એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ તૈયાર કરતી વખતે માત્ર ઋણધારકોના ઇનપુટ્સ માંગવાથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોની જરૂરિયાતો સંતોષી શકાતી નથી, કારણ કે તેમને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરતા પહેલા ઋણધારકોની વાત પણ સાંભળવી જોઈએ. ૬૨. કેશવ મિલ્સ કંપની લિમિટેડ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા (1973) 1 એસસીસી 380 કેસમાં, આ કોર્ટ આઇડીઆર એક્ટ, ૧૯૫૧ હેઠળ સરકાર દ્વારા કંપનીની બાબતોની સંપૂર્ણ તપાસ પૂર્ણ કર્યા પછી કંપનીના અધિગ્રહણના મુદ્દા પર કામ કરી રહી હતી. મુદ્દો એ હતો કે વહીવટી સત્તામંડળ દ્વારા નિયુક્ત તપાસ સંસ્થાનો અહેવાલ તે અહેવાલ પર સત્તામંડળ નિર્ણય લે તે પહેલાં સંબંધિત વ્યક્તિને ઉપલબ્ધ કરાવવો જોઈએ કે નહીં. એક સામાન્ય સિદ્ધાંત નક્કી કરવાનો નિર્ણય લેતી વખતે, આ અદાલતે અવલોકન કર્યું હતું કે, કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓ હોઈ શકે છે, જ્યાં સૂચિત કાર્યવાહી વિશે અસરકારક રજૂઆત કરવા માટે સંબંધિત પક્ષને તપાસ અહેવાલ આપવા જરૂરી છે: ૨૧. અમારા મંતવ્યમાં સત્તામંડળ દ્વારા તે અહેવાલ પર નિર્ણય લેતા પહેલાં કોઈ તપાસ સંસ્થા અથવા વહીવટી સત્તામંડળ દ્વારા નિયુક્ત ઇન્સ્પેક્ટરનો અહેવાલ કોઈ પણ કેસમાં સંબંધિત વ્યક્તિઓને ઉપલબ્ધ કરાવવો જોઈએ કે નહીં તે પ્રશ્ન પર કોઈ સામાન્ય સિદ્ધાંત સ્થાપિત કરવો શક્ય નથી. આ પ્રશ્નનો જવાબ પણ હંમેશા કેસના તથ્યો અને સંજોગો પર આધારિત હોવો જોઈએ. તે બિલકુલ અસંભવિત નથી કે એવા કેટલાક કિસ્સાઓ હોઈ શકે કે જ્યાં સુધી અહેવાલ આપવામાં ન આવે ત્યાં સુધી સંબંધિત પક્ષ તે અહેવાલના આધારે સરકાર જે પગલાં લે છે અથવા લેવાની દરખાસ્ત કરે છે તેના વિશે કોઈ અસરકારક રજૂઆત કરી શકતી નથી. એટલે અહેવાલ આપવો જોઈએ કે ન આપવો જોઈએ એ દરેક વ્યક્તિગત કેસમાં તે કેસના ગુણદોષ પર આધાર રાખે છે. અમને કોઈ શંકા નથી કે ત્વરિત કેસમાં તપાસ સમિતિના અહેવાલને જાહેર ન કરવાને કારણે અપીલકર્તાઓ માટે કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ થયો નથી. ૬૩. સ્વદેશી કોટન મિલ્સ(સુપ્રા) માં, આ અદાલતે નક્કી કર્યું હતું કે કંપની તેની સામે એકત્રિત કરાયેલા પુરાવાઓને સમજાવવા અને સૂચિત પગલાં કેમ ન લેવા જોઈએ તેનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવવા માટે હકદાર છે: ૮૫. વિવાદ સારી રીતે સ્થાપિત હોય તેવું જણાતુ નથી. સૌપ્રથમ, આ દસ્તાવેજી પુરાવા, શ્રેષ્ઠ રીતે, દર્શાવે છે કે કંપની દેવામાં હતી અને તેના કેટલાક "એકમો" ની અસ્કયામતો તે દેવાની સુરક્ષા તરીકે અનુમાનિત અથવા ગીરો રાખવામાં આવી હતી. કંપનીએ સમજાવ્યું હશે કે આ દેવાના પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી, જે એક આવશ્યક શરતો છે જેના સંદર્ભમાં કલમ ૧૮ એ-એ(૧)(એ) હેઠળ પગલાં લેતા પહેલા સરકારે સંતુષ્ટ થવું આવશ્યક છે. બીજુ ં, આ કેસના સંજોગોમાં પ્રાકૃ તિક ન્યાયના નિયમની જરૂર હતી, એટલું જ નહીં કંપનીને તેની સામેના પુરાવાઓ સમજાવવાની તક આપવી જોઈએ, પણ હસ્તક્ષેપની સૂચિત કાર્યવાહી વિશે જાણકારી આપવાની અને તે શા માટે લેવામાં આવતું નથી તેની રજૂઆત કરવા માટે તેનું પ્રતિનિધિત્વ કરવાની તક પણ હતી. ૬૪. ઔડી આલ્ટર્મ પાર્ટમ ('બીજા પક્ષ ને સાંભળો') સિદ્ધાંતના ઘણા પાસા છે, જેમાં કોઈ પણ વ્યક્તિ કે જેની વિરુદ્ધ પૂર્વગ્રહ ધરાવતો આદેશ પસાર થયો હોય તે વ્યક્તિ પર નોટિસની બજવણી અને એકત્ર કરવામાં