Full Text
DISCLAIMER The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used for
. , any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and
. implementation
અહેવાલપાત્ર
ભારતની સર્વોચ્ચ અદાલતમાં
દીવાની અપીલીય હકૂમત
દીવાની અપીલ નં.૯૧૧/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૦૯૬/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
આવકવેરા અધિકારી ... અપીલકર્તા (ઓ)
વિરુદ્ધ
વિક્રમ સુજિતકુમાર ભાટીઆ ... સામાવાળા (ઓ)
સાથે
દીવાની અપીલ નં.૯૧૨/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૦૯/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૧૩/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૧૫/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૧૪/૨૦૨૨
દીવાની અપીલ નં.૯૧૫/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૧૮/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૧૬/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૧૯/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૧૭/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૨૦/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૧૮/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૨૧/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૧૯/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૨૨/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૨૦/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૨૩/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૨૧/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૨૪/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૨૨/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૨૬/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૨૩/૨૦૨૨
દીવાની અપીલ નં.૯૨૪/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૨૯/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૨૫/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૩૦/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૨૬/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૩૧/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૨૭/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૩૨/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૨૮/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૩૩/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૨૯/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૧૩૪/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૩૦/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૮૭૯/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૩૧/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૮૮૦/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૩૨/૨૦૨૨
દીવાની અપીલ નં.૯૩૩/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૮૮૨/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૩૪/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૯૮૮૩/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૩૫/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૦૫૩૫/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૩૬/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૦૫૩૯/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૩૭/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૦૫૪૨/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૩૮/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૦૫૪૮/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૩૯/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૦૫૪૯/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૪૦/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૦૫૫૦/૨૦૧૯ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૪૧/૨૦૨૨
દીવાની અપીલ નં.૯૪૨/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૪૮૬/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૪૩/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૪૯૨/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૪૪/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૪૯૩/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૪૫/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૪૯૬/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૪૬/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૪૯૯/૨૦૨૦માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૪૭/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૫૦૪/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૪૮/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૫૦૫/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૪૯/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૫૨૬/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૫૦/૨૦૨૨
દીવાની અપીલ નં.૯૫૧/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૫૨૮/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૫૨/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૫૨૯/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૫૩/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૫૩૦/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૫૪/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૫૩૧/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૫૫/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૫૩૬/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૫૬/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૫૩૭/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૫૭/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૫૩૮/૨૦૨૦ચ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૫૮/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૬૧૮/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૫૯/૨૦૨૨
દીવાની અપીલ નં.૯૬૦/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૬૨૨/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૬૧/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૬૨૪/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૬૨/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૬૮૯/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૬૩/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૮૧૯/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૬૪/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૮૮૪/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૬૫/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૮૮૫/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૬૬/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૮૮૬/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૬૭/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૮૯૭/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૬૮/૨૦૨૨
દીવાની અપીલ નં.૯૬૯/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૮૯૯/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૭૦/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૯૦૦/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૭૧/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૧૦૩૮/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૭૨/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૦૦૬/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૭૩/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૦૦૭/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૭૪/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૦૦૯/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૭૫/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૦૧૦/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૭૬/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૦૧૨/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૭૭/૨૦૨૨
દીવાની અપીલ નં.૯૭૮/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૬૫૩/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૭૯/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૨૬૬૯/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૮૦/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૦૦૨/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૮૧/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૪૪૩/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૮૨/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૪૪૪/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૮૩/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૪૪૫/૨૦૨૦માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૮૪/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૪૫૦/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૮૫/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૪૫૧/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૮૬/૨૦૨૨
દીવાની અપીલ નં.૯૮૭/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૪૫૩/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૮૮/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૪૫૪/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૮૯/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૪૫૫/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૯૦/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૪૫૬/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૯૧/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૪૫૭/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૯૨/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૪૫૮/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૯૩/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૩૪૫૯/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૯૪/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૪૨૯૫/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૯૫/૨૦૨૨
