Siju Kurian v. Karnataka State

Supreme Court of India · 17 Apr 2023
Suryakant; Arvind Kumar
Criminal Appeal No 64 of 2021
criminal appeal_dismissed Significant

AI Summary

The Supreme Court upheld the High Court's reversal of the trial court's acquittal, affirming the appellant's conviction for murder based on admissible confession and corroborated circumstantial evidence.

Full Text
Translation output
:
DISCLAIMER The translated judgement in vernacular language is meant for the
/ restricted use of the litigant to understand it in his her language and may not
. , be used for any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for
. the purpose of execution and implementation
અહેવાલપાત્ર
ભારતની સર્વોચ્ચ અદાલતમાં
ફોજદારી અપીલીય હકૂમત
ફોજદારી અપીલ નંબર ૬૪ ઓફ ૨૦૨૧
સિજુ કુ રિયન .............અપીલકર્તા
વિરુદ્ધ
કર્ણાટક રાજ્ય ........પ્રતિવાદી
ચુકાદો
ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર
૧. આ અપીલ ફાસ્ટ ટ્રેક કોર્ટ, સાગર તાલુકાની ફાઈલ પર સેશન્સ કેસ નંબર ૯૬/૨૦૧૨
ના આરોપી દ્વારા, સુપ્રીમ કોર્ટ (ફોજદારી અપીલીય અધિકારક્ષેત્રનું વિસ્તરણ) ધારો, ૧૯૭૦
ની કલમ ૨ (૧) (એ) હેઠળ, ફાસ્ટ ટ્રેક કોર્ટના ચુકાદા સામે કર્ણાટક રાજ્ય દ્વારા દાખલ
કરવામાં આવેલી ફોજદારી અપીલ નંબર ૩૩૫/૨૦૧૪ માં કર્ણાટક ઉચ્ચ અદાલતે આપેલા
ચુકાદાની વિરુધ્ધમાં કરવામાં આવી છે, કે જેમાંઆરોપીને નિર્દોષ છોડી મુકવામાના આદેશને
ઉલટાવીને અપીલકર્તાને ભારતીય દંડ સંહિતાની (ટૂંકમાં ‘આઇપીસી’) કલમ-૩૦૨ , આઇપીસી ની કલમ-૨૦૧, આઇપીસી ની કલમ-૪૦૪ અને આઇપીસીની કલમ-૪૧૯
હેઠળ સજાનેપાત્ર ગુના માટે સાદી આજીવનકેદની સજા તથા ૩ વર્ષ/૨ વર્ષના સમયગાળા
માટેની સાદી સજા જે તે લાગુ પડતા ગુના માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો, કે જેને એેકસાથે
ભોગવવાનો આદેશ કરવામાં આવ્યો હતો અને દંડ પણ કરવામાં આવ્યો હતો.
૨. ફરિયાદપક્ષે રજૂ કરેલા કેસની ટૂંકી હકીકતો નીચે મુજબ છેઃઆરોપી સાગર તાલુકા
(કર્ણાટક રાજ્ય) ના કેરોડી ગામમાં શ્રી જોસ કાફન (મૃતક) ના ફાર્મહાઉસમાં મજૂર તરીકે
કામ કરતો હતો અને ૦૨.૧૨.૨૦૧૧ના રોજ સવારે ૬:૦૦ થી ૬:૩૦ વાગ્યાની વચ્ચે મૃતક
ત્યાં સૂતો હતો ત્યારે, આરોપીએ ફાર્મ હાઉસની પૂર્વ બાજુથી પ્રવેશ કર્યો હતો અને તેના ચહેરા
પર, ડાબી આંખ પર અને ડાબા ગાલ પર બળપૂર્વક લોખંડના સળિયાથી માર મારીને તેની
હત્યા કરી હતી. ત્યારબાદ, ફાર્મહાઉસમાંથી વસ્તુઓની ચોરી કરીને ફાર્મહાઉસની વસ્તુઓને
બીજી વ્યક્તિઓને ગેરકાયદેસર નાણાંકીય ફાયદો મેળવવા માટે વેચી મારી હતી.આ કૃ ત્યને

ુ પાવવા માટે અને જાણી જોઈને પુરાવાઓને નષ્ટ કરવાના ઇરાદાથી આરોપીએ આ મૃતદેહને
ફાર્મ હાઉસની પશ્ચિમ બાજુએ આવેલા બગીચાની જમીનમાં રાખથી બનેલા ખાતરના સંગ્રહ
માટેના એક ખાડામાં છ
ુ પાવી દીધો હતો.હત્યા માટે ઉપયોગમાં લેવાયલ લોખંડનો સળિયો, મૃતક વ્યક્તિનો કમર પટ્ટો, તેનું પેન્ટ અને શર્ટ પણ બગીચાની ઉપરની માટીની નીચે છ
ુ પાવી
દેવામાં આવેલ હતા, ત્યારબાદ તેણે ફાર્મ હાઉસમાંથી ચોરી કરેલા ઉપકરણો અવેજ માટે
થઇને સુનિલકુમાર (ફરિયાદી સાહેદ-૧૮) ને વેચી દીધા હતા અને એ જ રીતે તેણે અન્ય
ચીજો શ્રી ડેનિસ સી થોમસ (ફરિયાદી સાહેદ-૨૦) ને વેચી દીધી હતી.વેચાણ દ્વારા
આપવામાં આવેલી કથિત રકમનો આરોપી દ્વારા અપ્રમાણિક રીતે દુરુપયોગ કરવામાં આવ્યો
હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત ફરિયાદપક્ષ દ્વારા એવો પણ આરોપ
મૂકવામાં આવ્યો છે કે, આરોપીએ પોતાને મૃતક વ્યક્તિનો દીકરો ગણાવીને મૃત વ્યક્તિની
જમીન વેચવાનો પ્રયાસ કર્યો હતો અને તેના ખોટા દાવાઓની સાબિતી આપવા માટે મૃતકના
ફાર્મ હાઉસના દસ્તાવેજો પણ ફરિયાદી સાહેદ-૧૫ શ્રી લિજોને સુપરત કર્યા હતા અને
ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો.
૩. મૃતકના પુત્ર સાજીદે મૃતકના ગુમશુદા અંગેની ફરિયાદ નોંધાવી હતી અને આરોપીઓ
વિશેની માહિતીની પૃષ્ઠભૂમિમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપીઓએ ગુનો
કબૂલી લીધો હતો અને સાક્ષીઓની હાજરીમાં મૃતદેહ ક્યાં છ
ુ પાવ્યો હતો તે બતાવ્યું હતું.આથી
ફરિયાદપક્ષે આરોપ લગાવ્યો હતો કે આ રીતે આરોપીએ ફરિયાદીના પિતાની હત્યા કરી હતી, મૃતકની ચીજવસ્તુઓનું વેચાણ કર્યું હતું અને મૃતકની માલિકીની જમીનના દસ્તાવેજો સુપરત
કર્યા હતા, જેમાં પોતે મૃતકનો પુત્ર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને અન્ય લોકોને
ગેરકાયદેસર રીતે જમીન વેચવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ પૂર્ણ થયા પછી, આઇપીસીની
કલમ ૩૦૨, ૨૦૧, ૪૦૪ અને ૪૧૯ હેઠળ સજાને પાત્ર ગુના બદલ આરોપી સામે ચાર્જશીટ
દાખલ કરવામાં આવી હતી.આરોપીઓ સામે આરોપ ઘડવામાં આવ્યો હતો, જેનો આરોપી
દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો હતો જેના પરિણામે ટ્રાયલ ચલાવવામા આવી હતી અને
આરોપીનો ગુનો સાબિત કરવા માટે, ફરિયાદપક્ષ દ્વારા ફરિયાદપક્ષના સાક્ષી-૧ થી
ફરિયાદપક્ષના સાક્ષી-૨૫ એેમ કુલ ૨૫ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને આંક-
૧ થી આંક-૫૧ અને એમઓ-૧ થી એમઓ-૪૭ તરીકે આધારભૂત પુરાવા રજૂ કરવામાં
આવ્યા હતા.ફરિયાદપક્ષના પુરાવાના નિષ્કર્ષ પર, ફોજદારી કાર્યરિતિ સંહિતાની કલમ-૩૧૩
હેઠળ આરોપીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને આરોપીએ પોતાને નિર્દોષ હોવાની
રજૂઆત કરી હતી અને નિર્દોષ હોવાની પોતાની ભૂમિકાનો પુનરોચ્ચાર કર્યો હતો.બંને પક્ષોની
દલીલો સાંભળ્યા પછી વિધ્વાન સેશન્સ જજે નિર્ણયના છ મુદ્દાઓ નક્કી કર્યા હતા.વિધ્વાન
ટ્રાયલ જજે ૮.૮.૨૦૧૩ ના રોજ ચુકાદો આપીને એેવા નિષ્કર્ષ પર પહોંચીને આરોપીને
નિર્દોષ જાહેર કર્યો હતો કે ફરિયાદપક્ષ તેના કેસને વાજબી શંકા રહિત સાબિત કરવામાં
નિષ્ફળ રહ્યો છે.સરકાર દ્વારા તેનાથી વ્યથિત થઇને નિર્દોષ છોડી મુકવાના આ આદેશ સામે
ફોજદારી અપીલ નંબર ૩૩૫/૨૦૧૪ દાખલ કરવામાં આવી હતી, જેમાં અન્ય બાબતોની
સાથે એેવી દલીલ કરવામાં આવી છે કે સેશન્સ જજ પુરાવાઓનું સાચુ વિષ્લેષણ કરીને તપાસ
કરવામાં નિષ્ફળ રહ્યા છે અને/અથવા પુરાવાઓ અંગે ખોટી સમજણ છે અને તેથી આરોપીને
દોષિત ઠેરવવાની જરુર હતી.એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, ચીજ-વસ્તુઓની
જડતી, એટલે કે, ભૌતિક ચીજવસ્તુની જડતી, આરોપીના કહેવાથી થઇ હતી અને
સાક્ષીઓની જુબાની સ્પષ્ટપણે ફરિયાદપક્ષના કેસને ટેકો આપે છે, છતાં વિદ્વાન સેશન્સ જજે
ખોટી રીતે ફરિયાદનો અસ્વીકાર કર્યો હતો.એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ડૉક્ટર
ફરિયાદપક્ષના સાક્ષી-૨૨ના પુરાવા પર યોગ્ય દ્રષ્ટિકોણથી વિચાર ન થવાને કારણે સેશન્સ
કોર્ટ દ્વારા દોષમુક્ત કરવાનો ખોટો આદેશ આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત, અપીલ
મેમોરેન્ડમમાં વિનંતી કરવામાં આવી હતી તે મુજબ રાજ્ય સરકારે ટ્રાયલ કોર્ટ દ્વારા અપાયેલા
દોષમુક્તિના આદેશને પાછો ખેંચવાની માંગ કરી હતી.ફરિયાદપક્ષ અને આરોપીઓ તરફથી
હાજર થયેલા વિદ્વાન વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો પર વિચાર કર્યા પછી, ઉચ્ચ
અદાલતે ટ્રાયલ કોર્ટ દ્વારા નોંધવામાં આવેલા નિષ્કર્ષને ઉલટાવી દીધો હતો અને
આઇપીસીની કલમ ૩૦૨, ૨૦૧, ૪૦૪ અને ૪૧૯ હેઠળ દંડનીય અપરાધ માટે આરોપીને
દોષિત ઠેરવ્યો હતો અને તેને ઉપર જણાવ્યા મુજબ આજીવન કેદની સજા ફટકારી હતી.આથી
આ અપીલ કરવામાં આવી છે.
૪. અમે અપીલકર્તા વતી હાજર થતા઼ વિધ્વાન વકીલો વકીલ શ્રી રંજીત બી. મરારની, સાથે-સાથે શ્રી ઝુલ્ફીકર અલી પી.એસ., સુશ્રી લક્ષ્મી શ્રી પી., સુશ્રી લેબીના બેબી, અપીલકર્તા/આરોપીના વકીલો અને શ્રી વી. એન.રઘુપથી, સરકાર વતી હાજર થતા વિધ્વાન
વકીલ ધ્વારા કરાયેલી દલીલોને સાંભળી.
૫. અપીલકર્તા તરફથી વિદ્વાન વકીલ શ્રી રંજીત બી. મરારની દલીલ છે કે આરોપીની
ભૂમિકાને લગતો કોઈ સીધો પુરાવો નથી અને ઉચ્ચ અદાલતે સાંયોગિક પુરાવાના આધારે
દોષિત ઠરાવવાનો આદેશ આપ્યો છે. તેમણે દલીલ કરી હતી કે, ફરિયાદપક્ષ પરિસ્થિતિજન્ય
પુરાવાના આધારે ઘટનાઓની શ્રેણી સ્થાપિત કરવામાં સક્ષમ નથી, જે તમામ એક અને
એકમાત્ર નિષ્કર્ષ તરફ દોરી જાય છે અને તે છે આરોપીનો અપરાધ.તે એેવી દલીલ રજૂ કરે છે
કે દોષારોપણ માત્ર ને માત્ર પુરાવા અધિનિયમની કલમ-૨૭ની દ્રષ્ટિએ અપીલકર્તા દ્વારા
આરોપજન્યરીતે પોલીસ સમક્ષ આપેલા કબૂલાતભર્યા નિવેદનના આધારે કરવામાં આવેલ છે.
પુરાવો આધારભુત નથી અને તેનો સ્વીકાર થવો જોઇતો ન હતો કારણ કે તે કન્નડ ભાષામાં
લખાયેલ હતો અને તે આરોપીની જાણમાં ન હતો.તેમણે દલીલ કરી હતી કે, ફરિયાદપક્ષ
મુજબ આરોપીએ ફરિયાદપક્ષના સાક્ષી-૧૦ ની હાજરીમાં મલયાલમમાં પોલીસ સ્ટેશનમાં
કબૂલાત કરી હતી, જેમણે તેનો કન્નડ ભાષામાં અનુવાદ કર્યો હતો અને નિર્વિવાદ રીતે
ફરિયાદપક્ષના સાક્ષી-૧૦ ને કન્નડ લખવાનું અને વાંચવાનું આવડતું નહોતું, પરંતુ તે માત્ર
કન્નડ ભાષા બોલી શકતો હતો અને તે રીતે, અપીલકર્તાની પોલિસ સમક્ષ કરેલી કબૂલાતનુ
અનુવાદ કરાયેલ નિવેદન પુરાવા તરીકે માન્ય ગણી શકાય નહિ. કઇ વ્યક્તિએ કોમ્પ્યુટર પર
ટાઈપ કરાવ્યું હતું અને તેની પ્રિન્ટ લીધી હતી તેનો રેકર્ડ પર કોઈ પુરાવા ઉપલબ્ધ ન હોવાની
હકીકત સદર નિવેદન પુરાવા તરીકે અસ્વીકાર કરવા માટે પૂરતુ હતુ અને ફરિયાદી પક્ષ તરફથી
કોઈ ખુલાસો આવ્યો નહોતો.ઉચ્ચ અદાલતે ટ્રાયલ કોર્ટ દ્વારા યોગ્ય રીતે દર્શાવવામાં આવેલા
મુદ્દાઓ પર ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાના તર્કસંગત આદેશમાં દખલગીરી ન
કરવી જોઈએ.