આવેલા પુરાવા સમજાવવાની તક પૂરી પાડવી સામેલ છે. તુલસીરામ પટેલ (સુપ્રા) માં, આ અદાલતે ઔડી આલ્ટર્મ પાર્ટમ ( 'બીજા પક્ષ ને સાંભળો' સિદ્ધાંત) ની વિશાળ વ્યાપકતા સમજાવી હતીઃ ૯૬. કુદરતી ન્યાયના જે નિયમ સાથે આપણે આ અપીલો અને રીટ અરજીઓમાં સંબધિત છીએ, એટલે કે, ‘ઔડી આલ્ટર્મ પાર્ટમ રૂલ’, ('બીજા પક્ષ ને સાંભળો નિયમ' ) તેના સંપૂર્ણ વ્યાપકતા સાથે તેનો અર્થ એ થાય છે કે જેની સામે તેના પૂર્વગ્રહ યુકત હુકમ પસાર થાય તે વ્યક્તિને તેની સામેના આક્ષેપો અને આરોપોની જાણ થવી જોઈએ, તેનો ખુલાસો રજૂ કરવાની તક આપવામાં આવે, જે મૌખિક અથવા દસ્તાવેજી બંને દ્વારા તેની સામે નિર્ણય લેવાનો પ્રસ્તાવ છે તે પુરાવા જાણવાનો અને તેની સામે ઉપયોગમાં લેવાતા દસ્તાવેજોનું નિરીક્ષણ કરવાનો અને તેની સામે તેની સામે પુરાવા આપવા માટે સાક્ષીઓ હોવાનો અને તેની સામે ઉલટતપાસ કરવાનો અને તેનો પોતાનો મૌખિક અને દસ્તાવેજી પુરાવો રજૂ કરવાનો અધિકાર છે. જોકે, નિષ્પક્ષ સુનાવણીની પ્રક્રિયામાં કોર્ટની ન્યાયિક પ્રક્રિયાને અનુરૂપ હોવાની જરૂર નથી, કારણ કે કેસોના ન્યાયિક ચુકાદામાં પ્રક્રિયાનાં સંખ્યાબંધ ટેકનિકલ નિયમો અને પુરાવાઓનો સમાવેશ થાય છે, જે બિન-જરૂરી છે અને અર્ધ-ન્યાયિક અથવા વહીવટી તપાસ ઔડી અલ્ટરટમ પાર્ટમ ('બીજા પક્ષ ને સાંભળો' નિયમ ) ના અર્થમાં નિષ્પક્ષ સુનાવણીના હેતુ માટે જરૂરી નથી.[...] ૬૫. તેથી ઓડી આલ્ટરટમ પાર્ટમ નિયમ મુજબ, જેની સામે પુરાવા એકત્ર કરવામાં આવે છે તે નીચે દર્શાવેલા હોવા જોઈએઃ( ) i તેની સામેના પુરાવા સમજાવવાની તક પૂરી પાડવામાં આવે ( ) ii સૂચિત કાર્યવાહીની જાણ કરવી, અને ( ) iii સૂચિત પગલાં શા માટે ન લેવા જોઈએ તેનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપવામાં આવે. તેથી ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ તૈયાર કરતી વખતે માત્ર ઋણધારકની ભાગીદારી કુદરતી ન્યાયની જરૂરિયાતોને પૂર્ણ કરશે નહીં. એકાઉન્ટને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરવાનો નિર્ણય લેનાર બેંકો દ્વારા હકીકતો અને કાયદા પ્રત્યે યોગ્ય ધ્યાન આપવું સામેલ છે. ધિરાણદાર બેંકોએ વ્યક્તિગત રીતે કે જેએલએફના માધ્યમથી નિર્ણય લેવાનો હોય છે કે ઋણધારકે ધિરાણ સમજૂતીના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં અને તેના આધારે ધિરાણદાર બેંકો યોગ્ય ઉપાયો શોધી શકે છે. એટલે કુદરતી ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે તે જરૂરી છે કે ઋણધારકોને નોટિસ આપવામાં આવે, તેમને ફોરેન્સિક ઓડિટ રિપોર્ટના તારણો સમજાવવાની તક આપવામાં આવે અને એકાઉન્ટ છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરવામાં આવે તે પહેલાં તેમને છેતરપિંડી પર મુખ્ય નિર્દેશો હેઠળ રજૂઆત કરવા દેવામાં આવે. ડી.૪ બંધારણીય માન્યતાને પડકાર ૬૬. ઋણ લેનારાઓએ દલીલ કરી છે કે છેતરપિંડી પરના મુખ્ય દિશાનિર્દેશોને બેંકોને માર્ગદર્શકવિહીન અને નિરંકુશ સત્તાઓ આપવા બદલ મનસ્વી અને ગેરબંધારણીય ગણાવવી પડશે. આ રજૂઆતનો પ્રતિકાર કરવા માટે આરબીઆઈ અને ધિરાણદાર બેંકોએ દિલ્હી ક્લોથ મિલ્સ એન્ડ જનરલ મિલ્સ વિ. યુનિયન ઑફ ઇન્ડિયા (૧૯૮૩) ૪ એસસીસી ૧૬૬ કેસમાં આપેલા નિર્ણય પર આધાર રાખ્યો છે.વધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે જ્યાં સુધી સ્પષ્ટપણે વિખવાદ, મનસ્વીપણું અથવા દુર્ભાવના ન હોય ત્યાં સુધી ન્યાયાલયોએ આર્થિક નીતિના નિર્ણયમાં દખલગીરી કરવી જોઈએ નહીં. ૬૭. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બેંકિંગ સિસ્ટમના સ્વાસ્થ્યની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવાનો અધિકાર છે. એટલે છેતરપિંડી પર મુખ્ય નિર્દેશોમાં બેંકો માટે પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી છે, જે ઋણધારકો દ્વારા લોનના કરારનું ઉલ્લંઘન થવાના કિસ્સામાં કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓનો સંપર્ક કરીને યોગ્ય ઉપાયો શોધી શકે છે અને ઋણધારકોને વધુ સંસ્થાગત ધિરાણ પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ મૂકી શકે છે. જો કે, કોઈ પણ નીતિગત નિર્ણય કે જે કોઈ પણ વ્યક્તિ માટે ગંભીર દીવાની પરિણામો લાદવાનો વિચાર કરે અને જો તે પ્રક્રિયા દરમિયાન કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો અમલ ન કરવામાં આવે તો તેને મનસ્વી ગણી તેને પડકારી શકાશે. ૬૮ ઈ. પી. રોયપ્પા વિ. તમિલનાડુ રાજ્ય (૧૯૭૪) ૪ એસ. સી. સી. ૩ કેસમાં આ અદાલતે ઠરાવ્યું છે કે, રાજ્ય દ્વારા મનસ્વી કૃત્ય બંધારણના અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન કરે છે. ફરીથી, મેનકા ગાંધી (સુપરા) કેસમા આ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે બિન-મનસ્વીતાનો સિદ્ધાંત અનુચ્છેદ ૧૪માં સમાયેલો છે. બંધારણીય ખામીઓ માટે વહીવટી કાર્યવાહીનું પરીક્ષણ અનુચ્છેદ ૧૪ હેઠળ ચાર આધાર પર કરી શકાય છેઃ ( ) i ગેરવાજબીતા અથવા અતાર્કિકતા; ( ) ii ગેરકાયદેસરતા; ( ) iii પ્રક્રિયાગત અયોગ્યતા; [સ્ટેટ ઓફ એપી વિ. મેકડોવેલ, (૧૯૯૬) ૩ એસસીસી ૭૦૯; ઓમ કુમાર વિ. યુનિયન ઓફ ઈન્ડિયા, (૨૦૦૧) ૨ એસસીસી ૩૮૬] અને ( ) iv પ્રમાણસરતા.જોકે, આ પ્રકારની ન્યાયિક સમીક્ષાનો વ્યાપ નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખામીની ખાતરી કરવા સુધી મર્યાદિત છે નહી કે વહીવટકર્તા દ્વારા કરવામાં આવેલી પસંદગીની સચોટતા માટે. [ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, યુનાઇટેડ કોમર્શિયલ બેંક વિ. પી. સી. કક્કડ, (૨૦૦૩) ૪ એસસીસી ૩૬૪] ૬૯. કાર્યવાહીમાં નિષ્પક્ષતા માટે એ જરૂરી છે કે જે પ્રક્રિયાઓ મૂળભૂત અધિકારોને નુકસાન પહોંચાડે છે તે નયાયી, નિષ્પક્ષ અને વાજબી હોવી જોઈએ. કુદરતી ન્યાયના સિદ્ધાંતોની સાર્વભૌમિક ઉપયોગિતા છે અને તે અનુચ્છેદ ૧૪ હેઠળ પરિકલ્પના કરાયેલ પ્રક્રિયાગત ઔચિત્યનું એક મહત્વપૂર્ણ પાસું છે.ઔડી આલ્ટર્મ પાર્ટમના નિયમને અનુચ્છેદ ૧૪માં સમાવિષ્ટ ગેરન્ટીના ભાગરૂપે માન્યતા આપવામાં આવી છે.તુલસીરામ પટેલ (સુપ્રા) માં આ અદાલતની બંધારણીય ખંડપીઠે સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન અનુચ્છેદ ૧૪ નું ઉલ્લંઘન છે. અદાલતે ચુકાદો આપ્યો હતો કે કુદરતી ન્યાયનો ભંગ કરનારી રાજ્ય સરકારની કોઈ પણ કામગીરી અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન કરે છે. આ રીતે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને આર્ટિકલ ૧૪માં સમાયેલી ગેરંટીના ભાગ તરીકે ગણવામા આવી છે, કારણ કે આ કોર્ટે સમાનતાના ખ્યાલ માટે નવા અને ગતિશીલ અર્થઘટન કર્યા છે, જે તે અનુચ્છેદની વિષયવસ્તુ છે. ટૂંકમાં કહીએ તો, ઉચ્ચારણ નીચે મુજબ ચાલે છે. કુદરતી ન્યાયના નિયમોનું ઉલ્લંઘન મનમાનીમાં પરિણમે છે જે ભેદભાવ સમાન છે – જ્યાં ભેદભાવ રાજ્યકાર્યવાહીનું પરિણામ છે, તે અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન છેઃએટલે રાજ્ય દ્વારા કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરવું એ કલમ ૧૪નું ઉલ્લંઘન છે. જોકે, કલમ ૧૪ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો એકમાત્ર ભંડાર નથી.