દીવાની અપીલ નં.૯૯૬/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૪૩૮૦/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૯૭/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૪૫૮૦/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૯૮/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૪૬૩૩/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૯૯૯/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૪૬૩૪/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૦૦/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૪૬૩૭/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૦૧/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૪૬૪૨/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૦૨/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૪૯૩૯/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૦૩/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૫૧૧૩/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૦૪/૨૦૨૨
દીવાની અપીલ નં.૧૦૦૫/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૫૩૧૦/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૦૬/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૫૩૧૧/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૦૭/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૬૫૩૧/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૦૮/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૬૬૭૦/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૦૯/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૬૬૮૦/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૧૦/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૭૦૮૦/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૧૧/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૭૭૭૬/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૧૨/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૭૭૭૭/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૧૩/૨૦૨૨
દીવાની અપીલ નં.૧૦૧૪/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૭૮૯૨/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૧૫/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૭૮૯૩/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૧૬/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૭૮૯૪/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૧૭/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૭૮૯૫/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૧૮/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૧૨૨૮૬/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૧૯/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૧૨૨૮૭/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૨૦/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૧૨૨૯૬/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૨૧/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૧૨૩૦૪/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નં.૧૦૨૨/૨૦૨૨
દીવાની અપીલ નં.૧૦૨૩/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં.૧૫૧૦૭/૨૦૨૦ માં થી ઉદ્ભવતી)
દીવાની અપીલ નંબર ૧૦૨૪/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં. ૧૫૧૦૮/૨૦૨૦ માંથી ઉદ્ભવતી)
દીવાની અપીલ નંબર ૧૦૨૫/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં. ૧૫૧૦૯/૨૦૨૦ માંથી ઉદ્ભવતી)
અને
દીવાની અપીલ નંબર ૧૦૨૬/૨૦૨૨
(એસ.એલ.પી. (સી) નં. ૧૫૫૬૮/૨૦૨૦ માંથી ઉદ્ભવતી)
ચુકાદો
ન્યાયમુર્તિ એમ.આર.શાહ
૧. ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર
૧૮૭૭૭/૨૦૧૮ તથા અન્ય જોડાયેલ દાવાઓમાં જાહેર કરવામા આવેલ
તારીખ ૨.૪.૨૦૧૯ ના વાદગ્રસ્ત સંયુક્ત ચુકાદા અને આદેશથી વ્યથિત અને
અસંતુષ્ટ થઈને તથા ગુજરાત ઉચ્ચ અદાલતે અન્ય સ્પેશિયલ સિવિલ
એપ્લિકેશનોમાં તેના અગાઉના નિર્ણય ઉપર આધાર રાખીને આપેલા વાદગરસ્ત
કરવામાં આવ્યો છે) હેઠળ પ્રતિવાદી – કરદાતાઓના આપવામાં આવેલી નોટિસ
રદ કરી છે અને તેના દ્વારા પરિણમેલ આકારણી આદેશો (કે જેમાં આકારણી
પૂર્ણ થયેલ હતી) તેવુ જણાવીને રદ કર્યા છે કે ‘૧૯૬૧ના કાયદા’ની કલમ
૧૫૩-સી કે જે નાણાં અધિનિયમ, ૨૦૧૫ દ્વારા સુધારવામાં આવેલ છે)
સુધારાની તારીખ અગાઉ હાથ ધરવામાં આવેલ ‘૧૯૬૧ના કાયદા’ની કલમ-
૧૩૨ હેઠળની તપાસ પર લાગુ નહીં કરી શકાય, તેથી મહેસૂલ વિભાગ દ્વારા
હાલની અપીલો દાખલ કરી છે.
૨. શરૂઆતમાં, અહીં એવું નોંધવું જરૂરી છે કે, આ અદાલતના વિચારણા માટે
કાયદાનો એવો પ્રશ્ન ઊભો થાય છે કે:શું આવકવેરા ધારા ૧૯૬૧ ની કલમ
૧૫૩-સી માં નાણાં ધારા ૨૦૧૫ હેઠળ કરવામાં આવેલો સુધારો, તે સુધારાની
તારીખ ૦૧.૦૬.૨૦૧૫ અગાઉ કાયદાની કલમ ૧૩૨ હેઠળ હાથ ધરવામાં
આવેલી તપાસોને લાગુ પડશે કે કેમ?
JUDGMENT
3. સરળતા માટે, અહીં હાઈકોર્ટ દ્વારા સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન નં. ૧૨૮૨૫/૨૦૧૮ માં આપેલા વાદગરસ્ત ચુકાદા અને આદેશોમાંથી ઊભી થયેલી સિવિલ અપીલ મુખ્ય મેટર તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે અને સદર રિટ અરજીમાંના તથ્યો અહીં વર્ણવવામાં આવે છે, જે ટૂંકમાં નીચે મુજબ છેઃ- - ૩.૧ મૂળ રીટ અરજદાર, મૂળે એક વ્યક્તિ, તેણે આકારણી વર્ષ (આ.વ.) ૨૦૧૨-૧૩ માટે તેમની આવકનું રિટર્ન ૧૧.૦૯.૨૦૧૨ ના રોજ ભર્યું હતું, જેમાં ભાગીદારી પેઢીની આવક અને અન્ય આવક મળીને ધંધાની કુલ આવક રુ.૪૪,૭૩,૮૨૦/- જેટલી જાહેર કરેલ છે. ત્યારબાદ, ( ) sic તારીખ ૦૪.૦૯.૨૦૧૩ ના રોજ એચ. એન. સફલ ગ્રૂપના વિવિધ સંકુલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.તારીખ ૦૭.૦૯.૨૦૧૩ના રોજ એક ( ) sic પંચનામુ તૈયાર કરવામાં આવ્યુ હતુ. જપ્ત કરવામાં આવેલી સામગ્રીના આધારે, આકારણી અધિકારીએ તારીખ ૦૮.૦૨.૨૦૧૮ રોજ નોટિસ આપીને ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સી અંતર્ગત ઉપરોક્ત ( ) sic કરદાતા સામે કાર્યવાહી શરૂ કરી હતી. ૩.૨ કરદાતાએ તારીખ ૦૧.૦૫.૨૦૧૮ ના રોજ પોતાનો જવાબ દાખલ કર્યો હતો અને પોતાની આવકનું રિટર્ન પણ જમા કરાવ્યું હતું. તારીખ ૧૪.૦૫.૨૦૧૮ ના રોજ લખેલા પત્રમાં આકારણી અધિકારીએ પોતાનાં દ્વારા નોંધવામાં આવેલી સંતુષ્ટિ નોંધ રજૂ કરી હતી અને તેની સાથે, તલાશ કરાયેલી વ્યક્તિનાં આકારણી અધિકારીની સંતુષ્ટિ નોંધ પણ સંલગ્ન કરી હતી.નોંધવામાં આવેલી સંતુષ્ટિ નોંધથી એવું જાણવા મળ્યું હતું કે, તપાસ દરમિયાન મૂળ રીટ અરજદાર - કરદાતાનું કોઈ પણ દસ્તાવેજ મળ્યું નહોતું. જોકે એક હાર્ડ-ડિસ્ક જપ્ત કરવામાં આવી હતી, જેમાં તલાશ કરાયેલ વ્યક્તિના 'કમ્પ્યુટરના ડેટા' માં 'એક્સેલ શીટ' હતી, જેમાં અરજદારના નામનો સંદર્ભ હતો.વિગતો પ્રાપ્ત થયા પછી, મૂળ રીટ અરજીકર્તાએ અન્ય બાબતોની સાથે સાથે ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સી હેઠળ કાર્યવાહી પર વાંધો ઉઠાવ્યો હતો અને બીજી બાબતો સાથે એવી તકરાર લીધેલ કે તલાશ કરાયેલી વ્યક્તિના કમ્પ્યુટર એક્સેલ શીટના ડેટાના આધારે, કે જેમાં મૂળ રીટ અરજદારના નામનો જ ઉલ્લેખ કરવામાં આવેલ હતો, આકારણી અધિકારી તેની સામે ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સી હેઠળ કાર્યવાહી શરુ કરી શક્યા ન હોત, કારણ કે, જે પ્રામાણે જે તે વખતે કલમ હતી, તે કલમને લાગુ કરવાની પૂર્શરતનું પાલન થયેલ નથી એટલે કે આકારણી અધિકારીને સંતોષ થવો જોઈએ કે કોઈ પણ નાણાં, બુલિયન, દાગીના અથવા અન્ય કિંમતી જણસ અથવા વસ્તુ અથવા જપ્ત કે લેખિત હુકમથી કરવામાં આવેલ, મંગાવેલ નામાના ચોપડા અથવા દસ્તાવેજો, તે તલાશ કરાયેલી વ્યક્તિ સિવાયની વ્યક્તિનાં છે. એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સી અંતર્ગત કાર્યવાહી શરૂ કરવાના હેતુ માટે, તલાશ કરાયેલી વ્યક્તિના આકારણી અધિકારી દ્વારા તેમજ તલાશ કરાયેલી વ્યક્તિ સિવાયની વ્યક્તિના આકારણી અધિકારી દ્વારા કરવામાં આવેલ સ્વતંત્ર સંતુષ્ટિની નોંધ ચોપડે લેવાની રહેશે. જોકે, મૂળ રીટ અરજદારના આકારણી અધિકારી દ્વારા નોંધવામાં આવેલી સંતુષ્ટી નોંધ ધ્યાને લેતાં, એ સ્પષ્ટ થયેલ કે, આકારણી અધિકારીએ તલાશ કરાયેલી વ્યક્તિના આકારણી અધિકારીની સંતુષ્ટી નોંધને માત્ર ફરી એકવાર રજૂ કરી હતી અને ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સી હેઠળ જરુરી હોય તેવી સંતુષ્ટી અંગેની નોંધણી કરેલ નહોતી. ૩.૩ આકારણી અધિકારીએ ૨૩.૦૭.૨૦૧૮ના રોજ આપેલા આદેશ દ્વારા વાંધાઓ ફગાવી દીધા હતા.૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સી હેઠળ કાર્યવાહીની શરૂ કરવા સામે વાંધાઓ નામંજૂર થવાથી વ્યથિત અને અસંતુષ્ટ થઇને મૂળ રીટ અરજદારએ ઉચ્ચ અદાલતમાં હાલની રીટ અરજી દાખલ કરી હતી. ૩.૪ ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સી હેઠળની આવી બીજી/ અન્ય નોટિસોને અન્ય વ્યક્તિઓ તલાશ કરવામાં આવેલ વ્યક્તિઓએ, સિવાયની અન્ય વ્યક્તિઓએ, વિવિધ રીટ અરજીઓ દ્વારા પડકારી હતી. રિટ અરજદારોમાંથી કેટલાકના કિસ્સામાં, ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સી હેઠળની કાર્યવાહીના આધારે આકારણીને પૂરી કરવામાં આવી હતી, જેને પડકાર ફેંકવાની મંજૂરી પણ આપવામાં આવી હતી કારણ કે તેમાં સામેલ પ્રશ્ન સમાન હતો. ૩.૫ ઉચ્ચ અદાલતે વાદગ્રસ્ત ચુકાદા અને આદેશ દ્વારા એવું નોંધ્યું હતુ કે, ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સી એ તપાસ કરાયેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિની આવકની આકારણી કરવા માટેની એક જોગવાઈ છે, તેમ છતાં વિત્ત અધિનિયમ ૨૦૧૫ જોગવાઇઓ મુજબ તારીખ ૦૧.૦૬.૨૦૧૫ થી સુધારેલી કલમ ૧૫૩-સી, તે તારીખ ૦૧.૦૬.૨૦૧૫ અગાઉ હાથ ધરવામાં આવેલી તલાશના સંદર્ભમાં લાગુ નહીં કરી શકાય. ઉચ્ચ અદાલતે વધુમાં નોંધ્યું છે કે નાણાં અધિનિયમ ૨૦૧૫ હેેેેેઠળ ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સીમાં તારીખ ૦૧.૦૬.