૬. તેમણે આ અદાલતનું ધ્યાન ફરિયાદપક્ષના સાક્ષી-૧૦ ના પુરાવા તરફ પણ દોર્યું હતું
અને દલીલ કરી હતી કે તેઓ અન્ય ફરિયાદી સાક્ષીના નજીકના મિત્ર છે અને તેમના પુરાવા
પર વિચાર કરવો જોઈએ નહીં. વધુમાં દલીલ કરેલ છે કે તે કહેશે કે આરોપીનું કબૂલાત
નિવેદન પ્રિન્ટેડ ફોર્મેટમાં હતું અને તે પોલીસ સ્ટેશનમાં આરોપીની હાજરીમાં લખવામાં આવ્યું
નહોતું અને ફરિયાદપક્ષના મત મુજબ પણ તે ફરિયાદપક્ષના સાક્ષી-૧૦ દ્વારા કહેવામાં
આવ્યું હતું, જે પોલીસ દ્વારા લખાયું હતું અને નિર્વિવાદ રીતે જે નિવેદન લખાયું હતું તે જ રજૂ
કરવામાં આવ્યું નહોતું અને આથી ફરિયાદપક્ષના સાક્ષી-૧૦ના પુરાવા પર ઉચ્ચ ન્યાયાલય
દ્વારા આરોપીને દોષિત ઠેરવવા માટે ભરોસો મૂકી શકાતો નહોતો.
૭. તેમણે વધુમાં દલીલ કરી હતી કે ફરિયાદી, ફરિયાદપક્ષના સાક્ષી-૪, કે જે મૃતકના
પુત્ર છે તેમણે જણાવ્યું હતું કે તેમના પિતા છેલ્લે ૨૯.૧૧.૨૦૧૧ના રોજ કેરળમાં ઘર છોડીને
ગયા હતા અને તેમણે ૨૮.૧૨.૨૦૧૧ના રોજ એકવાર તેમના પિતાને એક પારિવારિક
કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે બોલાવ્યા હતા, જે સંમત થયા હતા પરંતુ મૃત વ્યક્તિએ
કેરળની મુલાકાત લીધી નહોતી.તેમણે દલીલ કરી હતી કે, ફરિયાદીપક્ષના કહેવા મુજબ, સદર કબૂલાત નિવેદનમાં જણાવ્યા અનુસાર ૨.૧૧.૨૦૧૧ ના રોજ આરોપીએ તેની હત્યા
કરી હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, ૨૧.૦૧.૨૦૧૨ના રોજ ખોદકામના ૪૫ થી ૬૦
દિવસો અગાઉ મૃત્યુ થયું હતું અને આ રીતે, આરોપીને જવાબદાર ઠેરવવા માટે કરવામાં
આવેલી ફરિયાદપક્ષની વાર્તા વિશ્વાસપાત્ર નથી અને તેના કારણે ગંભીર શંકાનું કારણ બન્યું
છે અને ફરિયાદપક્ષના કેસમાં ઉભી થયેલી ખામી સમજાવી શકાઇ નથી, જે બાબત ફરિયાદી
પક્ષના કેસ માટે ઘાતક હતી.
૮. તેમણે વધુમાં દલીલ કરી હતી કે ફરિયાદપક્ષ મુખ્યત્વે ત્રણ સાક્ષીઓ એટલે કે
ફરિયાદપક્ષના સાક્ષી-૧ (મહાઝર સાક્ષી), ફરિયાદપક્ષના સાક્ષી-૨ (તપાસ સાક્ષી) અને
ફરિયાદપક્ષના સાક્ષી-૧૦ (આરોપીના ખુલાસાઓનું ભાષાંતર કરનાર વ્યક્તિ) પર નિર્ભર છે, જેઓ દ્વારા એ હકિકત પુરવાર થઇ શકે કે આરોપી દ્વારા કથિત રીતે મૃતક વ્યક્તિના ફાર્મ
હાઉસમાંથી ચોરી કરવામાં આવેલી સામગ્રી (એમઓ) મળી આવેલી. આ સાક્ષીઓની
જુબાનીને ધ્યાને લઈને, તે એેવી દલીલ કરવામાં આવેલ છે કે તેઓ પડોશમાં રહેતા ખૂબ જ
ગાઢ મિત્રો છે અને આ ત્રણેય સાક્ષીઓ રિકવરીની પ્રકિ્યાના સાક્ષી બન્યા હતા અને જપ્ત
કરાયેલા મુદ્દામાલ અને ઇન્કવેસ્ટ અહેવાલને સમર્થન આપેલ છે અને આ રીતે તેમને
ફરિયાદપક્ષના ઇશારે લાવવામાં આવેલા સ્ટોક સાક્ષી તરીકે ગણવા જોઈએ અને તેઓ
ભરોસાપાત્ર ન હોવાનુ માનવુ જોઇએ. તે એવી પણ દલીલ કરે છે કે ફરિયાદીની વાર્તા એવી છે
કે આરોપી મૃતક વ્યક્તિના ફાર્મહાઉસનો કર્મચારી હતો જે પુરવાર થયું નથી. તેઓ રજૂ કરે છે
કે ફરિયાદપક્ષ છેલ્લે સાથે જોયેલાના સિદ્ધાંતની સાથે-સાથે સંજોગોની સાંકળ સાબિત કરવામાં
પણ નિષ્ફળ રહેલ છે.તેમણે એેવી દલીલ કરી હતી કે, માત્ર એેવી હકિકત કે જ્યારે આરોપીની
સામે ફોજદારી કાર્યરિતિ સંહિતાની કલમ-૩૧૩ (ટૂંકમાં ‘સી.આર.પી.સી.’) હેઠળ તપાસ
કરવામાં આવી હતી, ત્યારે આરોપીએ તેમની સામે મૂકવામાં આવેલા તમામ આરોપોનું ખંડન
કર્યું હતું, જેમાં તેમના ઇશારે મૃતદેહો અને અન્ય સામગ્રી મળી હતી તેનો સમાવેશ થાય છે
અને આવી હકીકત આ નિષ્કર્ષ પર પહોંચીને આરોપીનો બચાવ સ્વીકારવા માટે પૂરતી હતી
કે, ફરિયાદપક્ષ આરોપીનો દોષ વાજબી રીતે સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે.
૮.૧ તેમણે દલીલ કરી હતી કે આરોપીનો કેસ એવો હતો કે જ્યારે તેને પોલીસ દ્વારા સ્થળ
પર લાવવામાં આવ્યો ત્યારે પહેલેથી જ કેટલાક લોકો ત્યાં ઉભા હતા કે જ્યાંથી મૃતદેહને
બહાર કાઢવામાં આવ્યો હતો, જયારે કે આરોપીએ પોલીસનું આ સ્થળ અંગે ધ્યાન દોર્યું ન હતું
અને આરોપીની ધરપકડ પહેલાં જ તે સ્થળ વિશે પોલીસને જાણ હતી. આથી, ઉચ્ચ અદાલતે
ફરિયાદીના કેસને ખોટો સાબિત કરવાનો બોજ આરોપી ઉપર નાખવો જોઈતો ન હતો. તેમણે
દલીલ કરી હતી કે, મૃતક ખેડૂતના ફાર્મ હાઉસમાં કામ કરતા બે કર્મચારીઓ ગુમ થયા હતા
અને આ સંબંધમાં ફરિયાદપક્ષ તરફથી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ બાબત
મૃતક વ્યક્તિના આક્ષેપિત ક્રુત્ય અંગે ગંભીર શંકા ઉભી કરે છે. તેની દલીલ હતી કે આરોપીના
મોબાઇલનો સીડીઆર સુરક્ષિત ન હતો અને ફરિયાદપક્ષ દ્વારા પુરાવા તરીકે તે રજૂ કરવામાં
આવ્યો હતો જે ફરિયાદી પક્ષ માટે ઘાતક હતો.
૮.૨ તેમણે દલીલ કરી હતી કે સદર કબૂલાત નિવેદનને આંક પી.-૨ને બે ભાગોમાં
વિભાજીત કરવામાં આવે છેઃએટલે કે, મૃતદેહો અને વસ્તુઓની જપ્તી અને એે બાબત કે જેમાં
નિવેદન નિર્વિવાદ રીતે પોલીસ સમક્ષ હતુ જે અસ્વીકાર્ય હતું. તેઓ એેવી દલીલ દ્વારા પણ
વિસ્તૃત રજૂઆત કરે છે કે જ્યારે ટ્રાયલ કોર્ટના તારણો તર્કવિરુદ્ધ તરીકે ગણાવી શકાશે નહીં
અથવા તેને સાબિત કરવું શક્ય નહીં હોય, ત્યારે એે જરૂરી છે કે આ અદાલતના ચુકાદામાં
જણાવ્યા અનુસાર આરોપીઓને લાભ મળવો જોઈએ અને આ રીતે તેમણે ટ્રાયલ કોર્ટ દ્વારા
પસાર કરાયેલા દોષમુક્તિના આદેશની પુષ્ટિ કરવા માટે પ્રાર્થના કરી છે, જે ઉચ્ચ અદાલતે
ઉલટાવી દેવામાં આવેલ છે.તેમણે દલીલ કરી હતી કે શંકાના આધારે દોષિત ઠરાવી શકાય
નહીં અને ફરિયાદપક્ષ તમામ વાજબી શંકાથી ઉપર આરોપીનો દોષ પુરવાર કરવામાં નિષ્ફળ
રહ્યો છે અને નીચેના ચુકાદાઓનો આધાર લઈને તે અપીલ મંજૂર કરવા અને ટ્રાયલ કોર્ટ દ્વારા
આપવામાં આવેલા ચુકાદાને પુનઃસ્થાપિત કરવા માટે પ્રાર્થના કરે છેઃ
(૧) શરદ બિરધીચંદ સરદા વિરુધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય (૧૯૮૪) ૪ એસ. સી.
સી. ૧૧૬
(૨) શીઓ સ્વરૂપ વિરુધ્ધ કિંગ એમ્પરર એઆઈઆર ૧૯૩૪ પીસી ૨૨૭, (૩) ચંદ્રપ્પા અને અન્ય વિરુદ્ધ કર્ણાટક રાજ્ય (૨૦૦૭) ૪ એસસીસી ૪૧૫, (૪) મુરુગેસન વિરુદ્ધ રાજ્ય, પોલીસ ઇન્સ્પેક્ટર મારફતે (૨૦૧૨) ૧૦
એસસીસી ૩૮૩, (૫) નરેશ ચંદ્ર દાસ વિરુદ્ધ એમ્પરર એઆઈઆર ૧૯૪૨ (કલકત્તા) ૫૯૩, (૬) પોહાલ્યા મોત્યા વલવી વિરુધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય (૧૯૮૦) ૧ એસસીસી
૫૩૦, (૭) અન્વર પી. વી. બનામ પી. કે. બશીર (૨૦૧૪) ૧૦ એસ.સી.સી. ૪૭૩, (૮) અર્જુન પંડિત રાવ ખોતકર વિરુધ્ધ કૈલાશ કુશનરાવ ગોરંટ્યાલ (૨૦૨૦)
૭ એસસીસી ૧.
બીજી બાજુ, રાજ્ય તરફે હાજર થયેલા શ્રી વી. એન. રઘુપતિ, સીનિયર કાઉન્સેલ દ્વારા ઉચ્ચ
અદાલતે આપેલા ચુકાદાને ટેકો આપવામાં આવ્યો હતો.તેઓએ એેવી રજૂઆત કરી કે જ્યારે
વિધ્વાન સેશન્સ જજ તેની સમક્ષ ઉપલબ્ધ પુરાવાઓ પર ધ્યાન આપવામાં નિષ્ફળ રહ્યા
હોય અથવા ઉપલબ્ધ પુરાવાઓનુ ભૂલથી વિષ્લેષણ કરેલ હોય ત્યારે તેના પરિણામે
અપીલીય અદાલતે તેના અધિકારનો ઉપયોગ કરીને તે તારણો રેકોર્ડ કરતી વખતે આપેલા
નિષ્કર્ષોને ઉલટાવી દીધા છે. તેઓ રજૂઆત કરેલ કે પૂરાવાના પુનઃમૂલ્યાંકન પર અપીલીય
અદાલતે એેવો અભિપ્રાય બનાવ્યો છે કે રેકોર્ડ પર ઉપલબ્ધ સામગ્રીનું મૂલ્યાંકન કરવામાં
આવ્યું નથી અને તેની ચર્ચા કરવામાં આવી છે.
૯. તેણે એેવી દલીલ કરી કે મહત્વના સાક્ષીઓ એેટલે કે ઝડતી પંચનામાના
ફરિયાદપક્ષના સાક્ષી-૩, ફરિયાદપક્ષના સાક્ષી-૯, ફરિયાદપક્ષના સાક્ષી-૧૧ અડગ રહ્યા
હતા અને ફોજદારી કાર્યરિતી સંહિતાની કલમ-૩૧૩ હેઠળ નોંધાયેલા આરોપીના નિવેદનમાં
કોઈ સ્પષ્ટતા ન હોવાના કારણે, ઉચ્ચ અદાલતે યોગ્ય રીતે નોંધ્યું છે કે આ મહત્વના પુરાવાને
ટ્રાયલ કોર્ટ દ્વારા અવગણવામાં આવ્યો હતો અને રેકોર્ડ પર ઉપલબ્ધ સદર બિનવિવાદી
પુરાવાને કારણે તેણે તે સ્વીકારવાની અને દોષિત આરોપીને દોષિત ઠેરવવાની પ્રક્રિયા હાથ
ધરી છે અને આવા અવલોકાનમાં ભૂલનો દોષ નથી.તેઓ ફરિયાદપક્ષના સાક્ષી-૫ ના પુરાવા
તરફ અદાલતનું ધ્યાન દોરેલ છે, જે આરોપીના મિત્ર છે કે જેણે શ્રી બાબુ (ફરિયાદપક્ષના
સાક્ષી-૧૧) એટલે કે શ્રી લિજો (ફરિયાદપક્ષના સાક્ષી-૫) ને એડવોકેટ ફરિયાદપક્ષના
સાક્ષી-૧૫ દ્વારા તૈયાર કરવામાં આવેલા કરાર હેઠળ વેચવામાં આવેલ કાટમાળ ટેપીંગ
મશીનો વિશે વાત કરી હતી.તેમણે દલીલ કરી હતી કે, સદર સાક્ષીએ આંક પી-૧૫ વિશે પણ
વાત કરી છે, જે અંતર્ગત એમ.ઓ. ૨૩ થી ૩૨ કે જે આરોપી દ્વારા આપવામાં આવ્યા હોવાનું
કહેવાય છે તેમને જપ્ત કરવામાં આવ્યા હતા અને આ રીતે ફરિયાદીના કેસને ટેકો આપીને અને
એવી દલીલ કરીને કે ઉચ્ચ અદાલતે પૂરાવાનુ ફરી મૂલ્યાંકન કરીને એેવો યોગ્ય અભિપ્રાય
બનાવ્યો છે કે, ટ્રાયલ કોર્ટે દસ્તાવેજી પુરાવાની અવગણના કરી હતી અને આ રીતે તેમણે
ઉચ્ચ અદાલતના એેવા ચુકાદાને ટકાવી રાખવા માટે પ્રાર્થના કરી હતી કે જેમાં ટ્રાયલ કોર્ટના
ચુકાદાને ઉલટાવીને આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.પોતાની રજૂઆતના
સમર્થનમાં તેમણે નીચેના ચુકાદાઓનો આધાર લીધો છેઃ
(૧) રાજસ્થાન રાજ્ય વિરુદ્ધ કાશીરામ (૨૦૦૫) ૧૨ એસ.સી.સી. ૨૫૪
(૨) એ. એન. વેંકટેશ અને અન્ય વિરુદ્ધ કર્ણાટક રાજ્ય (૨૦૦૫) ૭ એસ.સી.સી.