તે એ કરે છે કે તે ગેરંટી આપે છે કે કોઇપણ કાયદો અથવા રાજ્યની કામગીરી જો તે નું ઉલ્લંઘન કરશે તો તેને રદ કરવામાં આવશે.કુદરતી ન્યાયના સિદ્ધાંતો માત્ર કાયદા અને રાજ્ય સરકારની કામગીરીને જ લાગુ પડતા નથી, પરંતુ જ્યાં કોઈ પણ ટ્રિબ્યુનલ, સત્તામંડળ અથવા માણસોની સંસ્થા, જે કલમ ૧૨માં ‘રાજ્ય’ની પરિભાષાની અંદર આવતી નથી, તેને કોઈ બાબતમાં નિર્ણય લેવાની જવાબદારી સોંપવામાં આવી હોય.આવી સ્થિતિમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતો અનુસાર આ પ્રકારની બાબતોનો નિર્ણય નિષ્પક્ષ અને તટસ્થ રીતે થવો જોઈએ." ૭૦. કેન્ટોન્મેન્ટ બોર્ડ વિરુદ્ધ તારામણિ દેવી (૧૯૯૨ સપ્લીમેન્ટ (૨) એસસીસી ૫૦૧) માં આ કોર્ટની બે જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે ઔડી આલ્ટર્મ પાર્ટમ ( 'બીજા પક્ષ ને સાંભળો') નો નિયમ અનુચ્છેદ ૧૪ નો ભાગ છે. એ જ રીતે, દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વિરુદ્ધ ડીટીસી મઝદૂર કોંગ્રેસ ૧૯૯૧ સપ્લીમેન્ટ (૧) એસસીસી ૬૦૦ ના કેસમાં આ અદાલતે નોંધ્યું હતું કે, ઔડી આલ્ટર્મ પાર્ટમ ( 'બીજા પક્ષ ને સાંભળો') નો નિયમ કલમ ૧૪ માં સમાનતાની જોગવાઈને લાગુ કરે છે. આથી, કોઈ પણ વહીવટી કાર્યવાહી કે જે ઔડી આલ્ટર્મ પાર્ટમ ('બીજા પક્ષ ને સાંભળો') ના નિયમનું ઉલ્લંઘન કરે છે તે મનસ્વિતા છે અને કલમ ૧૪નું ઉલ્લંઘન કરે છે. ૭૧. કલમ ૧૪ની જરૂરિયાતને પહોંચી વળવા માટે કુદરતી ન્યાયના સિદ્ધાંતો સાથે સુસંગત વહીવટી કાર્યવાહીઓ, જેમાં નોંધપાત્ર દિવાની પરિણામો આવે છે, વાંચવી જોઈએ.જ્યાં સુધી શક્ય હોય ત્યાં ‘ઔડી આલ્ટર્મ પાર્ટમ’ના નિયમને બંધારણીય નિયમના રૂપમાં વાંચવો જોઈએ, જેથી તે અનુચ્છેદ ૧૪માં ઉલ્લેખિત સમાનતા અને મનસ્વીતા મુક્ત સિદ્ધાંતોનું પાલન કરી શકે.છેતરપિંડી પર મુખ્ય નિર્દેશો ઋણધારકોને ઋણધારકના ખાતાને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરતા પહેલા સુનાવણી કરવાની તક પૂરી પાડતા નથી.ત્યારબાદ ઓડી આલ્ટર્મ પાર્ટમ ('બીજા પક્ષ ને સાંભળો') ને છેતરપિંડી પર મુખ્ય નિર્દેશોની જોગવાઈઓમાં વાંચવું જોઈએ. ૭૨. ઓલ્ગા ટેલિસ વિ. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (૧૯૮૫) ૩ એસસીસી ૫૪૫ કેસમાં આ કોર્ટની બંધારણીય બેન્ચને બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ૧૮૮૮ની કલમ ૩૧૪ ની કાયદેસરતા નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી. આ જોગવાઈ મ્યુનિસિપલ કમિશનરને કોઈપણ શેરીમાં અથવા તેના પર સ્થાપિત કોઈ પણ વસ્તુ, માળખું અથવા બાંધકામ ને નોટિસ વગર દૂર કરવા સક્ષમ બનાવે છે. મુખ્ય ન્યાયમૂર્તિ વાય. વી. ચંદ્રચુડે બંધારણીય ખંડપીઠે ચુકાદો આપતા કહ્યું હતું કે, આક્ષેપિત જોગવાઈનો અર્થ એ સુનિશ્ચિત કરવા માટે કરવો જોઈએ કે જે પ્રક્રિયા પર વિચાર કરવામાં આવ્યો છે તે નિષ્પક્ષ અને વાજબી છે. વધુમાં તેવુ ઠેરવવામાં આવ્યું કે: ૪૪. [...] કલમ ૩૧૪માં જે જોગવાઈ કરવામાં આવી છે તે એ છે કે કમિશનર નોટિસ વગર અતિક્રમણ દૂર કરાવી શકે છે.તેમાં એવો આદેશ આપવામાં આવ્યો નથી કે કમિશનર નોટિસ વગર અતિક્રમણ દૂર કરાવશે. તેને અલગ રીતે રજૂ કરવામા આવે તો કલમ ૩૧૪ કમિશનરને નોટિસ સાથે કે વગર અતિક્રમણ દૂર કરવાનો અધિકાર આપે છે.આ વિવેકાધિકારનો ઉપયોગ વાજબી રીતે કરવો જોઈએ, જેથી બંધારણીય આદેશનું પાલન થઈ શકે કે જાહેર કાર્યની કામગીરી સાથે સંબંધિત પ્રક્રિયા નિષ્પક્ષ અને વાજબી હોવી જોઈએ.