૨૦૧૫થી સુધારો લાવીને કરદાતાઓના એક નવા વર્ગને કાયદાની કલમ ૧૫૩-સીની અંદર સમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે કરદાતાઓના મહત્વના/ આવશ્યક અધિકારોને અસર કરે છે અને એટલે તેને માત્ર પ્રક્રિયામાં પરિવર્તન કહી શકાય નહીં. ઉચ્ચ અદાલતે એ પણ નોંધ્યું છે કે, તલાશ દરમિયાન કોઈ કરદાતાનાં ખાતાનાં ચોપડા કે દસ્તાવેજો કે તેની સાથે સંબંધિત માહિતી ધરાવતાં દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં હોય, તો જે તે કરદાતાને ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સીનાં વ્યાપમાં વધારો કરીને સામેલ કરવામાં આવેલ હોવાથી, આ પ્રશ્ન મહત્ત્વપૂર્ણ બની જાય છે, કારણ કે હાલનાં કેસની હકીકતોના સંદર્ભમાં, તપાસની તારીખે, જો આ પ્રકારની સામગ્રી તલાશ થયેલી વ્યક્તિ સિવાયની કોઈ વ્યક્તિ સાથે સંબંધિત હોય, તો જ, તલાશ થયેલી વ્યક્તિનો આકારણી અધિકારી આ પ્રકારની સંતુષ્ટિની નોંધ કરી શકે છે અને તેવી અન્ય વ્યક્તિનાં આકારણી અધિકારીને સામગ્રી મોકલી શકે છે. જોકે, તલાશીની તારીખ પછી આ સુધારો અમલમાં આવ્યો છે અને સુધારાના આધારે જે અરજદારોને તલાશીની તારીખ સુધીમાં કાયદાની કલમ ૧૫૩-સીની મર્યાદામાં સામેલ કરવામાં આવ્યા ન હતા તેમને હવે એવા કારણથી સદર કલમ હેઠળ સમાવી લેવામાં આવ્યા છે કે સુધારા બાદ આ કાયદાની કલમ ૧૫૩-સી હેઠળ સંતુષ્ટિ નોંધ અને નોટિસ આપવામાં આવી છે. આથી, ઉચ્ચ અદાલતે એવી બાબત ધ્યાનમાં રાખીને રિટ અરજીઓને મંજૂરી આપી છે અને નોટિસ તેમજ સંબંધિત આકારણી આદેશો રદ કર્યા છે કે, ૧૯૬૧ના કાયદાની સુધારેલી કલમ ૧૫૩-સી પશ્ચાદવર્તી અસર સાથે લાગુ પાડી શકાયેલ નહીં હોય અને આથી વાદગ્રસ્ત સામાન્ય ચુકાદા અને આદેશ દ્વારા તારીખ ૦૧.૦૬.૨૦૧૫ પહેલાં હાથ ધરવામાં આવેલી તલાશના સંબંધમાં, ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સી હેઠળ, આવા સુધારા પછી કોઈ નોટિસ આપી શકાય તેમ નહોતુ. હાઇકોર્ટનો વાદગ્રસ્ત સંયુક્ત ચુકાદો અને આદેશ વર્તમાન અપીલનો વિષય છે. ૪. મહેસૂલ વિભાગ તરફથી હાજર થયેલા વિદ્વાન એ.એસ.જી. શ્રી કે.એમ.નટરાજને એવી દલીલ કરી હતી કે, વાદગ્રસ્ત સંયુક્ત ચુકાદો અને આદેશ આપતી વખતે અને ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સી અંતર્ગત મૂળ રિટ અરજદારો - તલાશ કરાયેલી વ્યક્તિઓ સિવાયની વ્યક્તિઓ- સામે બહાર પાડવામાં આવેલી નોટિસ રદ કરતી વખતે ઉચ્ચ અદાલતે યોગ્ય રીતે એ ઉદ્દેશ્ય અને હેતુ પર વિચાર કર્યો નથી, કે જેના કારણે ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સીમાં સુધારાની જરૂર પડી છે. તેમણે વિત્ત અધિનિયમ ૨૦૧૫ દ્વારા સુધારા પહેલાંની ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩-સી તરફ તથા સુધારો કર્યા બાદની કલમ ૧૫૩-સી તરફ અમારુ ધ્યાન દોર્યુ છે, જે નીચે મુજબ છેઃ- વિત્ત અધિનિયમ, ૨૦૧૫ થી સુધારો કરવામાં આવ્યો તે પહેલાં કલમ ૧૫૩-સી નીચે મુજબ હતીઃ- ૧૫૩-સી. કોઈ અન્ય વ્યક્તિની આવકની આકારણી.– (૧) કલમ ૧૩૯, કલમ ૧૪૭, કલમ ૧૪૮, કલમ ૧૪૯, કલમ ૧૫૧ અને કલમ ૧૫૩માં કંઇપણ મજકુર હોય, જ્યાં આકારણી અધિકારીને સંતોષ થાય છે કે કોઈ પણ નાણાં, સોના-ચાંદી, દાગીના અથવા અન્ય કિંમતી વસ્તુ અથવા કબ્જે લીધેલ કે અધિગ્રહણ કરેલ હિસાબી ચોપડા અથવા દસ્તાવેજો કલમ ૧૫૩-ક માં ઉલ્લેખિત વ્યક્તિ સિવાયની વ્યક્તિના છે, તો હિસાબી ચોપડા અથવા દસ્તાવેજો અથવા કબ્જે લીધેલ કે અધિગ્રહણ કરેલ મિલ્કતો આવી અન્ય વ્યક્તિ પર અધિકારક્ષેત્ર ધરાવતા આકારણી અધિકારીને સુપ્રત કરવામાં આવશે અને આકારણી અધિકારી કલમ ૧૫૩-ક ની જોગવાઈઓ અનુસાર આવી દરેક અન્ય વ્યક્તિ સામે કાર્યવાહી કરશે અને આવી અન્ય વ્યક્તિને નોટિસ પાઠવશે અને તેની આવકની આકારણી અથવા પુનઃઆકારણી કરશે, જો કે આવી અન્ય વ્યક્તિના કિસ્સામાં કલમ ૧૩૨ હેઠળ તપાસ શરૂ કરવાની તારીખ અથવા કલમ ૧૫૩-કની પેટા કલમ (૧)ના બીજા પરંતુકમાં કલમ ૧૩૨-ક હેઠળ અધિગ્રહણ કરવાની તારીખનો સંદર્ભ, તે આવી અન્ય વ્યક્તિ પર અધિકારક્ષેત્ર ધરાવતા આકારણી અધિકારીએ હિસાબી ચોપડા અથવા દસ્તાવેજો અથવા જપ્ત કરેલ કે અધિગ્રહણ કરેલ અસ્કયામતો પ્રાપ્ત કરવાની તારીખનો સંદર્ભ ગણાશે: જો કે વધુમાં, કેન્દ્ર સરકાર તેના દ્વારા બનાવવામાં આવેલા અને સરકારી રાજપત્રમાં પ્રકાશિત થયેલા નિયમો દ્વારા આવા અન્ય વ્યક્તિના સંબંધમાં કેસોના એવા વર્ગ અથવા વર્ગોને નિર્દિષ્ટ કરી શકે છે, કે જેમાં અગાઉના વર્ષમાં તલાશ કરવામાં આવી હોય કે અધિગ્રહણ કરવામાં આવ્યું હોય તેને સંબંધિત આકારણી વર્ષની તરત જ આગળના છ આકારણી વર્ષો માટે કુલ આવકની આકારણી અથવા પુનઃઆકારણી કરવા માટે આકારણી અધિકારીએ નોટિસ આપવાની જરૂર નથી, સિવાય કે એવા કિસ્સાઓ કે જેમાં કોઈ આકારણી કે પુનઃઆકારણી અબેટ થઈ હોય. (૨) જે અગાઉના વર્ષમાં કલમ ૧૩૨ હેઠળ તલાશ હાથ ધરવામાં આવી હોય અથવા કલમ ૧૩૨-ક હેઠળ અધિગ્રહણ કરવામાં આવ્યું હોય તે અગાઉના વર્ષને સંબંધિત આકારણી વર્ષ માટે આવકનું રિટર્ન ભરવાની નિયત તારીખ પછી પેટા-કલમ (૧)માં ઉલ્લેખવામાં આવેલ હિસાબી ચોપડા અથવા દસ્તાવેજો કે જપ્ત થયેલ અથવા અધિગ્રહિત થયેલ અસ્કયામતો આવી અન્ય વ્યક્તિ પર અધિકારક્ષેત્ર ધરાવતા આકારણી અધિકારીને મળી હોય અને આવા આકારણી વર્ષના સંબંધમાં - (ક) આવી અન્ય વ્યક્તિએ આવકનું રિટર્ન પૂરૂ ભરેલ હોય પરંતુ તેને કલમ ૧૪૨ ની પેટા કલમ (૨) હેઠળ કોઈ નોટિસ પાઠવવામાં આવી ન હોય, અથવા (ખ) આવી અન્ય વ્યક્તિ દ્વારા આવકનું રિટર્ન ભરવામાં આવ્યું હોય પરંતુ કલમ ૧૪૩ની પેટા કલમ (૨) હેઠળ કોઈ નોટિસ બજવવામાં આવી ન હોય અને કલમ ૧૪૩ની પેટા કલમ (૨) હેઠળ નોટિસ બજવવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય, અથવા (ગ) કોઈ આકારણી અથવા પુનઃઆકારણી કરવામાં આવી હોય તો, આ પ્રકારની અન્ય વ્યક્તિ પર અધિકારક્ષેત્ર ધરાવતા આકારણી અધિકારી દ્વારા જપ્ત કરવામાં આવેલ અથવા અધિગ્રહિત કરવામાં આવેલ અસ્ક્યામતો અથવા હિસાબી ચોપડા કે દસ્તાવેજો પ્રાપ્ત કરવાની તારીખ પહેલાં આ પ્રકારના આકારણી અધિકારી નોટિસ આપશે અને કલમ ૧૫૩-ક ની જોગવાઈ પ્રમાણે આ પ્રકારનાં આકારણી વર્ષની અન્ય વ્યક્તિની કુલ આવકની આકારણી અથવા પુનઃઆકારણી કરશે. ” વિત્ત અધિનિયમ, ૨૦૧૫ દ્વારા સુધારો કર્યા પછી અધિનિયમની કલમ ૧૫૩-સી નીચે મુજબ છેઃ- ૧૫૩-સી. કોઈ અન્ય વ્યક્તિની આવકની આકારણી.– (૧) કલમ ૧૩૯, કલમ ૧૪૭, કલમ ૧૪૮, કલમ ૧૪૯, કલમ ૧૫૧ અને કલમ ૧૫૩માં કંઇપણ મજકુર હોય, જ્યાં આકારણી અધિકારીને સંતોષ થાય કે, - (ક) જપ્ત કરવામાં આવેલા કે અધિગ્રહણ કરવામાં આવેલ કોઈપણ નાણાં, સોના-ચાંદી, દાગીના અથવા અન્ય કિંમતી વસ્તુ અથવા, (ખ) જપ્ત કરવામાં આવેલા કે અધિગ્રહણ કરવામાં આવેલા કોઈ હિસાબી ચોપડા કે દસ્તાવેજો કે તેમાં આપેલી કોઇ માહિતી, કલમ ૧૫૩-ક માં ઉલ્લેખિત વ્યક્તિ સિવાયની કોઇ અન્ય વ્યક્તિને સંબંધિત કે લગતી છે, તો હિસાબી ચોપડા કે દસ્તાવેજો અથવા જપ્ત કરવામાં આવેલ કે અધિગ્રહણ કરવામાં આવેલ અસ્કયામતો આ પ્રકારની અન્ય વ્યક્તિ પર અધિકારક્ષેત્ર ધરાવતા આકારણી અધિકારીને સુપરત કરવામાં આવશે અને તે આકારણી અધિકારી આવા દરેક અન્ય વ્યક્તિ સામે કાર્યવાહી કરશે તથા નોટિસ પાઠવશે અને કલમ ૧૫૩-ક ની જોગવાઈઓ અનુસાર તે અન્ય વ્યક્તિની આવકની આકારણી અથવા પુનઃઆકારણી કરશે, જો તે આકારણી અધિકારીને એવી સંતુષ્ટી હોય કે હિસાબી ચોપડા કે દસ્તાવેજો અથવા જપ્ત કરવામાં આવેલ કે અધિગ્રહણ કરવામાં આવેલ અસ્કયામતો, જે વર્ષમાં તલાશી લેવામાં આવી હોય કે અધિગ્રહણ કરવામાં આવ્યું હોય તેના આગળના વર્ષને સંબંધિત આકારણી વર્ષની તરત જ આગળના છ આકારણી વર્ષો અને કલમ ૧૫૩-ક ની પેટા કલમ (૧) માં ઉલ્લેખિત જે તે આકારણી વર્ષ કે વર્ષો માટે આવી અન્ય વ્યક્તિની કુ લ આવકના નિર્ધારણને અસર કરે છે. જો કે આવી અન્ય વ્યક્તિના કિસ્સામાં, કલમ ૧૩૨ હેઠળ તલાશી શરૂ કરવાની તારીખ, અથવા, કલમ ૧૫૩-ક ની પેટા કલમ (૧)ના બીજા પરંતુકમાં કલમ ૧૩૨-ક હેઠળ અધિગ્રહણ કરવાની તારીખને એ તારીખ ગણશે કે જે તારીખે, આવી અન્ય વ્યક્તિ પર અધિકારક્ષેત્ર ધરાવતા આકારણી અધિકારીને હિસાબી ચોપડા અથવા દસ્તાવેજો મળેલા હોય, અથવા જપ્ત કરેલ કે અધિગ્રહણ કરેલ અસ્કયામતો પ્રાપ્ત થયેલ હોય: જો કે વધુમાં, કેન્દ્ર સરકાર તેના દ્વારા બનાવવામાં આવેલા અને સરકારી રાજપત્રમાં પ્રકાશિત થયેલા નિયમો દ્વારા આવા અન્ય વ્યક્તિના સંબંધમાં કેસોના એવા વર્ગ અથવા વર્ગોને નિર્દિષ્ટ કરી શકે છે કે જેમાં અગાઉના વર્ષમાં તલાશ કરવામાં આવી હોય કે અધિગ્રહણ કરવામાં આવ્યું હોય તેને સંબંધિત આકારણી વર્ષની તરત જ આગળના છ આકારણી વર્ષો માટે અને કલમ ૧૫૩-ક ની પેટા કલમ (૧)માં દર્શાવેલ સંબંધિત આકારણી વર્ષ કે વર્ષો માટે કુલ આવકની આકારણી અથવા પુનઃઆકારણી કરવા માટે આકારણી અધિકારીએ નોટિસ પાઠવવાની જરૂર નથી, સિવાય કે તેવા કિસ્સાઓ કે જેમાં કોઈ આકારણી કે પુનઃઆકારણી અબેટ થઈ હોય. (૨) જેમાં કલમ ૧૩૨ હેઠળ તલાશ હાથ ધરવામાં આવી હોય અથવા કલમ ૧૩૨-ક હેઠળ અધિગ્રહણ કરવામાં આવ્યું હોય તે અગાઉના વર્ષને સંબંધિત આકારણી વર્ષ માટે આવકનું રિટર્ન ભરવાની નિયત તારીખ પછી પેટા-કલમ (૧)માં ઉલ્લેખવામાં આવેલ હિસાબી ચોપડા અથવા દસ્તાવેજો કે જપ્ત થયેલ અથવા અધિગ્રહિત થયેલ અસ્કયામતો આવા અન્ય વ્યક્તિ પર અધિકારક્ષેત્ર ધરાવતા આકારણી અધિકારીને મળી હોય અને આવા આકારણી વર્ષના સંબંધમાં - (ક) આવી અન્ય વ્યક્તિએ આવકનું રિટર્ન ભરેલ ન હોય અને તેને કલમ ૧૪૨ની પેટા કલમ (૧) હેઠળ કોઈ નોટિસ પાઠવવામાં આવી ન હોય, અથવા (ખ) આવી અન્ય વ્યક્તિ દ્વારા આવકનું રિટર્ન ભરવામાં આવ્યું હોય પરંતુ કલમ ૧૪૩ની પેટા કલમ (૨) હેઠળ કોઈ નોટિસ બજવવામાં આવી ન હોય અને કલમ ૧૪૩ની પેટા કલમ (૨) હેઠળ નોટિસ બજવવાની સમય મર્યાદા પુરી થઈ ગઈ હોય, અથવા (ગ) કોઈ આકારણી અથવા પુનઃઆકારણી કરવામાં આવી હોય તો, આ પ્રકારની અન્ય વ્યક્તિ પર અધિકારક્ષેત્ર ધરાવતા આકારણી અધિકારી દ્વારા જપ્ત કરવામાં આવેલ અથવા અધિગ્રહિત કરવામાં આવેલ અસ્ક્યામતો અથવા હિસાબી ચોપડા કે દસ્તાવેજો પ્રાપ્ત કરવાની તારીખ પહેલાં આ પ્રકારના આકારણી અધિકારી નોટિસ પાઠવશે અને કલમ ૧૫૩-ક ની જોગવાઈ પ્રમાણે આ પ્રકારના આકારણી વર્ષની અન્ય વ્યક્તિની કુલ આવકની આકારણી અથવા પુનઃઆકારણી કરશે. ૪.૧ વિદ્વાન એએસજી શ્રી નટરાજની રજુઆત છે કે પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, ૨૦૧૪ એસસીસી ઓનલાઇન ડેલ ૪૧૫૫ કેસમાં દિલ્હી ઉચ્ચ અદાલતના અવલોકનને ધ્યાનમાં રાખીને કલમ ૧૫૩-ગ માં સુધારો કરવાની જરૂર જણાઈ હતી, કે જેમાં ઉચ્ચ અદાલતે અવલોકન કર્યું છે કે "કોઇનું હોવું અથવા કોઇની માલિકીનું હોવુ" એવા શબ્દોને "ને સંબંધિત હોવું, અથવા સંદર્ભ હોય તેવુ" શબ્દો સાથે ગુંચવવા ન જોઈએ, જેમાં પહેલાના શબ્દો તે, પછીના શબ્દો કરતા ઘણાં મર્યાદિત છે. એવી રજૂઆત કરવામાં આવી છે કે આથી, સદર જોગવાઈ લાગું ન થઈ શકી, કે જ્યાં સુધી, દસ્તાવેજો/સામગ્રી, તે ત્રીજા પક્ષ (તપાસવામાં આવેલી વ્યક્તિ સિવાયના)'ના(એટલે કે માલિકીના) ના હોય. આવી સ્થિતિમાં જ્યારે કલમ ૧૩૨ અંતર્ગત તપાસ દરમિયાન ત્રીજા પક્ષને લગતી ગુનારોપણ કરતી સામગ્રી મળી આવી હોવા છતાપણ દિલ્હી ઉચ્ચ અદાલતના અવલોકનોને ધ્યાનમાં રાખીને મહેસૂલ વિભાગ આવા ત્રીજા પક્ષની સામે કાર્યવાહી કરી શકતુ નહોતું. તેથી, આમ જોઇએ તો, દિલ્હી ઉચ્ચ અદાલતના સદર અવલોકનો, તે જ ઉપદ્રવનું દમન કરવાના માર્ગમાં અવરોધ પેદા કરી રહ્યા હતા કે જેનું દમન કરવાનો કાયદાના ઘડવૈયાઓનો ઇરાદો હતો. આથી, જ્યાં સુધી હિસાબી ચોપડા અને દસ્તાવેજોનો સંબંધ છે ત્યાં સુધી વિત્ત અધિનિયમ, ૨૦૧૫ થી ૦૧.૦૬.૨૦૧૫ની અસરથી કલમ ૧૫૩-ગ માં અવેજીકરણ દ્વારા સુધારો કરીને ‘કોઇનું હોવું અથવા કોઇની માલિકીનું હોવુ’ એવા શબ્દોના સ્થાને ‘સંબંધિત હોવું, અથવા સંદર્ભે આવતુ હોય તેવુ’ શબ્દો મુકવામાં આવ્યા છે. ૪.