૭૧૪
(૩) કર્ણાટક રાજ્ય વિરુદ્ધ સુવર્ણમ્મા (૨૦૧૫) ૧ એસ.સી.સી. ૩૨૩૧૨
(૪) પટ્ટૂ રાજન વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય (૨૦૧૯) ૪ એસ.સી.સી. ૭૧.
(૫) અર્જુન પંડિતરાવ કોટકર વિરુધ્ધ કૈલાશ (૨૦૨૦) ૭ એસસીસી ૧.
૧૦. પક્ષો તરફથી રજૂ થયેલા વિદ્વાન વકીલોને સાંભળ્યા પછી અને બારમાં ઉઠાવવામાં
આવેલી પ્રતિદ્વંદ્વીની દલીલો ઉપર કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી, અમારો એવો વૈચારિક
મત છે કે અમારે ધ્યાનમાં લેવા લાયક નીચે મુજબના મુદ્દાઓ ઊભા થઈ શકે છેઃ(ક) શું ટ્રાયલ
કોર્ટના નિષ્કર્ષને ઉલટાવવાનો હાઈકોર્ટનો ચુકાદો બે સંભવિત મંતવ્યો અને ટ્રાયલ કોર્ટ દ્વારા
સંભવિત દ્રષ્ટિકોણને આધારે રદ કરવો જોઈએ?(ખ) શું ઉચ્ચ અદાલતનો નિર્ણય ખોટો છે
અને ટ્રાયલ કોર્ટ દ્વારા નોંધાયેલા તારણો ઉચ્ચ અદાલતે સદર પૂરાવાની પુનઃમૂલ્યાંકન કરતી
વખતે ખોટી રીતે ઉલટાવી દીધા છે?અથવા (ગ) શું ઉચ્ચ અદાલતે યોગ્ય રીતે પુરાવાનુ
મૂલ્યાંકન કર્યુ છે અથવા ઉચ્ચ અદાલત યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પુરાવા પર વિચાર કરવામાં
નિષ્ફળત નિવડેલ છે?
ચર્ચા અને તારણો
૧૧. ઉપર દર્શાવેલા મુદ્દાઓ એકબીજા સાથે જોડાયેલા હોવાથી અને નોંધણી હેઠળના
તારણો એકબીજા સાથે ઓવરલેપ થવાની સંભાવના હોવાથી, અમે ઉપરોક્ત મુદ્દાઓ પર
સંયુક્તપણે વિચાર કર્યો છે અને અહીં નીચે જવાબ આપ્યો છેઃ
રેફરેન્સ:મુદ્દા નંબર ૧ થી ૩
૧૨. અપીલકર્તા વતી હાજર થયેલા વિદ્વાન વકીલે ઉઠાવેલી મુખ્ય દલીલોમાંની એક દલીલ
એ છે કે ઉચ્ચ અદાલતે ટ્રાયલ કોર્ટ દ્વારા અપાયેલા દોષમુક્તિના ચુકાદામાં હસ્તક્ષેપ કરવો ન
જોઈએ અને માત્ર ટ્રાયલ કોર્ટના ચુકાદામાં વિષમતા હોય અને ટ્રાયલ કોર્ટ દ્વારા લેવામાં
આવેલો મત શક્ય ન હોય તેવા સંજોગોમાં જ, આ અદાલતના મુરુગેસન વિરુધ્ધ સરકાર
પોલીસ ઇન્સપેક્ટર ના ચુકાદા પર ભરોસો મૂકીને તેને ઉલટાવી શકાયો હોત, જે કેસ અંતર્ગત
નીચે મુજબ નિર્ણય લેવામાં આવ્યો હતોઃ
"33. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં 'ભૂલભરેલું ', 'ખોટું' અને 'સંભવિત'
શબ્દોને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છેઃભૂલભરેલું -- ખોટુ ઼
ં; જે
સાચું નથી તે.ખોટું -- (૧) જે સાચું અથવા સત્ય નથી તે, ખોટી રીતે થયેલ.
(૨) અન્યાયી, અપ્રમાણિક કે અનૈતિક.સંભવિત -- (૧) અસ્તિત્વમાં હોવા
સમર્થ, જે થઈ રહ્યું છે તે અથવા જે પ્રાપ્ત કરવામાં આવી રહ્યુ છે તે. (2) તે
અસ્તિત્વમાં હોઈ શકે છે અથવા થઇ શકે છે, પરંતુ તે ચોક્કસ અથવા સંભવિત
નથી."
૩૪. આપણા માટે એ બાબત પર ભાર મૂકવો જરૂરી રહેશે કે સંભવિત દ્રષ્ટિકોણ
એવો અભિપ્રાય સૂચવે છે કે જે સચોટતા અથવા અન્યથા નિરપેક્ષ રીતે હોવા
છતાં અસ્તિત્વ ધરાવી શકે છે અથવા તેને અમલી બનાવી શકાય છે.શ્રેણીબદ્ધ
માળખામાં નીચલી અદાલત દ્વારા લેવામાં આવેલો મત ઉચ્ચ અદાલત દ્વારા
માત્ર અસહમતિ હોવાના કારણસર ભૂલભરેલો અથવા ખોટો ગણાવી શકાય
છે.પરંતુ ઉપલી અદાલતનો આ પ્રકારનો નિષ્કર્ષ નીચલી અદાલતોના
અભિપ્રાયને સંભવિત દૃષ્ટિકોણની બહાર લઈ જશે નહીં.કોર્ટ દ્વારા કોઈ પણ
નિષ્કર્ષ પર પહોંચવાની સત્યતા અથવા અન્યથા ને ઉચ્ચ ન્યાયિક
સત્તામંડળને જે નિષ્કર્ષ સાચો લાગે તેના આધારે તેની ચકાસણી કરવી
જોઇએ.બીજી તરફ, સંભવિત દ્રષ્ટિકોણ એવો નિષ્કર્ષ સૂચવે છે કે જે બાબતે
ઉપલી અદાલત દ્વારા સંમતિ વ્યક્ત કરવામાં આવી છે કે નહીં તેને ધ્યાનમાં
લીધા વિના વાજબી રીતે નિર્ણય લઈ શકાય છે.આ બંને પરિસ્થિતિઓ વચ્ચેનો
મૂળભૂત તફાવત ધ્યાનમાં રાખવો પડશે.જ્યાં સુધી ટ્રાયલ કોર્ટ દ્વારા લેવામાં
આવેલ દ્રષ્ટિકોણ વાજબી રીતે રચાઈ શકે ત્યાં સુધી, હાઈકોર્ટ તેની સાથે સંમત
થાય કે નહીં તે ધ્યાનમાં લીધા વિના, ટ્રાયલ કોર્ટ દ્વારા લેવામાં આવેલ
દ્રષ્ટિકોણને અટકાવી શકાતો નથી અને હાઈકોર્ટ દ્વારા અપનાવેલ દ્રષ્ટિકોણને
ટ્રાયલ કોર્ટના દૃષ્ટિકોણથી કરતાં ઉપર ગણવામાં આવશે. "
૧૩. એ બાબત નવેસરથી કહેવાની જરૂર નથી કે ઉચ્ચ ન્યાયાલય માટે ટ્રાયલ કોર્ટ દ્વારા
નોંધવામાં આવેલા પુરાવા અને નિષ્કર્ષોની ફરીવાર ધ્યાન હેઠળ લેવાં શક્ય છે અને ટ્રાયલ
કોર્ટનો ચુકાદો રેકોર્ડ પરના પુરાવાની કરતા વિષમ હોય તો આવી પરિસ્થિતિમાં ઉચ્ચ
ન્યાયાલય માટે ટ્રાયલ કોર્ટના તારણોમાં હસ્તક્ષેપ કરવો અને/અથવા ટ્રાયલ કોર્ટના તારણોને
ઉલટાવી નાંખવાની બાબત ન્યાયસંગત રહેશે.ગામિની બાલા કોટેશ્વર રાવ વિરુદ્ધ આંધ્ર પ્રદેશ
રાજ્ય [એઆઇઆર ૨૦૧૦ એસસી ૫૮૯૧૫] કેસમાં આ અદાલતે નીચે મુજબ ચુકાદો
આપ્યો છેઃ
"૧૪. અમે આગળની દલીલો પર વિચાર કર્યો છે અને આ બાબતને ખૂબ જ વિગતવાર
સાંભળી છે.શ્રી રાવની દલીલ મુજબ એ વાત સાચી છે કે ટ્રાયલ કોર્ટ દ્વારા દોષમુક્તિ
વિરુદ્ધ નોંધવામાં આવેલી અપીલમાં હસ્તક્ષેપ ભાગ્યે જ અને અપવાદરૂપ સંજોગોમાં જ
થવો જોઈએ.જોકે, અત્યારે એ બાબત સારી રીતે નક્કી થઈ ગઈ છે કે ઉચ્ચ અદાલત
ટ્રાયલ કોર્ટે આપેલા પુરાવાઓ અને નિષ્કર્ષોનું નવેસરથી મૂલ્યાંકન કરી શકે છે, પરંતુ
ત્યારે જ જ્યારે ટ્રાયલ કોર્ટનો નિર્ણય વિષમ હોવાનું જણાય છે.કાયદામાં ‘વિષમ’
શબ્દનો અર્થ ‘પૂરાવાના બોજ વિરુધ્ધ’ થાય છે.એ મુજબ આપણે એેવું જોવું પડશે કે
ટ્રાયલ કોર્ટનો જે ચુકાદો હાઈકોર્ટે વિષમ જણાવ્યો છે તે ખરેખર હતો કે નહીં.અપીલીય
અદાલત પોતાની સત્તાઓનો ઉપયોગ કરીને દોષમુક્તિના આદેશને બદલી શકે છે અને
અપીલીય અદાલત તરીકે ઉચ્ચ અદાલત માટે પોતાની સત્તાનો ઉપયોગ કરવા અંગે
કોઈ મર્યાદા કે પ્રતિબંધ હોય તેવો સંહિતામાં કોઈ સંકેત નથી.અપીલ હાથ ધરવા માટે
હાઇકોર્ટની સત્તા અંગે દોષમુક્તિના આદેશ સામેની અપીલ અને દોષસિદ્ધિની સામેની
અપીલ વચ્ચે કોઈ તફાવત કરી શકાશે નહીં.ફોજદારી કાર્યરિતિ સંહિતા જે પુરાવાના
આધારે દોષમુક્તિનો આદેશ આપવામાં આવ્યો હતો તેની વ્યાપક સમીક્ષા કરવાની
સત્તાનો ઉપયોગ કરવા અને તે પુરાવાના આધારે દોષમુક્તિનો આદેશ ઉલટાવવો
જોઈએ તે નિષ્કર્ષ પર પહોંચવા માટે કોઈ બંધન મૂકતી નથી.
શીઓ સ્વરૂપ વિરુધ્ધ કિંગ એમ્પરર [એઆઈઆર ૧૯૩૪ પીસી ૨૨૭૧૬] ના
કેસમાં પ્રિવી કાઉન્સિલ દ્વારા નીચે મુજબ નિર્ણય લેવામાં આવ્યો છેઃ
પરંતુ આચારસંહિતા દ્વારા અપાયેલી સત્તાનો ઉપયોગ કરીને અને હકીકતમાં
નિષ્કર્ષ પર પહોંચતા પહેલા, ઉચ્ચ અદાલતે નીચે મુજબની બાબતોને હંમેશા
ઉચિત મહત્વ આપવું જોઈએઃ
(૧) સાક્ષીઓની વિશ્વસનીયતા અંગે ટ્રાયલ જજના મંતવ્યો/અભિપ્રાય
૨) આરોપીની તરફેણમાં નિર્દોષતાની ધારણા
(૩) કોઈ પણ શંકાના લાભ માટે આરોપીનો અધિકાર અને (૪) સાક્ષીઓને
જોવાનો લાભ મેળવનાર ન્યાયાધીશ દ્વારા હકીકતના તારણમાં વિક્ષેપ લાવવા
માટે અપીલીય અદાલતની ધીમી કામગીરી.
૧૪. આ અદાલતે નિર્દોષ જાહેર કરવાના હુકમ સામેની અપીલની સુનાવણી કરતી વખતે
અપીલીય અદાલતની સત્તાઓનો વારંવાર પુનરોચ્ચાર કર્યો છે અને ચંદ્રપા અને અન્ય વિરુદ્ધ
કર્ણાટક રાજ્ય [(૨૦૦૭) ૪ એસસીસી ૪૧૫] ની બાબતમાં નીચેના અસરથી સામાન્ય
સિદ્ધાંતો નિર્ધારિત કર્યા છેઃ
"૪૨. ઉપરોક્ત નિર્ણયોમાંથી, અમારા વિચારાધીન દ્રષ્ટિકોણ મુજબ, નિર્દોષ
જાહેર કરવાના આદેશ સામેની અપીલની સુનાવણી કરતી વખતે અપીલીય
અદાલતની સત્તા સંબંધિત નીચેના સામાન્ય સિદ્ધાંતો બહાર આવે છેઃ
(૧) જે પુરાવાના આધારે નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં
આવ્યો હોય તેની સમીક્ષા, પુનઃમૂલ્યાંકન અને પુનર્વિચારની સંપૂર્ણ સત્તા
અપીલીય અદાલતને આપવામાં આવી છે.
(૨) ફોજદારી કાર્યરિતિ સંહિતા, ૧૯૭૩માં આવી સત્તાનો ઉપયોગ કરવા
પર કોઈ મર્યાદા, પ્રતિબંધ અથવા શરત મૂકવામાં આવી નથી.