આપણે આ અર્થઘટનની તરફેણમાં રહેવું જોઈએ કારણ કે તે કાયદાની કાયદેસરતા જાળવવામાં મદદ કરે છે. અતિક્રમણ હટાવતા પહેલા નોટિસ ન મોકલવાનો આદેશ ધરાવતી કલમ ૩૧૪ને વાંચવાથી કાયદો ગેરકાયદેસર ગણાશે. ૭૩. યુનિયન ઓફ ઇન્ડિયા વિ. કર્નલ જે. એન. સિંહા (૧૯૭૦) ૨ એસ. સી. સી. ૪૫૮ કેસમાં આ કોર્ટની બે ન્યાયાધીશોની ખંડપીઠે ઠેરવ્યું કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો સાથે સુસંગત કાયદેસર જોગવાઈઓનું અર્થઘટન કરવાનો પ્રયાસ થવો જોઈએઃ ૮. [...] એ સાચું છે કે જો કોઈ કાયદેસર જોગવાઈને કુદરતી ન્યાયના સિદ્ધાંતો સાથે સુસંગત રીતે વાંચી શકાય, તો અદાલતોએ આમ કરવું જોઈએ કારણ કે એવું અનુમાન કરવું જરૂરી છે કે વિધાનમંડળો અને કાનૂની સત્તામંડળો કુદરતી ન્યાયના સિદ્ધાંતો અનુસાર કામ કરવા ઇચ્છે છે. પરંતુ બીજી તરફ જો કોઈ કાયદેસર જોગવાઈમાં કુદરતી ન્યાયના કોઈ અથવા તમામ સિદ્ધાંતો લાગુ પડતા નથી તો અદાલત વિધાનમંડળ અથવા કાનૂની સત્તામંડળના આદેશની અવગણના કરી શકે નહીં અને સંબંધિત જોગવાઈમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતો વાંચી શકે નહીં.આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કુદરતી ન્યાયના કોઈપણ સિદ્ધાંતો અનુસાર થવો જોઈએ કે નહીં તે સત્તા પ્રદાન કરતી જોગવાઈના સ્પષ્ટ શબ્દો, આપવામાં આવેલી સત્તાની પ્રકૃ તિ, કયા હેતુ માટે તે આપવામાં આવી છે તેના પર આધાર રાખે છે. ૭૪. સી. બી. ગૌતમ વિરુદ્ધ ભારત સરકાર (૧૯૯૩) ૧ એસ. સી. સી. ૭૮ કેસમાં આ અદાલતની બંધારણીય ખંડપીઠ સમક્ષ પ્રશ્ન હતો કે, આવકવેરા ધારા, ૧૯૬૧ના પ્રકરણ એક્સએક્સ -સી ની કલમ ૨૬૯- યુડી (૧) હેઠળ મિલકતની ફરજિયાત ખરીદી કરતા પહેલા મિલકતના ઈચ્છ ુ ક ખરીદનાર અને વેચનારને કારણ બતાવો નોટિસ ઇશ્યૂ કરવી જોઈએ કે નહીં.મુખ્ય ન્યાયાધીશ એમ. એચ. કાનિયાએ બંધારણીય ખંડપીઠ વતી ઠેરવ્યું હતું કે, જ્યાં કોઈ જોગવાઈની કાયદેસરતા સુનાવણીની તક ન મળવાથી ગંભીર પડકાર ઊભો કરી શકે છે, ત્યાં અદાલતોએ આ જોગવાઈમાં આ પ્રકારની જરૂરિયાતને વંચાણે લીધી છે. સી. બી. ગૌતમ (સુપ્રા) ના કેસમાં આ અદાલતે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને મનસ્વીતા ના દુર્ગુણથી બચાવવા માટે ચેપ્ટર એક્સએક્સ-સી ની જોગવાઈઓ વંચાણે લીધી છે.બંધારણીય ખંડપીઠે ઠેરવ્યું હતું કે: ૩૦ [....] ફરી એકવાર, ચેપ્ટર એક્સએક્સ-સી માં કારણ બતાવો નોટિસ આપવા અથવા કારણ બતાવવાની વાજબી તક આપવા સિવાય કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી અથવા ચેપ્ટર એક્સએક્સ-સી ની ભાષામાં એવું કંઈ નથી જે આ પ્રકારનું પરિણામ લાવી શકે.કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન એ કામગીરીમાં નિષ્પક્ષતાની વ્યવહારુ જરૂરિયાત છે. અમારા મતે, તેથી, કેન્દ્ર સરકાર દ્વારા ખરીદી માટેના ઓર્ડર પહેલાં કારણ બતાવવાની તકની જરૂરિયાત કલમ ૨૬૯-યુડી હેઠળ યોગ્ય સત્તાધિકારી દ્વારા કરવામાં આવે છે.વધુમાં, જો આ પ્રકારની જરૂરિયાતોને કથિત પ્રકરણની જોગવાઈઓમાં વાંચવામાં નહીં આવે, તો તેઓ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન ન કરવાના આધાર પર કલમ ૧૪ની જોગવાઈઓના ઉલ્લંઘનનાં આધાર પર ગંભીર રીતે પડકારશે.