૨ વધુમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે ‘કોઇનું હોવું અથવા કોઇની માલિકીનું હોવુ’ અને “લગતું અથવા ને લગતું” શબ્દો અથવા વાક્યાંશ વચ્ચે તફાવત છે. એવી રજૂઆત કરવામાં આવી છે કે, “લગતું અથવા ને લગતું” શબ્દોનો આશય ‘કોઇનું હોવું અથવા કોઇની માલિકીનું હોવુ’ શબ્દોની સરખામણીએ વધારે વ્યાપક છે. તેથી આ કાયદાએ કલમ ૧૫૩-ગ ના કાર્યક્ષેત્રમાં વધારો કર્યો છે જેમાં એવી સ્થિતિનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમાં અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૩૨ અંતર્ગત તપાસની કાર્યવાહી દરમિયાન જો કોઈ ત્રીજા પક્ષને લગતા ગુનારોપણ કરતા દસ્તાવેજો/સામગ્રી મળી આવે તો મહેસૂલ વિભાગ આ પ્રકારનાં ત્રીજા પક્ષની સામે કાર્યવાહી કરી શકે છે. ૪.૩ ત્યારબાદ, મહેસૂલ વિભાગ તરફથી હાજર રહેલા વિદ્વાન એએસજી શ્રી નટરાજે રજૂઆત કરી હતી કે વિત્ત અધિનિયમ, ૨૦૧૫ દ્વારા કલમ ૧૫૩-ગ માં થયેલ સુધારાનું અર્થઘટન કરતી વખતે નીચેના સિદ્ધાંતો/કસોટીઓને ધ્યાનમાં રાખવાની જરૂર છેઃ- (૧) પ્રતિસ્થાપન દ્વારા કરેલ સુધારાની અસર (૨) કાયદાકીય હેતુ (૩) અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૧૫૩ સી એક મશીનરી જોગવાઈ છે. (૪ ) અર્થઘટન, કે જે કાયદાને અથવા તેના ભાગને મૃત અક્ષર બનાવે, તેને ટાળવું. (૫) કાયદો બનાવવાની સત્તામાં પશ્વાદવર્તી અસરથી કાયદો બનાવવાની શક્તિનો સમાવેશ થાય છે. ૪.૪ ઉપરોક્ત વિગતો ની વિસ્તૃત ચર્ચા કરીને, એવી રજુઆત કરવામાં આવે છે કે જ્યાં સુધી કલમ ૧૫૩સીમાં સુધારાની અસરનો સંબંધ છે, ત્યાં સુધી વિત અધિનિયમ, ૨૦૧૫ દ્વારા કલમ ૧૫૩ સીમાં “પ્રતિસ્થાપન” દ્વારા સુધારો કરવામાં આવ્યો છે, જેમાં “કોઇનું હોવુ અથવા કોઇની માલિકીનું હોવું” એવા શબ્દોને “લગતું અથવા ને લગતું” દ્વારા બદલવામાં આવ્યા છે. અર્થઘટનનો પ્રસ્થાપિત સિદ્ધાંત એવો છે કે પ્રતિસ્થાપન દ્વારા કરવામાં આવેલ કોઈપણ સુધારો મૂળ અધિનિયમની તારીખથી થયેલ ગણાય. શામરાવ વી. પરુલેકર વિ. જિલ્લા મેજિસ્ટ્રેટ, (૧૯૫૨) ૨ એસ. સી. સી. ૧: ૧૯૫૨ એસ.સી. આર. ૬૮૩, ના કેસમાં આ કોર્ટના નિર્ણય પર આધાર રાખવામાં આવ્યો. આ નિર્ણયમાં એવું અવલોકન કરવામાં આવ્યું છે અને ઠરાવવામાં આવ્યું છે કે પ્રતિસ્થાપન દ્વારા કરવામાં આવેલા સુધારાથી કાયદાના પુસ્તકમાંથી અગાઉની જોગવાઈને દૂર કરવાની અને સુધારેલી જોગવાઈથી તેને બદલવાની અસર થાય છે, જાણે કે અસંશોધિત જોગવાઈ ક્યારેય અસ્તિત્વમાં જ ન હતી.તેથી, કાયદો, જે આ કિસ્સામાં અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૧૫૩ સી છે, તેને એવી રીતે વાંચવું પડશે જાણે કે સુધારેલી જોગવાઈ જ શરૂઆતથી અસ્તિત્વ ધરાવતી હતી. શ્રી નટરાજે, વિદ્વાન એએસજી, એ ઝિલે સિંહ વિરુદ્ધ હરિયાણા રાજ્ય, (૨૦૦૪) ૮ એસસીસી ૧ (ફકરો ૨૪ અને ૨૫ ) ના કેસમાં આ કોર્ટના નિર્ણય પર પણ આધાર રાખ્યો છે. ૪.૫ એવી દલીલ કરવામાં આવી છે કે વિત અધિનિયમ, ૨૦૧૫ દ્વારા કલમ ૧૫૩- સીમાં સુધારાનો અર્થઘટન કરતી વખતે આ સુધારા પાછળના કાયદાકીય હેતુને ધ્યાનમાં લેવાની જરૂર છે. કાયદાનો અર્થઘટન કરતી વખતે, અદાલતે કાયદો પસાર કરવાનો ઇરાદો અને કાયદાથી જે ઉપદ્રવ ડામવાનો થયો હોય, તેને ધ્યાનમાં રાખવો જોઈએ.અર્થઘટન, જે વિધાનમંડળનો ઇરાદો શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરે છે, તેને પ્રાથમિકતા આપવી જોઈએ.વર્તમાન કેસમાં ધારામંડળનો ઈરાદો કલમ ૧૩૨ હેઠળ તપાસ કાર્યવાહી દરમિયાન અન્ય વ્યક્તિના પરિસરમાં જે લોકો સામે વાંધાજનક સામગ્રી મળી આવે છે તેમને કલમ ૧૫૩ સીના દાયરામાં લાવવાનો હતો. જોકે, "કોઇનું હોવુ અથવા કોઇની માલિકીનું હોવું" એ શબ્દોને આપવામાં આવેલ સંકુચિત અવકાશ આ હેતુને મારી નાખે છે અને તેથી, સુધારો લાવવો જરૂરી બન્યો હતો. એવી રજુઆત કરવામાં આવે છે કે સદર કાયદાકીય હેતુ અને ઉપદ્રવ, કે જે ડામવો રહ્યો તે બંને ને ધ્યાનમાં રાખીને, કોઇપણ એવું અર્થઘટન, સિવાય કે, સુધારેલી કલમ ૧૫૩સી તમામ પેન્ડિંગ અને ભવિષ્યની કાર્યવાહીઓને લાગુ પડશે, ભલે અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૧૩૨ હેઠળની તલાશી સુધારા અગાઉની હોય કે પછીની, તો તે કાયદાનાં ઉદ્દેશને આગળ વધારવામાં નિષ્ફળ જશે. ઉપરોકત રજૂઆતના સમર્થનમાં, શ્રી નટરાજ,એએસજી, એ ઝિલે સિંહ (સુપ્રા) (પરિચ્છેદ ૧૪,૧૫, ૧૮ અને ૨૦) અને ગિરધારી લાલ અને સન્સ વિરુદ્ધ બલબીર નાથ માથુર, (૧૯૮૬) ૨ એસ.સી.સી. ૨૩૭ ના કેસમાં આ કોર્ટના નિર્ણયો પર આધાર રાખ્યો છે. ૪.૬ ઉપરોક્ત બે નિર્ણયો પર આધાર રાખીને, એવી દલીલ કરવામાં આવી છે કે, ઉપદ્રવ અને ખામી દૂર કરવા માટે, જે સુધારાની જરૂર હતી, તે સુધારાનો હેતુ અને ઉદ્દેશય ધ્યાનમાં લેવાની જરૂર છે. જે પ્રમાણે અવલોકન કરી ઠરાવવામાં આવ્યું, કે એકવાર જ્યારે સંસદનો ઇરાદો સ્પષ્ટ કરી લીધો હોય, અને કાયદાનો હેતુ અને ઉદ્દેશય જાણી લેવામાં આવે, પછી, કાયદાનું અર્થપૂર્ણ અથવા કાર્યાત્મક અર્થઘટન કરવું એ અદાલતની ફરજ બને છે. ૪.૭ શ્રી નટરાજ, એએસજી, દ્વારા વધુમાં દલીલ કરવામાં આવી છે કે, અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૫૩ સી એક મશીનરી જોગવાઈ છે. તેમણે એવી રજૂઆત કરી છે કે ઉચ્ચ અદાલતે પણ આક્ષેપિત ચુકાદા અને આદેશમાં એવું નોંધ્યું છે કે, કલમ ૧૫૩ સી એક મશીનરી જોગવાઈ છે. કરવેરા કાયદાની મશીનરી જોગવાઈનું અર્થઘટન કરતી વખતે, અદાલતની ફરજ એ છે કે તે તેના દેખીતા હેતુને અમલમાં મૂકે. કાયદાના હેતુને નિષ્ફળ બનાવતું અર્થઘટન ટાળવું જોઈએ. ઉચ્ચ અદાલતે એવું અવલોકન કર્યું હતું કે, અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૧૫૩ સી એક મશીનરી જોગવાઈ છે, છતાંપણ ઉચ્ચ ન્યાયાલય તેની પાછળના ઉદ્દેશ્યને અમલમાં મૂકવામાં નિષ્ફળ રહ્યું છે. કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ-૩ વિ. કલકત્તા નિટવેર્સ, લુધિયાણા (૨૦૧૪) ૬ એસ. સી. સી. ૪૪૪ (પેરા ૩૨ અને ૩૪ ) ના કેસમાં આ કોર્ટના નિર્ણય પર આધાર રાખેલ છે. ૪.૮ શ્રી નટરાજ, વિદ્વાન એ. એસ. જી., એ. ની વધુમાં રજૂઆત છે કે, કાયદાની સ્થાપિત સ્થિતિ અનુસાર, કાયદાને સમગ્રપણે રીતે વાંચવો જોઈએ અને કોઈ પણ અર્થઘટન, કે જે કાયદાને અથવા તેના ભાગને મૃત અક્ષર બનાવે, તેને ટાળવુ જોઈએ. અપનાવવામાં આવેલ અર્થઘટન રચના કાયદાની અન્ય જોગવાઈઓને અનુરૂપ રહેશે. સ્થાપિત કાયદા અનુસાર, અદાલતોનો વિરોધાભાસી કાયદાઓમાં સુસંગતતા લાવવાનો પ્રયાસ હોવો જોઈએ. એક જોગવાઈનો ઉપયોગ બીજી જોગવાઇના અને હેતુને નિષ્ફળ બનાવવા માટે ન કરવો જોઇએ. એવી રજૂઆત કરવામાં આવે છે કે, આ પૃષ્ઠભૂમિમાં, કલમ ૧૫૩સી નું અવલોકન દર્શાવે કે જો સામાવાળાઓની દલીલ, કે સુધારેલી કલમ ૧૫૩સી સુધારા અગાઉ હાથ ધરવામાં આવેલી તલાશીઓ પર લાગુ નહીં પડે, સ્વીકારવામાં આવે તો, કલમ ૧૫૩ના આ શબ્દો કે "જો તે આકારણી અધિકારીને એવી સંતુષ્ટી હોય કે જપ્ત કરવામાં આવેલા અથવા માંગવામાં આવેલા હિસાબી ચોપડા અથવા દસ્તાવેજો અથવા અસ્કયામતોની જે વર્ષમાં તલાશી લેવામાં આવી હોય કે અધિગ્રહણ કરવામાં આવ્યુ હોય તેના અગાઉના વર્ષને સંબંધિત આકારણી વર્ષની તરત જ આગળના, છ આકારણી વર્ષો અને કલમ ૧૫૩ એ ની પેટા કલમ (૧) માં ઉલ્લેખિત જે તે આકારણી વર્ષ કે વર્ષો માટે આવી અન્ય વ્યક્તિની કુલ આવક ના નિર્ધારણને અસર કરે છે"ની પાછળનો હેતુ માર્યો જશે. હંમેશા એવું માનવામાં આવે છે કે વિધાનસભા એક હાથથી તે જે આપે છે તે બીજા હાથથી પરત લેશે નહીં જ. ઉપરોક્ત દલીલોના સમર્થનમાં, કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ વિ. હિન્દુસ્તાન બલ્ક કેરિયર્સ, (૨૦૦૩) ૩ એસસીસી ૫૭ (ફકરો ૧૭ થી ૨૧) ના કેસમાં આ કોર્ટના નિર્ણય પર આધાર રાખેલ છે. ૪.૯ એવી રજૂઆત કરવામાં આવી છે કે અન્યથા પણ, કાયદો બનાવવાની શક્તિમાં પશ્વાદવર્તી અસરથી કાયદો બનાવવાની શક્તિનો સમાવેશ થાય છે. એ બાબત સારી રીતે સ્થાપિત છે કે પાછલી અસરથી કાયદો ઘડવા માટે વિધાનમંડળ સક્ષમ છે. અધિનિયમની પશ્વાદવર્તી અસરને પૂર્વનિર્ધારિત રીતે અનુમાનિત ગણી શકાતી નથી, છતાપણ તે અધિનિયમમાં સ્પષ્ટ જોગવાઇ દ્વારા, અથવા, જરૂરી સૂચિતાર્થ દ્વારા લાગુ કરી શકાય છે. તેથી, જો વિધાનમંડળ સક્ષમ હોય અને કાનૂનનો કાર્યક્ષેત્ર વિસ્તારવાનો વિધાનમંડળનો ઈરાદો જોઇ શકાતો હોય, ભલે તે સ્પષ્ટ જોગવાઇ દ્વારા હોય, અથવા જરૂરી સૂચિતાર્થ દ્વારા હોય, તો તેને અમલમાં મુકી શકાશે. ઉપરોક્ત રજૂઆતના સમર્થનમાં, આંધ્રપ્રદેશ સરકાર વિરુદ્ધ હિન્દુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ, (૧૯૭૫) ૨ એસસીસી ૨૭૪ (પેરા ૧૦) અને લિલી થોમસ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા (૨૦૧૩) ૭ એસસીસી ૬૫૩ (પેરા ૨૧) ના કેસમાં આ કોર્ટના નિર્ણય પર આધાર રાખેલ છે. ૪.૧૦ શ્રી નટરાજ, વિદ્વાન એએસજી, દ્વારા વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે ઉચ્ચ અદાલતે એવું ઠરાવવામાં ભૂલ કરી છે કે સામાવાળાઓને “નિહિત અધિકાર” છે અને અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૫૩ સીમાં સુધારો સામાવાળાઓના આવા નિહિત આવશ્યક અધિકારને અસર કરે છે. આવા કોઈ આવશ્યક અધિકારો સામાવાળાઓમાં નિહિત નથી. એકવાર કલમ ૧૫૩ સીમાં જણાવેલી શરતો સંતુષ્ટ થઈ જાય પછી, કોઈ પણ કાયદાકીય જવાબદારી આપમેળે લાગુ થતી નથી. એવી રજૂઆત કરવામાં આવી છે કે, ઓથોરિટીએ કારણ બતાવો નોટિસ ઇશ્યૂ કરી હતી અને ત્યારબાદ કાયદા અનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આથી, ઉચ્ચ અદાલતે કારણ બતાવો નોટિસના પ્રારંભિક તબક્કે સામાવાળાઓના આવશ્યક અધિકારોને અસર થાય છે તેવું જણાવીને કાર્યવાહીને રદ કરવામાં ભૂલ કરી છે. ૪.૧૧ ઉપરોક્ત રજૂઆતો કરીને, એવી રજૂઆત કરવામાં આવે છે કે વિત અધિનિયમ, ૨૦૧૫ દ્વારા ૦૧.૦૬.૨૦૧૫થી સુધારેલી કલમ ૧૫૩સી, મશીનરી જોગવાઈ હોવા છતાં, કલમ ૧૫૩ સીમાં સુધારો કર્યા પછી શરૂ કરવામાં આવેલી તલાશ કાર્યવાહીને જ લાગુ પડશે તેવું ઠરાવવામાં ઉચ્ચ અદાલતે ગંભીર ભૂલ કરી છે. ૪.૧૨ ઉપરોક્ત રજૂઆતો કરીને, એવી દાદ માંગવામાં આવી છે કે હાલની અપીલોને મંજૂર કરવામાં આવે અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા અપાયેલ આક્ષેપિત સામાન્ય ચુકાદો અને આદેશ રદ કરવામાં આવે. ૫. હાલની અપીલોનો વિરોધ કરતા, સંબંધિત કરદાતાઓ વતી હાજર રહેલા વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલની અપીલોના જૂથમાં વિવાદ સર્ચ કેસોમાં પ્રવર્તમાન કાયદાની લાગુ પડતી બાબતના સંદર્ભમાં છે, એટલે કે, અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૫૩સી, ૦૧.૦૬.૨૦૧૫ થી સુધારેલી, તે સદર તારીખ પહેલા તલાશ શરૂ કરવામાં આવી હોય તેવા કેસોને લાગુ પડશે કે નહીં. ૫.૧ રજૂઆત કરવામાં આવી કે આ મુદ્દો ઊભો થયો, કારણ કે ૦૧.૦૬.૨૦૧૫ થી, એટલે કે, તપાસની તારીખ પછી પરંતુ કલમ ૧૫૩સીની નોટિસ ઇશ્યૂ થાય તે પહેલાં, વિત્ત અધિનિયમ ૨૦૧૫ માં સુધારો કરવામાં આવ્યો કે જેથી, શોધ દ્વારા આવરી લેવામાં આવેલા તૃતીય પક્ષોના વ્યાપને વિસ્તરી શકાય અને કરદાતાઓના એક નવા વર્ગનો સમાવેશ કરી શકાય. એવી રજૂઆત કરવામાં આવી છે કે આ સુધારાના આધારે, અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૫૩ સી હેઠળ એવા કરદાતાઓને નોટિસ આપવામાં આવી હતી, જેઓ આ જોગવાઈના દાયરામાં સામેલ ન હતા, કારણ, આ સુધારેલી જોગવાઈ તલાશીની તારીખે અસ્તિત્વમાં હતી. ૫.