(૩) વિવિધ અભિવ્યક્તિઓ જેમકે, “નોંધપાત્ર અને ફરજ પાડતા
કારણો”, “સારા અને પૂરતા આધારો”, “ખૂબ જ મજબૂત સંજોગો”, “વિકૃ ત
થયેલ નિષ્કર્ષ”, “સ્પષ્ટ ભૂલો” વગેરેનો આશય દોષમુક્તિ સામેની અપીલમાં
અપીલીય અદાલતની વ્યાપક સત્તાઓને ઘટાડવાનો નથી.આ પ્રકારનાં
શબ્દસમૂહો ખાસ કરીને એેવાં પ્રકારના ‘ભાષાનાં વિકાસ’નાં સ્વરૂપમાં વધારે
છે, જે સાબિતિની સમીક્ષા કરવા અને પોતાના નિષ્કર્ષ પર પહોંચવા માટે
અદાલતની સત્તાને ઘટાડવાને બદલે દોષમુક્તિમાં હસ્તક્ષેપ કરવાની અપીલીય
અદાલતની અનિચ્છા પર ભાર મૂકે છે.
(૪) જોકે, અપીલીય અદાલતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે નિર્દોષ

ૂ ટવાના કેસમાં આરોપીના પક્ષમાં બેવડી ધારણા છે.પ્રથમ, ફોજદારી
ન્યાયશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત હેઠળ તેમને નિર્દોષની ધારણા ઉપલબ્ધ છે કે
જ્યાં સુધી સક્ષમ અદાલત દ્વારા દોષિત સાબિત ન થાય ત્યાં સુધી દરેક
વ્યક્તિને નિર્દોષ માનવામાં આવશે.બીજુ ં, આરોપીને નિર્દોષ જાહેર કર્યા પછી, તેની નિર્દોષતાની ધારણા પર ટ્રાયલ કોર્ટ દ્વારા વધુ ભાર મૂકવામાં આવે છે, પુષ્ટિ કરવામાં આવે છે અને મજબૂત કરવામાં આવે છે.
(૫) જો રેકોર્ડ પરના પુરાવાના આધારે બે વાજબી તારણો શક્ય હોય તો
અપીલીય અદાલતે ટ્રાયલ કોર્ટ દ્વારા રેકોર્ડ કરેલા દોષમુક્તિના તારણો પર
વિક્ષેપ ન કરવો જોઈએ.
૧૫. ઉપરોક્ત પૃષ્ઠભૂમિમાં, ઉચ્ચ અદાલત દ્વારા સંક્ષિપ્તમાં જણાવ્યા અનુસાર ગુનો
આચરવા બદલ એકલા આરોપીના અપરાધ તરફ નિર્દેશ કરે તેવા સંજોગોને સાબિત કરવા માટે
રાજ્ય દ્વારા સંયોગાત્મક પુરાવાઓ પર આધાર રાખ્યો છે, જેમાં નીચે દર્શાવેલ કારણોને લીધે, તેમાં ખામી શોધી શકાતી નથી :
૧૬. ૨૧.૦૧.૨૦૧૨ ના રોજ હાથ ધરવામાં આવેલા પોસ્ટ મોર્ટમ અહેવાલ, આંક ૪૧, ના
આધારે શ્રી જોસ સી. કફાનનું મૃત્યુ હત્યા હોવાની બાબત પુરવાર થઈ છે.આ અહેવાલ
દર્શાવશે કે, પોસ્ટમોર્ટમ પરીક્ષણનાં ૪૫-૬૦ દિવસ અગાઉ મૃત્યુ થયું હશે.ફરિયાદ પક્ષના
સાક્ષી નંબર ૨૨ ડોક્ટર કીર્તિરાજ, કે જેમણે ૨૬.૦૩.૨૦૧૩ ના રોજ મૃતદેહનું પોસ્ટમોર્ટમ
કર્યું હતું તેમણે તેમની સરતપાસમાં આ મુજબ અભિપ્રાય વ્યક્ત કર્યો હતોઃ
"ડાબી આંખ પર 2 ઈંચ (લંબાઈ) 2
X ઈંચ (પહોળાઈ) નું લેસેટેડ ઘાવ
મળી આવ્યું હતું. ડાબી ભમર પર ૨ ઇંચ (લંબાઈ) X ૨ ૧/૨ ઇંચ
(પહોળાઈ) નો ચિરાયેલો ઘા મળી આવ્યો હતો અને ઉક્ત ઘાની કિનારીઓ
ચિરાયેલી હોવાનું મળી આવ્યું. આગળના હાડકા પર કમ્યુટેડ ફ્રેક્ચર થયું હતું
જે ઉક્ત ઘા હેઠળ આવે છે.ડાબી આંખની નીચે એટલે કે મેક્સિલા હાડકાના
ભાગોમાં સોજો જોવા મળ્યો હતો, જેનો અર્થ એ છે કે, ૨ ૧/૨ ઇંચ x ૧
૧/૨ ઇંચ માપના કેટલાક લોહીના ગંઠાવાના નિશાન મળી આવ્યા હતા."
ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૨૨ એ અભિપ્રાય આપ્યો છે કે શ્રી જોસ કાફનનું અવસાન
મગજના રક્તસ્ત્રાવના કારણે થયું હતું, જે કપાળ પર કમ્યુટેડ ફ્રેક્ચરને કારણે થયું હતું.આ
બાબતને ધ્યાનમાં રાખીને અને આ મુદ્દા પર કોઈ ગંભીર વિવાદ ન હોવાના કારણે ઉચ્ચ
અદાલતે આપેલા અપ્રતિરોધ્ય નિષ્કર્ષમાં શ્રી જોસ કાફનનું મૃત્યુ હત્યાના કારણે થયું હતું
તેમાં કોઈ ખોટું શોધી શકાતું નથી.
૧૬.૧ આરોપી વતી વિદ્વાન વકીલની દલીલ કે પ્રત્યક્ષદર્શીઓના અભાવને કારણે ખરેખર શું
થયું હતું તે નિર્ણાયક રીતે જણાવવું શક્ય નથી અને તેથી મૃતક પડી ગયા હોવાની અને ઈજા
પામ્યા હોવાની સંભાવનાને નકારી શકાતી નથી, જે સ્વીકારી શકાતી નથી અને ઉચ્ચ
અદાલત દ્વારા નોંધાયેલ તારણો પુષ્ટિ કરવાને પાત્ર છે.
૧૬.૨ શૃંખલામાં એક અન્ય સંજોગો કે જેના પર ફરિયાદ પક્ષ દ્વારા આધાર રાખવામાં આવ્યો
હતો તે "છેલ્લા દ્રશ્ય સિદ્ધાંત" ના સંદર્ભમાં છે.ફરિયાદપક્ષ નો કેસ છે કે મૃતક શ્રી જોસ કાફન
કેરોડી ગામમાં પોતાની બગીચાની જમીનમાં રહેતા હતા અને સર્વે નંબર ૪૮ અને ૪૯માં કૃ ષિ
પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા.ફરિયાદપક્ષ નો કેસ છે કે, મૃતક વ્યક્તિએ બગીચાની જમીનમાં જ
ઘર બનાવ્યું હતું અને ત્યાં જ રહેતો હતો.ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૪ તરીકે તપાસ
કરાવનારા મૃતકના પુત્રએ સ્પષ્ટ શબ્દોમાં નિવેદન આપ્યું છે કે, તેમના પિતાએ તેમને
માહિતી આપી હતી કે, સમાચાર પત્ર ‘દીપિકા’માં એક કામદારની જરૂરિયાત વિશે જાહેરાત
આપવામાં આવી હતી અને તેના અનુસંધાનમાં આરોપીએ અરજી કરી હતી અને તેને કામ માટે
લેવામાં આવ્યો હતો.તેમણે વર્તમાનપત્રને આંક ૨૮ તરીકે ઓળખી કાઢ્યું છે અને સંબંધિત
જાહેરાત આંક ૮(એ) તરીકે ઓળખી કાઢી છે.
૧૬.૩ ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો કે આરોપી મૃતક દ્વારા નિયુક્ત
કરવામાં આવ્યા હતા અને ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૪ અથવા ફરિયાદ પક્ષના સાક્ષી નંબર
૫, ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૬, ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૭, ફરિયાદ પક્ષના સાક્ષી
નંબર ૮, ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૯, ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૧૧ અને ફરિયાદ
પક્ષના સાક્ષી નંબર ૧૨ નામના અન્ય કોઈ સાક્ષીઓએ અપીલકર્તાને મૃતકની બગીચાની
જમીનમાં કામ કરતા જોયા ન હતા.એવી દલીલ કરવામાં આવી છે કે, આરોપી અને મૃતક
બંનેને એકસાથે ક્યારેય જોવામાં આવ્યા ન હતા અને ટ્રાયલ કોર્ટ દ્વારા નોંધવામાં આવેલા
તારણો ખૂબ જ તર્કસંગત છે અને ખાસ કરીને ફકરા ૧૪, ૧૫ અને ૧૬માં નોંધેલા તારણો અને
ઉચ્ચ અદાલતે તેમાં દખલગીરી ન કરવી જોઈએ એવી દલીલ પ્રથમ તો આકર્ષક લાગે છે, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ પર તે ઉચ્ચ અદાલત નોંધેલા સત્યને ખોટું સાબિત કરે
છે.ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૧૦ અને ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૧૪ દ્વારા સાક્ષી
આપવામાં આવી છે કે, આરોપી છેલ્લે મૃતક વ્યક્તિની કંપનીમાં જોવા મળ્યો હતો.ફરિયાદ
પક્ષના સાક્ષી નંબર ૧૦નાએ તેમની તારીખ ૨૬.૦૨.૨૦૧૩ ના રોજની સર તપાસમાં નીચે
મુજબ જણાવ્યું છે.
" હું ૧૯૬૨થી સાગરમાં રહું છ
ુ ં.હું છેલ્લા ૨૩ વર્ષથી ઓટો રિક્ષા ચલાવી રહ્યો

ુ ં.હું જોસ કાફનને ઓળખું છ
ુ ં અને તે કેરળના છે.મલયાલમ જાણતા ઓટો
ડ્રાઈવરની જ્યારે ઓટો સ્ટેન્ડમાં જરૂર હતી તો મને બતાવવામાં આવ્યો અને
હું અને કાફનનો આશરે 5-6 વર્ષનો પરિચય છે.જ્યારે તેમને ઓટો રિક્ષાની
જરૂર પડતી હતી, ત્યારે તેઓ મને ફોન કરતા હતા.હું તેને ખેતરમાં છોડીને
જતો હતો.હું જાણું છ
ુ ં કે કફાનની ભૂમિ ક્યાં સ્થિત છે.સાક્ષીને આંક ૩૧ અને
૩૨ બતાવવામાં આવ્યા હતા અને તેમણે જાંબલી રંગની શર્ટ પહેરેલી
વ્યક્તિની ઓળખ જોસ કાફન તરીકે કરી હતી.લોકો કામ કરવા માટે જતા
હતા.મેં કાફનની જગ્યાએ આરોપીને જોયા છે.આરોપી ત્યાં મજૂર
હતો.૨૧.૦૧.૨૦૧૨ ના રોજ સુંદર નામના એક દાફેદારે મને કહ્યું હતું કે, તેમને મલયાલમ જાણનાર કોઈ વ્યક્તિ જોઈએ છે અને તેમણે મલયાલમ
ભાષામાંથી અનુવાદ કરવા માટે તેમની સાથે આવવાની વિનંતી કરી હતી.હું
સાગર ગ્રામ્ય સ્ટેશન ગયો હતો.મને સ્ટેશન લઈ જવામાં આવ્યો અને નાયબ
પોલીસ અધિક્ષક ત્યાં સ્ટેશનમાં હતા."આરોપીને મને બતાવવામાં આવ્યો
અને પૂછવામાં આવ્યું કે શું હું આરોપીને ઓળખું છ
ુ ં અને મેં આરોપીને
ઓળખી લીધો છે અને કહ્યું કે તે કાફનના બગીચામાં કામ કરતો હતો.
પોલીસે xxx બતાવ્યું જેની પોલીસને જાણ કરી હતી.આરોપીએ જણાવ્યું હતું
કે ૦૨.૧૨.૨૦૧૧ના રોજ જ્યારે કાફન બગીચાની જમીનમાં પોતાના ઘરમાં
૬:૦૦-૬:૩૦ વાગે સૂતો હતો, ત્યારે મેં લોખંડના સળિયા થી તેના માથા
પર હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી.અડધા કલાક પછી જ્યારે મેં તેનો
હાથ ઉપાડ્યો અને છોડી દીધો, ત્યારે તે નીચેની તરફ પડ્યો અને પછીથી
મને પુષ્ટિ મળી કે તે મરી ગયો છે અને પછી બેડશીટનો ઉપયોગ કરીને તેના
મૃત શરીરને લપેટ્યું અને દફનાવી દીધું.તેમણે જણાવ્યું હતું કે ઘરની પાછળ
કમ્પોસ્ટ ખાડો હતો અને તેમણે તે ખાતરના ખાડામાં જ મૃતદેહને દફનાવ્યો
હતો. તેણે જણાવ્યું છે કે ઘરની પાછળ ખાતરનો ખાડો હતો અને તેણે
મૃતદેહને તે ખાતરના ખાડામાં દાટી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમના મૃતદેહને દફનાવ્યા પછી તેઓ ત્યાં જ રહેતા હતા.તેમણે જણાવ્યું હતું
કે, તેમણે ઉપકરણો વેચીને પૈસા કમાવવા માટે હત્યા કરી હતી.તેમણે એમ
પણ કહ્યું હતું કે, તેમણે આ જમીન વેચવાનું પણ વિચાર્યું હતું.આરોપીએ
કહ્યું હતું કે, તે એ જગ્યા બતાવશે જ્યાં તેમણે મૃતદેહને દફનાવ્યો છે અને જે
લોકોને તેમણે આ ઉપકરણો વેચ્યા છે તે લોકોને બતાવશે.
૧૬.૪ અન્ય એક સાક્ષી છે જેમની સાક્ષી ઉચ્ચ અદાલતે સંજોગોની સાંકળ એટલે કે છેલ્લે
જોયેલા સિદ્ધાંતમાં ભરોસો મૂક્યો છે.ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૧૪નાએ તારીખ
૧૨.૦૩.૨૦૧૩ ના રોજની તેમની સરતપાસમાં નીચે મુજબ જણાવ્યું છે.
" હું મૂળભૂત રીતે xxx ઇન્ડસ્ટ્રીઝ ચલાવું છ
ુ ં.હું દીપક ગૌડાને ઓળખું છ
ુ ં જે
જેસીબી ભાડે લઈને કામ કરે છે.દીપક મલયાલમ જાણતો નહોતો અને કાફન
કન્નડ જાણતો નહોતો તેથી દીપક ગૌડા મને જેસીબી માટે પૈસા અને કામ
વિશે વાત કરવા લઈ ગયો.પછી મને કાફનનો પરિચય થયો.સાક્ષીને આંક
૩૧ અને ૩૨ બતાવવામાં આવ્યા હતા અને તેમણે જાંબલી રંગનો શર્ટ
પહેરેલી વ્યક્તિની શ્રી જોસ કાફન તરીકે ઓળખ કરી હતી.ત્યારબાદ અમે
તેમના બગીચામાં ગયા હતા.તેણે મને કહ્યું કે તેને કામદારો જોઈએ છે કારણ
કે તેના બગીચાની જમીનમાં કામ કરવા માટે કોઈ કામદારો નથી.તેથી મારી
પાસે એક મજૂર હતો, પરંતુ તે એમ કહીને કેરળ પાછો ગયો કે તેને
આરામદાયક લાગતું નથી.બાદમાં સપ્ટેમ્બર, ૨૦૧૧માં એક જાહેરાત
આપવામાં આવી હતી, જેના માધ્યમથી તેમને એક કામદાર મળ્યો હતો.જ્યારે
અમે ત્યાં ગયા ત્યારે તે કામદાર ઘરમાં હતો.સાક્ષી એ વ્યક્તિની ઓળખ કરે
છે જે શ્રી જોસ કાફન સાથે આરોપી તરીકે હતો.શ્રી જોસ કાફને જણાવ્યું હતું કે
તેમની પાસે આ સ્થળનું કોઈ ઓળખ પત્ર નથી અને તેમણે મારુ
ં પોતાનું
સરનામું આપીને પોતાના કાર્યકર્તાઓ માટે એક સિમ મેળવવા જણાવ્યું
હતું.એ મુજબ મેં તેમને એક સિમ કાર્ડ આપ્યું."