જ્યારે કલમ ૨૬૯-યુડી હેઠળ ખરીદીનો આદેશ આપવામાં આવે છે-ત્યારે આ પ્રકારનો આદેશ આપતા પહેલા સુનાવણીની વાજબી તક જરૂરી હોય તેવી જોગવાઈનો કોઈ વિકલ્પ નથી. ૭૫. સહારા ઇન્ડિયા (ફર્મ), લખનૌ વિ. કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, સેન્ટ્રલ-૧ (૨૦૦૮) ૧૪ એસસીસી ૧૫૧ કેસમાં આ અદાલતની બે ન્યાયાધીશોની ખંડપીઠે કરદાતાનાં ખાતાનાં વિશેષ ઓડિટ માટે આવકવેરા ધારા, ૧૯૬૧ની કલમ ૧૪૨ (૨-એ) હેઠળ કોઈ પણ નિર્દેશો ઇશ્યૂ કરતા પહેલા કરદાતાને સુનાવણી કરવાની તક આપવી જોઈએ કે નહીં તે નક્કી કરવા જણાવ્યું હતું. આ અદાલતે ઠેરવ્યું હતું કે, આવકવેરા કાયદાની કલમ ૧૪૨ (૨-એ) હેઠળ સત્તાનો ઉપયોગ કરદાતાઓ માટે ગંભીર દીવાની કાર્યવાહીના પરિણામો તરફ દોરી જાય છે, એટલે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવાની જરૂરિયાતને ઉપરોક્ત જોગવાઈમાં વંચાણે લેવી જોઈએ. ૭૬. કેસર એન્ટરપ્રાઇઝ લિમિટેડ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય (૨૦૧૧) ૧૩ એસસીસી ૭૩૩ કેસમાં અદાલતે ઉત્તર પ્રદેશ એક્સાઇઝ મેન્યુઅલના નિયમ ૬૩૩ (૭) ની કાયદેસરતાને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી, જેમાં કારણ બતાવો નોટિસ જાહેર કર્યા વગર બોન્ડની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ લાદવાની મંજૂરી આપવામાં આવી હતી.ન્યાયમૂર્તિ ડી કે જૈને બે ન્યાયાધીશોની ખંડપીઠ વતી ઠેરવ્યું હતું કે, કારણ બતાવો નોટિસ ઇશ્યૂ કરવી જોઈએ અને નિયમ ૬૩૩ (૭) હેઠળ આદેશ આપતા પહેલા સુનાવણી કરવાની તક આપવી જોઈએ.કોર્ટે ઠેરવ્યું હતું કે, આ નિયમ બંધારણની કલમ ૧૪ના ઉલ્લંઘન બદલ પડકારવા માટે ખુલ્લો રહેશે, જ્યાં સુધી તેમાં કારણ બતાવવાની તકની જરૂરિયાત વંચાણમા ન લેવામાં આવે.કોર્ટે નોંધ્યું હતું કેઃ ૩૦. કુદરતી ન્યાયના સિદ્ધાંતોના અમલીકરણના સંદર્ભમાં ઉપરોક્ત ઉલ્લેખિત કાયદાકીય સિદ્ધાંતો પર પરિચ્છેદ ૧૬ માં તૈયાર કરવામાં આવેલા મુદ્દાને ધ્યાનમાં રાખીને, અમારો મત છે કે, આબકારી મેન્યુઅલના નિયમ ૬૩૩ના પેટા નિયમ (૭) હેઠળ નિર્દેશોના સ્વરૂપ, વ્યાપ અને પરિણામોને ધ્યાનમાં રાખીને, કુદરતી ન્યાયના સિદ્ધાંતો માટે કારણ બતાવો નોટિસ ઇશ્યૂ કરવી જોઈએ અને કથિત નિયમ હેઠળ આદેશ આપતા પહેલા સંબંધિત વ્યક્તિને સુનાવણીની તક આપવી જોઈએ. […] ૩૨. અમારા મતે, જો કારણ બતાવવાની તકની જરૂરિયાતને કથિત નિયમમાં વંચાણે લેવામા નહીં આવે, તો તે અંતર્ગત કાર્યવાહી ભારતના બંધારણની કલમ ૧૪ના ઉલ્લંઘન તરીકે પડકારવા માટે ખુલ્લી રહેશે, કારણ કે આ જોગવાઈ હેઠળ સક્ષમ સત્તામંડળને અપાયેલી સત્તા માનસ્વી છે. ૭૭. અગાઉના ફકરાઓમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, છેતરપિંડી પર મુખ્ય નિર્દેશોમાં નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર ઋણધારકના ખાતાનું છેતરપિંડી તરીકે વર્ગીકરણ કરવામાં આવે તો ઋણધારકને દીવાની રાહે કાર્યવાહીના પરિણામો ભોગવવા પડે છે.છેતરપિંડી પરના મુખ્ય નિર્દેશો ખાતાને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરતા પહેલા ઋણધારકને સ્પષ્ટપણે સાંભળવાની તક પૂરી પાડતા નથી, તેથી ઓડી અલ્ટેરમ પાર્ટમ ('બીજા પક્ષ ને સાંભળો') ના નિયમને મનસ્વીતાના દુર્વ્યવહારથી બચાવવા માટે ઉપરોક્ત નિર્દેશોની જોગવાઈઓ વંચાણે લેવી જોઈએ. ૭૮. પૂર્ણ કરતા પહેલા, અમે ઋણધારકોની એ દલીલને પણ ધ્યાનમાં લેવા માંગીએ છીએ કે, તાર્કિક આદેશ પસાર કરવાની જરૂરિયાત છેતરપિંડી પર મુખ્ય નિર્દેશોમાં વંચાણે લેવી જોઈએ. ઋણધારકોએ જાહ ડેવલપર્સ (સુપ્રા) પર પણ આધાર રાખ્યો હતો, જેમા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે સમીક્ષા સમિતિએ ઋણધારકને ‘ઇરાદાપૂર્વક’ ડિફોલ્ટર જાહેર કરવાનો અંતિમ નિર્ણય તર્કસંગત આદેશ દ્વારા લેવો જોઈએ. અમે ઋણધારકોની આ દલીલ સાથે સંમત છીએ કારણકેઃ (૧) એક તર્કસંગત આદેશ વ્યથિત પક્ષને એ પ્રદર્શિત કરવાની મંજૂરી આપે છે કે જે કારણોસર સત્તામંડળને વ્યથિત પક્ષના હિતો સામે પ્રતિકૂળ આદેશ આપવા માટે રાજી કરવામાં આવે છે તે બાહ્ય અથવા વિકૃ ત છે અને (૨) સત્તાના મનસ્વી ઉપયોગ પર અંકુશ લગાવવા માટે કારણો નોંધવાની જવાબદારી છે. [ક્રાંતિ એસોસિએટ્સ (પી) લિમિટેડ વિરુદ્ધ મસૂદ અહેમદ ખાન, (૨૦૧૦) ૯ એસસીસી ૪૯૬] ના કેસમાં નોંધવા માટેના કારણોને અદાલતના ચુકાદાની જેમ સમાન સ્થાન પર મૂકવાની જરૂર નથી. કારણો ટૂંકા હોઈ શકે છે પરંતુ તેઓ યોગ્ય બુદ્ધિનો ઉપયોગ કરીને નિષ્પક્ષતા સાથે કામ કરે છે. ૭૯. ઉપર નોંધેલ કાનૂની સ્થિતિના પ્રકાશમાં, અમે માનીએ છીએ કે ઔડી આલ્ટર્મ પાર્ટમ નો નિયમ છેતરપિંડી પરના મુખ્ય નિર્દેશોના ખંડ ૮.૯.૪ અને ૮.૯.૫ માં વાંચવો જોઈએ. કુદરતી ન્યાયના સિદ્ધાંતો સાથે સુસંગત, ધિરાણકર્તા બેંકોએ ઓડિટ અહેવાલોની નકલ રજૂ કરીને ઉધાર લેનારને તક આપવી જોઈએ અને ખાતાને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરતા પહેલા ઉધાર લેનારને રજૂઆત સબમિટ કરવાની વાજબી તક આપવી જોઈએ. ઋણધારકે જે વાંધો ઉઠાવ્યો છે તેના પર તર્કસંગત આદેશ બહાર પાડવો પડશે. હકીકતોને ધ્યાનમાં રાખીને એ વાત નિર્વિવાદ છે કે ધિરાણકર્તા બેંકોએ તેમના ખાતાઓને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરતા પહેલા ઋણધારકોને સુનાવણી કરવાની તક પૂરી પાડી નહોતી.એટલે ઋણધારકના ખાતાને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરવાનો આક્ષેપિત નિર્ણય ઔડી આલ્ટર્મ પાર્ટમનાં નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતાને કારણે નિષ્ફળ જાય છે.વર્તમાન અપીલોની બેચમાં, આ અદાલતે તાત્કાલિક ધોરણે એક વચગાળાનો આદેશ બહાર પાડ્યો હતો, જેમાં ધિરાણદાર બેંકોને હાલમાં ધિરાણ લેનારાઓ સામે કોઇપણ પ્રકારની ઝડપી કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.અમારા ઉપરોક્ત તર્કને ધ્યાનમાં રાખીને અમે એવું માનીએ છીએ કે ધિરાણદારના ખાતાઓને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરવાનો ધિરાણ આપનારી બેંકોનો નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.બેંકોને આ નિર્ણય અનુસાર નવેસરથી પગલાં લેવાની સ્વતંત્રતા હશે. ૮૦ છેલ્લે, ઋણધારકોએ દલીલ કરી છે કે છેતરપિંડી પરના માસ્ટર નિર્દેશો સ્પષ્ટ મનમાની દ્વારા પ્રભાવિત થાય છે, કારણ કે તેઓ ત્રીજા પક્ષોને સુનાવણી કરવાની તક આપે છે, જ્યારે ઋણધારકોને તે ઇનકાર કરે છે, જેમને નોંધપાત્ર દિવાની પરિણામોનો સામનો કરવો પડે છે.છેતરપિંડી પર મુખ્ય નિર્દેશોની જોગવાઈ ૮.૧૨.૫ માં જોગવાઈ કરવામાં આવી છે કે બેંકોએ ત્રીજા પક્ષની સંડોવણીથી સંતુષ્ટ થવું પડશે અને ભારતીય બેંકોના સંગઠનને જાણ કરતા પહેલા તેમની વાત સાંભળવાની તક પૂરી પાડવી પડશે.અમે ઋણધારકોની આ દલીલને સ્વીકારવામાં અસમર્થ છીએ, કારણ કે ઋણધારકો અને ત્રીજા પક્ષકારોનું વલણ જુદું છે, કારણ કે:(૧) ઉધાર લેનારાઓ છેતરપિંડીનો મુખ્ય ગુનેગાર છે, જ્યારે તૃતીય પક્ષો માત્ર સહાયક છે; અને (૨) તે ઉધાર લેનારાઓ છે જે કલમ ૮.૧૨.