૨ સંબંધિત કરદાતાઓ તરફથી વધુમાં રજૂઆત કરવામાં આવે છે કે, વિભાગનો એવો કેસ છે કે, અધિનિયમ, ૧૯૬૧, ની કલમ ૧૫૩ સી, તે પ્રક્રિયાગત અને મશીનરી જોગવાઈ છે. સુધારો ૦૧.૦૬.૨૦૧૫ થી અમલમાં હોય પરંતુ તેની પશ્વાદવર્તી અસર છે અને તેથી, તે એવા કેસોમાં લાગુ પડે છે કે જ્યાં તલાશ સુધારા પહેલા કરવામાં આવી હોય, પરંતુ અધિનિયમ, ૧૯૬૧, ની કલમ ૧૫૩ સી હેઠળ નોટિસો સુધારા પછી પાઠવવામાં આવી હોય. વિભાગ તરફથી એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, આ સુધારો નિહિત અધિકારો છીનવતો નથી અને તેથી તેને પશ્વાદવર્તી અસરથી લાગુ કરી શકાય. વિભાગ તરફથી વધુમાં દલીલ કરવામાં આવી છે કે, તલાશી કરવાની તારીખ અધિનિયમ, ૧૯૬૧, ની કલમ ૧૫૩ સી સાથે સંબંધિત નથી અને સુધારેલી જોગવાઈ લાગુ પડશે કારણ કે સંતોષ નોંધ અને અધિકારક્ષેત્રની ધારણા બંને ૦૧.૦૬.૨૦૧૫ પછીના હતા. વિભાગની ઉપરોક્ત દલીલોના સંબંધમા સંબંધિત કરદાતાઓ તરફથી રજૂઆત કરવામાં આવે છે કે, આવશ્યક અધિકારોને અસર કરતી મશીનરી જોગવાઈને પશ્વાદવર્તી અસરવાળી ગણી શકાય નહીં. અધિનિયમ, ૧૯૬૧, ની કલમ ૧૫૩ સી એક મશીનરી જોગવાઈ હોવા છતાં આ સુધારાને પશ્વાદવર્તી ન કહી શકાય. ૫.૩ ત્યાર પછી એવી રજૂઆત કરવામાં આવી છે કે, હાઇકોર્ટ દ્વારા યોગ્ય અવલોકન કરવામાં આવ્યું છે તેમ, આ જોગવાઈઓ મશીનરી જોગવાઈઓ છે તેમ છતાં, આ સુધારાથી એવા લોકોને કલમમાં આવરી લેવામાં આવ્યા છે, જેમને અન્યથા આવરી લેવામાં આવ્યા નહોતા અને તેથી આવશ્યક અધિકારોને અસર થાય છે અને તેથી તેને પશ્ચાદ્દવર્તી અસરથી લાગુ ન કરી શકાય. પોતાની રજુઆતના સમર્થનમાં એટલે કે કે વિત્ત અધિનિયમ, ૨૦૧૫ દ્વારા કલમ ૧૫૩(સી) માં કરેલ સુધારો પશ્ચાદ્દવર્તી અશરથી લાગુ નહીં પડે અને ૦૧.૦૬.૨૦૧૫ અગાઉ કરવામાં આવેલી તલાશીના સંદર્ભમાં, આ કોર્ટ દ્વારા કન્ટ્રોલર ઓફ એસ્ટેટ ડ્યુટી વિ. એમ. એ. મર્ચન્ટ, ૧૯૮૯ સપ્લીમેન્ટ (૧) એસ. સી. સી. ૪૯ ના કેસમાં આપેલ નિર્ણયનો આધાર લેવામાં આવ્યો છે. એવી રજૂઆત કરવામાં આવી છે કે, તે નિર્ણયમાં, આ અદાલતે એસ્ટેટ ડ્યુટી એક્ટની નવી કલમ અમલમાં આવે તે તારીખ અગાઉ પૂર્ણ થયેલ આકારણી ફરી ખોલવાની મંજૂરી આપીને નિહિત અધિકારોમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. ૫.૪ એવી દલીલ કરવામાં આવી છે કે, વર્તમાન કેસમાં વિત્ત અધિનિયમ, ૨૦૧૫ દ્વારા કલમ ૧૫૩(સી)માં કરેલ સુધારો, એવા કરદાતાઓને ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩(સી)ના દાયરામાં લાવે છે, જેમને હજી સુધી આવરી લેવામાં આવ્યા નહોતા, એટલે કે એવા લોકો કે જેમના લગતા અથવા જેમને સંબંધિત નામાના હિસાબો/દસ્તાવેજો હોય અને ન કે માત્ર એવા વ્યક્તિઓ કે જેમનાં અથવા જેમની માલિકીના સદર હિસાબો કે દસ્તાવેજો હોય. આ વિસ્તરણ, તેથી, આવશ્યક અધિકારોને અસર કરે છે, કારણ કે હવે, નવા કરદાતાઓ સામે કાર્યવાહી થઈ શકે છે અને તેથી આ કોર્ટનો એમ. એ. મર્ચન્ટ (સુપ્રા) ના કેસનો નિર્ણય હાઇકોર્ટે દ્વારા યોગ્ય રીતે લાગુ કર્યો છે. ૫.૫ વધુમાં એવી દલીલ કરવામાં આવી છે કે એ બાબત સારી રીતે સ્થાપિત થયેલ છે કે કાર્યવાહી વિષયક કાયદાઓ પણ આવશ્યક અધિકારો પ્રદાન કરે છે અને આવા અધિકારોને અસર કરતા સુધારાઓને અમલમાં આવ્યાની તારીખથી લાગુ થતા હોય તેવા ગણવામાં આવ્યા છે. તમિલનાડુ રાજ્ય વિરુદ્ધ સ્ટાર ટોબેકો કંપની, (૧૯૭૩) ૩ એસસીસી ૨૪૯ કેસમાં આ અદાલત દ્વારા કરેલ અવલોકન અને ઠરાવ્યા મુજબ ફરીથી (તપાસ માટે) ધ્યાને લેવુ, એ સત્તાનો પ્રશ્ન છે, કાર્યવાહીનો નહીં. ૫.૬ એ પછીની દલીલ એવી કે ૧૯૬૧ ના કાયદા ની કલમ ૧૫૩(સી) માં સુધારાને કારણે માત્ર હાલનાં કરદાતાઓની પ્રક્રિયામાં જ ફેરફાર થયો નથી પરંતુ કરદાતાઓનો નવો વર્ગ પણ ઉમેરાયો છે અને એટલે તેને પશ્ચાદવર્તી અસર આપી શકાય નહી. ઉચ્ચ અદાલતે ખાસ નોંધ લીધી છે અને ઠરાવ્યુ છે કે, ૧૯૬૧ ના કાયદાની કલમ ૧૫૩(સી)માં સુધારો એ માત્ર એ પહેલાથી જ આવરી લેવામાં આવેલ કરદાતાઓને અસરકર્તા પ્રક્રિયાલક્ષી જોગવાઈમાં પરિવર્તન નથી. નવા વર્ગના કરદાતાઓને ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩(સી) હેઠળ લાવવામાં આવ્યા છે, તે કરદાતાઓના આવશ્યક અધિકારોને અસર કરે છે. તલાશીની તારીખ પછી, જે કરદાતાઓને તલાશીની તારીખે ૧૯૬૧ ના કાયદાની કલમ ૧૫૩(સી)ની પરીક્ષેત્રમાં સામેલ કરવામાં આવ્યા ન હતા, તેમને હવે તેની અંદર લાવવામાં આવ્યાં છે. ૫.૭ એવી રજૂઆત કરવામાં આવી છે કે, ૦૧.૦૬.૨૦૧૫ અગાઉ, આકારણી અધિકારી ફ્ક્ત એટલી જ સંતુષ્ટી કરી શકતા હતા કે જપ્ત કરવામાં આવેલી સામગ્રી અન્ય વ્યક્તિની છે કે નહીં. વર્તમાન કેસમાં, ઝડતી કરવામાં આવેલી વ્યક્તિઓ પાસેથી જે હાર્ડ ડિસ્ક મળી આવી હતી તે ઝડતીની તારીખે સામાવાળાઓની ન હોવાથી, કાયદાની કલમ ૧૫૩(સી) હેઠળનું અધિકારક્ષેત્ર નહોતું બનતું. એવી રજૂઆત કરવામાં આવી છે કે, ઉચ્ચ અદાલતે યોગ્ય જ અવલોકન કર્યું કે, જો વર્ષ ૨૦૧૩ માં તલાશીના દિવસે, ઝડતી કરાયેલી વ્યક્તિના આકારણી અધિકારી દ્વારા, આ સામગ્રી સામાવાળાઓ-કરદાતાઓની હોવાનું જણાવીને મોકલવામાં આવી હોત તો, ૧૯૬૧ના કાયદાની કલમ ૧૫૩(સી) હેઠળ નોટિસ જારી કરવા ના વિરોધ કરવા અંગેની કાર્યવાહી સફળ રહી હોત, કારણ કે હકીકતમાં તે સામગ્રી સામાવાળાની નથી. વધુમાં, એકવાર સંતુષ્ટિ થયા બાદ અને સામગ્રીને મોકલ્યા પછી, ઝડતી કરાયેલ વ્યક્તિના આકારણી અધિકારીએ ફરી એકવાર, સુધારેલી જોગવાઈના આધારે, સંતુષ્ટિ મેળવવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થીત થતો નથી. આમ, ૧૯૬૧ના કાયદાની જે તે વખતની કલમ ૧૫૩(સી)માં સામાવાળા સામે કોઈ કાર્યવાહી કરવાનો કોઇ અવકાશ નહોતો, કારણ કે દેખીતી રીતે હાર્ડ ડિસ્ક ઝડતી કરવામાં આવેલી વ્યક્તિની હતી, એટલે આકારણી અધિકારી ૧૯૬૧ના કાયદોની કલમ ૧૫૩(સી) બિલકુ લ જ લાગુ ન કરી શક્યા હોત. ૫.૮ વધુમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, ૧૯૬૧ના કાયદાની સુધારેલી કલમ ૧૫૩(સી), કાર્યવાહીવિષયક અને આવશ્યક એમ બંને અધિકારો સાથે સંબંધિત છે, એટલે અર્થઘટનનો નિયમ કે જેના અન્વયે નિયમ અમલમાં આવ્યાની તારીખથી લાગુ થતો હોઇ તે લાગુ પડશે. આ કોર્ટ દ્વારા ઝીલે સિંઘ (સુપ્રા) ના કેસમાં અવલોકન કર્યા અને ઠરાવ્યા મુજબ, અર્થઘટનનો મુખ્ય સિદ્ધાંત છે કે દરેક કાનૂન પ્રાથમિક રીતે એ પ્રકારનો છે કે જેના મુજબ નિયમ અમલમાં આવે તે તારીખથી લાગુ થાય, તે મુજબ ના છે, સિવાય કે, તેમાં સ્પષ્ટપણે જણાવ્યા મુજન અથવા, જરુરી સુચિતાર્થથી, તે પશ્ચાદવર્તી કામગીરી માંટે બનાવવામાં આવે. સામાન્ય રીતે નિયમનું આવુ અર્થઘટન ત્યાં લાગુ પડે છે જ્યાં કાયદાનો ઉદ્દેશ નિહિત અધિકારોને અસર કરવાનો હોય અથવા, નવા બોજા લાદવા અર્થે અથવા, વર્તમાન જવાબદારીઓને ઘટાડવાનો હોય. એવી રજૂઆત કરેલ છે કે જ્યાં સુધી કાયદામાં એવા શબ્દો ન હોય, જે વર્તમાન અધિકારોને અસર કરવાનો વિધાનમંડળનો ઇરાદો દર્શાવતા હોય, તો કાયદાને માટે એવી જ ધારણા બને છે કે તે અમલમાં આવ્યાની તારીખથી લાગુ થશે. તપાસની તારીખ જ એ પ્રસ્તુત તારીખ છે, જેને સુધારાને લાગુ કરવા માટે ધ્યાનમાં લેવી પડશે. આ અર્થઘટનને સી.બી.ડી.ટી. દ્વારા ૧૫.૦૨.૨૦૧૮ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર નંબર ૨/૨૦૧૮ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જેમાં કલમ ૧૫૩(એ)માં ૦૧.૦૪.૨૦૧૭ થી સુધારો કરવામાં આવ્યો છે. પરિપત્રના ફકરા ૮૦.૫ માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, કલમ ૧૫૩(એ)ની સુધારેલી જોગવાઈઓ તયારે લાગુ પડશે કે જ્યારે તા. ૦૧.૦૪.૨૦૧૭, ના રોજ કે તે પછી, ૧૯૬૧ના કાયદાની કલમ ૧૩૨ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હોય કે કલમ ૧૩૨(એ) હેઠળ અધિકૃ ત કરવામાં આવી હોય. એવી રજૂઆત કરવામાં આવી છે કે, જ્યારે વિત્ત અધિનિયમ, ૨૦૦૩ દ્વારા કલમ ૧૫૩(એ) દ્વારા રજૂ કરવામાં આવી હતી, ત્યારે વિધાનમંડળે તલાશીની તારીખ અંગે વિચાર કર્યો હતો અને નિર્દિષ્ટ કર્યું હતું કે, આ જોગવાઈ ૩૧.૦૫.૨૦૦૩ પછી હાથ ધરવામાં આવેલી તલાશીની કામગીરીઓને લાગુ પડે છે. એટલે કલમ ૧૫૩(એ) અને ૧૫૩(સી) ને સાથે વાંચવી જોઈએ અને પ્રસ્તુત તારીખ જે વિત્ત અધિનિયમ, ૨૦૦૩ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોય તે તલાશીની તારીખ હોવી જોઈએ. ૫.૯ કરદાતાઓ તરફથી રજુઆત કરવામાં આવી છે કે છે કે સંતુષ્ટી થયા અંગેની નોંધ પણ તાત્કાલિક કરવામાં આવી નથી. ઝડતી કરાયેલ વ્યક્તિએ ૩૦.૦૧.૨૦૧૫ ના રોજ સેટલમેન્ટ કમિશન સમક્ષ અરજી કરી હતી અને હાલના પિટિશનરો પાસેથી હાર્ડ ડિસ્કના આધારે નાણાં મળ્યાની સ્વીકૃ તિ આવી હતી. સેટલમેન્ટ અરજીની નકલ આકારણી અધિકારીને આપવી જરૂરી છે. તદઅનુસાર, ઝડતી કરાયેલી વ્યક્તિના આકારણી અધિકારીની પાસે, જો કદાચ અગાઉ ન હોય તો પણ, ૩૦.૦૧.૨૦૧૫ના રોજ તો અરજદારો દ્વારા કથિત નાણાં ચુકવણી સંબંધિત માહિતી હશે જ; જ્યારે દસ્તાવેજો ૨૫.૦૪.૨૦૧૭ના રોજ મોકલવામાં આવ્યા હતા. એટલે કે હકીકતોની જાણકારી મળ્યા પછી ૨ વર્ષ અને ૩ મહિના પછી દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા અને તેના આધારે કલમ ૧૫૩(સી)ની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એવી રજૂઆત કરવામાં આવી છે કે, કલકત્તા નિટવેર્સ, લુધિયાણા (સુપ્રા) ના કેસમાં આ અદાલતના નિર્ણયને ધ્યાનમાં રાખીને આવું કૃત્ય સ્વીકાર્ય નથી. ૫.૧૦ વર્ષ ૨૦૨૨ની સિવિલ અપીલ નંબર ૧૦૧૯, ૯૯૭, ૧૦૧૬, ૧૦૨૧ અને ૧૦૨૩માં કરદાતાઓ વતી હાજર થયેલા વિધ્વાન વકીલે ઉપરોક્ત રજુઆતોની ઉપરાંતમાં રજુઆત કરી કે ઉચ્ચ ન્યાયાલય સમક્ષ સામાવાળાઓ– મૂળ રિટ અરજદારોએ કલમ ૧૫૩(સી) હેઠળ ઇશ્યૂ કરવામાં આવેલી નોટિસને ખોટી અને ગેરકાયદેસર ગણાવવા કેટલાય મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આમ છતાં, ઉચ્ચ અદાલતે સ્પેશીયલ સિવીલ અરજ નં. ૧૨૮૨૫/૨૦૧૮ અને અન્ય કેસોના ચુકાદાઓને ધ્યાને લઇ અને માત્ર એક જ પ્રશ્નનો નિર્ણય કરીને અરજદારોની રિટ અરજીઓને મંજૂર કરી છે અને બાકીના મુદ્દાઓ અનિર્ણીત રાખ્યા છે. આથી, એવી રજુઆત કરવામાં આવી છે કે, જો આ આદરણીય અદાલતે મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલી અપીલોને મંજૂર કરવી હોય, તો નોટિસ અને અન્ય મુદ્દાઓ કે જે અગાઉ અનિર્ણિત રહેલ, તેની કાયદેસરતા નક્કી કરવા માટે આ બાબતોને ઉચ્ચ અદાલતમાં પાછી મોકલી દેવા જોઈએ. ૫.૧૧ ઉપરોક્ત રજૂઆતો કરીને સંબંધિત મૂળ રિટ અરજદારો - કરદાતાઆ વતી હાજર રહેલા વિધ્વાન વકીલ દ્વારા એવી દાદ માંગવામાં આવી છે કે વર્તમાન અપીલ રદ કરવામાં આવે. ૬. અમે સંબંધિત પક્ષકારો તરફથી હાજર રહેલા વિધ્વાન વકીલોને લંબાણ પૂર્વક સાંભળ્યા છે. ૭. આ અદાલતની વિચારણા માટે નિચેનો કાયદાનો પ્રશ્ન ઊભો થાય છેઃ- "શું વિત્ત અધિનિયમ, ૨૦૧૫ દ્વારા આવકવેરા ધારા, ૧૯૬૧ની કલમ ૧૫૩(સી)માં કરવામાં આવેલો સુધારો, તે ૦૧.૦૬.૨૦૧૫, એટલે કે સુધારાની તારીખ અગાઉ, કાયદાની કલમ ૧૩૨ હેઠળ હાથ ધરવામાં આવેલી તલાશીઓને લાગુ પડશે કે કેમ?" ૮. ઉપરોક્ત પ્રશ્ન અને સંબંધિત પક્ષો તરફથી કરવામાં આવેલી રજૂઆતો પર વિચારણા કરતી વખતે, કેટલીક હકીકતો, જે મુદ્દાના નિર્ણય માટે જરૂરી છે, તેનો ઉલ્લેખ કરવાની જરૂર છે અને તે નીચે મુજબ છેઃ- ( ) i ૧૯૬૧ ના કાયદાની કલમ ૧૩૨ હેઠળ એક એચ. એન. સફલ જૂથના વિવિધ સંકુલોમાં ૦૪.૦૯.