૧૬.૫ આ બે મુખ્ય સાક્ષીઓ ઉપરાંત, ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૫, ફરિયાદ પક્ષના સાક્ષી
નંબર ૭, ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૯, ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૧૦, ફરિયાદ પક્ષના
સાક્ષી નંબર ૧૧ અને ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૧૫ એ પણ સ્પષ્ટ શબ્દોમાં જુબાની આપી
છે કે આરોપી છેલ્લે મૃતકના ઘરે તેના મૃત્યુ પછી જોવા મળ્યો હતો. જો આમાંના એક સાક્ષી પર
વિશ્વાસ કરવામાં આવે કે જે જુબાની આપવામાં આવી છે તે સત્ય છે, તો જરૂરી છે કે
આરોપીની જવાબદારી દંડ પ્રક્રિયા સંહિતાની કલમ ૩૧૩ હેઠળ નોંધાયેલા પોતાના નિવેદનમાં
અથવા આ સાક્ષીઓમાંથી પ્રાપ્ત નિવેદનમાં, તે કયા સંજોગોમાં મૃતક સાથે હતો તે અંગે
સંતોષજનક સ્પષ્ટીકરણ પૂરુ
ં પાડવાની છે. જ્યારે ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૧૦ અને
ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૧૪ એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓએ આરોપીને મૃતક
વ્યક્તિની સાથે જોયો હતો અને તેનાથી વિપરીત આરોપી દ્વારા કોઈ સં તોષકારક ખુલાસો
કરવામાં આવ્યો ન હોવાથી, ત્યારે એવું માનવું જરૂરી છે કે આરોપી તેના પર મૂકવામાં આવેલા
ભારણમાંથી મુક્તિ આપવામાં નિષ્ફળ ગયો છે.પુરાવા અધિનિયમની કલમ ૧૦૬ સ્પષ્ટપણે
જણાવે છે કે જ્યારે કોઈ હકીકત ખાસ કરીને કોઈ વ્યક્તિની જાણકારીમાં હોય, ત્યારે તે
હકીકતને મંજૂરી આપવાનો બોજ તેના પર હોય છે, એટલે કે આવી વ્યક્તિ પર.આ અદાલતે
રાજસ્થાન રાજ્ય વિ. કાશીરામ [(૨૦૦૬) ૧૨ SCC ૨૫૪]ના કેસમાં ચુકાદો આપ્યો છેઃ
" ૧૬. સૌથી મહત્વપૂર્ણ સંજોગ કે સામાવાળા વ્યક્તિને છેલ્લીવાર
૦૩.૦૨.૧૯૯૮ ના રોજ મૃતક સાથે જોવામાં આવ્યો હતો, જે પછી તે ગાયબ
થઈ ગયો હતો અને તેના ઘરને તાળું મારેલું મળી આવ્યું હતું અને તેણે કોઈ
પણ પ્રકારનો ખુલાસો આપ્યો ન હતો, તેનો હાઈકોર્ટે એક ટૂંકા ફકરામાં
નિકાલ કર્યો હતો અને નિરીક્ષણ કર્યું હતું કે જો આરોપીને તેના ઘરમાં તેના જ
પરિવારના સભ્યોની કંપનીમાં જોવામાં આવે તો તેમાં કશું જ અસામાન્ય
નથી. આવા તર્કના આધારે, ઉચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા
ભરોસાપાત્ર સાંયોગિક પુરાવા સામાવાળાને દોષિત ઠેરવવા પૂરતા મજબૂત
નથી.તે મુજબ, ઉચ્ચ અદાલતે સામાવાળા દ્વારા દાખલ કરવામાં આવેલી
અપીલોને મંજુર કરી હતી અને મોતની સજાની પુષ્ટિ માટે ટ્રાયલ કોર્ટ દ્વારા
કરવામાં આવેલા મૃત્યુ સંદર્ભને નકારી કાઢ્યો હતો.
"૨૩. સત્તાધીશો સાથે ગુણાકાર કરવાની જરૂર નથી.સિદ્ધાંત સારી રીતે
સ્થાપિત છે.પુરાવા અધિનિયમની કલમ ૧૦૬ ની જોગવાઈઓ સ્પષ્ટ છે કે
જ્યારે કોઈ તથ્ય ખાસ કરીને કોઈ વ્યક્તિની જાણકારીમાં હોય તો તે સાબિત
કરવાનો બોજ તેના પર હોય છે.તેથી, જો કોઈ વ્યક્તિ છેલ્લે મૃત્યુ પામેલી
વ્યક્તિ સાથે જોવા મળે છે, તો તેણે કેવી રીતે અને ક્યારે અલગ થયો તે અંગે
ખુલાસો આપવો જોઈએ.તેમણે અદાલતને સંભવિત અને સંતોષકારક લાગે
તેવું સ્પષ્ટીકરણ આપવું પડશે.જો તે આમ કરે છે તો તેણે પોતાનો બોજો
ઉપાડ્યો છે એવું માનવું જોઈએ.જો તે પોતાની વિશેષ જાણકારીમાંના
તથ્યોના આધારે સમજૂતી આપવામાં નિષ્ફળ જાય છે, તો તે પુરાવા
અધિનિયમની કલમ 106 દ્વારા તેના પર મૂકવામાં આવેલા ભારણને પૂર્ણ
કરવામાં નિષ્ફળ જાય છે.સંયોગાત્મક પુરાવા પર આધારિત કેસમાં જો
આરોપી તેના પર મૂકવામાં આવેલો બોજ દૂર કરવામાં વાજબી ખુલાસો
આપવામાં નિષ્ફળ જાય છે, તો તે પોતે જ તેની સામે સાબિત થયેલી
પરિસ્થિતિઓની સાંકળમાં એક વધારાની કડી પ્રદાન કરે છે.કલમ ૧૦૬
ફોજદારી ઇન્સાફી કાર્યવાહીમાં પુરાવાના બોજને બદલતી નથી, જે હંમેશા
ફરિયાદ પક્ષ પર હોય છે. તે એવો નિયમ ઘડે છે કે, જ્યારે આરોપી એવી
હકીકતો પર કોઈ પ્રકાશ ફેંકતો નથી જે ખાસ કરીને તેની જાણકારીમાં હોય
અને જે તેની નિર્દોષતા સાથે સુસંગત હોય તેવા કોઈ પણ સિદ્ધાંત કે
પૂર્વધારણાને ટેકો ન આપી શકે, ત્યારે અદાલત કોઈ પણ સમજૂતી રજૂ
કરવામાં તેની નિષ્ફળતાને એક વધારાની કડી તરીકે વિચારી શકે છે, જે
સાંકળને પૂર્ણ કરે છે. સિદ્ધાંત સંક્ષિપ્તમાં નૈના મોહમ્મદ, રે. માં જણાવવામાં
આવ્યો છે. [AIR ૧૯૬૦ Mad ૨૧૮:૧૯૬૦ Cri LJ ૬૨૦]
૧૬.૬ આમ, જ્યારે ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૧૦ અને ફરિયાદ પક્ષના સાક્ષી નંબર ૧૪
સ્પષ્ટ શબ્દોમાં આરોપીને મૃતક સાથે છેલ્લે જોયો હોવાનું સ્પષ્ટપણે જણાવે છે, ત્યારે
આવશ્યકપણે આરોપીએ સમજૂતી આપવી જોઈએ કે તેણે કેવી રીતે અને ક્યારે અલગ રહેવાનું
શરૂ કર્યું અને સંજોગોની સાંકળમાં કોઈ સ્પષ્ટતા આપવામાં આવી ન હોવાથી, હોવાથી, આરોપીના આરોપને સિદ્ધ કરવા માટે, ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા છેલ્લા જોયેલા
સિદ્ધાંતને સ્વીકારવાની જરૂર છે.
૧૭. હજી એક બીજો સંજોગ પર ફરિયાદ પક્ષે ભારે ભરોસો મૂક્યો છે, તે છે સ્વૈચ્છિક
નિવેદનના આધારે આરોપીના ઇશારે મૃતદેહ પ્રાપ્ત કરવો, જે નિવેદનને આરોપી દ્વારા નકારી
કાઢવામાં આવ્યું છે અને તે આરોપી તરફથી હાજર થયેલા વિદ્વાન વકીલના જણાવ્યા અનુસાર
ફરિયાદ પક્ષ દ્વારા સાબિત કરવામાં આવ્યું નથી.આરોપીના કથિત નિવેદનને પીડબલ્યુ-
૨૫થી આંક ૨ તરીકે અંકિત કરવામાં આવ્યું છે.આ નિવેદન શ્રી બાલાકૃ ષ્ણ ગુલેદ પીડબલ્યુ-
૧, શ્રી રાજુ સીડબલ્યુ-૩ અને ભાષાંતરકાર શ્રી કુંજાલી, પીડબલ્યુ-૧૦ ની હાજરીમાં
નોંધવામાં આવ્યું હતું.
૧૭.૧ એવી દલીલ કરવામાં આવી છે કે પ્રશ્નો પૂછવામાં, અપીલકર્તા-આરોપી પાસેથી
જવાબો મેળવવા માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયા પીડબ્લ્યુ -૧૦ શ્રી કુંજલી દ્વારા વાત
કરવામાં આવી છે, જે જણાવે છે કે તેને મલયાલમ કેવી રીતે વાંચવું અને લખવું તે ખબર ન
હતી અને તેમ છતાં પોલીસે તેને કન્નડમાં પ્રશ્નો પૂછ્યા હતા જેણે બદલામાં મલયાલમમાં
ભાષાંતર કર્યું હતું અને મલયાલમમાં આરોપી પાસેથી જવાબો મેળવ્યા હતા અને તે જવાબ
પીડબ્લ્યુ - ૧૦ દ્વારા તમિલમાં અનુવાદિત કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કન્નડ
ભાષામાં ટાઇપ કરવામાં આવ્યો હતો, જે આરોપીની કબૂલાત નોંધવાની એક અસામાન્ય
પદ્ધતિ છે અને આ પ્રકારનું કબૂલાત નિવેદન (આંક ૨) પુરાવા અધિનિયમની કલમ ૨૭
હેઠળ પુરાવા તરીકે સ્વીકાર્ય ન હોતું. કથિત દલીલની તપાસ કરવા માટે, અમે પુરાવા
અધિનિયમની કલમ ૨૭ નોંધવાનું યોગ્ય માનીએ છીએ અને તે નીચે મુજબ છેઃ
"27. આરોપી પાસેથી મળેલી કેટલી માહિતી પુરવાર કરી શકાશે.-પરંતુ
જ્યારે પોલીસ અધિકારીની કસ્ટડીમાં કોઈપણ ગુનાના આરોપી વ્યક્તિ
પાસેથી મળેલી માહિતીના પરિણામે જ્યારે કોઈ હકીકત શોધી કાઢવામાં આવે
છે, ત્યારે આવી ઘણી બધી માહિતી, પછી ભલે તે કબૂલાત સમાન હોય કે ન
હોય, તેના દ્વારા શોધાયેલ હકીકતને સ્પષ્ટ રીતે સાબિત કરી શકાય છે."
૧૮. કલમ ૨૭ સામાન્ય ઘટનાક્રમમાં કસ્ટોડિયલ સ્ટેટમેન્ટના સાધિત ઉપયોગની મંજૂરી
આપે છે.કસ્ટોડિયલ નિવેદનો મજબૂરી દ્વારા કાઢવામાં આવ્યા હોવાની કોઈ સ્વયંસંચાલિત
ધારણા નથી.જે તથ્ય શોધી કાઢવામાં આવ્યું છે તે આરોપીએ તેના ડિસ્ક્લોઝર સ્ટેટમેન્ટમાં
પૂરી પાડેલી માહિતી એક પ્રસ્તુત હકીકત છે અને તે માત્ર પુરાવામાં સ્વીકાર્ય છે જો આરોપીના
કહેવાથી કંઈક નવું શોધી કાઢવામાં આવે અથવા પુન:પ્રાપ્ત કરવામાં આવે છે જે આરોપીનું
ડિસ્ક્લોઝર સ્ટેટમેન્ટ નોંધતા પહેલા પોલીસની જાણકારીમાં ન હતું.પોલીસ કસ્ટડીમાં હોય
ત્યારે નોંધાયેલ આરોપીનું નિવેદન તેના ઘટકોમાં વિભાજિત કરી શકાય છે અને સ્વીકાર્ય
ભાગોથી અલગ કરી શકાય છે. આવા ઘટકો અથવા ભાગો કે જે શોધનું તાત્કાલિક કારણ હતા
તે કાયદેસર પુરાવા હશે અને બાકીના ભાગો મોહમ્મદ ઇનાયતુલ્લા વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય
(AIR ૧૯૭૬ SC ૪૮૩)દ્વારા નકારી શકાય છે.આ પૃષ્ઠભૂમિમાં જ્યારે અમારુ
ં ધ્યાન હાલના
તથ્યો તરફ દોરીએ છીએ અને સાથે સાથે આરોપી દ્વારા ઉઠાવવામાં આવેલી દલીલ કે
કબૂલાત નિવેદનને સંપૂર્ણપણે નકારી કાઢવું જોઈએ, તો એકથી વધુ કારણોસર તે સ્વીકારી
શકાશે નહીં.પ્રથમ, આરોપીનું વર્તન પણ કલમ ૮માં દર્શાવ્યા અનુસાર પ્રાસંગિક તથ્ય
હશે.આ અદાલતે એ. એન. વેંકટેશ અને અન્ય વિરુદ્ધ કર્ણાટક રાજ્ય [(૨૦૦૫ ૭ SCC
૭૧૪)] કેસમાં નીચેની અસરથી ચુકાદો આપ્યો છેઃ
" ૯. પુરાવા અધિનિયમની કલમ ૮ના આધારે, આરોપી વ્યક્તિનું વર્તન
સુસંગત છે, જો આ પ્રકારનું વર્તન કોઈ મુદ્દો કે સંબંધિત હકીકતને પ્રભાવિત
કરે છે અથવા તેનાથી પ્રભાવિત થાય છે. સંજોગનો પુરાવો કે આરોપીએ
પોલીસ અધિકારીનું એ સ્થળ તરફ ધ્યાન દોર્યું કે જ્યાં અપહૃત બાળકનો
મૃતદેહ મળી આવ્યો હતો અને તેમના નિર્દેશ પર, મૃતદેહ બહાર કાઢવામાં
આવ્યો હતો, તે કલમ ૮ હેઠળ વર્તણૂક તરીકે સ્વીકાર્ય હશે, ભલે આરોપી
દ્વારા આ પ્રકારનાં આચરણની સાથે સમકાલીન કે પૂર્વવર્તી નિવેદન કલમ
૨૭ના કાર્યક્ષેત્રમાં આવે કે નહીં, જે આ અદાલતે પ્રકાશ ચંદ વિ. રાજ્ય
(દિલ્હી વહીવટ) [(૩ SCC ૯૦:૧૯૭૯ (
SCC ફોજ.) ૬૫૬ : :
AIR AIR
SC ૪૦૦) માં ઠરાવ્યું હતું.]જો આપણે એવું માનીએ છીએ કે આરોપી-
અપીલકર્તાઓ (આંક પી-૧૫ અને પી-૧૬) દ્વારા આપવામાં આવેલું
જાહેરાત નિવેદન પુરાવા અધિનિયમની કલમ ૨૭ હેઠળ સ્વીકાર્ય નથી, તો
પણ તે કલમ ૮ હેઠળ સુસંગત છે.તપાસ અધિકારી અને પીડબ્લ્યુ ૧,૨, ૭
અને પીડબ્લ્યુ-૪ એ નજરે જોનાર સાક્ષીના પુરાવા કે આરોપી તેમને સ્થળ
પર લઈ ગયા હતા અને જ્યાં મૃત દેહને દફનાવવામાં આવ્યો હતો તે સ્થળ
તરફ ધ્યાન દોર્યું હતું, જે આરોપીના આચરણ તરીકે કલમ ૮ હેઠળ પુરાવા
તરીકે સ્વીકાર્ય છે.એ-૧ અને એ-૨ની એવી જગ્યાએ હાજરી, જ્યાં
ખંડણીની માંગણી પૂરી કરવાની હતી અને પોલીસ દળને જોઈને ભાગી
જવાની તેમની કામગીરી એક સુસંગત પરિસ્થિતિ છે અને પુરાવા
અધિનિયમની કલમ ૮ હેઠળ સ્વીકાર્ય છે.
૧૯. તે એક સામાન્ય કાયદો છે કે આરોપી દ્વારા આપવામાં આવેલા સ્વૈચ્છિક નિવેદનના
અનુસંધાનમાં, એક હકીકત શોધવાની જરૂર છે જે ફક્ત આરોપીની જ જાણકારીમાં હતું.આવા
સંજોગોમાં, સ્વૈચ્છિક નિવેદનનો તે ભાગ જે નવી હકીકતની શોધ તરફ દોરી જાય છે જે ફક્ત
આરોપીની જાણમાં હતો તે કલમ ૨૭ હેઠળ સ્વીકાર્ય બનશે. આ પ્રકારનું નિવેદન સ્વૈચ્છિક
રીતે આપવું જોઈતું હતું અને તેમાં જણાવેલા તથ્યો અન્યની જાણકારીમાં હોવા જોઈતા ન
હતા.આ પૃષ્ઠભૂમિમાં જ્યારે પીડબલ્યુ-૧૦ની જુબાનીનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તે
અમારા મનમાં કોઈ પણ રીતે શંકા રાખશે નહીં કે આરોપીનું નિવેદન (આંક પી-૨) સ્વૈચ્છિક
રીતે નોંધવામાં આવ્યું છે અને જ્યારે આરોપીને ખબર ન હોય તેવી ભાષામાં નિવેદન નોંધવામાં
આવે છે, ત્યારે પોલીસ દ્વારા લેવામાં આવેલી દુભાષિયાની સહાયમાં કોઈ ખામી શોધી શકાતી
નથી.આરોપીએ આપેલા નિવેદનની આખરી કસોટી આરોપીએ કહ્યા મુજબ નોંધવામાં આવી
છે કે નહીં તે સર્વોચ્ચ વિચારણાનું રહેશે.જો જવાબ હકારમાં હોય તો આવશ્યકપણે કહેવાયેલા
નિવેદન કાયદાની કસોટીમાં પાસ થયેલું હોવું જરૂરી છે અન્યથા નહીં.માત્ર એટલા માટે કે તેનો
મલયાલમથી તમિલ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો અને કન્નડ ભાષામાં લખવામાં
આવ્યો હતો, તેથી એવું કહેવાશે નહીં કે આ પ્રકારનું નિવેદન સ્વૈચ્છિક નથી અથવા આ
નિવેદન અયોગ્ય રીતે નોંધવામાં આવ્યું છે.દુભાષિયાએ સાક્ષી બોક્સમાં પ્રવેશ કર્યો હતો અને
પોતાની જાતને ઉલટ તપાસ માટે રજૂ કરી હતી, જેના પરિણામે તેની સાબિતીને નકારી કાઢવા
માટે કંઈ પણ અર્થપૂર્ણ મળ્યું નહોતું, આરોપી દ્વારા તેનો ઇનકાર કરી શકાતો નથી કે આંક પી
-૨ માં કથિત નિવેદનને અવગણવું અથવા નકારી કાઢવું અથવા ફેંકી દેવું જોઈએ.માત્ર
એટલા માટે કે પીડબલ્યુ-૧૦ને મલયાલમ વાંચવાનું અને લખવાનું ખબર નહોતું તે હકીકતમાં
આંક પી -૨ ની સામગ્રીને અવિશ્વસનીય બનાવતું નથી.બીજી તરફ, તે કહે છે કે તે કેરળનો
છે અને મલયાલમ બોલવાનું જાણે છે.તેમણે જે કરવાની જરૂર હતી તે આરોપીને સાક્ષીએ કહ્યા
મુજબનો પ્રશ્ન પૂછવાનો હતો અને આ પ્રકારના પ્રશ્નોના જવાબો આરોપીએ જણાવ્યા મુજબ
નોધવા માટે પોલીસને જણાવવાના હતા.હકીકતમાં પીડબલ્યુ-૧૦ ને આંક પી -૨ ની
સામગ્રી ખોટી હોવા અંગે કોઈ સૂચન પણ કરવામાં આવ્યું નથી.
૨૦. આ સ્વૈચ્છિક નિવેદન આંક પી -૨ મુજબ છે, જે પોલીસને મૃતકના મૃતદેહને
ખાતરના ખાડામાંથી બહાર કાઢવા તરફ દોરી જાય છે, જે પીડબલ્યુ-૧, પીડબલ્યુ-૨, પીડબલ્યુ-૪, પીડબલ્યુ-૧૦ અને પીડબલ્યુ-૨૫ દ્વારા સાબિત થયું છે.તેમના સ્વીકૃ તિ
નીચે મુજબ છેઃ
પીડબ્લ્યુ-૧: હું તે જગ્યા બતાવીશ જ્યાં મેં લોખંડના સળિયાથી જોસ સી
કાફનની હત્યા કરી હતી અને જ્યાં મેં તેના મૃતદેહને ખાડામાં દાટ્યો હતો.
પીડબ્લ્યુ-૨ : તારીખ ૨૧.૦૧.૨૦૧૨ના રોજ, હું કેટલાક વ્યક્તિગત
કાર્યને કારણે કેરોડી ગામ ગયો હતો.તહસીલદાર અને પોલીસ ત્યાં જીપમાં
જઈ રહ્યા હતા.મેં તહસીલદારનું અભિવાદન કર્યું.તેમણે મને કહ્યું હતું કે એક
કેસ છે અને મને તેમની સાથે આવવા કહ્યું હતું.આરોપીએ ત્યાં એક જગ્યા
બતાવી હતી.તેમણે એક જગ્યા બતાવી અને કહ્યું કે લીંબુના ઝાડની બાજુમાં
આવેલા ખાતરના ખાડામાં એક મૃતદેહ છે અને તેમણે તેને બંધ કરી દીધો
છે.મેં, દેવેન્દ્ર અને શિવુએ ખાડો ખોલ્યો.ખાડો ખોદતી વખતે, એક કાપડ
મળ્યું હતું અને કાદવ દૂર કરતી વખતે, કાપડ પછી એક ધાબળો મળ્યો હતો
અને ધીમે ધીમે કાદવ દૂર કરતી વખતે, એક ધાબળો સાથે લપેટેલો મૃતદેહ
મળ્યો હતો.
પીડબ્લ્યુ-૪: મેં સ્ટેનીને જણાવ્યું છે કે મારા પિતાની મૃત્યુ થઈ નથી.તરત
જ હું અને મારા ભાઈઓ અજીત અને રંજીત કુંદાપુરાના કે. કે. શાબુ સાથે
કેરોડી ગામ આવ્યા.જ્યારે અમે ત્યાં ગયા ત્યારે ના તો મારા પિતા ત્યાં હતા
અને ના તો મજૂરો ત્યાં હતા.અમે તરત જ સાગરના ગ્રામીણ પોલીસ સ્ટેશન
ગયા અને ફરિયાદ નોંધાવી.મેં ગુમ થયાની ફરિયાદ કરી નથી.અમે ૨૧મી
તારીખે સ્ટેશન ગયા.પોલીસ સિજુ કુરિયનની પૂછપરછ કરી રહી હતી.
સાક્ષીએ આરોપીને બતાવ્યો અને તેની ઓળખ સિજુ કુરિયન તરીકે
કરી.આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેણે મારા પિતાને માથા પર
લોખંડના સળિયાથી મારીને મારી નાખ્યા છે અને ધાબળો વડે મૃતદેહ
લપેટીને ખાડામાં દફનાવી દીધો છે.આરોપીએ કહ્યું હતું કે, તે એ જગ્યા
બતાવશે જ્યાં તેણે મૃત દેહને દફનાવ્યો હતો અને એ જગ્યા બતાવશે જ્યાં
તેણે તેને દફનાવ્યો હતો. આરોપીએ કહ્યું કે તે તે જગ્યા બતાવશે જ્યાં તેણે
મૃતદેહને દાટી દીધો હતો અને તેથી અમને તેણે લાશને જ્યાં દફનાવી હતી તે
જગ્યા તરફ લઈ ગયો અને તે જગ્યા બતાવી.
આરોપીએ ઘટનાસ્થળ બતાવ્યું છે. તે અમને તે જગ્યા પર લઈ ગયો અને મારા પિતા ક્યાં
સૂતા હતા તે બતાવ્યું.
બાદમાં તેૅણે અમને તે જગ્યા બતાવી જ્યાં મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ તહસીલદારની હાજરીમાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો."
ફરિયાદ પક્ષના સાહેદ નં.-૧૦: ૨૧-૦૧-૨૦૧૨ ના રોજ સુંદર નામના એક દાફેદારે મને
કહ્યું હતું કે, તેમને એવી વ્યક્તિ જોઈએ છે જે મલયાલમ જાણતો હોય અને મલયાલમ
ભાષામાથી ભાષાંતર કરવા માટે તેમની સાથે આવવાની વિનંતી કરી હતી. હું સાગર ગ્રામ્ય
સ્ટેશન ગયો હતો. મને સ્ટેશન લઈ જવામાં આવ્યો અને ડીવાયએસપી ત્યાં સ્ટેશનમાં હતા.
મને આરોપી બતાવવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે શું મને આરોપીનો પરિચય છે અને
મેં આરોપીને ઓળખી કાઢ્યો અને કહ્યું કે તે કાફનના બગીચામાં કામ કરે છે. પોલીસે મને
આરોપી દેખાડ્યો અને કહ્યું કે તે કન્નડ નથી જાણતો અને મને જોસ કાફન વિશે પૂછવા કહ્યું.
પોલીસ જે રીતે પૂછવા માંગતી હતી તે રીતે હું આરોપીને મલયાલમમાં પૂછતો હતો અને
આરોપીએ જે જવાબ આપ્યો તેનો તમિલ ભાષામાં અનુવાદ કરવામાં આવેલ છે (અનુવાદકની
નોંધ: મૂળ દસ્તાવેજમાં તે તમિલ લખેલું છે અને શબ્દને રેખાંકિત કરવામાં આવ્યો છે) અને
પોલીસને જાણ કરવામાં આવેલ છે. આરોપીએ જણાવ્યું હતું કે "૦૨.૧૨.૨૦૧૧ના રોજ
જ્યારે કાફન ૬:૦૦ થી ૬:૩૦ વાગ્યાની વચ્ચે તેના ઘરના બગીચામાં સૂઈ રહ્યો હતો ત્યારે મે
લોખંડના સળીયા વડે તેના માથા પર હુમલો કરીને તેને મારી નાખ્યો હતો. અડધો કલાક પછી
જ્યારે મેં તેનો હાથ ઉઠાવ્યો અને નીચે છોડ્યો, મને ખાતરી થઈ ગયી કે તે મરી ગયો છે અને
પછી તેના મૃતદેહને ચાદરથી લપેટીને દફનાવી દીધો. તેણે જણાવ્યું હતું કે ઘરની પાછળ
ખાતરનો ખાડો હતો અને તેણે તે ખાતરના ખાડામાં જ મૃતદેહને દફનાવ્યો હતો. તેણે જણાવ્યું
હતું કે, મૃતદેહ દફનાવ્યા પછી તેઓ ત્યાં જ રહેતા હતા. તેણે જણાવ્યું હતું કે, તેણે સાધનો
વેચીને પૈસા કમાવવા માટે હત્યા કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે, તેણે આ જમીન
વેચવાનું વિચાર્યું હતું.
આરોપીએ કહ્યું હતું કે, તે એ જગ્યા બતાવશે જ્યાં તેણે મૃતદેહ દફનાવ્યો છે અને જેમને તેણે
આ સાધનો વેચ્યા છે તે લોકોને બતાવશે.
ફરિયાદ પક્ષના સાહેદ નં.-૨૫: પોતાના નિવેદનમાં, તેણે ગુનો કર્યો હોવાની કબૂલાત કરી
હતી અને કહ્યું હતું કે, તેઓ તે સ્થળ બતાવશે જ્યાં મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો. આ
વાત નિઃશંકપણે સાચી છે કે પુરાવાના કાયદાની કલમ ૨૫ અન્વયે ફરિયાદ પક્ષના સાહેદ
નં.-૨૫ ની ઉપરોક્ત કબૂલાત સંપૂર્ણપણે સ્વીકાર્ય નથી. જોકે, પુરાવા અધિનિયમની કલમ
૨૭ સાથે વંચાણે લીધેલ કલમ ૮ ને ધ્યાને લેતા, આરોપીના કહેવા અનુસાર મૃતકના અન્ય
ચીજ વસ્તુઓ ઉપરાંત કેટલાક સાક્ષીઓ દ્વારા સ્વતંત્ર રીતે ઓળખવામાં આવ્યા છે તે
સિવાયનો કબૂલાતનો ભાગ જે પીડિતના મૃતદેહની રિકવરી તરફ દોરી ગયો તે સ્વીકાર્ય
બનશે. આના કારણે ઉચ્ચ અદાલતને પણ આંક.પી-૨ હેઠળ નોંધવામાં આવેલા નિવેદનને
સ્વીકારવા માટે સમજાવવામા આવ્યું છે, જેને અત્યંત અસંભવિત ગણાવી શકાય તેમ નથી.