૧ અને ૮. ૧૨. ૨ હેઠળ નિર્ધારિત નોંધપાત્ર દિવાની પરિણામોનો સામનો કરે છે. જ્યારે તૃતીય પક્ષ સેવા પ્રદાતાઓને ફક્ત ભારતીય બેંક એસોસિએશનને સંદર્ભિત કરવામાં આવે છે જે આવા સેવા પ્રદાતાઓની સાવચેતી સૂચિ જાળવી રાખે છે. જો કે, આ દૃષ્ટિકોણ અગાઉના ફકરાઓમાંની ચર્ચાને ધ્યાનમાં રાખીને અમારા નિષ્કર્ષને અસર કરતું નથી. ઇ. નિષ્કર્ષ ૮૧. નિષ્કર્ષ સંક્ષીપ્તમાં નીચે દર્શાવ્યા અનુસાર છેઃ ( ) i એફઆઇઆર દાખલ કરવા અને નોંધણી કરાવવા માટે સુનાવણીની કોઈ તક જરૂરી નથી. ( ) ii એકાઉન્ટને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરવાથી માત્ર તપાસ એજન્સીઓને જ ગુનાની જાણ થતી નથી પરંતુ ઋણધારકોને અન્ય દંડાત્મક અને દિવાની પરિણામો ભોગવવા પડે છે. ( ) iii છેતરપિંડી પર મુખ્ય નિર્દેશોની જોગવાઈ ૮.૧૨.૧ અંતર્ગત સંસ્થાકીય ધિરાણ મેળવવાથી ઋણધારકોને રોકવામાં આવે છે, જેના પરિણામે ઋણધારકને ગંભીર દિવાની પરિણામો ભોગવવા પડે છે. ( ) iv છેતરપિંડી પર મુખ્ય નિર્દેશોની જોગવાઈ ૮.૧૨.૧ હેઠળ આ પ્રકારનો પ્રતિબંધ એ ધિરાણ લેનારાઓને બિનભરોસાપાત્ર અને બેંકો દ્વારા ધિરાણપાત્ર ન હોવા બદલ બ્લેકલિસ્ટ કરવા જેવો છે. આ અદાલતે સતત ઠેરવ્યું છે કે કોઈ વ્યક્તિને બ્લેક લિસ્ટ કરવામાં આવે તે પહેલાં સુનાવણીની તક પૂરી પાડવી જોઈએ. ( ) v છેતરપિંડી પર મુખ્ય નિર્દેશો હેઠળ ઓડી આલ્ટર્ટેમ (બીજા પક્ષ્નેં સાંભળો) ની અરજીને પ્રત્યક્ષ રીતે બાકાત રાખી શકાય નહીં.છેતરપિંડી પર મુખ્ય નિર્દેશો હેઠળ નિર્ધારિત સમયમર્યાદા અને અપનાવવામાં આવેલી પ્રક્રિયાનાં સ્વરૂપને ધ્યાનમાં રાખીને ધિરાણકર્તા બેંકો માટે તેમના ખાતાઓને છેતરપિંડી કરનારા લોકો તરીકે વર્ગીકૃ ત કરતા પહેલા ઋણધારકોને સુનાવણીની તક પૂરી પાડવી વાજબી રીતે વ્યવહારુ છે. ( ) vi કુદરતી ન્યાયના સિદ્ધાંતો અપેક્ષા રાખે છે કે ઋણધારકોને નોટિસ આપવામાં આવે, ફોરેન્સિક ઓડિટ રિપોર્ટના તારણો સમજાવવાની તક આપવામાં આવે અને છેતરપિંડી પર મુખ્ય નિર્દેશો અંતર્ગત તેમના ખાતાઓને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરવામાં આવે તે પહેલાં બેંકો/જેએલએફ દ્વારા પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપવામાં આવે. વધુમાં, ઋણધારકના ખાતાને કપટયુક્ત ખાતા તરીકે વર્ગીકૃ ત કરવાનો નિર્ણય તર્કસંગત હુકમ તરિકે લેવો જોઈએ અને ( ) vii છેતરપિંડી પર મુખ્ય નિર્દેશો તેમના ખાતાને છેતરપિંડી તરીકે વર્ગીકૃ ત કરતા પહેલા ઋણધારકોને સુનાવણીની તક પૂરી પાડતા નથી, તેથી ઔડી અલ્ટરટમ પાર્ટમને તેમને મનસ્વીપણા ના દુર્ગુણથી બચાવવા માટેના નિર્દેશોની જોગવાઈઓમાં વાંચવાની જરૂર છે. ૮૨. પરિણામે, ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ તેલંગણા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આપેલા ચુકાદાને યથાવત રાખવામાં આવ્યો છે.૨૨ ડિસેમ્બર, ૨૦૨૧ અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના તેલંગણા ઉચ્ચ ન્યાયાલય અને ૨૩ ડિસેમ્બર, ૨૦૨૧ના ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓને તે અનુસાર રદ કરવામાં આવ્યા છે. સિવિલ અપીલોનો નિકાલ કરવામાં આવે છે. રિટ પિટીશન (સી) નંબર ૧૩૮ ઓફ ૨૦૨૨ નો પણ ઉપરોક્ત રીતે નિકાલ કરવામાં આવ્યો છે. ખર્ચના સંબંધમાં કોઈ હુકમ રહેશે નહીં. ૮૩. બાકી રહેલી અરજી (ઓ), જો કોઈ હોય તો, તેનો નિકાલ કરવામાં આવે છે. ……….......... મુખ્ય ન્યાયમૂર્તિ [ડૉ. ધનંજય વાય. ચંદ્રચુડ] ……................ ન્યાયમૂર્તિ [હિમા કોહલી] નવી દિલ્હી ૨૭ માર્ચ, ૨૦૨૩ This judgment has been translated using AI Tool – SUVAS. DISCLAIMER: The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to understand it in his/ her language and may not be used for any other purpose. For all practical and official purposes, the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.