૨૦૧૩ના રોજ તપાસ કરવામાં આવી હતી. જયારે તપાસ કરવામાં આવી હતી ત્યારે કલમ ૧૫૩(સી), જે તે વખતે, જે સ્વરુપે હતી, (૨૦૧૫ના સંશોધન પૂર્વે), તે લાગુ પડતી હતી. ( ) ii કલમ ૧૫૩(સી) જે તે વખતે, જે સ્વરૂપે હતી તેમાં એેવી જોગવાઈ કરવામાં આવેલી કે, “કલમ ૧૩૯, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૧ અને ૧૫૩માં ગમે તે મજકુ ર હોય પરંતુ, જ્યાં આકારણી અધિકારીને સંતોષ થાય છે કે, કોઈ પણ નાણાં, સોના-ચાંદી, દાગીના અથવા અન્ય કિંમતી વસ્તુ અથવા ચીજવસ્તુઓ અથવા નામાના ચોપડા કે દસ્તાવેજો કે જે જપ્ત કરવામાં આવ્યાં છે અથવા અધિગ્રહણ કરવામાં, તે કલમ ૧૫૩-એ માં ઉલ્લેખિત વ્યક્તિ સિવાયની વ્યક્તિના હોય અથવા માલિકીના હોય, ત્યારે જપ્ત કરવામાં આવેલા અથવા અધિગ્રહણ કરેલા, હિસાબના ચોપડા અથવા દસ્તાવેજો અથવા અસ્કયામતો એવી અન્ય વ્યક્તિ પર અધિકારક્ષેત્ર ધરાવતા આકારણી અધિકારીને સુપરત કરવામાં આવશે અને તે આકારણી અધિકારી, આવી અન્ય વ્યક્તિ વિરુધ્ધ કાર્યવાહી કરશે અને કલમ ૧૫૩(એ)ની જોગવાઈઓ અનુસાર આવી અન્ય વ્યક્તિને નોટિસ આપશે અને એવી અન્ય વ્યક્તિની આવકનું મૂલ્યાંકન અથવા પુનર્મૂલ્યાંકન કરશે. એવી જોગવાઇ પણ કરવામાં આવી છે કે આવી અન્ય વ્યક્તિના કિસ્સામાં, કલમ ૧૩૨ હેઠળની તલાશીની જાણ કર્યાની તારીખના સંદર્ભે અથવા કલમ ૧૩૨ એ(૧) (કે જેનો કલમ ૧૫૩એ ના બીજા પરંતુકમાં ઉલ્લેખ છે), હેઠળના અધિગ્રહણની તારીખનો સંદર્ભ તે નામાના ચોપડા, અથવા દસ્તાવેજો અથવા જપ્ત કે અધિગ્રહણ કરેલી આવી અન્ય વ્યક્તિ પર હકુમત ધરાવતા આકારણી અધિકારીને અસ્ક્યામતો મળ્યાની તારીખનો સંદર્ભ ગણવાનો રહેશે. ( ) iii તલાશી દરમિયાન વિવિધ અભિશસ્ત સામગ્રી/દસ્તાવેજો મળી આવ્યા હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા. આ પ્રકારની જપ્ત કરવામાં આવેલી સામગ્રીની ચકાસણી કર્યા પછી જાણવા મળ્યું હતું કે, અહીં સામાવાળા સાથે અનુલક્ષીત/સંબંધિત ચોક્કસ દસ્તાવેજો હતા, જે તલાશી કરવામાં આવેલી વ્યક્તિ સિવાયની વ્યક્તિના હતા. તદઅનુસાર, ૨૫.૦૪.૨૦૧૭ના રોજ સામાવાળાઓ-કરદાતાઓ (તલાશી કરવામાં આવેલી વ્યક્તિ સિવાયના) ના સંબંધમાં તલાશી કરાયેલી વ્યક્તિના આકારણી અધિકારીએ તે હદ (એટલે કે દસ્તાવેજો તલાશી કર્યા સિવાયની વ્યક્તિના હોવાની) સંતુષ્ટી થયાની નોંધ કરી હતી. આ સંતુષ્ટી થયાની નોંધ અભિશસ્ત સામગ્રી સાથે ૨૫.૦૪.૨૦૧૭ના રોજ સર્ચ ન કરવામાં આવેલી હોય તે વ્યક્તિના આકારણી અધિકારીને મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ સામાવાળાના આકારણી અધિકારીએ, જપ્ત કરવામાં આવેલી સામગ્રીની ચકાસણી કર્યા પછી, કરદાતાઓ (તલાશી ન કરવામાં આવેલી વ્યક્તિઓ) ની સામે કેટલીક અભિશસ્ત સામગ્રી અને રોકડની એન્ટ્રીઓ મળી હતી, જે મૂળ રીટર્ન ફાઇલ કરતી વખતે જાહેર કરવામાં આવી નહોતી. તદઅનુસાર, સામાવાળાઓના આકારણી અધિકારીએ પોતાની અંગત સંતુષ્ઠી થયાની નોંધ કરી હતી અને ૦૪.૦૫.૨૦૧૮ ના રોજ કલમ ૧૫૪(સી) અંતર્ગત નોટિસ ઇશ્યૂ કરી હતી. ( ) iv આ તબક્કે એ બાબત નોંધવી જરૂરી છે કે, આ દરમિયાન વિત્ત અધિનિયમ, ૨૦૧૫ દ્વારા કલમ ૧૫૩(સી) માં ૦૧.૦૬.૨૦૧૫થી સુધારો કરવામાં આવ્યો હતો અને ‘કોઇનું હોવું અથવા કોઇની માલિકીનું હોવું’ શબ્દોને "લગતું અથવા ને લગતુ” શબ્દો દ્વારા બદલવામાં આવ્યા હતા. ( ) v આમ, જ્યારે ૨૫.૦૪.૨૦૧૭ના રોજ તલાશી કરાયેલી વ્યક્તિના આકારણી અધિકારી દ્વારા તેમજ ૦૪.૦૫.૨૦૧૮ના રોજ ઉત્તરદાતાઓ - આકારણીઓ (તપાસ ન કરાયેલી વ્યક્તિઓ)ના આકારણી અધિકારી દ્વારા સંતોષ નોંધ નોંધવામાં આવી, ત્યારે, કલમ ૧૫૩(સી) (૦૧.૦૬.૨૦૧૫થી વિત્ત અધિનિયમ, ૨૦૧૫ દ્વારા સુધારેલ) લાગુ થઈ ગઇ હતી. એચ.એન. સફલ ગ્રુપ (તપાસ કરાયેલી વ્યક્તિ)ના વિવિધ પરિસરમાં કરવામાં આવેલ તપાસ દરમિયાન જપ્ત કરાયેલ સામગ્રીના આધારે તપાસ ન કરાયેલી વ્યક્તિ સામે કલમ ૧૫૩(સી) હેઠળની નોટિસ અને આકારણીના આદેશો, ઉચ્ચ અદાલત સમક્ષની અપીલના વિષય હતા. (૯) ઉપરોક્ત હકીકતોને ધ્યાનમાં રાખતા, આ અદાલતના વિચારણા માટે કાયદાનો પ્રશ્ન એ છે કે, "શું વિત્ત અધિનિયમ, ૨૦૧૫ દ્વારા આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૫૩(સી)માં થયેલ સુધારો, તે તા.૦૧.૦૬.૨૦૧૫ (એટલે કે સુધારાની તારીખ) અગાઉ હાથ ધરવામાં આવેલી કલમ-૧૩૨ હેઠળની તપાસોને લાગુ પડશે કે કેમ?”. (૧૦) ઉપરોક્ત પ્રશ્ન પર વિચાર કરતી વખતે, ૦૧.૦૬.૨૦૧૫થી વિત્ત અધિનિયમ, ૨૦૧૫ દ્વારા રજૂ કરાયેલ કલમ ૧૫૩(સી)માં સુધારાનું કારણ, ઉદ્દેશ્ય અને તેનેા હેતુ ધ્યાનમાં લેવાની જરૂર છે. (૧૦.૧) ઉપરોક્ત અવલોકન મુજબ, સુધારા પૂર્વેની કલમ ૧૫૩(સી)માં, વપરાયેલ શબ્દો તપાસ કરવામાં આવેલી વ્યક્તિ સિવાયની વ્યક્તિનું "હોવું અથવા માલિકીનું હોવું" હતા. પેપ્સિકો ઈન્ડિયા હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ (સુપ્રા) ના કિસ્સામાં, દિલ્હી હાઈકોર્ટે "કોઇની માલિકીનું હોવું" એ શબ્દોનું અર્થઘટન કર્યું અને અવલોકન કર્યું અને નોંધ્યું હતું કે "કોઇની માલિકીનું હોવું" અને "ને લગતુ" વચ્ચે તફાવત અને ભેદ છે. એવું અવલોકન કરી ઠરાવવામાં આવ્યું હતું કે તલાશી કરાયેલ વ્યક્તિના પરિસરમાંથી જપ્ત કરાયેલા રજિસ્ટર્ડ વેચાણ કરારના આધારે એવું કહી શકાય નહીં કે તે દસ્તાવેજ વિક્રેતાનું છે. આથી, ઉચ્ચ અદાલતના દ્રષ્ટિકોણથી ‘કોઇની માલિકીનું હોવુ’ શબ્દનો ખૂબ જ સંકુચિત અને મર્યાદિત અર્થ આપવામાં આવ્યો હતો અને ઠરાવવામાં આવ્યું હતું કે કલમ ૧૫૩(સી)ના ઘટકો સંતુષ્ટ થયા નથી. પેપ્સિકો ઈન્ડિયા હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ (સુપ્રા) ના કેસમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા અવલોકનનો આધાર દૂર કરવા, હવે (એકાઉન્ટ બુક્સ અને દસ્તાવેજો માટે) કલમ ૧૫૩(સી) માં ૦૧.૦૬.૨૦૧૫ના રોજથી "કોઇનું હોવુ અથવા કોઇની માલિકીનું હોવુ" શબ્દોના સ્થાને "લગતું અથવા ને લગતું” શબ્દો મુકવામાં આવ્યા હતા. આમ, પેપ્સિકો ઈન્ડિયા હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ (સુપ્રા)ના કેસમાં દિલ્હી ઉચ્ચ અદાલત દ્વારા કરવામાં આવેલા અવલોકનને કારણે એવી સ્થિતિ સર્જાઈ કે, કલમ ૧૩૨ હેઠળની તપાસ કાર્યવાહી દરમિયાન થર્ડ પાર્ટીને લગતી અભિશસ્ત સામગ્રી મળી આવી હતી અને મહેસુલ થર્ડ પાર્ટી સામે આગળ વધી શક્યું ન હતું, અને એવું જોવામાં આવ્યું હતું કે ઉપરોક્ત નિર્ણયમાં દિલ્હી ઉચ્ચ અદાલત દ્વારા કરવામાં આવેલ અવલોકન એ ઉપદ્રવ કે જેને ધારાસભાએ દુર કરવાનો ઇરાદો કર્યો હતો તેને જ ડામવાનો અવરોધ કરે છે, જેના કારણે કલમ ૧૫૩(સી)માં સુધારો જરૂરી બન્યો હતો. આમ, હાલનો કેસ તે શબ્દોની અવેજીથી સુધારો કરવાની બાબત છે. (૧૦.૨) આ તબક્કે, અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૫૩(સી)ના પ્રથમ પરંતુક તરફ નજર કરીએ. અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૫૩(સી)નો પ્રથમ પરંતુક ૦૧.૦૬.૨૦૦૩થી પૂર્વવર્તી અસર સાથે નાણાં અધિનિયમ, ૨૦૦૫ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જે એવી જોગવાઇ કરે છે કે કલમ ૧૩૨ હેઠળ તલાશી શરૂ કરવાની તારીખ, અથવા, કલમ ૧૩૨એ, કે જેનો કલમ-૧૫૩એમાં ઉલ્લેખ છે, તેના અધિગ્રહણ કર્યાની તારીખનું અર્થઘટન, તે આવા અન્ય વ્યક્તિ પર અધિકારક્ષેત્ર ધરાવતા આકારણી અધિકારી દ્વારા જપ્ત કરાયેલી અથવા અધિગ્રહણ કરાયેલી અસ્કયામતો અથવા નામાંના ચોપડાઓ અથવા દસ્તાવેજો પ્રાપ્ત કરવાની તારીખ તરીકે ગણવાનું રહેશે. નાણાં અધિનિયમ, ૨૦૦૫થી કલમ-૧૫૩સીમાંં મુકવામાં આવેલ પરંતુકમાં રહેલ જોગવાઈ નીચે મુજબ છેઃ “પરંતુ આવી અન્ય વ્યક્તિના કિસ્સામાં, કલમ ૧૩૨ હેઠળ તલાશી શરૂ કરવાની તારીખનો સંદર્ભસ, અથવા, કલમ ૧૫૩- એ(૧) ના બીજા પરંતુકમાં ઉલ્લેખાયેલ ૧૩૨એ હેઠળ અધિગ્રહણ કર્યાની તારીખનો સંદર્ભ, તે બન્નેનું અર્થઘટન, તે આવા અન્ય વ્યક્તિ પર અધિકારક્ષેત્ર ધરાવતા આકારણી અધિકારીને હિસાબી ચોપડાઓ, દસ્તાવેજો મળ્યાની અથવા અસ્કયામતો જપ્ત અથવા અધિગ્રહણ કરવામાં આવે તે તારીખના સંદર્ભ તરીકે ગણવામાં આવશે." (૧૦.૩) આમ, વિત્ત અધિનિયમ, ૨૦૦૫ દ્વારા દાખલ કરાયેલી કલમ ૧૫૩(સી)ના પરંતુકની એ અસર થાય કે તે એક ડિમીંગ ફિક્શન નું સર્જન કરે છે જે મુજબ, તલાશીની શરુઆતની તારીખોનો કોઈ પણ સંદર્ભ, તે એ તારીખનો સંદર્ભ માનવામાં આવે છે, કે જે તારીખે તલાશી ન કરાયેલ વ્યક્તિના આકારણી અધિકારીને નામાના ચોપડાઓ અથવા દસ્તાવેજો અથવા જપ્ત કે અધિગ્રહણ કરાયેલી મિલકતો વગેરે પ્રાપ્ત થાય છે. આમ, હાલનાં કેસમાં કલમ ૧૩૨ હેઠળ તલાશી કલમ ૧૫૩-સીમાં ૦૧.૦૬.૨૦૧૫ની અસરથી સુધારો થયા અગાઉ શરૂ કરવામાં આવી હોવા છતાં, તલાશી ન કરાયેલી વ્યક્તિનાં આકારણી અધિકારીએ ૨૫.૦૪.૨૦૧૭નાં રોજ જ હિસાબી ચોપડાઓ અથવા દસ્તાવેજો અથવા અસ્કયામતો સંપત્તિઓ જપ્ત ( ) sic કરવામાં આવી હતી, જે સુધારાના બાદનો કાળ છે. તેથી, જ્યારે કલમ ૧૫૩-સી અંતર્ગત નોટિસ ૦૪.૦૫.૨૦૧૮નાં રોજ જારી કરવામાં આવી હતી, ત્યારે તે તારીખે હાલના કાયદાની જોગવાઈ, એટલે કે સુધારેલી કલમ ૧૫૩-સી, લાગુ કરવાની રહેશે. (૧૦.૪)ઉપર જણાવ્યા અનુસાર કલમ ૧૫૩-સીમાં અવેજીથી સુધારો કરવામાં આવ્યો છે, જેમાં ‘કોઇનું હોવુ અથવા કોઇની માલિકીનું હોવુ’ શબ્દોને "લગતું અથવા ને લગતું” શબ્દો દ્વારા બદલવામાં આવ્યા છે. શામરાવ વી. પરુલેકર (સુપ્રા)ના કેસમાં આ અદાલતે અવલોકન કર્યું છે કે અવેજી દ્વારા કરવામાં આવેલા સુધારાની અસર એ થાય કે કાયદાકીય પુસ્તકમાંથી અગાઉની જોગવાઈને ભૂંસી નાખવામાં આવી હોય અને તેને સુધારેલી જોગવાઈથી બદલી દીધેલ હોય, જાણે કે જુની જોગવાઈ ક્યારેય અસ્તિત્વમાં જ ન હતી. ઝીલે સિંઘ (સુપ્રા) ના કેસમાં અનુગામી નિર્ણયમાં, ફકરા ૨૪ અને ૨૫માં નીચે મુજબ નોંધ લેવામાં આવી છેઃ- "૨૪. પહેલેથી અસ્તિત્વમાં હોય તેવા અન્ય લખાણને બદલે અન્ય અસ્તિત્વમાં રહેલ લખાણનો ઉપયોગ કરવો એ કાયદાકીય મુસદ્દામાં ઉપયોગમાં લેવાતી જાણીતી અને માન્ય પદ્ધતિઓમાંની એક છે."અવેજી" ને "અધિક્રમણ" અથવા હાલની જોગવાઈને માત્ર રદ કરવાની વાત વચ્ચે ભેદ રાખવો રહ્યો. ૨૫. જોગવાઈની અવેજીથી અગાઉની જોગવાઈ રદ થાય છે અને તેના બદલે નવી જોગવાઈ થાય છે (જુઓ, પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેચ્યુટરી ઇન્ટરપ્રિટેશન,., ibid પૃષ્ઠ-૫૬૫). જો આ પ્રસ્તાવને ટેકો આપવા માટે કોઈ જજમેન્ટની જરૂર હોય, તો તે વેસ્ટ યુપી સુગર મિલ્સ એસોસિએશન વિરુદ્ધ યુપી રાજ્ય [(૨૦૦૨) ૨ એસસીસી ૬૪૫], રાજસ્થાન રાજ્ય વિરુદ્ધ મંગીલાલ પિંડવાલ [(૧૯૯૬) ૫ એસસીસી ૬૦], કોટેશ્વર વિટ્ટલ કામત વિરુદ્ધ કે. રંગપ્પા બાલિગા એન્ડ કંપની [(૧૯૬૯) ૧ એસસીસી ૨૫૫] અને એ.એલ.વી.આર.એસ.