કબૂલાત નિવેદનના આધારે કેટલાંક આર્ટિકલ્સ મળી આવ્યાં હતાં - આરોપી દ્વારા અપાયેલા
આંક.પી-૨ અને આ પ્રકારની રિકવરી સાબિત કરવા માટે ફરિયાદી પક્ષ દ્વારા ચકાસવામાં
આવેલા સાક્ષીઓએ નીચેની અસરથી નિવેદન આપ્યું છે અને તેનાથી અમને હાઈકોર્ટના
તારણો સ્વીકારવા માટે સમજાવ્યું છે.
(એ) ફરિયાદ પક્ષના સાહેદ નં. ૩-શ્રી રાઘવેન્દ્રએ (પંચ સાક્ષી) નીચે મુજબ નિવેદન
આપ્યું છેઃ
"જ્યારે લિજો બહાર આવ્યો ત્યારે પોલીસે પૂછ્યું કે આરોપીએ તેને કોઈ વસ્તુ આપી છે
કે નહીં, જેના માટે લિજોએ કબૂલ્યું અને કહ્યું કે તેણે કેટલીક વસ્તુઓ આપી
છે.લીજોએ આ તમામ ચીજોને પોલીસ સમક્ષ રજૂ કરી હતી.લીજોએ અલમારી, સૂટકેસ, ટોપલી અને પાવડો રજુ કર્યા હતા. તેમણે કુલ ૪ બાસ્કેટ રજુ કર્યા હતા...”.
(બી) ફરિયાદ પક્ષના સાહેદ નં.-૯ શ્રી સુનિલ કુમારે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે:
"જ્યારે અમે કાફનની જમીન પર ગયા ત્યારે આરોપી ત્યાં હતો.આરોપીએ
મલયાલમમાં કહ્યું કે અમે સાધનો વેચીશું અને કેરિયાપ્પાને થોડું મલયાલમ જાણતા
હતા.તેણે જણાવ્યું હતું કે રબર રોલર મશીન વેચાણ માટે છે.તેની કિંમત મોંઘી
હોવાથી મેં ખરીદી કરવાનો ઇનકાર કર્યો અને જ્યારે અમે પાછા આવી રહ્યા હતા ત્યારે
તેમણે ઘરની સામે જ સાધનોનો ઢગલો કરી દીધો હતો.તેણે કહ્યું હતું કે, તે પણ વેચી
દઈશ.તેણે લખ્યું અને તે સાધનોની કિંમત રૂપિયા ૨,૫૦૦ બતાવી.મેં લખ્યું અને
રૂપિયા ૨,૦૦૦ બતાવ્યા.આરોપીઓ આ માટે સંમત થયા અને સાધનો વેચી
દીધા.અમે તેને ખરીદ્યા.મેં ૧૨ પાવડા, એક લોખંડનો સાળીયો અને એક હાથઆરી, બે પાણીના ટીપડા, જેમાં એકમાં ઢાંકણ હતું અને બીજામાં નહોતુ અને એક કીટનાશક
છંટકાવ કરવાનું મશીન ખરીદ્યા છે.....”
(સી) ફરિયાદ પક્ષના સાહેદ નં.-૧૦ કુંજાલીએ તેના પુરાવામા કહ્યું છે કે:
"... હું જ્યારે પોલીસ સ્ટેશન ગયો ત્યારે પોલીસ અને પંચો ત્યાં હતા અને આરોપીઓ
પણ ત્યાં હતા. ત્યાંથી આરોપીઓ અમને ભીમાનેરી લઈ ગયા.મને એ વ્યક્તિનું નામ
યાદ નથી, જેના ઘરે તે અમને લઈ ગયા હતા.આરોપીએ જે કંઈ પણ કહ્યું છે તેનો મેં
મલયાલમથી કન્નડ ભાષામાં અનુવાદ કરી આપ્યું છે.એક આલમારી, સૂટકેસ, બેંક ચેક
બુક અને પાસ બુક, ૪-૫ બાસ્કેટ અને એક પાવડો અને દસ્તાવેજો ત્યાં હતા અને
તેણે તેને ઓળખી કાઢ્યા છે અને તેને એમઓ ૨૩-૩૨ તરીકે માર્ક કરવામાં આવ્યો
છે....”
(ડી) ફરિયાદ પક્ષના સાહેદ નં.-૧૨ ડેની સી. થોમસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે –
“મને લિજોનો પરિચય છે.મને પાણીની ટાંકીની જરૂર હતી અને મેં આ બાબતે લીજોને
જણાવ્યું છે.તેમણે મને જણાવ્યું હતું કે પાણીની એક ટાંકી વેચાણ માટે છે.તે એક
જૂની પાણીની ટાંકી હતી.બાદમાં લિજો મને જોસ કાફનના બગીચામાં લઈ ગયો અને
પાણીની ટાંકી બતાવી.તેમણે રૂ. ૧૫,૦૦૦/- કિંમત કીધી હતી પરંતુ મેં કહ્યું કે હું
રૂ. ૧૨,૦૦૦/- આપીશ.લિજોએ આ માટે સંમત થયો હતો.આ તમામ ઘટનાઓ
ડિસેમ્બર, ૨૦૧૧ માં બની હતી.પાછળથી મેં ૧૨ હજાર રૂપિયા આપ્યા અને પાણીની
ટાંકી ખરીદી.મેં તે સેબેસ્ટિયનને આપી કારણ કે તેણે લગ્ન માટે પાણી સાચવવા કહ્યું
હતું."
૨૦.૧. હકીકતમાં, આરોપીઓએ ફરિયાદ પક્ષના સાહેદ નં.-૧૧ ને રૂ.૨૭,૦૦૦ માં રબર
રોલિંગ મશીનો વેચી દીધા હતા કે જેને એમઓ ૪૩ અને એમઓ ૪૪ તરીકે નિશાની
આપવામા આવી છે. ફરિયાદ પક્ષના સાહેદ નં.-૫ મારફતે એમઓ-૪૩ અને એમઓ-
૪૪ના વેચાણની હકીકત પણ પુરવાર થઈ છે.ફરિયાદ પક્ષના સાહેદ નં.-૫ નું નિવેદન લેવું
યોગ્ય અને વ્યાજબી ગણાશે, જે નીચેની અસરથી છેઃ
ફરિયાદપક્ષ ના સાહેદ નં -૫: ૦૮.૧૨.૨૦૧૧ ના રોજ સાંજે બાબુએ મને ફોન કર્યો અને
કહ્યું કે રબર રોલર મશીન લિંગાડહલ્લીમાં વેચાણ માટે છે અને તે તેને ખરીદવાનું વિચારી રહ્યો
છે.તેણે મારી સલાહ એટલા માટે માંગી કારણ કે તે મશીનની કિંમત ૩૦ હજાર રૂપિયા હતી.મેં
તેમને કહ્યું કે તરત ખરીદી ન કરો, પરંતુ એડવોકેટ સાથે કરાર કર્યા પછી બીજા દિવસે ખરીદી
કરો.બાદમાં અમે ત્રણેય એટલે કે હું, બાબુ અને આરોપી બીનુ લિંગાડહલ્લી ગયા હતા.ત્યાં અમે
વકીલ ઉદય કુમારના ઘરે ગયા.મારા સાળા તેમને જાણતા હતા અને તેમને રોલર મશીનની
ખરીદીના સંબંધમાં એક કરાર તૈયાર કરવા વિનંતી કરવામાં આવી હતી.
તે અમને જોસ કાફનના બગીચામાં લઈ ગયા અને રબર રોલર મશીન બતાવ્યું.તે સમયે
અંધારુ
ં હતું.પછી અમે એક જ ઓટોમાં બાબુની નળી પાસે ગયા.અમે ઓટોમાં મશીન લીધું
અને બાબુના ઘરમાં રાખ્યું.મેં આરોપીને સાથે જોસે કાફાન વિશે પૂછ્યું.તેણે જણાવ્યું હતું કે, તે
બીમાર છે અને તેથી કેરળની હોસ્પિટલમાં છે અને તેઓ પોતાના હાથ અને પગ હલાવી શકતા
નથી અને માત્ર માથું હલાવી શકે છે અને તેથી તેઓ એર્નાકુલમ હોસ્પિટલમાં છે.
ફરિયાદ પક્ષના સાહેદ નં -૭: "મેં પૂછ્યું કે માલિક ની તબિયત સારી છે કે નહીં અને
આરોપીએ કહ્યું કે તે ઠીક છે અને કેરળ ગયો છે.તેણે મને રબર મશીન વિશે જાણકારી આપી
અને માત્ર તેને ખરીદવાનું કહ્યું. મેં કહ્યું કે મારે નથી જોઈતું અને જે લોકો તે ખરીદવા માંગે છે
તેમની જાણકારી આપીશ.મેં કહ્યું કે મને તે સોદા માટે માલિકની જરૂર છે.તે સમયે આરોપીએ
કહ્યું હતું કે, માલિકની તબિયત સારી નથી.તેમણે કહ્યું હતું કે, તેમની સારવાર માટે નાણાંની
જરૂર છે, જે માટે તેઓ તેને વેચી રહ્યા છે.એટલે બીજે દિવસે હું અને સુનિલ કુમાર જોસ
કાફનના બગીચામાં ગયા.અમે રબર રોલર મશીન જોયું.આરોપીએ જણાવ્યું કે તેની કિંમત રૂ.
૫૦,૦૦૦/- છે, અમે રૂ. ૩૦,૦૦૦/- માંગ્યા હતા.અમે તે ખરીદયું નથી પરંતુ પાછા
આવ્યા છીએ.”
૨૦.૨ વાસ્તવમાં મૃતકની જમીન આરોપીઓ દ્વારા ફરિયાદ પક્ષ ના સાહેદ નં.-૫ ને
વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને રેકર્ડ પર ઉપલબ્ધ બિન વિવાદાસ્પદ પુરાવા નીચે
મુજબ છે.
ફરિયાદ પક્ષના સાહેદ નં -૫: "તેમણે કહ્યું હતું કે, તેઓ ખેતીની કોઈ પ્રવૃત્તિઓ નહીં કરે
અને જમીન વેચવા માંગે છે. તેમણે મને પૂછ્યું હતું કે, શું કોઈ તેને ખરીદવા માંગે છે? "મેં એ
વાતની સંમતી આપી અને કહ્યું કે જો કોઈ પાર્ટી તેને ખરીદવા માટે તૈયાર હશે તો હું જાણ
કરીશ. તેમણે કહ્યું હતું કે, બીનૂ કન્નડ જાણતો નથી અને કોઈની ઓળખાણ પણ નથી.
એટલા માટે તેમણે મને આ રેકોર્ડ રાખવા અને સાચવવા કહ્યું હતું.
ફરિયાદ પક્ષના સાહેદ નં -૮: "તેમણે જાંબલી રંગનું શર્ટ પહેરેલી વ્યક્તિની ઓળખ જોસ
કાફન તરીકે કરી છે. ડિસેમ્બર, ૨૦૧૧ માં બિસુએ જણાવ્યું હતું કે, કાફનની ૪ એકર જમીન
વેચાણ માટે છે. લીજોએ આ અંગે બિસુને જણાવ્યું હતું. આ ખેતીની જમીન ખરીદવા અંગે
સલાહ મેળવવા હું, લિજો અને મારા સાળા બિસુ વકીલ નાગરાજને મળ્યા હતા. લીજોની પાસે
દસ્તાવેજો હતા.
વકીલે દસ્તાવેજોની તપાસ કરી હતી. લીજોએ જણાવ્યું હતું કે, શ્રી જોસ કાફનનું
અવસાન થયું છે. દસ્તાવેજો જોઈને વકીલે જણાવ્યું હતું કે, કાફનનું મૃત્યુ પ્રમાણપત્ર જરૂરી છે
અને ઓળખ માટે તેનું ઓળખપત્ર અથવા લાઇસન્સ જરૂરી છે અને જમીન વેચવા માટે
કાફનના દીકરાને આવવુ પડશે. પછી અમે એડવોકેટના ઘરેથી બસ સ્ટેન્ડ ગયા. હું પણ બસ
સ્ટેન્ડ પર ગયો. લિજો અને બિસુ બાઇક પર ગયા. ૫ મિનિટ પછી લિજોએ મને ફોન કર્યો અને
બસ સ્ટેન્ડ પર આવવા કહ્યું અને જણાવ્યું કે કાફનના દીકરાએ ફોન કર્યો છે અને તેઓ તેની
સાથે સીધી વાત કરી શકે છે. તેઓ બસ સ્ટેન્ડ પર આવ્યા. તેમણે મને ફોન કર્યો અને મને
મોબાઇલ આપ્યો. જે વ્યક્તિએ ફોન કર્યો હતો તેણે બીનુને એક લાખ રૂપિયાની એડવાન્સ
રકમ આપવા કહ્યું હતું. જે વ્યક્તિએ ફોન કર્યો તેણે જણાવ્યું હતું કે, તે કાફનનો દીકરો
સાજીથ છે. તેમણે કહ્યું હતું કે, જમીનની કિંમત ૧૦ લાખ રૂપિયા છે. મેં કહ્યું હતું કે હું
એડવાન્સ રકમ કેરળમાં આપીશ. તે સમયે તેમણે બિનુને એડવાન્સ રકમ આપવા કહ્યું હતું.
લીજોએ કમિશન માંગ્યું. તેમણે લિજોને એક લાખ રૂપિયા આપવા કહ્યું. આ પછી ૨-૩ દિવસ
પછી મારા સાળા બિસુ મનકલાલે ગયા હતા, જ્યાં કોલાથુર જોસ રહેતા હતા. તેઓ જોસ
કાફનના સંબંધી છે.
લિજોએ કોલાથુર જોસને જણાવ્યું હતું કે, જોસ કાફનનું અવસાન થઈ ગયું છે અને
તેમના પુત્રો તેમની જમીન વેચી રહ્યા છે. પછી કોલાથુર જોસે કહ્યું કે જોસ કાફન મરી ગયો
નથી અને તે કાફનના કુટુમ્બીઓ સાથે વાત કરશે અને અમને તેના વિશે જણાવશે."
ફરિયાદ પક્ષના સાહેદ નં -૯: "જ્યારે અમે કાફનની જમીન પર ગયા, ત્યારે આરોપી ત્યાં
હાજર હતો. આરોપીએ મલયાલમ ભાષામાં કહ્યું કે, તે ઉપકરણો વેચશે અને કેરિયાપ્પાને
થોડીક મલયાલમ ભાષા સમજાય છે. કેરિયાપ્પાએ મલયાલમની થોડી સમજણ આપીને
સમજાવ્યું. તેમણે જણાવ્યું કે રબર રોલર મશીન વેચાણ માટે છે. તેની કિંમત ઉંચી હોવાથી મેં
ખરીદી કરવાનો ઇનકાર કર્યો અને જ્યારે અમે પાછા આવી રહ્યા હતા ત્યારે તેમણે ઘરની સામે
જ ઉપકરણોનો ઢગલો કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, તે પણ વેચશે. તેમણે એ
ઉપકરણોની કિંમત રુ.૨૫૦૦/- લખી અને દર્શાવી અને મેં કિંમત રુ.૨૦૦૦/- લખ્યા
અને દર્શાવ્યા. આરોપી આ માટે સંમત થયા અને ઉપકરણો વેચી દીધા. અમે તેને ખરીદ્યા. મેં
૧૨ પાવડા, એક લોખંડની લાકડી, એક હાથવટા ખરીદ્યા. બે વોટર ડ્રમ પણ ખરીદ્યા, જેમા
એક ઉપર ઢાંકણ હતું. એક કીટનાશક છંટકાવ મશીન પણ ખરીદ્યું. અમે બધી ચીજો ખસેડી
અને મેં કેરિયાપ્પાને ઢાંકણ વગરનો ડ્રમ આપ્યો. બાકીનું મેં લઈ લીધું."
ફરિયાદ પક્ષના સાહેદ નં -૧૧: "ડિસેમ્બર, ૨૦૧૧ ના મહિનામાં રબર રોલર મશીન
વિશે જણાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે મશીન કેરોડીમાં કોઈના ઘરમાં છે.
હું અને સુનિલ કુ માર મશીન જોવા ગયા અને આરોપી ત્યાં હતો. આરોપીએ પોતાનું નામ બિનુ
હોવાનું જણાવ્યું. તેમણે પોતાની જાતને કાફનના નાના ભાઈના પુત્ર તરીકે ઓળખાવી હતી.
તેમણે જણાવ્યું કે, રબર રોલર મશીન વેચાણ પર છે અને તેની કિંમત રૂ. ૩૦,૦૦૦/- છે. હું
મશીન ખરીદવા માટે સંમત થયો અને વાટાઘાટો કર્યા પછી તેને રૂપિયા ૨૭,૦૦૦/- ના
ભાવે ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો. અમે તે જ દિવસે પાછા ફર્યા હતા.
મેં લિજોને મશીન ખરીદવાની જાણકારી આપી હતી. લિજો મારો સાળો છે અને તેણે આ
માટે સમજૂતી કરવા કહ્યું હતું. પછી હું, મારા જીજાજી લિજો અને બીનુ ૦૯.૧૨.૨૦૧૧ ના
રોજ એડવોકેટના ઘરે ગયા. વકીલ ઉદય કુમાર લિંગદહલીમાં રહે છે. અમે તેમના ઘરે ગયા
હતા. તેમણે એક સફેદ કાગળ પર સમજૂતી લખી હતી. મેં, બીનૂ અને લિજોએ આ દસ્તાવેજ
પર અમારા હસ્તાક્ષર કર્યા હતા. આરોપી બિનુ પોતે છે. સાક્ષીએ એમઓ ૪૧ કરારમાં
આરોપીના હસ્તાક્ષરની ઓળખ કરેલ છે. સાક્ષી પોતાની સહી પણ ઓળખી બતાવે છે.
સાક્ષીની સહી એમ. ઓ. ૪૧ (ખ) તરીકે, આરોપીની સહી એમ. ઓ. ૪૧ (ગ) તરીકે અને
લિજોની સહી એમ. ઓ. ૪૧ (ક) તરીકે અંકિત કરવામાં આવી છે. વેચાણ કરાર
રૂ.૩૦,૦૦૦/- નો તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ મેં માત્ર રૂ.૨૭,૦૦૦/- જ આપ્યા
હતા."
ફરિયાદ પક્ષના સાહેદ નં -૧૩: "તા.૦૭.૦૧.૨૦૧૨ ના રોજ હું મારી પત્ની અને પુત્ર સાથે
વિઘ્નેશ્વરા હોસ્પિટલ ગયો હતો કારણ કે મારો દીકરો બીમાર હતો. લીજો પણ હોસ્પિટલમાં
આવ્યો હતો કારણ કે તેનો દીકરો પણ બીમાર હતો. હું લીજોને લાંબા સમયથી ઓળખું છ
ુ ં.
વાત કરતી વખતે લિજોએ મને માહિતી આપી હતી કે, જોસ કાફન મૃત્યુ પામ્યા છે. તેમણે મને
જણાવ્યું હતું કે કાફનને લકવાની બીમારી હતી અને તેમનો દીકરો તેમને સારવાર માટે કેરળ
લઈ ગયો હતો અને કેરળમાં આ બીમારી વધુ ગંભીર બની હોવાથી તેઓ વધુ સારી સારવાર
માટે કાફનને અમેરિકા લઈ ગયા હતા પરંતુ ક્રિસમસના તહેવાર પહેલા જ કાફનનું મૃત્યુ થઇ
ગયું હતું. લીજોએ તો એમ પણ કહ્યું હતું કે, તેમના મૃતદેહને પાછો લાવવામાં આવેલ નહિ
પરંતુ તેમની અંતિમવિધિ ત્યાં જ કરવામાં આવી હતી. થોડા દિવસો પછી હું મારી બાઇક
રિપેર કરવા માટે સેંચુરી મોટર્સ ગયો હતો. લીજો પણ ત્યાં હતો. લિજોએ મને કહ્યું કે કાફનના
બાળકો તેમની જમીન વેચવા માંગે છે અને તેમણે મને પૂછ્યું કે શું મને આ જમીન ખરીદવામાં
રસ છે? મેં લીજોને કહ્યું કે મારે નથી જોઈતી, પણ મારા સાળાને જણાવીશ. બે દિવસ પછી
લીજોએ મને જમીનની કિંમત અને પોતાના કમિશન વિશે જાણકારી આપી. બાદમાં લિજોએ
મને કહ્યું કે તેમની પાસે જમીનના દસ્તાવેજો છે. મેં કહ્યું કે મારે એડવોકેટ પાસેથી સૂચનો
લેવા પડશે, તેથી હું અને મારા સાળા સ્ટેની અને લિજો ઉપરોક્ત દસ્તાવેજો સાથે એડવોકેટ
નાગરાજના ઘરે ગયા હતા. એડવોકેટ નાગરાજે દસ્તાવેજોની તપાસ કરી હતી અને એડવોકેટને
માહિતી આપવામાં આવી હતી કે જોસ કાફાનનું મૃત્યુ થઈ ગયું છે, તેમણે જણાવ્યું હતું કે
કાફનનાં સંતાનોએ આવવું પડશે અને તમામ વારસદારો પાસેથી કુલમુખત્યારનામા લાવવા
પડશે અને કાફનનું મૃત્યુ પ્રમાણપત્ર પણ લાવવું પડશે. અમે એડવોકેટના ઘરેથી અમારા ઘરે
ગયા. હું મેરી મંદિરે પહોંચ્યો ત્યાં સુધીમાં મેં ફરી એક વાર લિજોને ફોન કર્યો હતો. લિજોએ મને
કહ્યું હતું કે, કાફનના દીકરાએ ફોન પર મને ત્યા જઈને જણાવવા કહ્યું હતું કે કાફનના દીકરા
સાજિથે ફોન પર કાફનને બોલાવ્યો છે. હું અને સ્ટેની ફરીથી કોર્ટ નજીક ગયા. લિજો ત્યાં હતો
અને તે સમયે લિજોને ફોન આવ્યો અને તેણે વાત કરી અને પછી સ્ટેનીને મોબાઇલ ફોન
આપ્યો. સ્ટેનીએ સીધી વાત કરી અને જે વ્યક્તિ ફોન પર વાત કરી રહ્યો હતો તેણે કહ્યું કે હું
એડવાન્સ રકમ મેળવવા સાગર આવીશ. તેમણે એમ પણ કહ્યું હતું કે ફોન કરીને આવીશ."
ફરિયાદ પક્ષના સાહેદ નં -૧૫: હું સાગરમાં ૧૭ વર્ષથી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો

ુ ં. મારો મારુર ગામના બાબૂ સાથે પરિચય છે. તેઓ ૦૯.૧૨.૨૦૧૧ ના રોજ સાંજે ૭-૪૫
વાગે મારા ઘરે આવ્યા હતા. બાબુની સાથે તેના કાકા અને આરોપીને પણ કોર્ટમાં લાવવામાં
આવ્યા હતા. સાક્ષીને આંક - ૨૧ બતાવવામાં આવ્યો. તેમણે આંક-૨૧ ના ફોટોગ્રાફમાં
દસ્તાવેજો ધરાવતી વ્યક્તિની ઓળખ બાબુના સાળા તરીકે કરી છે. મારા ઘરે આવેલા બાબુએ
મને કહ્યું કે આરોપીની પાસે રબર રોલર મશીન છે અને તે ખરીદી રહ્યો છે. તેમણે મને કહ્યું કે
વેચાણનો કરાર તૈયાર કરો. મેં તેમને રબર રોલર મશીનની કંપની, તેના માલિક, તેનો નંબર
અને અન્ય વિગતો પૂછી, જેના માટે તેમણે કહ્યું કે તેમની પાસે તે બધી વિગતો નથી.
તેમની પાસેથી મળેલ માહિતી અનુસાર મેં જંગમ મિલકતનો વેચાણ કરાર તૈયાર કર્યો
હતો. સાક્ષીને 41
MO બતાવવામાં આવ્યો. તેમણે તેને વેચાણ કરાર તરીકે ઓળખાવ્યો, જે
તેમણે તૈયાર કર્યો હતો. આરોપી રબર રોલર મશીન વેચતો હતો તે કન્નડ જાણતો નહોતો. મેં
વેચાણ કરાર કન્નડ અને અંગ્રેજીમાં ભાષામાં વાંચ્યો. આરોપી અંગ્રેજી અને કન્નડ બંને જાણતો
ન હોવાથી લિજોએ વેચાણ કરારના લખાણનો મલયાલમ ભાષામાં અનુવાદ કર્યો હતો અને
આરોપીને સમજાવ્યું હતું. વેચનાર અને ખરીદનાર બંનેએ મારી સામે હસ્તાક્ષર કર્યા છે.
આરોપી, જે વેચનાર છે, તેણે પોતાના હસ્તાક્ષર કર્યા છે અને ખરીદનારે પણ પોતાના
હસ્તાક્ષર કર્યા છે. લિજોએ સાક્ષી તરીકે હસ્તાક્ષર કર્યા છે."
૨૧. આજુબાજુના અન્ય સંજોગો કે જે આરોપીને વાજબી શંકા વગર ગુના માટે દોષિત
સાબિત કરે છે; તેમાં મૃતક વ્યક્તિની વસ્તુઓનો જથ્થો મળી આવે છે અને આરોપી દ્વારા
વેચાણ કરવામાં આવે છે જે આંક - ૨ મુજબના આરોપીના સ્વૈચ્છિક નિવેદનના બળ પર
મળી આવે છે. હકીકતમાં ફ.પ.સા.-૫ દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આરોપીનો
મૃતકની અચલ સંપત્તિ વેચવાનો ઇરાદો હતો. ફ.પ.સા-૫ દ્વારા સ્પષ્ટ રીતે જુબાની દ્વારા
જણાવાયું છે કે, જ્યારે આરોપી મૃતકની મિલકત વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે
પોલીસે તેની કેવી રીતે ધરપકડ કરી હતી.
૨૨. આરોપીએ આપેલા નિવેદનો ઉપરાંત કે મૃતક કેરળ ગયો હતો અથવા મૃતક
પક્ષઘાતનો ભોગ બન્યો હતો અથવા મૃતક અમેરિકા ચાલ્યો ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો
ત્યાં તમામ ખોટા અને વિરોધાભાસી નિવેદનો છે, જે ફ.પ.સા-૫ દ્વારા રજૂ કરવામાં આવ્યા
છે, જેની નિર્ભરતા કર્ણાટક રાજ્ય વિ. સ્વર્ણમામાં (ફૂટ નોટ-(૮)-(૨૦૧૫) ૧
એસ.સી.સી. ૩૨૩) આ અદાલતના ચુકાદાની પૃષ્ઠભૂમિમાં ઉચ્ચ અદાલતે મૂકી છે અને તેથી
અમારો મત છે કે ઉચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલો નિષ્કર્ષ પુરાવાના મજબૂત
મૂલ્યાંકન અને કાયદાનો યોગ્ય અમલ પર આધારિત છે. આ ઉપરાંત, આરોપી સંપૂર્ણ ખંડન
સિવાય તેની સામે મળેલા દોષારોપણ પુરાવાના સંદર્ભમાં સમજાવવામાં નિષ્ફળ રહ્યો છે અને
આ રીતે ઉચ્ચ અદાલતે પટ્ટૂ રાજન વિ. તમિલનાડુ રાજ્ય કેસમાં (ફૂટ નોટ-(૯)-(૨૦૧૯)
૪ એસ.સી.સી. ૭૭૧) આરોપી અપીલકર્તાની દલીલને નકારી કાઢવા માટે આ અદાલતે
નિર્ધારિત સિદ્ધાંતો યોગ્ય રીતે લાગુ કર્યા છે. રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાને અવગણવામાં
આવ્યો હોવાથી અને વિદ્વાન સેશન્સ જજે પુરાવાના મૂલ્યાંકનમાં કરેલ દેખીતી અવગણનાને
કારણે ઉચ્ચ અદાલતે હસ્તક્ષેપ કર્યો હતો. અમને કોઈ પણ અનિયમિતા હાઇકોર્ટના ચુકાદામાં
જોવા મળી નથી, કે જેમાં અમારી દખલગીરી જરુરી હોય. ઉચ્ચ અદાલત યોગ્ય પરિપ્રેક્ષ્યમાં
સંપૂર્ણ પૂરાવાની પુનઃસમીક્ષાના પરિણામે યોગ્ય નિષ્કર્ષ પર પહોંચેલ છે, એટલે કે એકલા
આરોપીએ જ મૃતક શ્રી જોસ સી કાફનની હત્યા કરી છે અને અન્ય કોઈ સંભવિત મંતવ્ય નથી
જેને સંજોગોની સાંકળમાં ગુમ માનવામાં આવી શકે, આ અદાલતનું એવું માનવું છે કે અપીલ
યોગ્યતાનો અભાવ હોવાને કારણે નકારી કાઢવી જોઈએ.
ઉપર દર્શાવેલા કારણોસર અમે આ અપીલ રદ કરીએ છીએ અને ૨૦.૦૩.૨૦૨૦ ના
રોજ કર્ણાટક ઉચ્ચ અદાલતે ફોજદારી અપીલ નંબર ૩૩૫ માં આપેલ ચુકાદો કાયમ રાખીએ
છીએ. ......(સૂર્યકાંત) ન્યાયમૂર્તિ ......(અરવિંદ કુમાર) ન્યાયમૂર્તિ
નવી દિલ્હી, તારીખ: એપ્રિલ ૧૭, ૨૦૨૩
This
JUDGMENT
has been translated using AI Tool – SUVAS.
:
DISCLAIMER The translated judgement in vernacular language is meant for the
/ restricted use of the litigant to understand it in his her language and may not
. , be used for any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for
. the purpose of execution and implementation