ટી. વીરપ્પા ચેટ્ટિયાર વિરુદ્ધ એસ. માઈકલ [AIR ૧૯૬૩ SC ૯૩૩] માં જોવા મળશે. વેસ્ટ યુપી સુગર મિલ્સ એસોસિએશન વિરુદ્ધ યુપી રાજ્ય [(૨૦૦૨) ૨ એસસીસી ૬૪૫] કેસમાં આ અદાલતની ત્રણ જજોની ખંડપીઠે ઠરાવ્યું હતું કે રાજ્ય સરકાર જૂના નિયમની જગ્યાએ નવો નિયમ લાવી ક્યારેય જૂના નિયમને જીવંત રાખવાનો ઇરાદો ધરાવતી નહોતી. આ મુદ્દાની આસપાસ કેન્દ્રિત સંજોગોની સંપૂર્ણતાને ધ્યાનમાં રાખીને કોર્ટે જણાવ્યું હતું કે અવેજી તે માત્ર જૂના નિયમને કાઢી નાખી અને નવા નિયમને અમલમાં મૂકવાની અસર ધરાવે છે. માંગીલાલ પિંડવાલ કેસમાં [(1996) ૫ એસસીસી ૬૦] આ અદાલત એવો કાયદો, કે જે હાલ અસ્તિત્વમાં નથી રહ્યો, તેમાં લખાણથી સમાવિષ્ટ કરાયેલા અવેજી દ્વારા સુધારાની કાયદાકીય પ્રથાને સમર્થન આપ્યું હતું અને એવું માન્યું હતું કે જે સમયગાળા દરમિયાન કાયદો અમલમાં હતો, તે દરમ્યાન સુધારાની અસર રહેશે. કોટેશ્વર કેસમાં [(૧૯૬૯) ૧ એસસીસી ૨૫૫] આ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે નિયમોના “અધિક્રમણ” અને નિયમોના “પ્રતિસ્થાપન” વચ્ચેના તફાવત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, “પ્રતિસ્થાપનની પ્રક્રિયામાં બે તબક્કાઓનો સમાવેશ થાય છેઃ પ્રથમ, જૂના નિયમનું અસ્તિત્વ ખતમ કરવામાં આવે છે અને પછી તેની જગ્યાએ નવો નિયમ અસ્તિત્વમાં આવે છે.” (૧૦.૫)ઉપરોક્ત નિર્ણયમાં, ફકરા ૧૪, ૧૫, ૧૮ અને ૨૦માં પશ્ચાદવર્તી અમલવારી સામેની ધારણાના સંદર્ભમાં, નીચે મુજબ અવલોકન કરવામાં આવ્યું હતું: - - "૧૪. પશ્ચાદવર્તી અમલવારી સામેની ધારણા ઘોષણાત્મક કાયદાઓને લાગુ પડતી નથી…. તેથી, અધિનિયમની પ્રકૃ તિ નિર્ધારિત કરતી વખતે, સ્વરૂપને બદલે તેના મહત્વના સારભૂત ભાગને ધ્યાનમાં લેવું જોઈએ. જો નવો અધિનિયમ અગાઉની "સમજ આપવા હેતુ" માટે હોય, તો તે ધ્યેય વગરનો રહેશે સિવાય કે તેનુ અર્થઘટન પશ્ચાદવર્તી કરવામાં આવે. સામાન્ય રીતે અગાઉના અધિનિયમમાં દેખીતી રીતે જ જણાતું હોય કે કોઇ ભાગ સમાવિષ્ટ કરાયેલ નથી અથવા શંકાઓ દૂર કરવાની હોય, ત્યારે સમજૂતી પ્રકારના અધિનિયમ ઘડવામાં / પસાર કરવામાં આવે છે. એ સુસ્થાપિત છે કે જો કોઈ કાનૂન ઉપચારાત્મક હોય અથવા અગાઉના અસ્તિત્વમાં રહેલ કાયદાની માત્ર ઘોષણા કરતો હોય, તો તે સામાન્ય રીતે પશ્ચાદવર્તી હેતુનો રહે.... મૂળભૂત કાયદાની જોગવાઈનો ગર્ભિત અર્થ સ્પષ્ટ કરવા માટે સુધારેલો અધિનિયમ કેવળ ઘોષણાકારી હોઈ શકે. આ પ્રકારનો સ્પષ્ટીકરણયુક્ત સુધારો પશ્ચાદવર્તી અસર ધરાવશે (., ibid. pp ૪૬૮-૬૯). ૧૫. જોકે, પશ્ચાદવર્તીતાની ધારણા ન કરવી જોઈએ અને તેના ઉલટ, પશ્ચાદવર્તીતા વિરૂદ્ધ ધારણા છે, ક્રેઈઝ (સ્ટેટ્યુટ લો, ૭મી એડ.) અનુસાર, પશ્ચાદવર્તી અમલવારી ધરાવતા કાયદાઓ ઘડવા માટે વિધાનસભા મુક્ત છે. આવું સ્પષ્ટ અધિનિયમ દ્વારા, અથવા ઉપયોગમાં લેવામાં આવેલ ભાષામાંથી જરૂરી સૂચિતાર્થ દ્વારા પામી કરી શકાય છે. જો તે ઉપયોગમાં લેવાયેલ ભાષામાંથી આવશ્યક સૂચિતાર્થ બને કે ધારાસભા ચોક્કસ વિભાગને પશ્ચાદવર્તી અમલવારી કરાવવાનો ઇરાદો ધરાવે છે, તો અદાલતો તેને આવી અમલવારી આપશે. પશ્ચાદવર્તી અમલવારી સ્પષ્ટપણે આપવાના અભાવમાં, અદાલતોને જોગવાઈઓનાં અર્થઘટન કરવા અને કાયદાને પશ્ચાદવર્તીતા આપવાનો વિધાનમંડળે ઇરાદો પૂરતો વ્યક્ત કર્યો હતો કે કેમ તે પ્રશ્નનો જવાબ આપવાનો રહે. ચાર પરિબળો સુસંગત છે: ( ) i કાનૂનનો સામાન્ય અવકાશ અને કાર્યક્ષેત્ર; ( ) ii એ ઉપાયો કે જે લાગુ પાડવા માંગવામાં આવેલ હોય; ( ) iii કાયદાની ભૂતપૂર્વ સ્થિતિ; અને ( ) iv ધારાસભાએ શેના પર ચિંતન કરેલ. (પૃષ્ઠ-૩૮૮) પશ્ચાદવર્તીતા સામેનો નિયમ તે, રદ થઇ જવાની અસરથી એવો વિશેષાધિકાર, કે જે ઉપાર્જિત અધિકારને પાત્ર નથી, (પૃષ્ઠ ૩૯૨) (તેને) બચાવવા માટે લાગુ પાડી ન શકાય. XXXXXXXXXX ૧૮. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા [(૨૦૦૩) ૫ એસસીસી ૨૩] માં આ કોર્ટના તાજેતરના નિર્ણયમાં ઠરાવવામાં આવ્યુ છે કે કાયદાને પશ્ચાદવર્તીતા આપવા માટે કાયદાકીય ઉદ્દેશની અભિવ્યક્તિ માટે કોઈ નિશ્ચિત સૂત્ર નથી. દરેક કાયદો, પછી ભલે તે એવો હોય કે તે કાયદો બને ત્યારથી અમલમાં આવતો હોય કે પશ્ચાદવર્તીતા, તે વિધાનમંડળની યોગ્યતાના પ્રશ્નને આધિન હોવી જોઈએ. પશ્ચાદવર્તી તા કેટલાંક માપદંડો પર નક્કી કરવાની રહેશે, જેમ કેઃ( ) i ઉપયોગમાં લેવાયેલા શબ્દોમાં સ્પષ્ટપણે પશ્ચાદવર્તી અમલવારી પ્રદાન કરે છે અથવા સ્પષ્ટપણે સૂચિત કરે છે; ( ) ii પશ્ચાદવર્તીતા વાજબી હોવી જોઈએ અને અતિશયતાપૂર્ણ અથવા આકરી ન હોવી જોઈએ, અન્યથા તેને ગેરબંધારણીય કાયદા તરીકે રદ થવાનું જોખમ રહે; ( ) iii જ્યાં કાયદો ન્યાયિક નિર્ણય ઉપર અંકુશ મેળવવા માટે રજૂ કરવામાં આવે છે, ત્યાં નિર્ણયનો કાયદેસર આધાર દૂર કર્યા વગર નિર્ણયને પલટાવવા માટે પશ્ચાદવર્તીતાની સત્તાનો ઉપયોગ કરી શકાતો નથી. કાયદાને પશ્ચાદવર્તીતા આપવા માટે કાયદાકીય ઉદ્દેશ્યની અભિવ્યક્તિ માટે કોઈ નિશ્ચિત સૂત્ર નથી. એવી કાર્યવાહીઓ, કે જે સુધારા પહેલાની જોગવાઇઓ હેઠળ ટકવાપાત્ર ન હોય, તેવી કાર્યવાહીઓને જેમની તેમ રાખવા માટે, એક માન્યતા આપતી કલમ, અને સાથે એક આવશ્યક વૈધાનિક સુધારો, તે (આવું કરવાની) ઘણી પદ્ધતિઓ પૈકીની એક પદ્ધતિ છે. પરિણામે, માન્યતા આપનારી કલમની ગેરહાજરી, તે તેટલા કારણ માત્રથી જ વૈધાનિક જોગવાઈની પશ્ચાદવર્તી કામગીરીને અસર કરશે નહીં, જો આવી પશ્ચાદવર્તીતા અન્યથા સ્પષ્ટ હોય. XXXXXX (૨૦) બંગાળ ઇમ્યુનિટી કંપની લિમિટેડ વિરુદ્ધ બિહાર રાજ્ય [(૧૯૫૫) ૨ SCR ૬૦૩: AIR ૧૯૫૫ SC ૬૬૧] વાળા કેસમાં હેઇડન કેસ [(૧૫૮૪) ૩ Co Rep ૭: a ૭૬ ER ૬૩૭] માન્યતા સાથે ટાંકવામાં આવ્યો હતો. તે ન્યાયમૂર્તિશ્રીઓએ નોંધ્યુ છે કે: (એસસીઆર પૃષ્ઠ ૬૩૨-૩૩) "કાયદો ઘડવા માટેનો નકકર નિયમ, કે જે ઘણા સમય પહેલા ઈ.સ. ૧૫૮૪ માં ઈંગ્લેન્ઽમાં હેઇડન કેસ [(૧૫૮૪) ૩ સીઓ આરઈપી ૭ક: ૭૬ ઈઆર ૬૩૭] નો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં નિશ્ચિતપણે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે - '... સામાન્ય રીતે તમામ કાયદાઓના ચોક્કસ અને સાચા અર્થઘટન માટે (ભલે પછી દંડાત્મક હોય અથવા લાભદાયક, પ્રતિબંધક હોય અથવા સામાન્ય કાયદાનું વિસ્તરણ હોય) ચાર બાબતો જોઈએ અને ધ્યાનમાં લેવી જોઈએ - પહેલું. હાલનો અધિનિયમ બનતા પહેલાનો "કોમન લૉ" શું હતો? બીજુ. એવો કયો ઉપદ્રવ કે ખામી હતી, કે જેના માટે કોમન લૉ માં જોગવાઈ ન હતી. ત્રીજુ. કોમનવેલ્થની વ્યાધિ ના નિરાકરણ માટે સંસદે શું ઉપાય નક્કી કરી, અમલમાં મુક્યો? અને, ચોથુ. ઉપાય કરવાનું સાચું કારણ; અને પછી તમામ ન્યાયાધીશોનું કાર્ય હંમેશા એવું અર્થઘટન કરવાનું છે કે જેનાથી ઉપદ્રવ ડામી શકાય, અને ઉપાયો આગળ વધારવામાં મદદ મળે, અને અંગત લાભ ખાતર ઉપદ્રવની નિરંતરતા વધારવા હેતુ કરવામાં આવતાં વ્યવહારદક્ષ માટેના ગૂઢ આવિષ્કારો અને છટકબારીઓને ડામી શકાય, તેમજ કાયદાના ઘડનારના સાચા આશય એટલે કે પ્રજાના ભલા અનુસાર ઉપાય અને નિરાકરણ ને બળ અને જીવન પ્રદાન કરવું.'' ૧૦.૬ મહેસૂલ વિભાગ દ્વારા દાવો કરાયેલ છે કે કલમ ૧૫૩સી એક મશીનરી જોગવાઈ છે, જે કાયદો, ૧૯૬૧ ની કલમ ૧૩૨ હેઠળ, તલાશી લેવામાં આવેલી વ્યક્તિ સિવાયની વ્યક્તિઓની આકારણી કરવાના ઉદ્દેશ સાથે, ઉમેરવામાં આવી છે. વળી, આક્ષેપિત ચુકાદા અને આદેશોમાં પણ, ઉચ્ચ અદાલતે પરિચ્છેદ ૧૯.૪ માં નોંધ્યું છે કે, કાયદાની કલમ ૧૫૩/સી એક મશીનરી જોગવાઈ છે. કાયદાની પ્રસ્થાપિત સ્થિતિ અનુસાર, કરવેરા કાયદાની મશીનરી જોગવાઈઓના અમલીકરણ કરતી વખતે, અદાલતોએ કાયદાનો ઉદ્દેશ અને હેતુને ધ્યાનમા લઈને, તેના દેખીતા હેતુના અર્થનું અમલીકરણ કરવું જોઈએ. કલકત્તા નિટવેર્સ, લુધિયાણા (સુપ્રા) ના કેસમાં, કલમ ૧૫૮(બીડી) (જેને કલમ ૧૫૩સી દ્વારા બદલવામાં આવેલ છે) નું અર્થઘટન કરતી વખતે, આ અદાલતે પરિચ્છેદ ૧૮, ૩૨ અને ૩૪ માં નીચે પ્રમાણેની નોંધ લીધી છેઃ- "૧૮. અધિનિયમની કલમ-૧૫૮-બીસી અને ૧૫૮-બીડી મશીનરી જોગવાઈઓ છે. અધિનિયમની કલમ ૧૫૮-બીસી બ્લોક આકારણી માટે પ્રક્રિયાની જોગવાઈ કરે છે અને અધિનિયમની કલમ ૧૫૮-બીડી કોઈ અન્ય વ્યક્તિની અઘોષિત આવકના કેસમાં આકારણીની જોગવાઈ કરે છે. ઉપરોક્ત ધારાઓ આ કેસ અર્થે સુસંગત છે અને તેથી, તેમનો ઉતારો લેવામાં આવ્યો છે, જે નીચે પ્રમાણે વંચાણે લેવામા આવેલ છેઃ ૧૫૮-બીસી. બ્લોક આકારણી માટેની પ્રક્રિયા – કોઈ પણ વ્યક્તિના કેસમાં, જ્યારે કલમ ૧૩૨ હેઠળ તલાશી હાથ ધરવામાં આવી હોય અથવા કલમ ૧૩૨-ક હેઠળ નામાંના ચોપડા, અન્ય દસ્તાવેજો અથવા અસ્કયામતો નું અધિગ્રહણ કરવામા આવેલ હોય, તો – (ક) આકારણી અધિકારીએ - (૧) જો ૩૦ જૂન, ૧૯૯૫ પછી પરંતુ ૧ જાન્યુઆરી, ૧૯૯૭ પહેલાં હાથ ધરવામાં આવેલી તપાસ અથવા નામાંના ચોપડા, અન્ય દસ્તાવેજો અથવા અસ્કયામતો નું અધિગ્રહણ કરવામાં આવેલ હોય, એવી વ્યક્તિને નોટિસ મોકલી તેમાં સમય, કે જે તેને પંદર દિવસ કરતાં વધારે હોય; (૨) જો ૧ જાન્યુઆરી, ૧૯૯૭ના રોજ કે તે પછી હાથ ધરવામાં આવેલી તલાશી અથવા નામાંના ચોપડા, અન્ય દસ્તાવેજો અથવા અસ્કયામતો નું અધિગ્રહણ કરવામાં આવેલ હોય, એવી વ્યક્તિને નોટિસ મોકલી, તેમાં સમય, કે જે પંદર દિવસ કરતા વધારે અને પિસ્તાલીસ દિવસ કરતા વધુ નહિ હોય, તે દરમ્યાનમાં, નિર્ધારિત ફોર્મમાં, જે ફોર્મ કલમ ૧૪૨ ની પેટા કલમ (૧) ના ખંડ (૧) હેઠળ જણાવવામાં આવે તે જ રીતે પ્રતિજ્ઞાપૂર્વકની ચકાસણી સાથે, રીટર્ન ભરવા જણાવશે, કે જેમાં બ્લોક સમયગાળા માટે અઘોષિત આવક સહિત તેની કુલ આવક દર્શાવવી જોઈશેઃ પરંતુ આ પ્રકરણ હેઠળ કાર્યવાહી કરવા માટે કલમ ૧૪૮ હેઠળ કોઈ નોટિસ ઇશ્યૂ કરવાની જરૂર નથી. વધુમાં, જે વ્યક્તિએ આ ખંડ હેઠળ રીટર્ન ફાઈલ કરશે તે સુધારેલ રીટર્ન ફાઈલ કરવાને હકદાર રહેશે નહીં. (ખ) આકારણી અધિકારી કલમ ૧૫૮-ખખ માં જણાવેલી રીતે બ્લોક સમયગાળાની અઘોષિત આવક નક્કી કરશે અને કલમ ૧૪૨, પેટા-કલમ (૨) અને (૩), કલમ ૧૪૪ અને કલમ ૧૪૫ ની જોગવાઈઓ લાગુ પડે તેટલા પ્રમાણમાં અમલે મુકવી; (ગ) આ પ્રકરણ અનુસાર, બ્લોક સમયગાળાની અઘોષિત આવકના નિર્ધારણ ઉપર, આકારણી અધિકારી આકારણીનો હુકમ પસાર કરશે અને આવી આકારણીના આધારે ચુકવવાપાત્ર કર નક્કી કરશે. (ઘ) કલમ ૧૩૨ હેઠળ જપ્ત કરવામાં આવેલી અથવા કલમ ૧૩૨-ક હેઠળ અધિગ્રહણ કરવામાં આવેલી અસ્કયામતો અંગે કલમ ૧૩૨-ખ ની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ૧૫૮-બીડી. કોઈ અન્ય વ્યક્તિની અઘોષિત આવક.– જ્યાં આકારણી અધિકારીને સંતોષ થાય કે કોઈ પણ અઘોષિત આવક તે વ્યક્તિ સિવાયની કોઈ વ્યક્તિની છે, કે જેના સંબંધમાં કલમ ૧૩૨ હેઠળ તલાશી કરવામાં આવી હતી અથવા જેમના હિસાબી ચોપડા, અન્ય દસ્તાવેજો અથવા કોઈપણ અસ્કયામતો કલમ ૧૩૨-એ હેઠળ અધિગ્રહણ કરવામાં આવેલ હતુ, તો પછી, જપ્ત કરવામાં આવેલા અથવા અધિગ્રહણ કરવામાં આવેલ હિસાબી ચોપડા, અન્ય દસ્તાવેજો અથવા કોઈપણ અસ્કયામતો આ અન્ય વ્યક્તિ પર અધિકારક્ષેત્ર ધરાવતા આકારણી અધિકારીને સુપરત કરવામાં આવશે અને આકારણી અધિકારી આવા અન્ય વ્યક્તિ સામે કલમ ૧૫૮-બીસી હેઠળ કાર્યવાહી કરશે અને આ પ્રકરણની જોગવાઈઓ તે મુજબ લાગુ થશે.." ૩૨. તે પણ સામાન્ય બાબત છે કે મશીનરી જોગવાઈઓનું અર્થઘટન કરતી વખતે, કોર્ટ કોઈ જોગવાઈનું અર્થઘટન એવી રીતે કરશે કે જે ચાર્જિંગ જોગવાઈઓને અર્થ આપશે અને મશીનરી જોગવાઈઓનો અર્થઘટન અદાલતો દ્વારા ઉદારતાપૂર્વક કરવામાં આવશે. મહિમ પત્રમ (પી) લિમિટેડ વિ.ભારત સંઘ [(૨૦૦૭) ૩ એસસીસી ૬૬૮] આ અદાલતે નોંધ્યું છે કેઃ(એસસીસી પી.૬૮૦, ફકરા ૨૫-૨૬) ૨૫. નિર્વિવાદે કરવેરા કાયદાનું કડકપણે અર્થઘટન કરવું રહ્યું. (જુઓઃ જે. શ્રીનિવાસ રાવ વિરૂદ્ધ એ.પી. રાજ્ય [(૨૦૦૬) ૧૨ એસ.સી.સી. ૬૦૭]) આમ છતાં, એ બાબત પણ સારી રીતે પ્રસ્થાપિત છે કે કર ગણતરી કરવા માટેની મશીનરી જોગવાઈઓનો અથવા તેની ગણતરી માટેની પ્રક્રિયાનું અર્થઘટન, તે અર્થઘટનના સામાન્ય નિયમ દ્વારા કરવું રહ્યું. જ્યારે ચાર્જિંગ સેક્શન દ્વારા ડીલર પર લાયેબીલીટી લાદવામાં આવી છે, ત્યારે એ પ્રસ્થાપિત છે કે કોર્ટ કાયદાનું એ રીતે અર્થઘટન કરશે જેથી મશીનરી કામ કરી શકે. ૨૬. જે. શ્રીનિવાસ રાવ [(૨૦૦૬) ૧૨ એસસીસી ૬૦૭] ના કેસમાં આ અદાલતે ગુરસહાય સહગલ વિ. સીઆઈટી (૧૯૬૩) ૪૮ આઈટીઆર ૧ (એસસી)] અને ઇસ્પાત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિ. કમિ. ઓફ કસ્ટમ્સ [(૨૦૦૬) ૧૨ એસસીસી ૫૮૩] ના આ અદાલતના નિર્ણયોની નોંધ લીધી હતી. '૧૭. ગુરસહાય સહગલ [(1963) 48 1 ITR ( )] SC ના કેસમાં, જે પ્રશ્ન આ કોર્ટ સમક્ષ વિચારણા માટે મૂકવામાં આવ્યો, તે ચાર્જિંગ જોગવાઈઓની સામે મશીનરી જોગવાઈઓનું અર્થઘટન અંગે હતું. મોટર વાહન અધિનિયમમાં જોડવામાં આવેલી અનુસૂચિ એ મશીનરી જોગવાઈ નથી. તે ચાર્જિંગ જોગવાઈનો એક ભાગ છે. ૧૮. કાયદામાં ઉમેરવામાં આવેલી અનુસૂચિને શાબ્દિક અર્થઘટન આપવાથી, મશીનરી જોગવાઈઓ અવ્યવહારુ થતી નથી. તે વિધાનમંડળનો સ્પષ્ટ ઇરાદો નિષ્ફળ થવાથી રોકી શક્યું ન હતુ. તેને યોગ્ય અર્થ આપી શકાય તેમ છે.'' XXXXXXX ૩૪. કરવેરા કાયદાની મશીનરી જોગવાઈઓનું અર્થઘટન કરતી વખતે કોર્ટની એ ફરજ છે કે તે તેના દેખીતા હેતુને અમલમાં મૂકે. જ્યાં જવાબદારી લાદવાનો ઇરાદો સ્પષ્ટ હોય, ત્યાં અદાલતોએ મશીનરી જોગવાઈઓનું સામાન્ય અર્થમાં અર્થઘટન કરવામાં સંકોચ ન કરવો જોઈએ, કે જેથી લાદેલ કર/રકમ આરોપ નિષ્ફળ ન જાય. મશીનરી જોગવાઈઓનો અર્થ એ રીતે કરવો જોઈએ કે તે કાયદાના હેતુ અને હેતુને અસરકારક બનાવે અને તેને નિષ્ફળ ન બનાવે (વ્હિટની વિ. આઇઆરસી [૧૯૨૬ એસી ૩૭ (એચએલ)], સીઆઇટી વિ. મહાલીરામ રામજીદાસ [(૧૯૩૯- ૧૯૩૯)(૪૦) ૬૭ આઇએ ૨૩૯:(૧૯૪૦) ૫૨ એલડબલ્યુ ૨૩૪: (૧૯૪૦) ૮ આઈટીઆર ૪૪૨), ઇન્ડિયન યુનાઇટેડ મિલ્સ લિમિટેડ વિ.કમિ.ઓફ એક્સેસ પ્રોફીટસ ટેક્સ [(૧૯૫૫) ૨૭ આઈટીઆર ૨૦ (એસસી)] એન્ડ ગુરસહાઈ સાઈગલ વિ. સીઆરટી [(૧૯૬૩) ૪૮ આઈટીઆર ૧ (એસસી)] સીડબ્લ્યુટી વી. શરવન કુમાર સ્વરુપ એન્ડ સન્સ [(૧૯૯૪) ૬ એસસીસી ૬૨૩]; સીઆઈટી વી. નેશનલ તાજ ટ્રેડર્સ [(૧૯૮૦) ૧ એસસીસી ૩૭૦] અને એસોસિએટેડ સિમેન્ટ કું.લિ. વી. સિટીઔસીટીઓ [(૧૯૮૧) ૪ એસસીસી ૫૭૮]). ફ્રાન્સિસ બેનિયન, તે બેનિયન ઓન સ્ટેટ્યુટરી ઇન્ટરપ્રિટેશન, ૫મી આવૃત્તિ, લેક્સિસ નેક્સિસ ઉપરોક્ત પ્રસ્તાવને ટેકો આપતા એક ઉદાહરણ રજૂ કરે છે કે, કાયદાના ઘડનાર દ્વારા પ્રક્રિયાગત જોગવાઈઓમાં લાદવામાં આવેલ કર/રકમ વાદી અને અન્યના સામાન્ય લાભ માટે હોવાને કારણે, એવું માનવાને રહે છે કે તે પેન્ડિંગ તેમજ ભવિષ્યની કાર્યવાહીઓને લાગુ પડે છે." ૧૦.૭ ગિરધારી લાલ એન્ડ સન્સ (સુપ્રા) ના કિસ્સામાં, આ કોર્ટ દ્વારા એવું અવલોકન કરવામાં આવ્યું છે કે, એકવાર પ્રાથમિક ઇરાદો (વિધાનમંડળનો) જાણી-સમજી લીધા બાદ અને કાયદાનો મૂળ હેતુ જાણી લેવામાં આવે તો, કાયદાને ઉદ્દેશ્યપૂર્ણ અને કાર્યાંત્મક અર્થઘટન આપવું, એ અદાલતની ફરજ બની જાય છે. વધુમાં એવું પણ ખરુ કે કાયદાના અર્થઘટનમાં અદાલતનું મુખ્ય કાર્ય વિધાનમંડળનો ઇરાદો- વાસ્તવિક કે કથિત નક્કી કરવાનો હોય છે. ઇરાદો નક્કી કર્યા પછી, અદાલતે કાયદાના હેતુ અને હેતુને પ્રોત્સાહન મળે અથવા આગળ વધે તે પ્રમાણે કાયદાનું અર્થઘટન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. વધુમાં એવું પણ જોવા મળ્યું છે કે, કાયદાનો હેતુ નક્કી કરવો એ કાયદાકીય અર્થઘટનનો મૂળભૂત નિયમ છે અને અર્થઘટનનો એવો નિયમ પસંદ કરવો જોઈએ, જે કાયદાના હેતુને આગળ વધારી શકે અને શાબ્દિક અર્થઘટનનો સામાન્ય રીતે સ્વીકાર કરવો જોઈએ, છતાં આવા અર્થઘટનનો ત્યાં સ્વીકાર ન કરવો જોઈએ, જ્યાં તે વિસંગતતાઓ, અન્યાય અથવા નિરર્થકતા તરફ દોરી જાય. કાયદાના અર્થઘટન પર, હિન્દુસ્તાન બલ્ક કેરિયર્સ (સુપ્રા) ના કેસમાં પરિચ્છેદ ૧૭ થી ૨૧ માં નીચે મુજબ નોંધ લેવામાં આવી છેઃ- - “૧૭. જો બે અર્થઘટનોમાંથી કોઇ એક વિકલ્પ હોય, અને તે પૈકીનું સંકુચિત (અર્થઘટન) કાયદાનો દેખીતો હેતુ હાંસલ કરવામાં નિષ્ફળ જાય તેમ હોય તો, આપણે એવા અર્થઘટનથી બચવું જોઈએ જે કાયદાને વ્યર્થતા તરફ દરી જશે. તેના બદલે નિર્ભયપૂર્ણ અર્થઘટનને સ્વીકારવું જોઈએ, જે એ વિચારને આધારે કે સંસદ માત્ર અસરકારક પરિણામ લાવવાના હેતુ થી જ કાયદો બનાવશે. (જુઓ- નોક્સ વિ. ડોનકાસ્ટર એમાલગમેટેડ કોલિયરીઝ [(૧૯૪૦) ૩ ઓલ ઇઆર ૫૪૯:૧૯૪૦ એસી ૧૦૧૪:૧૦૯ એલજેકેબી ૮૬૫:૧૬૩ એલટી ૩૪૩ (એચએલ) નો ઉલ્લેખ પાઇ વિ. મિનિસ્ટર ફોર લેન્ડ્સ ફોર એનએસડબલ્યુ [(૧૯૫૪) ૩ ઓલ ઇઆર ૫૧૪:(૧૯૫૪) ૧ વોલર ૧૪૧૦ (પીસી)]. ઉપરોક્ત કેસોમાં સૂચવવામાં આવેલા સિદ્ધાંતો આ અદાલતે મોહન કુ માર સિંઘાનિયા વિરુદ્ધ ભારત સરકાર [૧૯૯૨ સપ્લીમેન્ટ (૧) એસસીસી ૫૯૪]:એર ૧૯૯૨ એસસી ૧) માં પુનરોકત કર્યા. ૧૮. કાયદાને સંપૂર્ણ રીતે વાંચવો જોઈએ અને કાયદાની એક જોગવાઈનુ અર્થઘટન એ જ કાયદાની અન્ય જોગવાઈઓના સંદર્ભમાં કરવું જોઈએ. જેથી સમગ્ર કાયદાને સુસંગત બનાવી શકાય. ૧૯. અદાલતે કેવળ કલમનુ જ અર્થઘટન નહી, પણ ધારાસભાના ઇરાદાને પ્રકાશમાં લાવવા, સંપૂર્ણ અધિનિયમ સાથે જોઇ કરવાની રહે; તે તેની સરખામણી કાયદાની અન્ય જોગવાઇઓ સાથે કરશે અને એ પશ્ચાદભુમિકામાં, તે જેમાં કલમ રહેલ છે. (જુઓઃ આર.એસ. રઘુનાથ વિરૂદ્ધ કર્ણાટક રાજ્ય [(૧૯૯૨) ૧ એસસીસી ૩૩૫: એઆઇર ૧૯૯૨ એસ. સી. ૮૧) આ પ્રકારના અર્થઘટનમાં કોઈ પણ વિભાગની અંદર અથવા બે અલગ-અલગ વિભાગો અથવા એક જ કાયદાની જોગવાઈઓ વચ્ચે કોઈ પણ પ્રકારનાં અસંગતતા અથવા વિરોધાભાસને ટાળવાની ક્ષમતા છે. એક જ કાયદાની બે જોગવાઈઓ વચ્ચે ટકરાવ ટાળવો એ કોર્ટની ફરજ છે. (જુઆે: સુલ્તાના બેગમ વિરુદ્ધ પ્રેમચન્દ જૈન [(૧૯૯૭)૧એસસીસી ૩૭૭ એર ૧૯૯૭ એસ સી ૧૦૦૬]. ૨૦. જ્યારે પણ આવું કરવું શક્ય હોય, ત્યારે વિરોધાભાસી લાગે તેવી જોગવાઈઓનો અર્થઘટન કરવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી તેઓ સુસંગત બની શકે. એવું હળવાશથી ન માનવું જોઈએ કે સંસદ જે એક હાથ આપે, તે બીજા હાથે પરત લઈ લેશે. ૨૧. કાયદાના એક સેક્શનની જોગવાઈઓનો ઉપયોગ બીજા સેક્શનની જોગવાઈઓને નિષ્ફળ બનાવવા માટે ત્યાં સુધી ઉપયોગ કરી શકાય નહીં જ્યાં સુધી તેમની વચ્ચે એકરાગ કરવો અશક્ય ન હોય. આ રીતે અર્થઘટનથી કોઈ એક જોગવાઈને તદ્દન નકામી બનવા દેવી એ સુમેળભર્યું અર્થઘટન નથી. સુમેળ કરાવવો એટલે વિનાશ કરવો, એવું નથી." ૧૦.૮. જ્યાં સુધી સંબંધિત સામાવાળાઓ તરફથી રજૂઆત કરવામાં આવી છે-કરદાતાઓને લાગે છે કે નાણાં ધારા, ૨૦૧૫ દ્વારા કલમ ૧૫૩ સીમાં સુધારાના માધ્યમથી કરદાતાઓને-વ્યક્તિઓને, જેમને અત્યાર સુધી આવરી લેવામાં આવ્યા ન હતા અને આથી, તે કરદાતાઓના આવશ્યક અધિકારોને અસર કરે છે અને તેથી, તેને પશ્ચાદવર્તી અસરથી લાગુ ન કરવું જોઈએ, આ રજૂઆત આકર્ષક લાગે છે, પરંતુ તે નામંજૂર થવાપાત્ર છે. ઉપર જણાવ્યા અનુસાર, અસંશોધિત કલમ ૧૫૩સી પણ "અન્ય વ્યક્તિ"ની આવકની આકારણી સાથે સંબંધિત છે. કલમ ૧૫૩સીનો ઉદ્દેશ્ય અને હેતુ તલાશી લેવામાં આવેલી વ્યક્તિ સિવાયની અન્ય વ્યક્તિઓને સંબોધિત છે. અસંશોધિત ધારા ૧૫૩સી અનુસાર પણ અન્ય વ્યક્તિઓ (તલાશી કરાયેલી વ્યક્તિ સિવાયની) સામે કાર્યવાહી, તે જપ્ત કરાયેલા અથવા અધિગ્રહણ કરવામાં આવેલા નામાંના ચોપડા કે દસ્તાવેજોને આધારે કરવામાં આવી હતી, કે તલાશી કરાયેલી વ્યક્તિ સિવાયની અન્ય વ્યક્તિની છે અથવા તેવા વ્યક્તિની માલિકીની છે. છતાં એવું લાગે છે કે પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ (સુપ્રા) ના કેસમાં દિલ્હી ઉચ્ચ અદાલતે "કોઇની માલિકીનું હોવુ" શબ્દોનું સંકુચિત અર્થઘટન કર્યું હતું અને તેના કારણે એવી સ્થિતિ ઉભી થઈ હતી કે, કલમ ૧૩૨ હેઠળ તલાશી દરમિયાન કોઈ ત્રીજા પક્ષ/વ્યક્તિ સાથે સંબંધિત અભિશસ્ત સામગ્રી મળી આવી હોવા છતાં, મહેસૂલ આવા ત્રીજા પક્ષ સામે કાર્યવાહી કરી શકતી ન હતી, જેના કારણે વિધાનમંડળ/સંસદને સ્પષ્ટતા કરવા "કોઇનું હોવુ અથવા કોઇની માલિકીનું હોવું" શબ્દોને બદલીને "લગત અથવા ને લગતું" કરવા પડ્યા હતાં અને દિલ્હી ઉચ્ચ અદાલતના નિર્ણયને અનુલક્ષીને ઉભા થયેલ ઉપદ્રવનો ઉકેલ લાવવો પડ્યો હતો. એટલે જો સંબંધિત સામાવાળાઓ તરફથી રજૂ કરવામાં આવેલી રજૂઆત કે, તલાશ કરાયેલી વ્યક્તિના પરિસરમાંથી નામાંના ચોપડા કે દસ્તાવેજો કે તેમની સાથે સંબંધિત અસ્કયામતોનાં સ્વરૂપમાં અભિશસ્ત સામગ્રી મળી આવી હોવા છતાં પણ આવા અન્ય વ્યક્તિઓ વિરૂદ્ધ કલમ ૧૫૩સી હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં ન આવે, અને તે પણ એકમાત્ર કારણ કે તલાશી લેવામાં આવી ત્યારે કાયદો અસંશોધિત હતો, તો આ સ્થિતિમાં કલમ ૧૫૩સીનાં સુધારાનો જે હેતુ કે જે "લગત અથવા ને લગતું" એવા શબ્દોથી બદલવો છે, તે નિષ્ફળ થઇ રહેશે. ઉપર જણાવ્યા અનુસાર, કાયદો/કાયદાના મૂળ હેતુ અને હેતુને નિષ્ફળ બનાવનારા કોઈપણ અર્થઘટનને અદાલત ટાળશે. જો સંબંધિત સામાવાળાઓ તરફથી કરવામાં આવેલા અર્થઘટનનો સ્વીકાર કરવામાં આવે તો તે કિસ્સામાં કલમ ૧૫૩સીનો ઉદ્દેશ અને હેતુ, એટલે કે અન્ય વ્યક્તિની આવકની આકારણી (તલાશવામાં આવેલી વ્યક્તિ સિવાયની) પણ નિષ્ફળ જશે. ૧૧. ઉપરોક્ત કારણોને ધ્યાનમાં રાખીને અને ઉપરોક્ત જણાવેલા કારણોને ધ્યાનમાં રાખીને, ઉચ્ચ અદાલતે આપેલા સંયુક્ત ચુકાદા અને આદેશને ટકવાપાત્ર ગણી શકાય નહીં અને એ પ્રશ્ન કે શું વિત્ત અધિનિયમ, ૨૦૧૫ દ્વારા આવકવેરા ધારા, ૧૯૬૧ ની કલમ ૧૫૩સી માં લાવવામાં આવેલો સુધારો, તે ૦૧.૦૬.૨૦૧૫ એટલે કે સંશોધનની તારીખ અગાઉ કાયદાની કલમ ૧૩૨ અંતર્ગત હાથ ધરવામાં આવેલી તલાશીઓને લાગુ પડશે?, તેનો જવાબ મહેસૂલની તરફેણમાં અને કરદાતાની વિરુદ્ધ આપવામાં આવે છે અને તે મુજબ મુકરર કરવામાં આવે છે. એટલે એવું અવલોકન કરી ઠરાવવામાં આવે છે કે વિત્ત અધિનિયમ, ૨૦૧૫ ના માધ્યમથી કાયદાની કલમ ૧૫૩સી માં કરવામાં આવેલો સુધારો ૦૧.૦૬.૨૦૧૫ એટલે કે સુધારાની તારીખ અગાઉ કાયદાની કલમ ૧૩૨ અંતર્ગત હાથ ધરવામાં આવેલી તપાસોને લાગુ પડશે. આથી, ઉચ્ચ અદાલતે આપેલા સંયુક્ત ચુકાદા અને આદેશને રદ કરવો જોઈએ અને તે મુજબ તેને રદ કરેલ છે. જોકે, ઉચ્ચ અદાલતના સંબંધિત આકારણીના આદેશોને મુખ્યત્વે ઉપરોક્ત મુદ્દા પર પડકારવામાં આવ્યા હતા, જેનો હવે ઉપરોક્ત મહેસૂલની તરફેણમાં જવાબ આપવામાં આવ્યો છે, તેથી અમે અન્ય કોઈ પણ કારણોસર સીઆઇટી (એ) સમક્ષ આકારણીના આદેશોને પડકાર ફેંકવાની સંબંધિત કરદાતાઓની તરફેણમાં સ્વતંતરાતા અનામત રાખીએ છીએ. ઉપર જણાવ્યા અનુસાર, જો ઉપરોક્ત અપીલ આજથી ચાર અઠવાડિયામાં અદાલત સમક્ષ રજુ કરવામાં આવે, તો તેને ગુણદોષ આધારે, તેવા કોઈ અન્ય કારણોસર ધ્યાને લેવામાં આવે. ઉપરોક્ત સંદર્ભમાં હાલની અપીલોને મંજૂર કરવામાં આવે છે. જોકે, કેસના તથ્યો અને સંજોગોને ધ્યાને લઇ ખર્ચ અંગે કોઈ આદેશ આપવામાં આવતો નથી.....................ન્યાયમૂર્તિ [એમ. આર. શાહ] નવી દિલ્હી એપ્રિલ ૦૬,૨૦૨૩.....................ન્યાયમૂર્તિ [બી. વી. નાગરત્ન] This judgment has been translated using AI Tool – SUVAS.: DISCLAIMER The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to / understand it in his her language and may not be used for., any other purpose For all practical and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and. implementation